Opinion Magazine
Number of visits: 9570107
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નિર્ભિક પત્રકારત્વ, ક્યાં શોધવા જઈશું?

ભગવાનજી રૈયાણી|Opinion - Opinion|8 April 2022

‘પત્રકારની કલમ તો તેજાબમાં ઝબોળેલી જ હોવી જોઈએ. જો તમે એવું ના લખી શકો તો કરિયાણાંની દુકાન ખોલીને બેસી જવું જોઈએ!’ ફ્રીડમ ઑફ સ્પીચ ઍન્ડ એક્સપ્રેશનના સિદ્ધાંત પર બે ઝુઝાર પત્રકારો ફિલીપાઈન્સની મારિયા રેસા અને રશિયાના ડિમિટ્રી મુરાટોવને પત્રકારત્વ ક્ષેત્રે ગુણત્વસભર સમાચારો જાનનાં જોખમે પણ પ્રકાશિત કરવા માટે નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યા.

જોસેફ મેકવાન દલિત સાહિત્યના એક જબ્બરદસ્ત લેખક. એમનો સગો ભત્રીજો મનીષ મેકવાન લેખક અને ધુરંધર પત્રકાર પણ કોરોનાનો કોળિયો થઈ ગયો. એ કહેતો : “પત્રકારની કલમ તો તેજાબમાં ઝબોળેલી જ હોવી જોઈએ. જો તમે એવું ના લખી શકો તો કરિયાણાંની દુકાન ખોલીને બેસી જવું જોઈએ!” પણ સરકારની મહેરબાનીમાં રાચતા મીડિયા માલિકો એને જીરવી ન શક્યા. એ નોકરીઓ બદલતો રહ્યો પણ વ્યવસાયના સિદ્ધાંત સાથે સમાધાન ન કરી શક્યો. સિત્તેર ટકા અખબારો અને નેવું ટકા ન્યુઝ ચેનલો જાણે સરકારી માધ્યમો હોય એવો મસાલો પીરસી રહ્યાં છે.

એક જ દાખલો બસ થશે. યોગી એટલે યોગસાધક અને શિષ્યોનો યોગગુરુ. આદિત્ય એટલે સૂર્ય. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ. ગોરખપુરના એક આશ્રમના સાધુ અધિપતિ; પણ સત્તાગ્રહણ બાદ ફરી સત્તામાં આવવાના અભરખે સાધુત્વ પાતળું પડી ગયું. રોજે રોજ ભારતના એક બે નહીં પણ સેંકડો અખબારોમાં પાનાંઓ ભરીને સરકારી ખર્ચ પોતે શી સિદ્ધિઓ હાંસલ કરી છે એની પ્રસિદ્ધિ કરતા રહે છે. ટી.વી. ન્યુઝમાં પણ. કારણ કે રાજ્ય ધારાસભાની ચૂંટણીઓ માથે છે. ન્યુઝ ચૅનલોમાં દિવસમાં દસ વાર ડીંડક વગાડતા રહે છે. ગરીબ રાજ્યના કરોડો નહીં પણ અબજો રૂપિયા વેડફતા રહે છે. આપણે જાણીએ છીએ કે અખબારના એક પાનાની જાહેરખબરના દર લાખો રૂપિયા હોય છે. ન્યુઝ ચેનલના દર પ્રતિ સેંકડે લાખોમાં આપવા પડે છે; પણ ક્ષિતિજમાં ઉષાનાં આનંદદાયક ગુલાબી કિરણો પણ ચમકે છે.

તા. 9 ઓક્ટોબર, 2011ના માધ્યમોમાં એક સુખદ સમાચાર વાંચ્યા. ફ્રીડમ ઑફ સ્પીચ ઍન્ડ એક્સપ્રેશનના સિદ્ધાંત પર બે ઝુઝાર પત્રકારો ફિલીપાઈન્સની મારિયા રેસા અને રશિયાના ડિમિટ્રી મુરાટોવને પત્રકારત્વ ક્ષેત્રે ગુણત્વસભર સમાચારો, જાનનાં જોખમે પણ પ્રકાશિત કરવા માટે, નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યા. એમના વિશે થોડું :

મારિયા રેસા ફિલીપાઈન્સની આ મહિલા અખબારનવીશને માનવધર્મ આચરતા રહીને સંશોધન માટે અમેરિકાની કુલબ્રાઈટ સ્કૉલરશીપ મળી એ પ્રેસિડેન્ટ ડયુટર્ટ રેપલરના ભ્રષ્ટાચાર સામે સતત લડતી રહી. પ્રમુખના કૉન્ફલીકટ ઓફ ઈન્ટરેસ્ટ (હોદ્દાનો અપ્રમાણિક લાભ) એ મારિયાનો એક પત્રકાર તરીકેનો મુખ્ય મુદ્દો રહ્યો એની સામે સરકારે બદનક્ષીનો કેસ કર્યો અને જેલ ભેગી કરી. અત્યારે જામીન પર છે.

એવો જ બીજો રશિયાનો ભડવીર પત્રકાર ડિમિટ્રી મુરાટોવ સરમુખત્યાર સામ્યવાદી સરકાર સામેની ગેરરીતિઓ સામે અને ખાસ તો પ્રેસિડેન્ટ પુટિનનો કટ્ટર વિરોધી બનીને અખબારોમાં લખતો રહીને શાંતિનું નોબેલ પારિતોષિક જીતી ગયો. એ પહેલાં રશિયામાં એના જેવા છ પત્રકારોનાં ખૂન થયેલાં. મુરાટોવે પોતાનો પુરસ્કાર આ શહીદ પત્રકારોને અર્પણ કરીને કહ્યું કે, “ભાષા અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પરની એની લડાઈ ચાલુ જ રહેશે.” આમ 86 વરસ પછી પ્રથમવાર નિર્ભિક પત્રકારત્વને વિશ્વનું સૌથી મોટું નોબેલ પ્રાઈઝથી નવાજવામાં આવ્યું.

આપણા બંધારણની કલમ 19 (1) (અ) અન્વયે આપણા મૂળભુભૂ અધિકાર (ફન્ડામેન્ટલ રાઈટ્સ) મુજબ આપણને ‘વક્તવ્ય અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય’ની મહામૂલી ભેટ મળી છે. કલમ 19(2)માં દર્શાવ્યા મુજબના વાજબી પ્રતિબંધો સાથે તમારાં મંતવ્યોને ખુલ્લંખુલ્લા વાચા આપી શકો છો. સરકારને એમાં દખલ કરવાની સત્તા નથી. આ નાગરિક હક્ક લોકશાહીની કરોડરજ્જુ સમાન છે; પણ હમણાં હમણાં પેગાસસ સોફટવેર નામે એક ઈઝરાયેલી જાસૂસી તકનીકે ઉપાડો લીધો છે. એ તમને ખબર પણ ન પડે એ રીતે તમારા અંગત જીવનની તમામ વિગત વ્યાપારી હિતો, ખાનગી મસલતો, રાજકીય કૌભાંડો, વગેરેમાં છૂપી રીતે ઘૂસી જાય છે. આ ટેક્નીકનો સૌથી વધુ દુરુપયોગ સત્તાધીશ પાર્ટી દ્વારા વિરોધ પક્ષોના નેતાઓ પર થાય છે. સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપ્યો છે કે તમે કોઈના ખાનગી જીવન, અન્ય હિતો કે યોજનાઓ પર તરાપ ન મારી શકો. અત્યાર સુધીની તમામ વિગતો ખુલ્લી કરો પણ હંમેશની જેમ સરકાર ગલ્લાંતલ્લાં કરી રહી છે.

અત્યાર સુધીમાં દુનિયાના સરમુખત્યાર શાસકો અને સ્થાપિત હિતોની સામે લડતા હજારો પત્રકારોનાં ખૂનો થઈ રહ્યાં છે. ‘મેરા ભારત મહાન’ પણ આ મીડિયા સંહારમાંથી મુક્ત નથી.

બંધારણના આમુખમાં આપણા દેશને સાંપ્રદાયીક રાષ્ટ્રનું મહોરું ચડાવ્યું છે પણ પત્રકાર એનો ભંગ થતાના સમાચાર છાપશે કે કટ્ટરવાદી સંપ્રદાયવાળાઓ એના પર તૂટી પડશે કે એને મોતને ઘાટ પણ ઊતારી દેશે. ક્યાંક ગુંડાના કરતૂતો સામે લેખ છપાય તો લખનારને પતાવી દેવાના કારસા તો જગજાહેર છે. વર્ષોથી જમ્મુ–કાશ્મીરમાં પાકિસ્તાની આતંકીઓએ ઉપાડો લીધો છે પણ સરકાર થોડાને મારે છે અને પોતાનાયે મરાય છે. બધા સોશિયલ મીડિયા, વાઈ–ફાઈ, ઈન્ટરનેટ સરકાર બંધ કરે છે પણ કાયમી ઉકેલ આવતો નથી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનો ઉધડો લીધો છે કે તમે લોકોના માહિતી મેળવવાના હકને બંધ ન કરી શકો; પણ સરકાર ઈન્ડિયન પીનલ કોડની કલમ 124–અ બતાવીને કહેશે કે અમુક વ્યક્તિઓએ દેશદ્રોહ કર્યો છે. આતંકીઓને મદદ કરી છે, આમ કોર્ટને પણ ગાંઠતી નથી.

સરકાર જે કાંઈ કરે એની માહિતી પ્રેસનોટ દ્વારા પ્રિન્ટ અને દૃશ્ય માધ્યમોમાં આવતી જ હોય છે પછી મસમોટી જાહેરખબરોની શી જરૂર? તમે સરકારનાં કાળાં કામો ઉઘાડાં કરો તો સરકારી જાહેરખબર ન મળે. મીડિયા મૅગ્નેટોને એ કેમ પોસાય? પત્રકાર બીચારો શું કરે? – એને પણ બેરીછોકરાં હોય કે નહીં?

કરદાતાઓના આવા બેફામ વેડફાટની સામે એક અદના એક્ટિવીસ્ટ (કર્મશીલ) તરીકે બૉમ્બે હાઈ કોર્ટમાં એક પી.આઈ.એલ. (જનહિત યાચિકા) નં. 24 ઑફ 2004 ફાઈલ કરી. પ્રતિવાદી તરીકે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર 2004ના ફેબ્રુઆરીમાં મે મહિનામાં થનારી લોકસભાની ચૂંટણી માટે વાજપેયીની સરકારે પાર્લામેન્ટ બરખાસ્ત કરી. રખેવાળ સરકાર તરીકે અત્યંત જરૂરી બાબતો સિવાય કોઈ વધારાનો ખર્ચ ન કરી શકે; પણ તેઓ તો ‘ઇન્ડિયા શાઈનીંગ’નાં સૂત્ર હેઠળ જાહેરખબરો દ્વારા પોતાની સરકારી સિદ્ધિઓ બતાવવા કરોડોનો ખર્ચ કરવા માંડ્યા. મહારાષ્ટ્ર સરકારના કાઁગ્રેસી મુખ્ય પ્રધાન સુશીલકુમાર શિંદેએ ‘અગ્રેસર મહારાષ્ટ્ર’ની તીતૂડી વગાડીને જાહેરખબરો માટે પચીસ કરોડ ફાળવી દીધા જે અગાઉની ચૂંટણીઓમાં રૂપિયા બે કરોડ જ હતા; પણ વિરોધ પક્ષો છાપાંઓએ કાગારોળ મચાવી મૂકી. અંતે ઈલેક્શન કમિશનને પ્રતિબંધ મુક્વો પડયો. મારે ત્યાં ગુજરાતી અંગ્રેજી મળીને ચાર છાપાંઓ આવે છે. એમાંથી 41 મસમોટી જાહેરખબરો જે સુશીલકુમાર શિંદેએ આપેલી એ પકડી પાડીને મેં એફિડેવિડમાં આમેજ કરી. પણ મારું તો ‘વો દિન કહા કી મિયાં કે પાંવમેં જૂતી’ જેવું થયું. મારી પિટીશન હજુ હાઈ કોર્ટની આલમારીમાં સૂનાવણીની રાહમાં ધૂળ ખાતી પડી છે. ભારતના ન્યાયતંત્રની શરમ.

••••

રૅશનાલિસ્ટ ભગવાનજી રૈયાણી ઍડવોકેટ નથી; છતાં ભારતભરમાં સૌથી વધુ 115 ‘જનહિતની અરજી’ (Public Interest Litigation) નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. તેઓ ‘ફોરમ ફોર ફાસ્ટ જસ્ટીસ’ના સ્થાપક અને માનદ્ અધ્યક્ષ છે. તેઓ અંગ્રેજીમાં ‘ન્યાય દિશા’ ત્રિમાસિક ( http://fastjustice.org ) પણ પ્રકાશિત કરે છે. આ લેખ ‘અભિવ્યક્તિ’ બ્લોગ માટે ખાસ મને મોકલવા બદલ હું તેઓનો આભાર માનું છું.

‘જન્મભૂમિ પ્રવાસી’, મુમ્બઈમાં દર રવિવારે પ્રગટ થતી એમની કટાર ‘મેરા ભારત મહાન! મગર કભી કભી’માં તા. 07 નવેમ્બર, 2021ના રોજ પ્રગટ થયેલ એમનો આ લેખ, લેખકશ્રીના અને ‘જન્મભૂમિ પ્રવાસી’ ના સૌજન્યથી સાભાર …

Ground Floorm, Kuber Bhuvan, Bajaj Road, Vile Parle (West), Mumbai – 400 056 

eMail: fastjustice@gmail.com

https://govindmaru.com/2022/04/08/bhagwanji-raiyani-11/

પોસ્ટ કર્યા તારીખ : 08–04–2022

Loading

On his birthday a Tribute to a Musical genius and a Bridge builder Pt. Ravi Shankar

Vijay Bhatt|English Bazaar Patrika - Features|8 April 2022

April 7 is the birthday of a person who deserves the most credit for introducing Indian classical music to the western world in the way westerners can understand and appreciate it. 



This was in coming because as a teenager he had traveled to Europe with his elder brother Uday Shankar's dance troop where he was exposed to and appreciated western mindset and western music. He could relate with western classical musicians and collaborated with the western music legends like violin player Yehudi Menuhin and many others. At the same time those elite musicians also couldrelate with Pt. Ravi Shankar's explanations of intricacies, depth, the process of creativity and improvisations keeping with the rules of raag, taal, and the discipline of Indian classical music.

Later, the biggest breakthrough for Indian classical music in the western world came when Pt. Ravi Shankar played Sitar accompanied on Tabla by another Maestro Ustad Alla Rakha (Father of Ustad Zakir Hussain) at the biggest music gathering at Woodstock Festival. The Woodstock Music Festival began on August 15, 1969, as half a million people waited on a dairy farm in Bethel, New York, for the three-day music festival to start. Billed as “An Aquarian Experience: 3 Days of Peace and Music,” the epic event would later be known simply as Woodstock and become synonymous with the counterculture movement of the 1960s.

From the 1960s, Panditji, as he is known among his music lovers, and George Harrison of the Beatles became friends. George accepted Pt. Ravi Shankar as his Guru and started learning Sitar and started other musical collaborations. The Beatles deserve a little credit for making Pt. Ravi Shankar a household name for music and Beatles loving westerners.

Whether some of his peers in Indian classical music like it or not, it is evident that before Panditji no other musician had the tenacity to reach out to the global audience, especially the western audience the way Pt. Ravi Shankar did it. Pandit ji, keeping intact the strict theoretical, classical, and traditional framework of pure Hindustani classical music art form, crossed the cultural and geographical boundaries and won hearts of millions of open minded global music lovers.

His personal life had been non-traditional, interesting, at times flamboyant, unlike most traditional Indian Classical musicians, and very colorful but as far as the purity, authenticity, and tradition of Indian classical music is concerned, he did not compromise a beat! (bit-beat pun intended).

It is a matter of pride for Indian musicians for those having been associated with Pandit ji. It proves the point about his musical genius and greatness!

Late Sitarist Shubho Shankar was his son with his first wife Annapurna Devi. Norah Jones, his daughter from his relationship with Susan Jones is a Grammy winner for her Jazz and pop fusion. His daughter Anushka with his wife Sukanya, is a promising sitar player in her own rights. It runs in the blood! still Anushka has some big shoes to fill.

It is apt that the Indian government has established a postal stamp on his name, and was awarded Bharat Ratna, the highest civilian award for his legendary artistic contribution.

Indian Classical music and music lovers owe this legend an immense gratitude for his service to Indian Classical music!

Namaskar Pandit ji!!!

April 7, 2022

e.mail : vijaybhatt01@gmail.com

Loading

નદીઓનું જોડાણ : કેટલું ઉપકારક, કેટલું વિનાશક ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|7 April 2022

૨૦૨૧ના વિશ્વ જળ દિવસે (૨૨મી માર્ચ) વડા પ્રધાનની ઉપસ્થિતિમાં કેન-બેતવા નદી જોડાણ પરિયોજનાનો આરંભ કરવાના કરાર પર ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીઓના હસ્તાક્ષર થયા હતા. રૂ. ૪૪,૬૦૫ કરોડના અંદાજિત ખર્ચના કેન-બેતવા રિવર લિકિંગ પ્રોજેકટ માટે ૨૦૨૨-૨૩ના કેન્દ્રીય અંદાજપત્રમાં રૂ.૧,૪૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. બીજી તરફ કેન્દ્રએ અગાઉ મંજૂર કરેલ મહારાષ્ટ્ર અને ગુજરાતની પાર-તાપી-નર્મદા નદી જોડાણ પ્રકલ્પના વિરોધમાં દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ હાલમાં આંદોલન કરી રહ્યા છે. એટલે નદી જોડાણ પરિયોજનાના લાભાલાભ અંગે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.

આધુનિક ભારતની અકલ્પનીય અને વિશાળ એવી નદી જોડાણ પરિયોજના દ્વારા પાણીની સમસ્યાનો ઉકેલ આણવાનો ખ્યાલ છે. જળ સમૃદ્ધ નદીઓનું પૂરનું વધારાનું પાણી બંધો અને જળાશયો રચી, નદીઓનું જોડાણ કરી, નહેરો દ્વારા સૂકી કે ઓછું પાણી ધરાવતી નદીઓમાં ઠાલવવામાં આવશે. મધ્ય પ્રદેશમાંથી નીકળતી અને ઉત્તર પ્રદેશમાં યમુના નદીમાં મળી જતી કેન અને બેતવા યમુનાની સહાયક નદીઓ છે. બુંદેલખંડની જળ સમસ્યાના નિરાકરણ માટે જળસમૃદ્ધ કેન નદીનું પાણી મધ્ય પ્રદેશના પન્ના નજીકથી ઉઠાવીને એક બંધમાં સંગ્રહિત કરવામાં આવશે અને ૨૨૧ કિલોમીટર લાંબી નહેર મારફતે ઉત્તર પ્રદેશના ઝાંસી પાસે ઓછું પાણી ધરાવતી બેતવા નદીમાં  ઠાલવવામાં આવશે. આ પ્રકારે દેશની ૩૪ નદીઓનું જોડાણ કરવાનું વિચારાયું છે.

ભારતમાં નદીઓનાં જોડાણનો સૌ પ્રથમ વિચાર અંગ્રેજ શાસનકાળમાં ઉદ્દભવ્યો હતો. ઈ.સ. ૧૮૫૮માં મદ્રાસ પ્રેસિડેન્સીના ચીફ એન્જિનિયર સર આર્થર થોમસ કાર્ટને ઈસ્ટ ઈન્ડિયા કંપનીને વધુ બંદરોનો લાભ મળે અને તેના વિદેશી માલના પરિવહનનો ખર્ચ બચે તે માટે નદીઓનાં જોડાણનો વિચાર આપ્યો હતો. આઝાદ ભારતમાં ગઈ સદીના સાતમા દાયકે તત્કાલીન સિંચાઈ મંત્રી કે.એલ. રાવે ગંગા-કાવેરી નદીનાં જોડાણની યોજના વિચારી હતી. ઉત્તર ભારતની તુલનાએ દક્ષિણ અને મધ્ય ભારતમાં પાણીની અછત રહે છે. તેથી ઉત્તરની નદીઓનું પાણી દક્ષિણ ભારતમાં લઈ જવાની યોજના હતી. પરંતુ વિચારણાના અંતે આ યોજના નાણાકીય દૃષ્ટિએ અતિ ખર્ચાળ, તકનીકી દૃષ્ટિએ અવ્યવહારુ અને બિનઉપયોગી જણાઈ હતી.

સર્વોચ્ચ અદાલતે ૨૦૦૨માં જાહેર હિતની અરજી પરના ચુકાદામાં ભારત સરકારને નદીઓનાં જોડાણની યોજના અંગે ગંભીરતાથી વિચારવા અને અમલ કરવા જણાવતાં આ યોજનામાં ગતિ આવી હતી. જો કે તે પૂર્વે નેશનલ વોટર ગ્રીડની રચનાનો પ્રસ્તાવ થઈ ચૂક્યો હતો અને નેશનલ વોટર ડેવલપમેન્ટ એજન્સીની રચના પણ થઈ હતી. ૨૦૦૨માં અટલબિહારી વાજપાઈના નેતૃત્વ હેઠળની એન.ડી.એ. સરકારે તેમની કેબિનેટના સાથી સુરેશ પ્રભુના અધ્યક્ષપદે ટાસ્ક ફોર્સની રચના કરી હતી. આ ટાસ્ક ફોર્સે નદીઓનાં જોડાણ માટે રૂ. ૫,૬૦,૦૦૦ કરોડના ખર્ચનું અનુમાન લગાવ્યું હતું. યુ.પી.એ. સરકારે નદી જોડાણ પરિયોજના અંગે કોઈ ખાસ પગલાં લીધાં નહોતા. હવે વર્તમાન સરકાર આ પરિયોજના અંગે આગળ વધી રહી છે.

છેલ્લી દોઢ સદીથી ચર્ચાતો અને નક્કર અમલની રાહ જોતો નદી જોડાણનો વિચાર વિરોધીઓને દિવાસ્વપ્ન તો સમર્થકોને જાદુઈ ચિરાગ લાગે છે. નદી જોડાણ પરિયોજનાના તરફદારો તેના ભારતના સઘળા દુ:ખોની દવા જેટલા લાભ ગણાવે છે : આ પ્રકલ્પથી પીવાનાં અને સિંચાઈનાં પાણીનો પ્રશ્ન ઉકલી જશે. નદીઓના પૂરનું અધિશેષ પાણી સ્થળાંતરિત કરીને યોગ્ય સ્થળે પહોંચાડીને પૂર નિયંત્રણ તો થશે જ દુકાળમાં પણ રાહત મળશે. સિંચાઈ યોગ્ય જમીનમાં ૧૫ ટકાનો વધારો થશે તેથી ખેડૂતોની આવક વધશે અને ખેતકામદારોને રોજી મળશે. જળપરિવહન વધતાં પ્રવાસનને વેગ મળશે. જળવિદ્યુતનું ઉત્પાદન થશે. લોકોની આર્થિક સ્થિતિ સુધરશે અને સમૃદ્ધિ આવશે. દરિયામાં નિરર્થક વહી જતાં પાણીને અન્ય નદીઓમાં સ્થળાંતરિત કરાતાં નદીઓનાં જળનો અધિકતમ ઉપયોગ થશે. ભૂગર્ભ જળ ઊંચાં આવશે. વનીકરણ અને મત્સ્યોધ્યોગનો વિકાસ થશે.

નદી જોડાણના વિરોધીઓ તેને ભ્રષ્ટ સરકારી અધિકારીઓ અને રાજનેતાઓની સાંઠગાંઠ ગણાવે છે. ૨૦૦૨માં આ યોજનાનો ખર્ચ ૫.૬૦ લાખ કરોડ અંદાજાયો હતો જે આજે વધીને ૧૦ લાખ કરોડ થયો છે. સરકાર આટલો મોટો ખર્ચ વહન કરી શકે નહીં તેથી ખાનગી ક્ષેત્રનો પ્રવેશ થશે. મૂળ દેવાનું વરસે ૨૦થી ૨૫ હજાર કરોડ વ્યાજ થશે. યોજનાનો લાભ ૨૫ કે ૩૦ વરસે મળશે. ત્યાં સુધી સમસ્યા વકરશે અને ખર્ચ વધશે. પાણી રાજ્યનો વિષય છે. અને અનેક રાજ્યો વચ્ચે સહિયારાં પાણીનો વિવાદ પ્રવર્તે છે તેથી રાજ્યોની સંમતિ વિના યોજનાનો અમલ શક્ય નથી આંતરરાજ્ય અને કેટલીક આંતરરાષ્ટ્રીય (નેપાળ, બાંગ્લાદેશ, ભૂતાન) સંમતિની પણ આવશ્યકતા રહેશે.

કેટલાક નિષ્ણાતોના મતે આ પરિયોજના હાનિકારક જ નહીં વિનાશક પણ નીવડી શકે છે. કુદરત સાથેની આ રમત માણસજાતને મોંઘી પડી શકે છે. નદીઓની ભૂર્ગભીય સ્થિતિ, કાંપની માત્રા, નદીમાં જીવતી અને તેની પર આધારિત જીવસૃષ્ટિ અને પર્યાવરણીય અસરોને ધ્યાનમાં રાખ્યા વિના કે તેની ઉપેક્ષા કરીને અમલ કરતાં નુકસાન થઈ શકે છે. નદીઓનાં પાણીની દિશા નહેરો દ્વારા ફેરવવાનું ખતરનાક છે. નદીઓનાં વધારાનાં પાણીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે તેનો અને જે નદીમાં પૂરનું વધારાનું પાણી ઠાલવવાનું છે તે નદીમાં પણ પૂર આવેલું હોઈ શકે તેનો વિચાર થયો નથી. જળ સંસાધન સાથે સંકળાયેલ કોઈ પણ નિષ્ણાત પૂર નિયંત્રણ માટે નદી જોડાણનો વિચાર માન્ય રાખતા નથી. છેક ઉત્તરની નદીઓનું પાણી ઊચે ચઢાવીને દક્ષિણમાં લઈ જવામાં થનારો વીજળીનો વપરાશ અને મળનારા લાભની તુલના કરતાં ખોટ જ દેખાય છે. આવું હાલ હયાત બંધોનું પણ છે. ખુદ નીતિ આયોગનો અભ્યાસ સતલજ યમુના લિંક નહેરનો ફાયદો ન થયાનું જણાવે છે.

વિસ્થાપન, ભૂમિ અધિગ્રહણ અને વૃક્ષોનું છેદન પણ આ પરિયોજનાનું અગત્યનું વિચારણીય પાસું છે. કેન-બેતવા પરિયોજનામાં પન્ના જિલ્લાની ૫,૨૫૮ હેકટર વનભૂમિ સાથે ૯,૦૦૦ હેકટર જમીન ડૂબમાં જવાની છે. ૧૮થી ૨૧ લાખ વૃક્ષો કપાવાનાં છે. પાર-તાપી-નર્મદા લિંક યોજનાથી ૧૦ લાખ આદિવાસીઓ અસરગ્રસ્ત થવાની દહેશત છે. આ તો હિમશીલાનું ટોચકું જ છે.જ્યારે ત્રણ ડઝન જેટલી નદી જોડાણ પરિયોજનાઓ હાથ ધરાશે ત્યારે કેટલા મોટા પાયે જમીન, વૃક્ષો અને માનવીઓને સહન કરવાનું આવશે તેનો કોઈ અંદાજ આવી શકતો નથી.

વિકાસ યોજનાઓનો ભોગ ગરીબો અને આદિવાસીઓ બનતા રહે છે અને સમૃદ્ધ વર્ગ તેનો લાભ લઈ વધુ સમૃદ્ધ થાય છે આ વલણ આઝાદીના અમૃતકાળમાં પણ યથાવત્‌ છે તે ભારતીય લોકતંત્રની બલિહારી ગણાય. અમેરિકા સહિત દુનિયાના અન્ય દેશોને નદી જોડાણનાં માઠાં પરિણામો ભોગવવાં પડ્યાં છે. તે અનુભવો પણ આપણે લક્ષમાં લેવા જોઈએ.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...1,5361,5371,5381,539...1,5501,5601,570...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved