Opinion Magazine
Number of visits: 9570036
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખળભળતી નદીઓ થઈ વહીશું

સરુપ ધ્રુવ|Opinion - Opinion|20 March 2022

સ્ત્રી એટલે બોલકું પ્રાણી, વાતોડિયું જણ, વાતવાતમાં પલપલિયાં પાડીને કે ખી … ખી … હસીને મનનાં દુઃખ – સુખને સપાટામાં બહાર કાઢી નાંખનારું માણસ; બીલાડીના પેટમાં ખીર ના ટકે ને બૈરાંના પેટમાં વાત ના ટકે … આવું બધું આપણે વારસામાં શીખતાં, માનતાં, વર્તતાં આવ્યાં છીએ. લાગે તે કહી દેવું ને ટાણું કટાણું ના જોવું એ સ્ત્રીસ્વભાવ છે – એવું પણ જગવિખ્યાત સત્ય છે; છતાં સ્ત્રીના અવાજનું કેટલું ઉપજે છે એ તો આ સમાજ જ જાણે!

એક રીતે જોઈએ તો સર્જન ને ઉત્પાદનની પ્રક્રિયામાં સ્ત્રી સમુદાયનો મોટો ફાળો રહ્યો છે. શ્રમ અને આર્થિક પ્રવૃત્તિ સાથે પણ સ્ત્રીને સાંકળ્યા વગર છૂટકો નથી રહ્યો. અડધી દુનિયા રોકીને ને અડધું આકાશ સાહીને ઊભેલી સ્ત્રીની વાતના વજૂદને, આમ છતાં આ સમાજે ક્યાં વિસાતમાં ગણ્યું છે?!

બીજી તરફ જોઈએ તો આર્થિક પ્રવૃત્તિ અને શ્રમ સાથે સંકળાયેલી સ્ત્રીઓ, જેને ‘એસ્થેટીકલ’ કહેવાય એવું સર્જનપ્રદાન કરતી જ રહી છે. જગતભરના લોકસાહિત્યની જનેતા સ્ત્રી છે. જન્મ પહેલાંથી માંડીને, મરણ પછી પણ ગવાતાં ગીતો, હાલરડાં, મરસિયા, ખાંપણા, રાજિયા, જોડકણાં, ફટાણાંની સર્જક છે સ્ત્રીઓ, અસંખ્ય ગરબા, રાસ, રાસડા, ગરબીઓ, ભજનો, પદોની સર્જક છે સ્ત્રીઓ. લોકસાહિત્ય, લોકસંગીત, લોકકળાઓના સર્જનમાં સ્ત્રીનો ‘સિંહણ–ફાળો’ કેવી રીતે નજરઅંદાજ કરી શકાય? … પણ એ સઘળા સાહિત્યની આ સર્જકો અનામી છે, નામહીન છે, ચહેરાવિહીન છે. લોકસાહિત્યની આ સર્જક બહેનો ‘ટોળું’ છે, ‘બૈરાં’ છે.

એ મધ્યકાળ હોય – ભક્તિયુગ હોય – સામંતીયુગ હોય – સામ્રાજ્યવાદી યુગ હોય … કે પછી આજની મૂડીવાદી – બજારચાલિત કહેવાતી લોકશાહીનો યુગ હોય … જે તે કાળનાં પરમ્પરાવાદી અને પિતૃપ્રધાન મૂલ્યોએ સ્ત્રીને વ્યક્ત તો થવા દીધી છે પણ એની અભિવ્યક્તિ ઉપર મહોર નથી મારી, ગણતરીમાં નથી લીધી, દુય્યમ દરજ્જો (સેકન્ડરી સ્ટેટસ) જ આપ્યું છે. આજની તારીખમાં પણ શાળા–મહાશાળાઓમાં પણ લોકસાહિત્યને સાંસ્કૃતિક દસ્તાવેજ તરીકે નહીં પણ સામુદાયિક અભિવ્યક્તિ તરીકે જ શીખવાડાય છે ને એમાંની સામગ્રીને માત્ર ‘ભાવાભિવ્યક્તિ’ના રૂપે જ જોવાય છે. આ બધું ‘રોણું’ ને ‘ગાણું’ સાચા માપદંડોથી મૂલવવા બેસીએ તો આપણી કહેવાતી મહાન સંસ્કૃતિના પડ પડમાં પડેલાં અન્યાય અને શોષણ સાવ જ ઉઘાડા પડી જાય! યાદ આવે છે ને પેલું લોકગીત … વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ !..

વ્યક્તિગત સાહિત્યસર્જન(શિષ્ટ સાહિત્ય)ની વાત કરીએ ત્યારે આપણી સ્ત્રી–સર્જકો સામે ‘સામાજિક સેન્સરશીપ’નો હાઉ સતત ખડો થતો રહે છે એની વાત કરવી જરૂરી છે. સામાજિક સેન્સરશીપનું એક વરવું રૂપ છે ‘સેલ્ફ સેન્સરશીપ’, ‘હું આવું લખીશ તો મારા ઘરની આબરુ તો નહીં જાય ને?’ ‘સ્ત્રી થઈને અમુક ભાવ – લાગણી – વૃત્તિઓની વાત ન કરાય!’ ‘સ્ત્રી તો સુરુચી ને સુનીતિની રખેવાળ કહેવાય’. આવા વિચારોથી લગભગ દરેક લેખિકાની કલમ ઉપર બેડીઓ જકડાઈ જતી હોય છે. ખાસ કરીને વ્યક્તિગત ઈચ્છાઓ – અસંતોષ – જાતીયભાવોનું નિરુપણ કરવામાં આ ખચકાટ બહુ મોટો અવરોધ બની રહે છે. આજે એકવીસમી સદીમાં પણ આપણા સમાજમાંથી વડીલશાહી, પુરુષપ્રધાન, પુરાતન મૂલ્યોની જડતા નથી ઓસરી; ત્યારે એ પણ ન ભુલવું જોઈએ કે સ્ત્રી પોતે પણ આ જ મૂલ્યોની પેદાશ છે. જાણ્યેઅજાણે આ મૂલ્યો–વલણોની સામે થવા કરતાં એમાં જ સલામતી માની લેવાની શાહમૃગવૃત્તિ એક સ્વાભાવિક બાબત છે. એની સામે અવાજ ઉઠાવનારની કાં તો અવગણના થાય છે, કાં તો તિરસ્કાર! વ્યક્તિગત અને સામુદાયિક અન્યાય, અત્યાચાર અને શોષણ વિશે સ્ત્રીસર્જક જો સાચુકલી વાત કરે, ખુદવફાઈથી કરે તો તો માત્ર કુટુંબવ્યવસ્થા જ નહીં; આ આખી ખોખલી, શોષણમૂલક સમાજવ્યવસ્થા પણ હચમચી ઊઠે! આ ‘મારગ’ તો કપરો છે ને એટલે જ એના પર ચાલનારાં ઓછાં છે ને જે ચાલે છે એમની હામને ભાંગી નાખવાના પ્રયાસો પણ અનેકગણા થાય છે. કમલા દાસ કે આશાપુર્ણાદેવી, મહાશ્વેતાદેવી કે નાદની ગોદનીમૅર, માયા એન્જેલો કે સીલ્વિયા પ્લાથ બની રહેવું કંઈ સહેલું નથી! કદાચ આવા જોખમ ઉઠાવવાનું આપણી સુઘડ, ઠાવકી, ઠરેલ ગુજરાતી લેખિકાબહેનો ભાગ્યે જ પસન્દ કરે છે… “મીરાં યાજ્ઞિકની ડાયરી” પછી નામ લખી શકાય એવું વ્યક્તિગત ભાવાનુંભવોનું બીજું પુસ્તક ક્યાં છે આપણી પાસે?!…

આવી હિમ્મત કરનારી લેખિકાઓને ‘સાહિત્યકાર’ કે ‘સર્જક’ જ ન ગણવી ને સાહિત્યજગતમાંથી એમનો કાંકરો જ કાઢી નાખવો … એ બીજા પ્રકારની સેન્સરશીપ છે … જેને ‘સાહિત્યિક સેન્સરશીપ’ કહીશું. એના મૂળમાં પણ પેલા પુરાતન – વડીલશાહી – પુરુષપ્રધાન મૂલ્યો જ છે. સાહિત્યજગત આ મૂલ્યોની છડેચોક લ્હાણ કરી રહ્યું છે. એની સામે મુક્કી વિંઝનારું કોઈ ‘સાત પગલાં આકાશમાં’ કે ‘સળગતી હવાઓ’ કે ‘બત્રીસ પૂતળીની વેદના’ લઈને આવે છે ત્યારે “આને તે વળી સાહિત્ય કહેવાય?” – એમ કહીને આઘું મેલવાની વાત કંઈ હવે નવી નથી રહી! આ તો ‘નારીવાદી’ છે, આ તો ‘ઉગ્રવાદી’ છે, એમની રચનામાં ‘સૌન્દર્ય’ ક્યાં છે? – એવા પ્રહારો સાહિત્યના રજવાડાના મહારથીઓ છાશવારે કરતા રહ્યા છે. પોતાનું આસન ડોલી ઊઠે, જૈસે–થે પરિસ્થિતિ હાલવા લાગે એવું સર્જન લઈને કોઈ સ્ત્રી આવે ત્યારે એને બિનસાહિત્યિક ઠરાવી દેવું એ હાથવગું હથિયાર છે. પેલી લેખિકા એનાથી ઘવાય મરણતોલ થાય ને લખતી જ બંધ થઈ જાય એવું પણ બને છે. કાં તો પછી ‘એ લોકો’ની ભાષા બોલતી થઈ જાય, ‘એ લોકો’ને રાજી રાખતી થઈ જાય ને ચંદ્રકો – ઍવોર્ડો સ્વીકારતી થઈ જાય – પદવીઓ સંભાળતી થઈ જાય એવું પણ બને! જે તમારી સામે વિદ્રોહ ઉઠાવે એને કાં તો મારી નાખો, કાં તો ખરીદી લો… બસ, આ જ સહેલો રસ્તો છે કોઈક સર્જકને ખતમ કરી નાખવાનો.

અલબત્ત, આ ‘કારહો’ કંઈ સ્ત્રીસર્જકો સામે જ અજમાવાય છે એવું નથી. આપણા સમાજમાં જેને જેને પછાત રાખવામાં આવ્યા છે, બોલવા દેવામાં નથી આવ્યા, વિરોધ કરવા દેવામાં નથી આવ્યા … એવા તમામ સમુદાયોની આ સ્થિતિ છે. સમાજનાં અને સાહિત્યનાં સ્થાપિતહિતોએ સીધી યા આડકતરી રીતે આવા જોખમ ખેડનારાઓની અભિવ્યક્તિને રુંધી જ છે. આ દૃષ્ટિએ જોતાં પ્રશ્ન ઊઠે છે કે તસલીમા નસરિન, દીપા મહેતા, કમલા દાસ, સુમા જોસન જેવાં વિદ્રોહી સર્જકો જન્મ–જાતે ‘સ્ત્રી’ છે તેથી જ તેમના ઉપર તવાઈ આવી હશે કે પછી એમની સાચુકલી – દૃઢ, ન્યાયપરક અને પ્રગત્તિશીલ વિચારસરણીને કારણે? જો કે એટલું ચોક્કસ કે આ વિકૃત સમાજને ‘સ્ત્રી’ સામે કાદવ ઉછાળવાનો જે પાશવી આનન્દ આવે છે તે અનોખો (!) હોય છે… છતાં સર્જકોના અભિવ્યક્તિ –સ્વાતન્ત્ર્યના મુદે આ પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયાસ કરવો બહુ જરૂરી છે કે સમાજનાં સ્થાપિત, જડસુ, પુરાતનપંથીઓ અને સત્તાખોરોને કાંકરી ક્યાં ખૂંચે છે?!

સાથે સાથે સર્જકબહેનો સાથે પણ સંવાદ છેડવા – છંછેડવા જેવો છે કે સૌને રાજી રાખવાની આપણી જુગજૂની ટેવ, સર્જન જેવું ગંભીર કાર્ય હાથ પર લીધા પછી પણ કેમ નથી છૂટતી? આપણી વૈયક્તિક ગુંગળામણોમાંથી બહાર ડોકિયું કરીને, બીજા આવા જ રુંધાયેલા અને પીડિત સમુદાયો પ્રત્યે સંવેદનશીલ બનીને, એમની સાથે મળીને ‘સાચાં સર્જક’ બનવાનું શરૂ કરીએ, તો પેલાં બંધન – બેડીની તે શી વિસાત છે, ભલા?! આ જ સમય છે, આ જ વખત છે જ્યારે સાહિત્ય – સમૂહ માધ્યમો – શિક્ષણ અને સાંસ્કૃતિક અભિવ્યક્તિના તમામ ક્ષેત્રો ઉપર ફાસીવાદી મૂલ્યો – વલણો અને અમલનો સકંજો મજબૂત બનવા માંડ્યો હોય ત્યારે… સમાજનાં સૌથી વધુ સંવેદનશીલ – કલ્પનાશીલ અને સક્ષમ સર્જકોએ આગળ આવીને, એક બનીને, પોતપોતાની રીતે વિદ્રોહ અને પરિવર્તનના અક્ષર આલેખવાનો.

લેખક–સમ્પર્ક : સરુપ ધ્રુવ, 4, લલીતકુંજ સોસાયટી, વીંગ. 1, સ્વસ્તીક ચાર રસ્તા પાસે, નવરંગપુરા, અમદાવાદ-380 009 

ઈ-મેલ : saroop_dhruv@yahoo.co.in  

રમેશ સવાણી સમ્પાદિત ‘નદીની મોકળાશ કાંઠા વચ્ચે’ પુસ્તિકા (સમ્પાદક–પ્રકાશક : ‘માનવવિકાસ ટ્રસ્ટ, ગુજરાત’ 10, જતીન બંગલો, ફાયર સ્ટેશન રોડ, બોડકદેવ, અમદાવાદ – 380 054, ઈ–મેલ : rjsavani@gmail.com )માંથી, લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

અક્ષરાંકન : ગોવિન્દ મારુ 

ઈ–મેલ : govindmaru@gmail.com

Loading

‘द कश्मीर फाइल्स’ किसकी किसकी फाइलें खोलेंगे आप ?

कुमार प्रशांत|Opinion - Opinion|20 March 2022

कहते हैं कि यह सत्य है कि अर्ध-सत्य झूठ से भी ज्यादा खतरनाक होता है. ऐसा ही एक सत्य यह भी है कि कुशिक्षित व्यक्ति अशिक्षित व्यक्ति से कहीं ज्यादा खतरनाक होता है. अभी जिस फिल्म का सत्ताप्रेरित उन्माद फैलाया जा रहा है, ‘द कश्मीर फाइल्स’ इसी सत्य का नवीनतम प्रमाण बन कर आई है. यह फिल्म है ही नहीं, सत्ता के राजनीतिक एजेंडे को पूरा करने के लिए, सत्ता की शह और संभवत: उसके धन-सहयोग से किया गया कुशिक्षित व्यक्तियों का प्रहसन है. इसमें कलाकारों ने नहीं, सत्ता की अनुकंपा के प्यासे उसके ज्ञात पैदल सिपाहियों ने काम किया है और सबने मिल कर इतिहास का दरिद्रतम इस्तेमाल किया है. यह फिल्म देखी नहीं, दिखाई जा रही है. भाजपा शासित राज्य केंद्र के इशारे पर अपनी विचारधारा फैलाने के लिए सार्वजनिक धन का बेजा इस्तेमाल कर, इसे मनोरंजन-कर से मुक्त कर रहे हैं. इसकी कमाई के आंकड़े फर्जीवाड़ा भर हैं. जो प्रधानमंत्री यह कहे कि वह ऐसी एक फिल्म के सहारे इतिहास समझता व समझाता है, उसके बौद्धिक दारिद्र्य की सीमा ही नहीं है.

आइए, हम कश्मीर की फाइल खोलते हैं – उसी हद तक, जिस हद तक एक छोटे से लेख में ऐसा करना संभव है.

बात उस कश्मीर की है जो एक बड़ी नाजुक घड़ी में, बड़े नाजुक तरीके से नवजात स्वतंत्र भारत में शामिल हुआ था – उस भारत में जिसे दो टुकड़ों में बांट कर, लहूलुहान छोड़ दिया गया था; उस भारत में जो आपादमस्तक सांप्रदायिक विद्वेष की आग में जलता, छटपटा रहा था. तब मन से टूटा, प्रशासन से बिखरा व गृहयुद्ध की कगार पर खड़ा भारत अंधकार से अंधकार की तरफ जाने को अभिशप्त था. इतिहास की गति भी और उसकी नजाकत भी कब, किसके बस में रही है ! ऐसे में कश्मीर के हिंदू महाराजा हरि सिंह अपनी मुसलमान प्रजा को ले कर अचानक ही भारत के दरवाजे आ पहुंचे कि पाकिस्तानी फौज हमें रौंद डाले इससे पहले हमें पनाह दीजिए. जो खुद कहीं पनाह ढूंढ रहा था, उस भारत से पनाह की मांग थी यह !

अपने-अपने राजनीतिक स्वार्थों के कारण न पाकिस्तान के मुहम्मद अली जिन्ना, न तब के हमारे आका अंग्रेज, न अमरीका समेत यूरोप के अन्य दादा देश, न साम्यवादी रूस ही चाहता था कि कश्मीर भारत को मिले. हम भी और हमारी रियासतों का एकीकरण करने में जुटे हमारे सरदार वल्लभ भाई पटेल भी कश्मीर को ले कर तब बहुत व्यग्र व आतुर नहीं थे. इसलिए महाराजा हरि सिंह की याचना की अनदेखी की ही जा सकती थी. लेकिन देश का नेतृत्व तब बौनों के हाथ में नहीं था. इसलिए राष्ट्रीय सुरक्षा के संदर्भ में कश्मीर का मतलब, उसकी भौगोलिक स्थिति का रणनीतिक महत्व तथा पाक-ब्रिटिश-अमरीकी त्रिकोण को अपनी सीमा पर जगह न बनाने देने की ठोस राष्ट्रीय समझ के कारण हरि सिंह की याचना को एक राजनीतिक शक्ल दी गई, उनसे विलय के संधि-पत्र पर हस्ताक्षर करवाए गए, कश्मीरी जनमत के प्रतिनिधि शेख अब्दुल्ला व उनकी नेशनल कांफ्रेंस को उसके साथ जोड़ा गया और फिर कहीं जा कर हमारी फौज ने, जिसके पास नाममात्र के संसाधन आदि थे, कश्मीर की धरती पर कदम रखा. 

महाराजा हरि सिंह चालाकी में मात खा कर, लाचारी में हमारे पास आए थे लेकिन यह मौका गंवाने को हम तैयार नहीं थे. इसलिए उनके साथ विलय की संधि में ऐसी कुछ बातें भी स्वीकार की गईं जिनके कारण दूसरी रियासतों की तुलना में कश्मीर की विशेष राजनीतिक स्थिति बनी. जवाहरलाल को अंदाजा था कि यह विशेष स्थिति आगे कुछ विशेष परेशानी पैदा कर सकती है. इसलिए दूरंदेशी से शेख अब्दुल्ला तथा उनके दूसरे नुमाइंदों को संविधान सभा का सदस्य बना कर देश की मुख्य धारा से जोड़ा गया और जिस संविधान सभा ने देश का संपूर्ण संविधान तैयार किया था, रियासतों के विलय को कानूनी जामा पहनाया था, उसे ही कश्मीर के वैधानिक विलय का माध्यम भी बनाया गया. धारा 370 कश्मीरियों ने नहीं, भारत की संविधान सभा ने बनाई व पारित की. ये सब इतिहास के वे पन्ने हैं जिनका नारेबाजों द्वारा नहीं, अध्येताओं द्वारा गहराई से अध्ययन किया जाना चाहिए.

इस नाजुक विलय को पहली चोट हिंदुत्ववादियों की तरफ इसकी सांप्रदायिक कुंडली लिखने का अभियान चला कर श्यामाप्रसाद मुखर्जी ने दी. कुछ इसकी प्रतिक्रिया में, कुछ निहित राजनीतिक महत्वाकांक्षा के कारण, जिसमें सांप्रदायिकता का थोड़ा तड़का भी लगता रहता था, इसे दूसरी चोट शेख अब्दुल्ला ने दी. जवाहरलाल ने अपने इस प्रिय मित्र को तत्क्षण जेल में डाल दिया. इसे तीसरी चोट सारे राज्यों को अपनी मुट्ठी में रखने की मूढ़तापूर्ण कांग्रेसी सोच ने दी. एक राष्ट्र के रूप में किए गए इस ऐतिहासिक प्रयास को जहरीले दु:स्वप्न में बदलने में किसी ने, किसी से कम भूमिका अदा नहीं की. एक अकेले जयप्रकाश ही थे जिसने उस पूरे दौर में हर पक्ष को झकझोरने और राष्ट्रीय व लोकतांत्रिक पटरी पर देश को रखने की जी तोड़ कोशिश की.

फिल्मी प्रहसन ‘द कश्मीर फाइल्स’ में इन सबका का कोई लेश भी नहीं मिलता है. यह कोई दूसरा ही कश्मीर है जिसकी मनगढंत कहानी सुनाई जा रही है. जहां तक कश्मीरी पंडितों का सवाल है, कश्मीर में उनका हजारों साल का इतिहास है. 1990 से पहले कभी, कहीं भी उन पर हिंदू होने के कारण जुर्म-ज्यादती का प्रकरण नहीं मिलता है. जिस राज्य में कोई 98% मुसलमान हों वहां 2-3% हिंदू आबादी महफूज ही नहीं रही बल्कि महत्वपूर्ण अावाज बनकर रही, यही बताता है कि जहां तक सांप्रदायिक जहर का सवाल था, कश्मीर सच में ‘ धरती पर स्वर्ग’ था. हम उस अभागे मुल्क के लोग हैं जिन्हें खून में सराबोर आजादी मिली. हिंदुत्ववादियों व इस्लामी ताकतों द्वारा सांप्रदायिकता को धर्म का जाम पहना कर, देश को जब आग में झोंका जा रहा था, कश्मीर में सौहार्द बना रहा था. महात्मा गांधी ने वैसे ही नहीं कहा था कि इस अंधकार में कश्मीर उम्मीद की एक किरण है. जवाहरलाल, सरदार, जयप्रकाश, लोहिया जैसे सब लोगों ने अपनी-अपनी तरह से यह बात रेखांकित की है कि कश्मीर भारत के सह-अस्तित्व का प्रमाण भी है और उसकी कसौटी भी. यह कश्मीर भी इसकी फाइल्स बनाने वालों को नहीं दिखाई दिया.

उन्हें दिखाई दिया कश्मीरी पंडितों का पलायन अौर उसमें मुसलमानों की, कांग्रेसी राज्य की भूमिका. हो सकता है, ऐसा भी कोई अध्ययन हो ही सकता है कि जो टुकड़ों से पूरी तस्वीर बनाना चाहे. तब सवाल इतना ही रहता है कि आपके अध्ययन में ईमानदारी है या तरफदारी ? इस फिल्मी प्रहसन का ईमानदारी से कोई नाता है ही नहीं अन्यथा इसे पहली खोज तो यही करनी चाहिए थी कि 1990 में ऐसा क्या हुआ कि कश्मीरी पंडितों को वहां से भागना पड़ा ? कोई भी इसकी थोड़ी भी ईमानदार खोज करेगा तो पाएगा कि 1990 में कश्मीर के हालात बहुत बिगड़े तो इसलिए कि राजनीति बहुत बदशक्ल होती गई और राष्ट्रीय कुर्सियों पर, कुर्सियों की कद से भी छोटे लोग विराजने लगे.

इस दौर में वी.पी. सिंह की अल्पमत सरकार को साम्यवादियों और भाजपाइयों ने  समर्थन दे कर खड़ा रखा था ताकि कांग्रेस को किनारे रख कर, अपना एजेंडा पूरा करवाया जा सके. जितने वक्त रहे उतने वक्त वी.पी. सिंह अपनी सत्ता बचाते हुए राष्ट्रीय धारा को सांप्रदायिकता से बचाने की कसरत करते रहे. अभी उनकी सरकार बनी ही थी कि उनके गृहमंत्री मुफ्ती मुहम्मद सईद की बेटी रूबिया का अपहरण आतंकवादियों ने कर लिया. उन्होंने अपने 5 साथियों की रिहाई की शर्त पर गृहमंत्री की बेटी को छोड़ने की बात रखी. उनकी शर्त मान ली गई. एक अच्छा लेकिन कमजोर प्रधानमंत्री देश के लिए कितना बुरा हो सकता है, वी.पी. सिंह इसके उदाहरण बने. लेकिन यहां यह कहना भी जरूरी है कि भारतीय जनता पार्टी ने अआतंकियों की सरकारी रिहाई के कायराना फैसले का कभी विरोध नहीं किया अौर इस मौके का फायदा उठा कर अपनी पसंद के राज्यपाल जगमोहन की नियुक्ति कश्मीर में करवा ली. यह भी ध्यान में रखना जरूरी है कि जगमोहन पहले कांग्रेस की पसंद से राज्यपाल बने थे. इससे यह समझना आसान हो जाता है कि सत्ता के पास पत्ते एक-से ही होते हैं. फर्क बस फेंटने का होता है.

रूबिया-प्रकरण ने वह जमीन तैयार कर दी थी जिस पर खड़े हो कर अटलबिहारी वाजपेयी की सरकार ने कांधार में वही किया जो वी.पी. सिंह ने रूबिया-प्रकरण में किया था. कायरता कायरता को ही जन्म देती है – भले उसको छिपाने के पर्दे का नाम कभी रूबिया हो तो कभी कांधार.

कश्मीर में जगमोहन का यह दूसरा कार्यकाल पहले से भी ज्यादा बुरा रहा. बुरा इस अर्थ में नहीं कि वे कश्मीर को संभाल नहीं सकें बल्कि इस अर्थ में कि वे कश्मीर को भाजपा के दिए एजेंडे के मुताबिक सांप्रदायिकता से सराबोर कर गए. वे जगमोहन ही थे जिन्होंने मुख्यमंत्री फारूख अब्दुल्ला को बर्खास्त करवाया; वे जगमोहन ही थे जिन्होंने आतंकियों के लिए कश्मीर को चारागाह बनने से रोकने के लिए कुछ खास नहीं किया क्योंकि सांप्रदायिक ध्रुवीकरण भाजपा की रणनीति थी; वे जगमोहन ही थे जिन्होंने डरे-घबराए कश्मीरी पंडितों को हिम्मत व संरक्षण देने के बजाए उन्हें कश्मीर छोड़ने की सलाह भी दी और सुविधा भी. कश्मीरी पंडितों को पलायन के बाद कितनी ही सुविधाओं का लालच दिखाया गया. अपने लिए नाम व नामा दोनों बटोरने का हिसाब भी पंडितों के पलायन के पीछे था. पलायन हमेशा डर, लालच और कायरता से पैदा होता है. आज कश्मीरी पंडित छलावे का वही जहरीला घूंट पी रहे हैं.

‘द कश्मीर फाइल्स’ वालों को यह सारा इतिहास दिखाई नहीं दिया कि यह सब दिखाना उनके एजेंडे में था ही नहीं ? इतिहास के आकलन का दूसरा नाम तटस्थ ईमानदारी है जिसका इस प्रहसन से कोई नाता नहीं है. यदि होता तो फिल्म को यह कहना ही चाहिए था कि 1990 में कश्मीरी पंडितों के साथ-साथ अनेक मुसलमान कश्मीरी भी मार गए. एक-दो नहीं, अनेक ! फिल्म नहीं बताती है कि मुहम्मद यूसुफ हलवाई कौन था और क्यों मारा गया ? जी.एम.बटाली पर घातक हमला क्यों हुआ और फिर गुलशन बटाली कैसे मारे गए ? एक मोटा अनुमान बताता है कि कश्मीर में कोई 25 हजार मुस्लिम कश्मीरी मारे गए तथा 20 हजार मुस्लिम कश्मीरियों ने उस दौर में पलायन किया. मारे गए कश्मीरी पंडितों की संख्या हजार भी नहीं है, पलायन करने वाले कश्मीरी पंडितों की संख्या विवादास्पद होते हुए भी लाखों में है. अगर अाम कश्मीरी मुसलमान कश्मीरी पंडितों के खिलाफ होता, तो यह संख्या एकदम उल्टी होनी चाहिए थी. लेकिन सच वैसा नहीं है.

सच यह है कि कमजोर भारत सरकार व जहरीले इरादे वाले राज्यपाल के कारण तब पाकिस्तान ने आतंकवादियों को खूब मदद की और भारत समर्थक तत्वों को निशाने पर लिया. यह हिंदू-मुसलमान का मामला नहीं, भारत समर्थक व भारत विरोधी तत्वों का मामला था. कश्मीरी पंडितों को घाटी में कोई रोकना नहीं चाहता था- पाकिस्तान भी नहीं, जगमोहन के आका भी नहीं. कश्मीरी पंडितों को बचाने कई मुसलमान सामने आए जैसे ऐसी कुघड़ी में हमेशा इंसान सामने आते हैं. और अधिकांश मुसलमान वैसे ही डर कर पीछे हटे रहे जैसे ऐसी कुघड़ी में आम तौर पर लोग रहते हैं. कितने हिंदू संगठित तौर पर मुसलमानों को बचाने गुजरात के कत्लेआम के वक्त आगे आए थे ?  सभी जगह मनुष्य एक-से होते हैं. कोई हिम्मत बंधाता है, आचरण के ऊंचे मानक बनाता है तो लोग उसका अनुकरण करते हैं. कोई डराता है, धमकाता है, फुसलाता है तो भटक जाते हैं. यह मनुष्य सभ्यता का इतिहास है. इसलिए खाइयां पाटिए, दरारें भरिए, जख्मों पर मरहम लगाइए, लोगों को प्यार, सम्मान व समुचित न्याय दीजिए. इससे इतिहास बनता है.

हम यह न भूलें कि हर इतिहास के काले व सफेद पन्ने होते हैं, कुछ भूरे व मटमैले भी. वे सब हमारे ही होते हैं. कितनी फाइलें खोलेंगे आप ? दलितों-आदिवासियों पर किए गए बर्बर हमलों की फाइलें खोलेंगे ? भागलपुर-मलियाना-मेरठ की फाइलें खोलेंगे ? गुजरात के दंगों की ? सत्ताधीशों की काली कमाई की ? स्वीस बैंकों की ? जैन डायरी की ? जनता पार्टी की सरकार को गिराने की ? दीनदयाल उपाध्याय की हत्या की ? संघ परिवार को मिले व मिल रहे विदेशी दानों की ? भारतीय जनता पार्टी को मिल रहे पैसों की ? कोविड-काल में हुए चिकित्सा घोटालों की ? वैक्सीन की कीमत के जंजाल की ? सीबीआई व दूसरी सरकारी एजेंसियों के बेजा इस्तेमाल की ? कठपुतली राज्यपालों की ?

आप थक जाएंगे इतनी फाइलें पड़ी हैं ! इसलिए इतना ही कीजिए कि अपने मन के अंधेरे-कलुषित कोनों को खोलिए और खुद से पूछिए : क्या सच्चाई की रोशनी से डर लगता है ? डरे हुए लोग एक डरा हुआ देश बनाते हैं. कला का काम डराना व धमकाना नहीं, हिम्मत व उम्मीद जगाना है.

(19.03.2022)

मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें 

https://kumarprashantg.blogspot.com

Loading

ચલ મન મુંબઈ નગરી—137

દીપક મહેતા|Opinion - Opinion|19 March 2022

પૈસા તો મળ્યા પણ રાજાબાઈ ટાવર બાંધવો ક્યા?

સરકારે યુનિવર્સિટીને આપેલી જગ્યા પર બંધાયું હાઈ કોર્ટનું મકાન!

બે પારસી બાનુઓના મોતનો વણઉકલ્યો ભેદ

આપણામાં એક કહેવત છે : ભેંશ ભાગોળે, છાશ છાગોળે, ને ઘરમાં ઘમાઘમ. સર કાવસજી જહાંગીર અને શેઠ પ્રેમચંદ રાયચંદે યુનિવર્સિટીને ઇમારતો બાંધવા માટે દાન આપ્યાં, ત્યારે કૈંક આવી જ સ્થિતિ ઊભી થઈ. કારણ એ ઇમારતો બાંધવી ક્યાં? યુનિવર્સિટી પાસે તો તસુભાર જમીન નહોતી. એટલે યુનિવર્સિટીએ વિનંતી કરી મુંબઈ સરકારને કે જમીન આપો. પણ એમ કાંઈ માગો એટલે જમીન મળે નહિ. બીજી બાજુ સરસાહેબ અકળાયા. કહે મકાન ન બાંધવું હોય તો પાછા આપો મારા પૈસા. છેવટે જમીન મળી. રામપાર્ટ રો (આજનો મહાત્મા ગાંધી રોડ) પર મોકાની જગ્યા. ૧૮૬૮ના ડિસેમ્બરની ૨૯મી તારીખે યુનિવર્સિટીના ચાન્સેલર સર સેમોર ફિટઝિરાલ્ડે વાજતેગાજતે શિલાન્યાસ વિધિ કર્યો. સમારંભના મુખ્ય મહેમાન હતા અર્લ ઓફ મેયો. એ વખતે તેમની નિમણૂક હિન્દુસ્તાનના વાઈસરોય અને ગવર્નર જનરલ તરીકે થઈ ચૂકી હતી, પણ હજી તેમણે હોદ્દો સંભાળ્યો નહોતો.

રાજાબાઈ ટાવર બંધાતો હતો ત્યારે

પણ કહ્યું છે ને કે કરમન કી ગત ન્યારી. આજના યુનિવર્સિટીના ફોર્ટ કેમ્પસનો ખૂણે ખૂણો જોઈ વળો. ક્યાં ય મળશે નહિ એ શિલાન્યાસનો પથ્થર. હોય તો મળે ને? કારણ જે જગ્યાએ એ દિવસે શિલાન્યાસનો સમારંભ થયો એ જગ્યાએ યુનિવર્સિટીની ઇમારતો બંધાઈ જ નહિ! એ જગ્યાએ બંધાયું બોમ્બે હાઈકોર્ટનું મકાન! યુનિવર્સિટીએ વાંધો-વિરોધ નોંધાવ્યા. ફરી લખાપટ્ટી, ફરી રેડ રિબન, ફરી સરસાહેબનું અકળાવું. છેવટે સરકારે અગાઉ કરતાં વધુ મોટો પ્લોટ ૯૯૯ વરસના લીઝ પર આપ્યો. એ અંગેના દસ્તાવેજો પર ૧૮૭૭ના સપ્ટેમ્બરની ૨૬મી તારીખે સહીસિક્કા થયા. એ જ જગ્યા પર આજે ઊભાં છે સર કાવસજી જહાંગીર કોન્વોકેશન હોલ, રાજાબાઈ ટાવર, અને બીજી ઇમારતો.

ઘડિયાળ મૂકાયા પહેલાંનો ટાવર

જમીન મળી એટલે બંને ઈમારતની ડિઝાઈન તૈયાર કરાવવાનું કામ શરૂ થયું. બ્રિટનમાં બેસીને સર જ્યોર્જ ગિલ્બર્ટ સ્કોટે બંનેની ડિઝાઈન તૈયાર કરીને મોકલી. આ માટે જગ્યા જોવા તેઓ મુંબઈ આવ્યા જ નહોતા. પણ જમીનના પ્લોટ વિશેની ખૂબ જ વિગતવાર માહિતી યુનિવર્સિટીએ મોકલી હતી. સાધારણ રીતે એમ મનાય છે કે લંડનના બિગ બેન ટાવરને નજર સમક્ષ રાખીને રાજાબાઈ ટાવરની ડિઝાઈન તૈયાર થઈ છે. પણ હકીકતમાં ફ્લોરેન્સ કથીડ્રલના મિનારાને નજર સામે રાખીને આ ડિઝાઈન તૈયાર થયેલી. મુંબઈની ગરમ ભેજવાળી આબોહવાનો તેમને ખ્યાલ આપવામાં આવેલો એટલે બંને ઈમારતોની પૂર્વ-પશ્ચિમ બાજુને તેમણે ખુલ્લી રાખી અને મોટી, લાંબી-પહોળી બારીઓની જોગવાઈ કરી. તેના પર સ્ટેન્ડ ગ્લાસ (કપચી) જડેલી છે તેવી મુબઈમાં તો બીજે ક્યાં ય જોવા નહિ મળે. પશ્ચિમ-પૂર્વ દિશામાં સામસામી મોટી મોટી બારીઓ હોવાને કારણે હવાની અવરજવર તો રહે જ છે, પણ કુદરતી અજવાળું પણ અંદર સતત આવતું રહે છે. અને હા, એ વખતે દરિયો આ જગ્યાની ઘણી નજીક હતો એટલે ટાવર પરથી રમણીય, શાંત દરિયા કિનારો જોઈ શકાતો. આ મકાનો બંધાયાં ત્યારે હજી મુંબઈમાં વીજળીના દીવા આવ્યા નહોતા. એટલે બારીઓને કારણે બંને ઈમારતમાં કુદરતી અજવાળું પણ ઘણું આવતું.

સમયની સફાઈ

રાજાબાઈ ટાવરનું ભોંયતળિયું લાઈબ્રેરીના મકાન સાથે જોડાયેલું છે. ચાર ઘોડા જોડેલી ગાડી ઊભી રહી શકે એટલો મોટો પોર્ચ છે. જ્યારે ટાવરનો પહેલો માળ લાઈબ્રેરીના મકાનના પહેલા માળ સાથે જોડાયેલો છે. તે પછી ટાવરના છ માળ છે. પહેલાં તેનો ઉપયોગ ૧૬ મોટા ઘંટ મૂકવા માટે કર્યો હતો. આ બધા ઘંટ જૂદા જૂદા સૂરમાં વાગતા, અને દર પંદર મિનિટે ગ્રેટ બ્રિટનનું રાષ્ટ્રગીત ‘ગોડ સેવ ધ ક્વીન’ વગાડતા! પણ હવે માત્ર આઠ ઘંટ જ વપરાય છે. અને એ રાષ્ટ્રગીત ક્યારે ય વાગતું નથી. ટાવરની ચારે બાજુ પર એક-એક વિશાળકાય ઘડિયાળ છે. દરેક ઘડિયાળની નીચે નાની બાલ્કની છે જે ટાવરની શોભા તો વધારે જ છે, પણ ચારે ઘડિયાળનાં ડાયલને બહારથી સાફ કે સમાંનમાં કરવા માટે ખૂબ ઉપયોગી બને છે. ટાવરનો ઘણો મોટો ભાગ ચતુષ્કોણ છે પણ છેક ઉપરનો ભાગ અષ્ટકોણ છે. આ ટાવર પર જે મૂર્તિઓ જોવા મળે છે તે કોઈ દેવ-દેવી કે બ્રિટનનાં રાજા-રાણીની નથી, પણ મુંબઈ ઇલાકામાં વસતા જુદી જુદી જમાતના લોકોનું પ્રતિનિધિત્વ કરતી મૂર્તિઓ છે. ટાવરની ટોચ અત્યંત સુંદર નકશીકામ ભરેલી છે.

બંને ઈમારતોનું બાંધકામ ૧૮૬૯માં શરૂ થયું, અને ૧૮૭૮માં પૂરું થયું. જો કે કોન્વોકેશન હોલનું બાંધકામ વહેલું પૂરું થયેલું. ૧૮૭૪ના ડિસેમ્બરની ૩૧મી તારીખે તેનો કબજો યુનિવર્સિટીને મળ્યો. તેના બાંધકામ પાછળ રૂપિયા ૪,૧૫,૮૦૪નો ખર્ચ થવાનો અંદાજ હતો. પણ હકીકતમાં એ ખર્ચ તેના કરતાં ઓછો, રૂપિયા ૩,૭૯,૦૯૩ જેટલો આવ્યો હતો. જ્યારે રાજાબાઈ ટાવર અને લાઈબ્રેરીનું મકાન બાંધવા પાછળ ધાર્યા કરતાં વધુ ખરચ થયો. રૂપિયા ૫,૪૭,,૭૦૩ના અંદાજ કરતાં ખરચ ૧૯,૬૧૦ રૂપિયા વધુ થયો. પ્રેમચંદ શેઠે આપેલી ચાર લાખની રકમનું જે વ્યાજ આવેલું તેમાંથી વધારાનો ખરચ ભરપાઈ થઈ શક્યો. આ ટાવર કુલ ૨૮૦ ફૂટ (૮૫ મિટર) ઊંચો છે. બંધાયા પછી ઘણાં વર્ષો સુધી મુંબઈની સૌથી ઊંચી ઈમારતનું માન તે ધરાવતો હતો.

૧૮૮૦ના ફેબ્રુઆરીની ૨૭મી તારીખ. બંને ઇમારતોનો ઉદ્ઘાટન સમારંભ. મુંબઈના બધી કોમના આગેવાનો હાજર. મુંબઈના ગવર્નર અને યુનિવર્સિટીના ચાન્સેલર સર રિચર્ડ ટેમ્પલ. કોન્વોકેશન હોલ, લાઈબ્રેરીનું મકાન, અને બધી ખુલ્લી જગ્યા મહેમાનોથી ખીચોખીચ. મહેમાનોની આગતાસ્વાગતા કરી રહી હતી મુંબઈની કેટલીક સ્કૂલોની પારસી અને હિંદુ છોકરીઓ. પણ મરાઠીભાષીઓ કહે તેમ આ સમારંભ વખતે એક ગમ્મત થઈ. બન્ને નવી ઇમારતો પર રોશની કરવાનો કોઈને તુક્કો આવ્યો. એ વખતે વીજળીના દીવા તો હતા નહિ. એટલે ઠેકઠેકાણે તેલના દીવા ચાર હજાર રૂપિયાના ખર્ચે ગોઠવ્યા હતા. પણ બરાબર ઉદ્ઘાટન વખતે જ જોરદાર પવન ફૂંકાયો અને ઘણાખરા દીવા ગુલ! એ વખતે વિજ્ઞાન શાખામાં ગ્રેજ્યુએટની ડિગ્રી આપનાર યુનિવર્સિટી આખા હિન્દુસ્તાનમાં આ એક જ હતી. એટલે ઉદ્ઘાટન સમારંભ વખતે વિજ્ઞાનના કેટલાક નિયમો પ્રયોગો દ્વારા સમજાવતું પ્રદર્શન પણ યોજાયું હતો. આ બે ઈમારતોના ઉદ્ઘાટન સાથે જ શરૂ થયો યુનિવર્સિટી ઓફ બોમ્બેનો સુવર્ણયુગ.

***

પચીસ એપ્રિલ, ૧૮૯૧, બપોરના સાડા ત્રણ. રાજાબાઈ ટાવર નીચેની ભોંય પર એક પછી એક બે ધુબાકા થાય છે. બે પારસી બાનુઓના લોહી નીગળતા દેહ પડ્યા છે. બચુબાઈ તે અરદેશર બરજોરજી ગોદરેજનાં ધણિયાણી અને પિરોજાબાઈ તે સોરાબજી ધનજીશાહ દસ્તૂર કામદીનનાં ધણિયાણી. સગપણમાં નણંદ-ભોજાઈ. ઉંમર વર્ષ વીસ અને સોળ. બંને બાનુઓ રાજાબાઈ ટાવર પરથી મુંબઈનો નજારો જોવા ગયાં હતાં. એ વખતે ટાવર મુલાકાતીઓ માટે ખુલ્લો હતો એટલે ઘણા એ રીતે ટાવર પર ચડી મોહમયી મુંબઈનાં દર્શન કરતા. પણ તે દિવસે આ બે બાનુઓ ઉપરાંત ત્રીજું પણ કોઈ હતું ટાવરના છેક ઉપલા માળ પર હાજર. તેણે બંને બાનુઓની લાજ લૂંટવાનો પ્રયત્ન કર્યો. પછી શું થયું એ ક્યારે ય નક્કી ન થયું. બંને બાનુઓએ આબરૂ બચાવવા નીચે પડીને આપઘાત કર્યો? કે પેલા ત્રીજા કોઈએ બંનેને ધક્કો મારી ટાવર પરથી નીચે ફેંક્યાં, કે જાતને બચાવવા જતાં બંને બાનુઓ અકસ્માત નીચે પડી?

પટકી નિજનો પ્રાણ પછાડી, બાળા મૂઈ બિચારી

પારસી કોમમાં તો ખરો જ, પણ આખા મુંબઈ શહેરમાં હાહાકાર મચી ગયો. આ કેસ અંગે એક કમિટી નીમવામાં આવી. જેમાં જમશેદજી જીજીભાઈ બેરોનેટ, દિનશાહ માણેકજી પિતીત, સોરાબજી ફરામજી પટેલ, ફરામજી દિનશાહજી પિતીત, ડો. કેખુશરો નસરવાનજી બહાદુરજી, અને ફરદુનજી મેરવાનજી બનાજીનો સમાવેશ થતો હતો. એ વખતે ટાવર પર હાજર હતો તે માણેકજી અસલાજીની ધરપકડ થઈ. કોરોનરની કોર્ટે આ ઇસમને ખૂન અને સદોષ મનુષ્ય વધના ગુના સબબ જવાબદાર ગણાવી યોગ્ય સજા કરવાની ભલામણ કરી. ૪૫ હજાર નાગરિકોની સહી સાથે સરકારને અરજી મોકલવામાં આવી અને ગુનેગારને આકરી સજા કરવા ખાસ કમિશન નીમવામાં આવે એવી માગણી કરવામાં આવી. પણ મુંબઈ સરકારે એ માગણી સ્વીકારી નહિ. એટલે ૬૬ હજાર સહીવાળી બીજી અરજી ગ્રેટ બ્રિટન મોકલવામાં આવી. તેના પર સહી કરનારાઓમાં ૨૯,૬૦૪ પારસી, ૨૮,૦૦૮ હિંદુ, ૬,૩૮૫ મુસ્લિમ, ૧,૮૦૪ ખ્રિસ્તી, અને ૩૩ યહૂદીઓનો સમાવેશ થતો હતો. સહી કરનારાઓમાં ૬,૫૩૧ સ્ત્રીઓ પણ હતી. પણ એ અરજી સ્વીકારાઈ નહિ. છેવટે આ ખટલો બોમ્બે હાઈકોર્ટમાં ગયો. જસ્ટિસ ફેરન અને ખાસ જૂરીની હજૂરમાં છ દિવસ ખટલો ચાલ્યો જેને અંતે ૧૮૯૧ના જુલાઈની ૧૩મી તારીખે આરોપીને નક્કર પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો. આ ઘટના વખતે કેટલાક પારસી અને હિન્દુઓએ ખાસ ચોપાનિયાં અને પદ્યકૃતિઓ છપાવી પ્રગટ કરેલાં. તેમાંથી કેટલાંકનાં નામ : રાજાબાઈ ટાવરની કહાણી લે. અરદેસર ખાનસાહેબ, રાજાબાઈ ટાવર વિરહ, લે. ‘સત્યવક્તા, એક હિંદુ’, ટાવર ગરબા, લે. ખરશેદજી ફરામરોજ, સરોદે પાક દામની અને સિતમે મિનાર, લે. ફિરોજશાહ બાટલીવાલા, રાજાબાઈ ટાવરવાળી માહેતમનાં ગાયનો, લે. દા.એ. તારાપોરવાલા. આ છેલ્લી કૃતિની થોડીક પંક્તિ :

ઓ ઈશ્વર! શી અવધિ આજે, આકરો કેર જ કીધો,
મુંબઈમાં શી માહતમ વરસી? લ્હાવો શો આ લીધો?
પટકી નિજનો પ્રાણ પછાડી, બાળા મૂઈ બિચારી;
‘ટાવર’ તેં તો ટેક જ લીધો, ભોગ થયા બે ભારી!
પત્ની પતિવ્રત પારસી, જોવા મિનાર જાહેર,
ગઈ હોંશે પણ આફત, વળી ન પાછી બાહેર!
મહા ભૂંડી ચાંડાળ નજરનો, ભોગ થઈ તે ભોળી.
મહિપતિ! તું ઇન્સાફ ખરાથી, ખરો ખૂની દે ખોળી.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 19 માર્ચ 2022

Loading

...102030...1,5601,5611,5621,563...1,5701,5801,590...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved