Opinion Magazine
Number of visits: 9570112
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અખિલ ભારતીય સેવા નિયમોમાં સુધારો : કેન્દ્ર-રાજ્ય ટકરામણનો નવો મોરચો

ચંદુ મહેરિયા|Opinion - Opinion|23 March 2022

કેન્દ્ર સરકાર હસ્તકના બોર્ડર સિક્યુરિટી ફોર્સનો કાર્યવિસ્તાર વધારતાં રાજ્યો ખફા હતાં જ. પણ તેની લેશ માત્ર તમા વિના કેન્દ્રે રાજ્યો સાથે ટકરામણનો નવો મોરચો ખોલ્યો છે. ભારત સરકારે અખિલ ભારતીય સેવા નિયમો, ૧૯૫૪માં જે  સુધારા કરવાનો પ્રસ્તાવ કર્યો છે, તેનો લગભગ સઘળી વિપક્ષી રાજ્ય સરકારો વિરોધ કરે છે. એક માત્ર આંધ્રની વિપક્ષી સરકાર કેટલીક શરતો સાથે સરકારના આ પગલાંનું સમર્થન કરે છે, પણ એન.ડી.એ.ની ગણાતી બિહાર સરકાર વિરોધમાં છે !

બંધારણના અનુચ્છેદ ૩૧૨માં એક સમાન, એક યા અધિક અખિલ ભારતીય સેવાઓની રચનાની જોગવાઈ છે. અખિલ ભારતીય સેવા અધિનિયમ ૧૯૫૧ અને ૧૯૫૪ના નિયમોથી દેશમાં અખિલ ભારતીય સેવાઓ કાર્યરત છે. હાલમાં વહીવટી, પોલીસ, વન અને ન્યાયિક સેવાઓ અખિલ ભારતીય સ્તરે અસ્તિત્વમાં છે. આઈ.એ.એસ., આઈ.પી.એસ. અને અન્ય અધિકારીઓની પસંદગી યુ.પી.એસ.સી. દ્વારા થાય છે. કેન્દ્ર સરકાર આ અધિકારીઓને તાલીમ પછી રાજ્યની ફાળવણી કરે છે. સંબંધિત રાજ્ય કેડરમાં ફાળવણી પછી તેમની નિમણૂક, બદલી અને બઢતી રાજ્ય સરકારના ક્ષેત્રનો વિષય છે. રાજ્યોની જેમ અધિકારીઓને કેન્દ્રશાસિત પ્રદેશોની ફાળવણી થાય છે, પરંતુ કેન્દ્ર સરકારની કોઈ સ્વતંત્ર કેડર હોતી નથી. કેન્દ્રને રાજ્ય કેડરના અધિકારીઓ પ્રતિનિયુક્તિથી મોકલવામાં આવે છે અને તેઓ કેન્દ્ર સરકારનો વહીવટ અને પોલીસ તંત્ર સંભાળે છે.

વર્તમાન સેવા નિયમોમાં અધિકારીઓના ડેપ્યુટેશન માટે સંબંધિત અધિકારીની મરજી અને રાજ્ય સરકારની સંમતિ જરૂરી છે. જો તેમાં કોઈ વિવાદ ઊઠે તો કેન્દ્ર સરકાર વિવેકાધીન નિર્ણય કરી શકે છે. ભારત સરકારની દલીલ છે કે હાલના નિયમો મુજબ રાજ્યો નિશ્ચિત ક્વોટાના અધિકારીઓ કેન્દ્રને ફાળવતા નથી એટલે અધિકારીઓની ઘટ સર્જાઈ છે. તેથી તે ૧૯૫૪ના સેવા નિયમોના નિયમ-૬માં સુધારો કરવા માંગે છે. કેન્દ્રના પ્રસ્તાવિત સુધારામાં – રાજ્ય સરકારોએ દર વરસે નિશ્ચિત સંખ્યામાં અધિકારીઓ પ્રતિનિયુક્તિ માટે ફાળવવા, વિશિષ્ટ પરિસ્થિતિમાં કેન્દ્રે માંગેલ અધિકારીઓ ફાળવવા રાજ્ય ઈન્કાર કરી શકે નહીં, ચોક્કસ સમયમર્યાદામાં ડેપ્યુટેશન માટે પસંદ થયેલા અધિકારીઓને જો રાજ્ય ફરજમુક્ત ન કરે તે તેમને એકતરફી છૂટા ગણી લેવાશે – જેવી જોગવાઈઓ છે.

સુધારાના પક્ષમાં કેન્દ્રની અધિકારીઓની ઘટની દલીલમાં પહેલી નજરે વજૂદ જણાય છે. ૨૦૧૧માં વિવિધ રાજ્યોના ૩૦૯  આઈ.એ.એસ. અધિકારીઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ફરજ બજાવતા હતા. ૨૦૨૧માં તે ઘટીને ૨૨૩ થયા છે. રાજ્યોએ અખિલ ભારતીય સેવાઓના વિવિધ સંવર્ગમાં ૪૦ ટકા જગ્યાઓ ડેપ્યુટેશન માટે અનામત રાખવાનો નિયમ છે. ૨૦૧૧માં ૩૦૯ (૨૫ ટકા) અને ૨૦૨૧માં ૨૨૩ (૧૮ ટકા) જ સનદી અધિકારીઓ પ્રતિનિયુક્તિ પર છે. એટલે અધિકારીઓની કમીની કેન્દ્રની દલીલ સાચી છે. જો કે અધિકારીઓની ઘટની ફરિયાદ રાજ્યોની પણ છે. ઝારખંડ જેવા નાના રાજ્યમાં આઈ.એ.એસ.ની મંજૂર જગ્યાઓ ૨૧૫ છે, પરંતુ માત્ર ૭૬ ટકા એટલે કે ૧૬૫ અને આઈ.પી.એસ.ની ૧૪૯ મંજૂરમાંથી ૯૫ એટલે કે  ૬૩ ટકા જ ભરાયેલી છે. આ સ્થિતિ લગભગ સઘળા રાજ્યોમાં છે. એટલે અધિકારીઓની ઘટથી પીડિત રાજ્યોને પ્રતિનિયુક્તિની ફરજ પાડવી યોગ્ય નથી.

વિપક્ષી રાજ્ય સરકારોને ડર છે કે જેમ કેન્દ્ર સી.બી.આઈ. અને બીજી કેન્દ્રીય એજન્સીઓનો વિપક્ષશાસિત રાજ્યોમાં દુરપયોગ કરે છે, બી.એસ.એફ.નો દાયરો વધારીને કાયદો અને વ્યવસ્થાના રાજ્ય હસ્તકના વિષયમાં દખલ કરે છે, તેમ અખિલ ભારતીય સેવા નિયમોમાં સુધારા કરીને તે અધિકારીઓની બદલીની સત્તા પોતાના હસ્તક લઈને એકાધિકાર સ્થાપવા, અણગમતા અધિકારીઓને ટાર્ગેટ કરવા માંગે છે. અને સરવાળે વિપક્ષી રાજ્ય સરકારોને અસ્થિર કરવા માંગે છે. એટલે એકી અવાજે વિપક્ષી રાજ્ય સરકારો, વિપક્ષી સાંસદો અને પૂર્વ સનદી અધિકારીઓએ આ સુધારાનો વિરોધ કર્યો છે.

વિપક્ષી રાજ્ય સરકારોની દહેશત ભૂતકાળના કેન્દ્ર સરકારોના અનુભવોને સાચી ઠેરવે તેવી છે. હજુ ગયા જ વરસે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અલેપન બંદોપાધ્યાય વડા પ્રધાનની વાવાઝોડાની સમીક્ષા બેઠકમાં મુખ્ય મંત્રી સાથે મોડા પહોંચ્યા તો તેમની આ ગુસ્તાખી બદલ નિવૃત્તિના આગલા દિવસે તેમનો કેન્દ્રમાં ડેપ્યુટેશનનો ઓર્ડર કરી દેવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન ભા.જ.પા. અધ્યક્ષ જે.પી. નડ્ડાના કાફલા પર હુમલો થયો ત્યારે પોતાની સત્તાની ઉપરવટ જઈને કેન્દ્રના ગૃહ મંત્રાલયે રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ વડાને દિલ્હી બોલાવ્યા હતા અને નડ્ડાની સુરક્ષા સંભાળતા ત્રણ આઈ.પી.એસ. અધિકારીઓની પ્રતિનિયુક્તિના હુકમો કર્યા હતા. ૨૦૦૧માં દ્ર.મુ.ક. પ્રમુખ એમ. કરુણાનિધિ અને બે કેન્દ્રીય મંત્રીઓની ધરપકડ કરનાર આઈ.પી.એસ. અધિકારીઓની તત્કાલીન વાજપાઈ સરકારે પણ પ્રતિનિયુક્તિ પર બદલી કરી હતી. એટલે કેન્દ્ર, રાજ્યના માનીતા અધિકારીઓને પાઠ ભણાવવા પ્રતિનિયુક્તિનું જે શસ્ત્ર વાપરે છે. તેને આ સુધારા દ્વારા કાયદેસરતા મળી શકે છે.

હાલના અખિલ ભારતીય સેવા નિયમો કેન્દ્રની તરફેણના જ છે. તેમાં પ્રસ્તાવિત સુધારાથી રાજ્ય સરકારો વધુ નબળી બનશે અને તેનો વહીવટ કથળશે. ભારતીય ગણતંત્ર રાજ્યોનો સંઘ છે. એટલે કેન્દ્ર રાજ્યો વચ્ચે સોહાર્દપૂર્ણ સંબંધો હોવા જોઈએ. બી.જે.પી. અને ખાસ તો વડા પ્રધાન રાજ્યોના ચૂંટણી પ્રચારમાં ડબલ એન્જિનની અર્થાત્‌ કેન્દ્ર અને રાજ્યમાં એક જ પક્ષની સરકાર ચૂંટી લાવવા મતદારોને અપીલ કરે છે. જો તે શક્ય ન બને તો આવા સુધારા મારફતે તે રાજ્યો પર એકહથ્થુ સત્તા જમાવવા માંગે છે.

કેન્દ્રે રાજ્યોના વિરોધને અવગણીને સુધારાનો માર્ગ લેવાને બદલે આ પ્રશ્નનો કાયમી હલ કરવો જોઈએ. અખિલ ભારતીય સેવાના અધિકારીઓને નિયુક્તિ વખતે જેમ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કેડર ફાળવવામાં આવે છે તેમ કેન્દ્ર સરકારની નવી કેડર ઊભી કરી તેની ફાળવણી કરવાનો સુધારો કરવો જોઈએ. અખિલ ભારતીય ગણાતી હાલની સેવાઓ રાજ્યની ફાળવણી પછી અખિલ ભારતીય રહેતી નથી અને રાજ્ય સેવા જ બની જાય છે. તેથી તેના અખિલ ભારતીય સ્વરૂપ તેમ જ કેન્દ્ર અને રાજ્ય બંનેમાં સેવાનું દાયિત્વ ઊભું થાય તે માટે રાજ્ય અને કેન્દ્રમાં નિશ્ચિત સમયનો સેવાકાળ નક્કી કરવો જોઈએ. નિયુક્તિ પછીના પ્રથમ દસ વરસ રાજ્યમાં, તે પછીના પાંચ વરસ કેન્દ્રમાં અને તે પછીના વરસો સરખા ભાગે કેન્દ્ર અને રાજ્યમાં ફાળવવાથી અધિકારીઓને બંને સરકારોના કામનો અનુભવ થશે, ઈજારાશાહી તૂટશે તથા અધિકારીઓ પણ  રાજકીય હિતોથી દોરવાવાને બદલે તટસ્થતાથી કામ કરી શકશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

ભક્તિ

બીજલ જગડ|Opinion - Opinion|22 March 2022

મખમલ જેવું મન તીર્થ જેવી તપસ્યા,
ભક્તિ કેરી જ્યોત જલ બીચ કલિયાં.

જપી લે તું માનવ હરિ હરિ ઓ મનવા,
બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર રે પૂરણ મળિયા.

અંદર બહાર ફક્ત એક જ બ્રહ્મ છે,
ગગન મંડલ અલખ અલખ અખેડા સુનિયા.

અગ્નિ, પાણી પવન આકાશ ધરતી જી રે,
પાંચ તત્ત્વ લઈ ચૌદ બ્રહ્માંડ લોક પ્રકાશ્યાં.

મૂળ મહામંત્ર થકી ભક્તિ પંથ મહાધર્મ,
ભેદી ચાર વેદો મહાભક્તિનાં મૂળ જડિયાં.

ઘાટકોપર, મુંબઈ

e.mail : bijaljagadsagar@gmail.com

Loading

માબાપ જોઈતા નથી, પણ તેમની મિલકત તો જોઈએ જ છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|21 March 2022

એક કેસમાં મુંબઈ હાઇકોર્ટે 16 માર્ચે એવો ચુકાદો આપ્યો છે કે માબાપ હયાત હોય એ કિસ્સામાં તેમની મિલકત પર દીકરો કોઈ હક કરી શકે નહીં. વાત એવી છે કે 2011થી, સ્મૃતિભ્રંશથી પીડાતા પિતાની તબિયત એટલી ખરાબ છે કે તે ઓક્સિજન સપ્લાય પર ટકેલો છે ને ખોરાક નળી વાટે ગ્રહણ કરે છે. કોઇની સાથે સંપર્કમાં રહી શકે એવી તેની સ્થિતિ નથી. તેને નામે મુંબઇમાં બે ફ્લેટ છે. આ સંજોગોમાં પત્નીએ અને તેની બે દીકરીઓએ પોતાને લીગલ ગાર્ડિયન નીમવા કોર્ટમાં અરજી કરી તો દીકરાએ એમ કહીને વાંધો ઉઠાવ્યો કે પિતાની મિલકત પર તેનો દીકરા તરીકે સંયુક્ત હક બને છે. કોર્ટે તેને પૂછ્યું કે દીકરા તરીકે તેણે પિતાની સારવારની કોઈ કાળજી લીધી છે કે પિતાને તે ડૉક્ટર પાસે લઈ ગયો છે કે તેની સારવારનો કોઈ ખર્ચ ઉઠાવ્યો છે? દીકરાએ હકની માંગણી કરતી વખતે તો એમ કહ્યું હતું કે તેણે છેલ્લાં થોડાં વર્ષોમાં પિતાની કાળજી લીધી છે, પણ કોર્ટના સોંસરા પ્રશ્નોનો દીકરો સામનો ન કરી શક્યો. દીકરાએ પિતાની સારવારના બિલો રજૂ તો કર્યાં, પણ તેની ચૂકવણી દીકરાએ નહીં, પણ તેની માતાએ કરી છે તેવું પુરવાર થયું. દીકરાએ એક પણ બિલ ચૂકવ્યું ન હતું. દીકરાના વકીલે એવો દાવો કર્યો હતો કે માબાપ ભલે જીવતાં હોય, પણ તેની મિલકતમાં દીકરાનો પણ સંયુક્ત હક લાગુ પડે છે. ન્યાયાધીશોને એ દલીલ એટલી અતાર્કિક લાગી કે તેનો કોઈ રીતે સ્વીકાર થઈ શકે નહીં એવું કોર્ટે કહ્યું. કોર્ટે ઠરાવ્યું કે માબાપની હયાતીમાં તેમની મિલકત પર દીકરાનો કોઈ હક બનતો નથી, એટલું જ નહીં, એ મિલકત પર દીકરાનો સંયુક્ત હક પણ લાગુ થઈ શકે નહીં. કોર્ટે બીમાર વ્યક્તિની પત્નીને તેમના સંયુક્ત બેન્ક ખાતાંને ઓપરેટ કરવાની અનુમતિ આપી ને બંને ફ્લેટ કોર્ટની સંમતિથી વેચવાની મંજૂરી પણ આપી.

આ ચુકાદાએ માબાપ અને તેમનાં સંતાનો વિષે ઘણા પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે. વકીલનો એ ધર્મ છે કે તેણે અસીલનો કેસ લડવો ને તેનો બચાવ કરવો. વકીલે દીકરાનો કેસ હાથ પર લીધો ત્યારે તેને હરાવવાની ગણતરી તો ન જ રાખી હોય. કારણકે એમ કરવામાં તો વકીલની પોતાની પણ હાર થાય. વકીલે દીકરાને પૂછ્યું તો હશે જ કે દીકરાએ બાપની સારવારમાં કોઈ ધ્યાન આપ્યું છે કે કેમ? દીકરાએ વાત ન છુપાવી હોય તો વકીલને ખાતરી થઈ જ હશે કે દીકરો બાપની કોઈ મદદ કર્યા વગર માત્ર હક માંગવા નીકળ્યો છે, એ સ્થિતિમાં વકીલને કયા જોર પર આ કેસ જીતવાની ખાતરી હશે તે નથી ખબર, પણ સાધારણ માણસને પણ સમજાય એવું છે કે દીકરાને જમા પક્ષે કૈં નથી ને તે બાપ હયાત છે ત્યારે બાપની મિલ્કત પર હક કરવા નીકળ્યો છે. તેનો દાવો સદંતર ખોટો છે. એ વાત વકીલના ધ્યાન પર આવી જ હશે, છતાં તેણે કેસ હાથ પર લીધો. એમાં ફી સિવાય બીજી કોઈ માણસાઈ જણાતી નથી.

એ દીકરાને જરા જેટલો પણ સંકોચ નહીં થયો હોય કે કયે મોઢે તે બાપના જીવતાં, તેની મિલકત પર હક કરવા નીકળ્યો છે? એ બાપ જેના તરફ તેનું ધ્યાન જ નથી. 2011થી બાપ બીમાર છે, પોતે જુદો રહે છે ને ઘરનાં કોઈ કામમાં તેનો હાથ નથી, એટલું જ નહીં, તેની સારવાર પાછળ રૂપિયો ય કાઢ્યો નથી કે બાપને માટે કોઈ ડોક્ટરના સંપર્કમાં રહેવાનું પણ તેનાથી બન્યું નથી, તો તેની મિલકત પર હક કેવી રીતે થાય? તે પણ બાપ હયાત છે ત્યારે? બાપની સાથે દીકરાને જોડી રાખતી કડી જ કદાચ મિલકત માત્ર છે. તે સિવાય દીકરાએ તો બાપનું નાહી જ નાખેલું છે. એવું પણ લાગતું નથી કે તે મા કે બહેનોના સંપર્કમાં છે નહીં તો લીગલ ગાર્ડિયનની અરજી દીકરા તરફથી આવી હોત, પણ અરજી મા અને બહેનોએ કરી છે. એ શક્ય છે કે માબાપ સાથે દીકરાને નહીં ફાવ્યું હોય ને તે કુટુંબથી અલગ થયો હોય. હવે જો માબાપ સાથે ન ફાવ્યું હોય તો સ્વમાની પુત્રને તેની મિલકત સાથે પણ ન ફાવવું જોઈએ, તેને બદલે માબાપની કાળજીની જરા જેટલી પણ ખાતરી આપ્યા વગર જ દીકરો મિલકતમાં હકનો દાવો કરે છે. આ શરમજનકથી ય વધુ શરમજનક છે.

આવો આ એક જ દીકરો નથી, આવા દીકરાઓ ગણ્યા ગણાય નહીં ને વીણ્યા વીણાય નહીં એટલા છે. અહીં એ સંતાનોની જરા ય ઉપેક્ષા કરવાનો હેતુ નથી, જે સંતાનોએ માબાપની ચિંતા કરી છે ને લેવાય એટલી કાળજી લીધી છે. એને તો સલામ જ ભરવાની રહે. કેટલા ય કિસ્સાઓમાં દીકરો પરદેશમાં જ વસી ગયો હોય ને માબાપ એકલાં જ કુટાયાં કરતાં હોય ત્યારે પરિણીત કે અપરિણીત દીકરીઓ જે કાળજી માબાપની લે છે એની કરીએ એટલી પ્રશંસા ઓછી છે. પણ, માબાપ બધી જ વખતે એટલાં નસીબદાર હોતાં નથી કે દીકરાની ચિંતાનો વિષય બને. માબાપ પણ ક્યારેક દબાણ કરીને દીકરાને ભણવા કે નોકરી અર્થે વિદેશ મોકલતાં હોય છે, તેમાં ગણતરી એવી હોય છે કે દીકરો વહાણ ભરીને કમાઈને આવશે, પણ દીકરો બારે વહાણ ડૂબાડીને પરદેશમાં જ વસી જાય છે ને માબાપ ઘરડાંઘરને માથે પડતાં હોય છે. બીજી તરફ વેચાવાનું હોય તો હોજરીમાં એટલી જગ્યા તો રાખતો જ હોય છે જેથી મિલકત તેમાં ઓરી દઈ શકાય. તે અગ્નિસંસ્કારનું બીજાને સોંપે છે, પણ રૂપિયા ગણવાના હોય તો જાતે આવે છે. સાચું તો એ છે કે આ જનરેશન જતું કરવામાં ખાસ માનતું નથી.

આ તો વિદેશમાં વસતાં સંતાનોની વાત થઈ, પણ સંતાનો અહીં હોય ત્યારે માબાપ કૈં ખાટી જાય છે એવું નથી. મોટે ભાગે દીકરો નોકરી અર્થે બીજા શહેરમાં ને માબાપ ગામડામાં કે બીજાં શહેરમાં રહેતાં હોય છે. ઘણીવાર તો દીકરો, વચ્ચે દીવાલ હોય એટલે અંતરે જ હોય છે ને છતાં તે કામ આવતો નથી, તો એવા દીકરાઓ પણ છે જે દૂર દેશાવરમાં માબાપના વિરહમાં ઓગળતા રહેતા હોય. દીકરો બીજે વસી જાય છે ને માબાપ ન રહે ત્યારે ઘરમાંથી શું ઉપજે એમ છે એનો દાખલો પણ ગણાતો રહે છે. એણે માબાપની કાળજી લીધી હોય કે તેની પાછળ ખર્ચ કર્યો હોય એવું ઓછું જ બનતું હોય છે. સાચું તો દરેક વ્યક્તિની બાબતે જુદું પડવાનું, પણ દીકરીનો માબાપની મિલકતમાં હક માન્ય થયો છે ત્યારથી દીકરીઓ માબાપની વધુ કાળજી લેતી થઈ છે. એવું ન હોય ને માત્ર લાગણીને લીધે પણ દીકરીઓ માબાપની દેખરેખ રાખતી હોય એ પણ શક્ય છે. મૂળ વાત તો એ છે કે માબાપ સામું કોઈ પણ કારણે જોવાય ને તેમનાં અંતિમ વર્ષોમાં તે ઉપેક્ષિત ન રહે. એ પણ છે કે માબાપ ન હોય તો તેની સંપત્તિ સંતાનોની થાય જ છે. એમાં વધઘટ હોઈ શકે, પણ કૈં જ ન મળે એવું ઓછું જ બનતું હોય છે. સંતાનોને એટલી ધીરજ હોય પણ છે, છતાં મુંબઈ હાઇકોર્ટે કહેવું પડ્યું કે માબાપ જીવતાં હોય ત્યારે દીકરો બાપની મિલકત પર નજર બગાડે તે યોગ્ય નથી.

જે કિસ્સામાં માબાપે દીકરા-દીકરીને પૈસા ખર્ચીને ભણાવ્યાં-પરણાવ્યાં હોય, નોકરીધંધે વળગાડયાં હોય એમાં હેતુ તો સંતાનોને એવી જગ્યાએ મૂકવાનો હોય જ્યાં તેઓ માનભેર ઊભાં રહી શકે. આટલું કર્યું હોય, પછી સંતાનોએ માબાપની મિલકત મળે કે ન મળે, એનું મહત્ત્વ આંકયા વગર પોતાની ક્ષમતા જ એટલી વધારવાની રહે કે પોતાની મિલકત પર જ ટકી જવાય. કમનસીબે એવું બહુ ઓછું બને છે. ઘણીવાર તો માબાપ પોતાની હયાતીમાં જ સંતાનોને તેમના ભાગ આપી દે છે ને પોતાને માટે કૈં રાખતા નથી ને સંતાનો માબાપને તગેડી મૂકતાં હોય છે. આ કોઈ રીતે સારું નથી. આજની પેઢીમાં બાપને પૈસે તાગડધિન્ના કરવાની વૃત્તિ સહજ થઈ પડી છે એને લીધે સંતાનો પોતાનો વિકાસ કરવાનું ચૂકે છે. સંતાનોએ એ સમજી લેવાનું રહે કે એ કૈં તેમણે કમાવેલી મિલકત નથી કે હક આગળ કરીને માબાપની કનડગત કરે. ખરેખર તો એવી હિંમત જ સંતાનો કેવી રીતે કરી શકે કે માબાપની હયાતીમાં જ મિલકતમાં પોતાનો ભાગ માંગે? માબાપ ધારે તો સંતાનોને ફૂટી કોડી ન આપે ને કાયદો પણ તેમાં દખલ ન કરી શકે એમ બને. માબાપને મિલકતની વ્યવસ્થા કરવાનો પૂરો હક છે. એના પર કોઈ સંતાન તરાપ ન મારી શકે.

માબાપને કોઈ મદદ ન કરી હોય ને તેમની મિલકત પર સંતાનો નજર રાખીને બેસે ત્યારે પ્રશ્ન થાય કે  સંતાનોને સ્વમાન પણ નહીં નડતું હોય? આટલી પાંગળી પેઢીને જોઈને કેવળ પીડા જ થાય છે. મિલકત માટે સંતાનોએ માબાપની હત્યા કરી હોય એવા દાખલાઓ શોધવા પણ દૂર જવું પડે એમ નથી. આ પેઢી આટલી સ્વાર્થી તો ન જ હોય, પણ છે. આટલી પ્રગતિ માણસ જાતે કરી હોય તે પછી આવાં સંતાનો સામે આવે છે ત્યારે જગત પરથી ભરોસો ઊઠી જાય છે …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 માર્ચ 2022

Loading

...102030...1,5571,5581,5591,560...1,5701,5801,590...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved