Opinion Magazine
Number of visits: 9570028
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહાપુરુષોનો વારસો ટકાવી રાખવા અને સમૃદ્ધ કરવામાં તેમના અનુગામીઓની કસોટી થાય છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|20 February 2022

‘નેહરુના ભારતની અવદશા જુઓ! આજે નેહરુના ભારતની લોકસભામાં અડધોઅડધ સભ્યો ગુનાખોરીના આરોપી છે અને કેટલાક સામે તો ખૂન અને બળત્કાર જેવા ગંભીર ગુનાઓના આરોપ છે.’

કોણ કહે છે આમ? સિંગાપોરના વડા પ્રધાન લી હિસીન લૂંગ. પ્રસંગ એવો હતો કે સિંગાપોરની સંસદમાં વર્કર્સ પાર્ટીના નેતા રઈસા ખાને અસત્યકથન કર્યું હતું. તેમનું જૂઠ પકડાઈ ગયું અને નાછૂટકે તેમણે તેની કબૂલાત પણ કરવી પડી હતી. તેમની સામે સંસદમાં મર્યાદાભંગની નોટીસ આવી અને તેના પરની ચર્ચામાં વડા પ્રધાન લોકશાહી મૂલ્યો અને દાયિત્વ વિષે બોલી રહ્યા હતા. રઈસા ખાને પક્ષના નેતાપદેથી રાજીનામું આપ્યું છે અને કદાચ તેમને સંસદ પણ દંડશે. તો પ્રસંગ ઉપસ્થિત થતાં સિંગાપોરના વડા પ્રધાને ભારતના લોકતંત્રની વર્તમાનમાં અવદશાનો તેમ જ જવાહરલાલ નેહરુનો અને તેમની લોકતાંત્રિક મૂલ્યનિષ્ઠાનો હવાલો આપ્યો હતો. એક પ્રકારે રેફરન્સ તરીકે નેહરુને ટાંક્યા છે.

બોલો! સૂર્ય સામે ગમે એટલી ધૂળ ફેંકવામાં આવે, એ ક્યાંકને ક્યાંક તો ઝળક્યા વિના રહેતો નથી, કારણ કે એ સૂર્ય છે. જવાહરલાલ નેહરુ વિષે અંગ્રેજી ભાષામાં સો કરતાં વધારે પુસ્તકો લખાયાં છે અને હજુ લખાય છે. એમાંનું કોઈ પુસ્તક પૈસા આપીને લખાવવામાં આવ્યું નથી અને એવી જરૂર પણ નથી. ધૂળ ફેંકવાથી સૂર્ય ઝાંખો પડતો નથી અને આંખ વિંચી લેવાથી સુર્યાસ્ત થતો નથી. એની નોંધ લેવાતી જ રહે છે.

દેશ આઝાદ થયો ત્યારે કાઁગ્રેસના નેતાઓએ સંકલ્પ કર્યો હતો કે ભારત એક લોકશાહી દેશ હશે અને એ પણ ભારતની પ્રત્યેક વ્યક્તિને પુખ્ત મતદાનનો અધિકાર આપનારો લોકશાહી દેશ હશે. અને લોકતંત્રનો ઢાંચો કેવો હશે? તો કહે સંસદીય લોકતંત્રનો. પ્રમુખશાહી એક રીતે ઉફરું લોકતંત્ર છે, જ્યારે સંસદીય લોકશાહી પ્રમાણમાં વધારે સઘન લોકતંત્ર છે. એવું નથી કે સંસદીય લોકતંત્રમાં કોઈ મર્યાદા નથી. જો તેને સુધારવામાં ન આવે તો સંસદીય લોકતંત્ર નબળું પડે છે અને જો મર્યાદાઓનો સત્તાકીય લાભ લેવામાં આવે તો અધ:પતન થાય છે. ભારતમાં આ જ બની રહ્યું છે જેના તરફ સિંગાપોરના વડા પ્રધાન લીએ ઈશારો કર્યો છે.

વસ્તીની દૃષ્ટિએ ભારત ચીન પછીનો સૌથી મોટો દેશ. ગ્રામીણ, ગરીબ અને અભણ પ્રજા. આ ઉપરાંત અંધશ્રદ્ધા, ઊંચનીચના અધિકારભેદ અને સામંતશાહી અર્થવ્યવસ્થા તેમ જ સમાજવ્યવસ્થા. જગત આખાને ત્યારે એમ લાગ્યું હતું કે ભારત એક ઝાટકે શિવધનુષ ઉઠાવવાનું જરાક વધારે પડતું સાહસ કરી રહ્યું છે. સલાહ પણ આપવામાં આવી હતી કે પુખ્ત મતદાનનો અધિકાર ધીરેધીરે લાયકાત જોઇને અને લાયકાત વિકસાવીને આપવામાં આવે. ભારતે તેમની સલાહ જ્યારે કાને ન ધરી ત્યારે અનેક લોકોની એવી ધારણા હતી કે ૧૯૫૧-૫૨ની સામાન્ય ચૂંટણી ભારતની પહેલી અને છેલ્લી ચૂંટણી નીવડવાની છે.

જેમ વિદેશમાં ભારતની લોકતાંત્રિક છલાંગ વિષે કેટલાક લોકો શાસંક હતા એમ ભારતમાં પણ અનેક લોકો સાશંક હતા. પણ ભારતમાં બે વ્યક્તિ એવી હતી જે એમ માનતી હતી કે જો સાચી નિષ્ઠા હોય અને ઈમાનદારીપૂર્વક પ્રયત્ન કરવામાં આવે તો ભારતમાં સાર્વત્રિક પુખ્ત મતદાનવાળું લોકતંત્ર સફળ થઈ શકે છે. એ બે વ્યક્તિ એટલે જવાહરલાલ નેહરુ અને ડૉ. બાબાસાહેબ આંબેડકર. આમાં નેહરુ વડા પ્રધાન અને દેશના લોકપ્રિય નેતા હતા એટલે નિષ્ઠા અને ઈમાનદારીની કસોટી તેમની થવાની હતી અને તેઓ તેમાં ખરા ઉતર્યા. સિંગાપોરના વડા પ્રધાન લીએ સિંગાપોરની સંસદમાં બોલતા નેહરુના આ યોગદાનની ખાસ નોંધ લીધી છે. તેમણે નેહરુની સાથે ઇઝરાયેલના પહેલા વડા પ્રધાન ડેવિડ બેન-ગુરિયનનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, ‘જે નેતાઓ પોતાના દેશની આઝાદી માટે લડ્યા હોય અને આઝાદી મેળવી આપી હોય એવા નેતાઓ મહાપુરુષની કોટિના હોય છે. તેઓ સંસ્કારી હોય છે, તેમનામાં ઊંડી સમજ હોય છે, અગાધ નિષ્ઠા હોય છે અને અસાધારણ ક્ષમતા હોય છે. તેઓ અગ્નિપરીક્ષામાંથી પસાર થાય છે અને તેમાં વિજયી થઈને સકળ માનવસમાજના અને જગતના રાષ્ટ્રોના નેતા તરીકેનું સ્થાન પામે છે. જવાહરલાલ નેહરુ અને ડેવિડ બેન-ગુરિયન આવા નેતા હતા.’

એ પછી તેમણે કહ્યું હતું કે મહાપુરુષોનો વારસો ટકાવી રાખવો અને તેને સમૃદ્ધ કરવો એમાં તેમના અનુગામીઓની કસોટી થતી હોય છે. આ બાબતે ભારત અને ઇઝરાયેલ બન્ને નિષ્ફળ નીવડ્યા છે અને આજે નેહરુના ભારતની સંસદમાં અડધોઅડધ સભ્યો ફોઝદારી ગુનાઓના આરોપી છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 ફેબ્રુઆરી 2022

Loading

ઉત્તેજનાથી આક્રમકતાઃ જીવનશૈલીની ઝડપી ગતિમાં ટૂંકુ થઇ રહેલું આ અંતર સમાજનું જોખમ વધારનારું

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|20 February 2022

ગ્રિષ્મા વેકરિયા, આખા સુરતની દીકરી છે, અને આખા સુરતને જ નહીં પણ આ કેસને જાણનારા એકેએક જણને, પોતાની આસપાસની દીકરીઓની ચિંતા હવે રૂંવાડું ફરકાવી દેનારી સાબિત થશે. ક્યારે ય પણ કંઇ પણ થઇ શકે છે. ફેનિલ ગોયાણી, જેણે ગ્રિષ્માનું ગળું કાપીને હત્યા કરી તેને આસપાસ ઊભેલા લોકો, વીડિયો શૂટ કરી રહેલા માણસો, ગ્રિષ્માનાં સગાંઓની બૂમાબૂમ કશાથી કોઇ ફેર ન પડ્યો. એ જે નક્કી કરીને આવ્યો હતો તે જ તેણે કર્યું. આ લખાઇ રહ્યું છે ત્યારે ફેનિલના તેના દોસ્ત સાથેના કૉલ્સ વાઇરલ થઇ રહ્યા છે. આ ઘટના એટલી બધી આઘાતજનક છે કે તેને વિશે વિસ્તારથી લખવું પણ વિચલિત કરી દે તેવું છે. આ ઘટનાના સતત સમાચાર આવી રહ્યા છે, કોઇને કોઇ તપાસ થઇ રહી છે. એક સમાજ તરીકે આપણને સવાલ એ થવો જોઇએ કે આ ઘટના શા માટે? પ્રેમનું આ ઝનૂન કોઇ કાળે ગળે ઉતરે તેમ નથી.

ફિલ્મો, ઇન્ટરનેટ, વધુ પડતી માહિતી, ઉછેર જેવી બાબતો પર ચર્ચાઓ થઇ રહી છે અને થશે. વળી આવો કિસ્સો પહેલી વાર થયો છે એમ પણ નથી, અને આવા કિસ્સાઓ આજથી ૩૦ વર્ષ પહેલાં નહોતા થતા તેવું પણ નથી. ઝનૂન, પ્રેમ અને ગુનો આ ત્રિરાશી જોખમી છે અને એમાં કશું પણ અજુગતું કે નવું નથી. આખરે આવું શા માટે? માણસ જાતની સંવેદનાઓ સમયાંતરે, દાયકાઓ સાથે બદલાય – પણ એ બદલાવમાં, તેની તીવ્રતામાં વધારો કે ઘટાડો થાય બાકી પ્રેમમાં પડેલો માણસ હોય કે ગુસ્સે ભરાયેલો માણસ હોય કે પછી દુઃખી માણસ હોય તે આજથી અમુક દાયકા પહેલા જેવો હતો તેવો જ હોય છે, માત્ર તેની લાગણીની તીવ્રતામાં ફરક આવ્યો હોય છે. આ તીવ્રતા બદલાવા પાછળના કારણોની વાત કરીએ તે પહેલાં કેટલાક આંકડા અને તાજેતરની અમુક બીજી ઘટનાઓ પર નજર નાખીએ.

સમય અને સ્થળના આયામોને પાર નજર કરીએ તો ઘણાં ઘાતકી ગુનાનું મૂળ હોય છે પ્રેમ. પ્રેમ સંબંધો જેમાં લગ્ન, સજાતીય સંબંધો અને લગ્નેતર સંબંધો સહિતના તમામનો સમાવેશ કરીએ તો આખા દેશમાં થતી હત્યાઓમાંથી ૧૦ ટકા હત્યાઓ પ્રેમને ખાતર થાય છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્ઝ બ્યુરોનો ક્રાઇમ ઇન ઇન્ડિયા વર્ષ ૨૦૨૦ના રિપોર્ટ અનુસાર ભારતમાં થયેલી ૨૯,૧૯૩ મર્ડર્સમાંથી ૩,૦૩૧ હત્યાઓનું કારણ પ્રેમ પ્રકરણ હતું. દાયકા પહેલા આ પ્રમાણ સાત કે આઠ ટકાએ હતું જે હવે દસથી અગિયાર ટકાએ પહોંચ્યું છે. ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, તામિલનાડુ અને ગુજરાતમાં આ પ્રકારના કેસિઝ વધુ જોવા મળે છે. જાતિભેદ, સંકુચિત માનસિકતા વગેરે પણ આવા ગુનાઓમાં મોટો ફાળો ભજવે છે. પરંતુ સુરતમાં જે થયું તેમાં પ્રેમની ઘેલછા જે અંતે ઝનૂનમાં ફેરવાઇ તે બહુ મોટું કામ કરી ગઇ.

ગુજરાતના જાણીતા મનોવૈજ્ઞાનિક ડૉ. પ્રશાંત ભીમાણી સાથે જ્યારે આ કિસ્સાની ચર્ચા કરી ત્યારે તેમણે કહ્યું, “જે છોકરાએ આ ગુનો આચર્યો તેના મામલે મા-બાપ પણ ક્યાંક કદાચ કાચા પડ્યા. હોઇ શકે કે તે બાળક તરીકે બહુ જ જીદ્દી હોય. તેનો જીદ્દી સ્વભાવ આગળ જતા ઉગ્રતા-આક્રમકતામાં ફેરવાયો હોય. આપણે વેબસિરીઝ અને ફિલ્મોમાં હવે જે રીતે ક્રાઇમ બતાડાય છે, તેની વાત કરીએ તો એ સ્વીકારવું રહ્યું કે જે એક સમયે કોઇ એક ખૂણે ઘટતું હતું, અથવા અમુક સમાજમાં અમુક સ્તરે જ પ્રવર્તમાન હતું તે હવે વેબ સિરીઝ વગેરેને કારણે એક બહોળા વર્ગ સુધી પહોંચી રહ્યું છે. આવા હિંસક કોન્ટેન્ટનું જનરલાઇઝેશન મોટા સ્તરે થાય છે અને આ બધી બાબતોની અસર માનસિકતા પર એક યા બીજી રીતે પડતી જ હોય છે. ઇન્ફર્મેશન ઓવરલોડના જમાનામાં પેરન્ટિંગમાં પણ બદલાવ લાવવો પડશે. અને મેકર્સ જાણે કે તેઓ જે દર્શાવે છે તે સમાજનો આયનો જ છે પણ શું ખરેખર ગુનાને મામલે આવા આયના બતાડવાની જરૂર છે ખરી? પ્રેમમાં નિષ્ફળતા તો એક વાત છે પણ નિષ્ફળતા – એક સમાન્ય પરિણામ તરીકે કેવી રીતે સ્વીકારવી તે પણ શીખવવું જરૂરી છે. ફેલ્યોર મેનેજમેન્ટ એક અગત્યનું પાસું છે. હિંસા એક અજીબ પ્રકારનું એક્સાઇટમેન્ટ આપે છે, આ ઉગ્રતાને કાબૂમાં રાખવા માટે ધ્યાન અને વ્યાયામ સૌથી સારી પેઠે કામ કરી શકે છે.”

મુંબઇના પ્રતિષ્ઠિત મનોચિકિત્સક ડૉ. હરીશ શેટ્ટી પ્રેમના ભ્રમની વાત પર ભાર મૂકે છે. તેઓ કહે છે, “હું તેને પ્રેમ કરું છું એટલે એ પણ મને પ્રેમ કરે છેનો ભ્રમ કેટલો જોખમી હોઇ શકે છે તેનો પુરાવો છે સુરતની ઘટના. જાહેરમાં હત્યા કરવાની જે વાત છે તેમાં આ કૃત્ય કરનારાને માટે એ મોમેન્ટ ઑફ ગ્લોરી – વાહવાહીની ક્ષણ બની જાય છે. આવું કરનાર વ્યક્તિ દુનિયા સામે જાણે જાહેરાત કરી રહી છે કે તે આમ કરીને ગૌરવ મેળવે છે, હો હા કરીને, હંગામો કરીને તે સામી વ્યક્તિને પોતાનો પ્રેમ ન સ્વીકારવા બદલ ગુનાઇત લાગણી અનુભવવા પર જાણે મજબૂર કરે છે. તે દુનિયા સામે જાહેર કે છે કે, જુઓ મને પ્રેમમાં નાસીપાસ કરવામાં આવ્યો કે આવી અને હવે હું હતાશ છું એટલે હું આમ કરીશ. માલિકીભાવ ધરાવતો પ્રેમ, વળગાડ સમો પ્રેમ જોખમી જ હોય છે. કોઇ સાથી વાતવાતમાં તમારો પાસવર્ડ માંગી લે, તમારી બધી હિલચાલ પર નજર રાખે તો આવા રિલેશનશીપથી ચેતવું જરૂરી છે.”

ડૉ. શેટ્ટીએ એંશીના દાયકામાં થયેલી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો જેમાં એક ધોબીએ બૅંકમાં કામ કરતી એક મહિલાને ધોળે દિવસે જીવતી સળગાવી દીધી હતી કારણ કે તેણે તેના પ્રેમનો સ્વીકાર ન કર્યો. આ સાબિતી છે કે આ પહેલીવાર થયેલી બાબત નથી. વળી આજે સ્માર્ટ ફોન અને ઇન્ટરનેટના જમાનામાં લોકોમાં બાય સ્ટેન્ડર સિન્ડ્રોમ વધ્યું છે, ઘટના ઘટી રહી છે તો કોઇ તેમાં ધસી જઇ રોકવાની કોશિશ નથી કરતા બલકે ફોન કેમેરાથી શૂટ કરવાનું શરૂ કરી દે છે. ડૉ. શેટ્ટીએ કહ્યું કે મુંબઈમાં પહેલીવાર બોમ્બ બ્લાસ્ટ થયા હતા ત્યારે લોકો અલગ અલગ વિસ્તારોના ફોટા લઇ પોતાની પાસે વધારે અરેરાટી ઉપજાવે તેવા ફોટોગ્રાફ્સ છે તેવી બડાશ હાંકતા. લોકોમાં સહાનુભૂતિ ઘટી છે, જિંદગીની ગતિ વધી છે. સાદું વિજ્ઞાન છે કે ગતિ વધે એટલે ગરમી વધે અને તેનું  જ પરિણામ આપણે સમાજમાં જોઇ રહ્યા છીએ.

બાય ધી વેઃ

આજે બધાને સતત એક્સાઇટમેન્ટ જોઇએ છે, ‘લિવીંગ ઓન ધી એજ’ પ્રકારની માનસિકતા કાં તો લોકો પાસે ખોટા કામ કરાવે છે, અથવા તો આવી ઘટનાઓના મૂક સાક્ષી બનાવે છે. ઉત્તેજના અને આવેશ ક્યારે આક્રમકતામાં ફેરવાઇ જાય છે તે સમજાતું નથી. સ્પેનમાં થતી બુલફાઇટ હોય કે, કોઇનું મૉબ લિન્ચિંગ હોય કે પછી શેરીનાં કૂતરાં સાથે થતી ક્રૂરતા હોય, લોકોને ગતિશીલ બનેલી જિંદગીમાં એક્સાઇટમેન્ટને નામે કંઇ પણ ચાલે છે. વળી જેન્ડર સેન્સિટિવીટીના પાઠ શીખવવામાં આપણી વ્યવસ્થા હજી પાછળ છે, પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીને પોતાની જાગીર સમજનારાઓનાં ટોળાં છે. જીવનમાં થોડો કંટાળો ક્યારે ય હાનિકારક નથી હોતો, સ્ક્રીનનું વળગણ હોય કે ડ્રગ્ઝનું કે પછી પૂરપાટ વાહન ચલાવવાનું – જલદી એક્સાઇટમેન્ટ મેળવવાના ખેલમાં જિંદગી ખતમ થઇ જાય છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  20 ફેબ્રુઆરી 2022

Loading

जो तोड़ने से भी न टूटे वह गांधी है

कुमार प्रशांत|Opinion - Opinion|20 February 2022

बिहार का चंपारण एक नहीं, कई अर्थों में महात्मा गांधी की जन्मभूमि है. यहीं से भारतीय सामाजिक-राजनीतिक जीवन में, 1917 में वे प्रवेश करते हैं और फिर अनवरत कोई 31 सालों तक के अनवरत संघर्ष की वह जीवन-गाथा लिखते हैं जिसे हिंदुत्व की धारा में कु-दीक्षित नाथूराम गोडसे की तीन गोलियां ही रोक सकीं. उसी चंपारण के मोतिहारी के चर्खा पार्क में खड़ी गांधी की मूर्ति आज खंड-खंड कर दी गई है. फिर यहीं से थोड़ी दूर, तुरकौलिया में गांधी-प्रतिमा को शराब की थैलियों की माला पहना कर, विकृत कर छोड़ दिया गया है. आज ऐसा मोतिहारी में हुआ है, कल कहीं और होगा – पहले कहीं और हो भी चुका है. ऐसी घटनाओं से नाराज या व्यथित होने की जरूरत नहीं है. फिक्र करनी है तो हम सबको अपनी फिक्र करनी है जो लगातार गहरी फिक्र का बायस बनती जा रही है.

गांधी की प्रतिमाओं के खिलाफ एक लहर तब भी आई थी जब नक्सली उन्माद जोरों पर था. गांधी की मूर्तियों पर हमले हो रहे थे- वे तोड़ी जा रही थीं, विकृत की जा रही थीं, अपशब्द आदि लिख कर उन्हें मलिन करने की कोशिश की जा रही थी. तब यहां-वहां चेयरमैन माओ के समर्थन में नारे भी लिखे व लगाए जा रहे थे. मूर्तियों से लड़ने के इसी उन्मादी दौर में बिहार के जमशेदपुर में जब गांधी की एक मूर्ति का विभंजन हुआ था तब जयप्रकाश नारायण ने अपनी गांधी-बिरादरी को संबोधित करते हुए लिखा था कि गांधी से इन लोगों को इतना खतरा महसूस होता है कि वे इनकी मूर्तियां तोड़ने में लगे हैं, इसे मैं आशा की नजरों से देखता हूं. यह हम गांधीजनों को सीधी चुनौती है जो अपनी-अपनी सुरक्षित दुनिया बना कर जीने लगे हैं. चुनौती नहीं तो गांधी नहीं, ऐसा भाव तब जयप्रकाश ने जगाया था जो शनै-शनै उस लहर में बदला जिसे इतिहास में जयप्रकाश आंदोलन या संपूर्ण क्रांति आंदोलन कहा जाता है.

आज गांधी के खिलाफ एक दूसरा ध्रुव उभरा है जो हिंदुत्व के नाम से काम करता है. यहां-वहां से अपनी बची-खुची ताकत से नक्सली हमलों व हत्याओं की खबरें आती रहती हैं लेकिन यह साफ है कि राज्य की हिंसा अब भारी पड़ रही है. हिंसा का यह दुष्चक्र नया नहीं है बल्कि यही इसका शास्र है कि बड़ी हिंसा छोटी हिंसा को खा जाती है और छोटी हिंसा बड़ी बनने की तिकड़म में लगातार हमले करती रहती है. इन दो हिंसाओं के बीच समाज पिसता रहता है.

हिंदुत्व का यह नया ध्रुव सत्ता की ताकत पा कर ज्यादा हमलावर व ध्वंसकारी हो गया है. पहले उसने गोली मारी थी लेकिन गांधी मरे नहीं. अब वे उनकी उन सारी स्मृतियों को पोंछ डालना चाहते हैं जो उनकी क्षुद्रता व विफलता की गवाही देता है. इसलिए तब गांधी के खिलाफ वामपंथियों ने चेयरमैन माओ का प्रतीक खड़ा किया था, हिंदुत्व वाले नाथूराम गोडसे का प्रतीक खड़ा करने में जुटे हैं.

गांधी होते तो आज डेढ़ सौ साल से ज्यादा उम्र के होते. इतने साल आदमी कहां जीता है ! लेकिन गांधी जी रहे हैं तभी तो हम उनसे सहमत-असहमत ही नहीं होते रहते हैं, उनकी मूर्तियों पर हमला कर अपना क्रोध या अपनी असहमति व्यक्त करते हैं. गांधी न कभी सत्ताधीश रहे, न व्यापार-धंधे की दुनिया से और उसके शोषण-अन्याय से उनका नाता रहा, न उन्होंने कभी किसी को दबाने-सताने की वकालत की, न गुलामों का व्यापार किया, न धर्म-रंग-जाति-लिंग भेद जैसी किसी सोच का समर्थन किया. वे अपनी कथनी और करनी में हमेशा इन सबका निषेध ही करते रहे. वे कहते व करते इतना ही रहे कि हमारे निषेध का रास्ता हिंसक नहीं होना चाहिए. उनका तर्क सीधा था और आज भी उतना ही सीधा है कि जितने तरह के शोषण, भेद-भाव, गैर-बराबरी, ज्यादती चलती है, चलती आई है और आगे भी चल सकती है, उन सबकी जड़ हिंसा में है.

हिंसा का मतलब ही है कि आप मनुष्य से बड़ी किसी शक्ति को, मनुष्य का दमन करने के लिए इस्तेमाल करते हैं फिर चाहे वह शक्ति हथियार की हो कि धन-दौलत या सत्ता की या संख्या या उन्माद की. गांधी ऐसे किसी हथियार का इस्तेमाल मनुष्य के खिलाफ करने को तैयार नहीं होते हैं क्योंकि वे मानते हैं कि इससे मनुष्य व मनुष्यता का पतन होता है और जिसके खिलाफ हम होते हैं, वह बना ही नहीं रहता है बल्कि पहले से ज्यादा क्रूर व घातक हो जाता है. हिंसा हमारे निष्फल क्रोध की निशानी बन कर रह जाती है.

अहिंसक रास्ते से मनुष्य व मनुष्यों का समाज अपनी कमियों-बुराइयों से कैसे लड़ सकता है, और अपनी सत्ता बना सकता है, इसका कोई इतिहास नहीं है. जो और जितना है वह गांधी का ही बनाया है. तो गांधी एक संभावना का नाम है. कुछ लोग हैं ऐसे जो गांधी के बाद भी इस संभावना को जांचने और सिद्ध करने में लगे हैं. उनकी अपनी मर्यादाएं व कमजोरियां भी हैं जैसी हर मानवीय प्रयास की होती हैं. लेकिन ऐसे गांधी का और ऐसी कोशिशों का विरोध क्यों है ? गांधी के प्रति धुर वामपंथियों का और धुर दक्षिणपंथियों का द्वेष क्यों है ? यह द्वेष आज का नहीं, जन्मजात है. गांधी को अपने जीवन के प्रारंभ से तीन गोलियों से छलनी होने तक इनका घात-प्रतिघात झेलना पड़ा. ऐसा क्यों ? इसका कारण समझना किसी जटिल वैज्ञानिक समीकरण को समझने जैसा नहीं है हालांकि विज्ञान ही बताता है कि एक बार ठीक से कुछ भी जान-समझ लें हम तो जटिल या सरल जैसा कुछ नहीं होता है. जो जटिल है वह ज्ञात व अज्ञात के बीच की खाई है.

गांधी इस अर्थ में बेहद खतरनाक हैं कि कैसी भी गैर-बराबरी, किसी भी स्तर पर भेद-भाव, किसी भी तर्क से शोषण-दमन को स्वीकारने को वे तैयार नहीं है- इस हद तक कि वे इनमें से किसी की मुखालफत करते हुए जान देने को तैयार रहते हैं. दूसरी तरफ यही गांधी हैं कि जो किसी भी तरह बदला लेने या प्रतिहिंसा को कबूल करने को तैयार नहीं हैं. मानव-जाति ने प्रतिद्वंद्वी से निबटने के जो दो रास्ते जाने,माने और लगातार अपनाए भी, वे इन्हीं दो बलों पर आधारित हैं. कहूं तो हमारी सभ्यता का सारा इतिहास शोषण-दमन तथा बदला व प्रतिहिंसा का दस्तावेज है. कोई तीसरी ताकत भी हो सकती है जो इस दुष्चक्र से मनुष्यता को त्राण दिला सकती है, इसका अविचल दावा और उस दिशा में लगातार साहसी प्रयास हमें गांधी में ही मिलता है.

गांधी से वामपंथियों का विरोध या द्वेष इधर कुछ कम हुआ है. राजनीतिक सत्ता की छीनाझपटी में लगी दलित पार्टियों का गांधी के खिलाफ विषवमन कुछ धीमा पड़ा है तो सोच-समझ रखने वाले दलितों के बीच से सहानुभूति व समन्वय की कुछ आवाजें उठने लगी हैं. लेकिन इन सबके पीछे राजनीतिक परिस्थितिजन्य मजबूरी कितनी है और समझ में बदलाव  कितना है, यह देखना अभी बाकी है. हम देख ही रहे हैं कि गांधी के अपमान व उनकी मूर्तियों के विभंजन पर इनकी तरफ से कोई खास प्रतिवाद नहीं होता है. 

प्रतिवाद में जो आवाजें उठती हैं उनमें हायतौबा ज्यादा होता है. यह भी सच है कि ऐसी घटनाओं के पीछे दिशाहीन सामाजिक उपद्रवी, शराबी-अपराधी किस्म के लोग भी होते हैं लेकिन यह भी सच है कि यह गांधी से विरोध-भाव रखने वाली राजनीतिक-सामाजिक शक्तियों का कारनामा भी है. यथास्थिति बनाए रखने वाली दक्षिणपंथी तथा हिंसा-द्वेष की लहर बहा कर उनकी जगह लेने में लगी वामपंथी ताकतों का यह वही खेल है जो गांधी को अपने हर कदम के इंकार में खड़ा पाता है. गांधी का यह इंकार इतना सशक्त, तार्किक व सीधा है कि 70 से अधिक सालों से लगातार अनुपस्थित होने पर भी वे गांधी की कोई सार्थक काट खोज नहीं पाए हैं सिवा छूंछा क्रोध प्रदर्शित करने के. यह असत का सत पर प्रहार है.

गांधीवालों में इससे क्रोध या ग्लानि का भाव पैदा नहीं होना चाहिए. मूर्तियों का यह प्रतीक-संसार सारी दुनिया में अत्यंत बेजान, अर्थहीन व नाहक उकसाने वाला हो गया है. हमारा हाल तो ऐसा है कि बुद्ध जैसे मूर्तिपूजा के निषेधक की मूर्तियों से हमने जग पाट दिया है. तो गांधी पर हम गांधी वाले रहम खाएं और मन-मंदिर में भले उन्हें बसाएं, उनकी मूर्तियां न बनाएं. हम दृश्य-जगत में उनके मूल्यों की स्थापना का ठोस काम करें. गांधी सामयिक हैं, यह बात नारों-गीतों-मूर्तियों-समारोहों-उत्सवों से नहीं, समस्याओं के निराकरण से साबित करनी होगी. जो गांधी को चाहते व मानते हैं उनके लिए गांधी एक ही रास्ता बना व बता कर गए हैं : अपने भरसक ईंमानदारी व तत्परता से गांधी-मूल्यों की सिद्धि का काम करें ! इससे उनकी जो प्रतिमा बनेगी, वह तोड़े से भी नहीं टूटेगी. हम जयप्रकाश की वह चेतावनी याद रखें : “ गांधी की पूजा एक ऐसा खतरनाक काम है जिसमें विफलता ही मिलने वाली है.” इसलिए गांधी की हर विखंडित प्रतिमा दरअसल हमें विखंडित करती है और हमें चुनौती देती है.

(20.02.2022)

मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें 

https://kumarprashantg.blogspot.com

Loading

...102030...1,5891,5901,5911,592...1,6001,6101,620...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved