કાવ્યકૂકીઝ
'સીંગદાણાની નિકાસ કરો તો તેલ અહીં ઘટેને !'
'મોંઘવારીમાં લોકોનું તેલ નીકળે, એટલું વધે પણને !'
0
'મારું માનો તો ભ્રષ્ટાચાર રહેવા દો.'
'કેમ?'
'કાચોપોચો માણસ હશે તો પકડાઈ જશે.'
'આ તો આઇ.એ.એસ. છે. એને કૈં નહીં થાય.'
0
'અલ્યા, મારી પત્ની બદલાઈ ગઈ છે.'
'એવું કેવી રીતે બને?'
'સમૂહ લગ્નમાં લાઇટ ગઈ ત્યારે બન્યું.'
'ઓકે. પાછી લાઇટ જાય ત્યાં સુધી રાહ જો !'
0
'આખા જગતમાં મારા જેવી બીજી નહીં મળે.'
'મારા જેવો પણ બીજો નહીં હોય, નહીં તો એને મળી હોતને !'
0
'હું તો સાધારણ ડૉક્ટર છું. તમે મને ભગવાન ન કહો.'
'આ તો દર્દીને ભગવાનને ત્યાં મોકલો છો એટલે કહ્યું'
0
શિક્ષક : માણસને એપેન્ડિક્સ કેટલાં હોય?
વિદ્યાર્થી : ત્રણ
શિક્ષક : ડોબા, એપેન્ડિક્સ તો એક જ હોય.
વિદ્યાર્થી : પણ કાલે મારું ત્રીજી વારનું ઓપરેશન છે.'
0
'ડૉક્ટર. ઓપરેશન થાય તો હું બચી તો જઇશને?'
'બચી જાવ તો હું બચીશ કે કેમ તેની ચિંતા છે.'
0
પ્રેમી : તું કોફી તો પીશને?
પ્રેમિકા : હા.
પ્રેમી : તો મંગાવ. હું પાકીટ ભૂલી ગયો છું.'
0
'તમે રવિવારે ઓપરેશન નથી કરતા?'
'હું તો તહેવારોમાં પણ નથી કરતો.'
'એવું કેમ?'
'વાર તહેવારે દર્દીને ત્યાં શોક થાય તે સારું નહીંને !'
0
વહુ : તમને પથરીને બદલે પથરો થાય તો?
સાસુ : તને એના પર પછાડી પછાડીને ધોઉં.'
0
'દર્દી સારો થઈને જાય તો તેને હાર પહેરાવવાનું રાખો.'
'પણ સારો ન થયો તો?'
'સુખડનો હાર તો પહેરાવાય ને !'
0
'ભાભી, મારો મિત્ર નથી?'
'એ તો ડહાપણની દાઢ કઢાવવા ગયા છે.'
'ડહાપણ વગર પણ દાઢ હોય એ તો આજે જ જાણ્યું.'
000
('સંદેશ'ની મારી હાસ્યની બુધવારી કોલમ)
e.mail : ravindra21111946@gmail.com
![]()


જાણીતાં પબ્લિક ઇન્ટેલેક્ચૂઅલ યુવાલ નોઆહ હરારીના પુસ્તક ‘21વી સદી કે લિએ 21 સબક’ના પ્રસ્તાવનાનો આરંભિક ભાગ અહીં ટાંક્યો છે. યુવાલ નોઆહ હરારી વર્તમાન વિચારની દુનિયાને અતિક્રમી ગયા છે. તેમનાં વિચારો દુનિયામાં હવે પછી જે ચક્ર ગોઠવાઈ રહ્યું છે તે મૂકી આપે છે. ટેક્નોલોજી અને ઇન્ફોર્મેશનનો ધોધ આપણાં જીવન પર કેવી અસર કરશે તે ઠીક ઠીક રીતે બતાવી આપે છે. જે રીતે આપણી આસપાસનું વાતાવરણ ધૂંધળું બની ચૂક્યું છે અને તે સમજવા માટે સામાન્ય સમજણ આપણને કામ નથી આવતી ત્યારે યુવાલ નોઆહ હરારીનું આ પુસ્તક ઉપયોગી થાય એવું છે. સૌથી અગત્યની બાબત તો એ છે કે આ સદીથી જે શીખ આપણે લેવાની છે તેના પર જ પુસ્તક ફોકસ કર્યું છે.
આવી રહેલાં પરિવર્તનોથી માત્ર આપણી અર્થવ્યવસ્થા કે સમાજ જ નહીં બદલાય, બલકે તેની અસર આપણી શરીર અને મસ્તિષ્કની સંરચના પર પણ થશે. આ અંગે યુવાલ કહે છે : “ભૂતકાળમાં આપણે મનુષ્યો પોતાની બહારની દુનિયાને નિયંત્રિત કરવાનું શીખી ચૂક્યા હતા. પરંતુ આપણી અંદરની દુનિયા પર નિયંત્રણ ઓછું રહેતું. આપણને એવું તો આવડે છે કે ડેમ કેવી રીતે નિર્માણ કરી શકાય અથવા તો નદીના વહેણને કેવી રીતે રોકી શકાય. પરંતુ આપણે શરીરને વૃદ્ધ થવાથી અટકાવી શકતા નથી. આપણી કાનની આસપાસ જ્યારે કોઈ મચ્છર ગણગણે અને આપણી ઊંઘમાં ખલેલ પહોંચાડે ત્યારે તેને કેવી રીતે મારવો જોઈએ તે આપણને ખબર છે. પરંતુ કોઈ વિચાર આપણા દિમાગને ખલેલ પહોંચાડતો હોય તો તે આપણી રાતની ઉંઘ હરામ કરી દે છે. તો આપણામાંથી મોટા ભાગના લોકો એ નથી જાણતા કે તે વિચારને કેવી રીતે મારી શકાય.” આવી તો અસંખ્ય આંખ ઉઘાડનારી બાબતો યુવાલે આપણી સમક્ષ મૂકે છે. તેણે આ બધી બાબતો પર ખૂબ વિચાર કર્યો છે અને તેની સાથેનો વર્તમાન સંદર્ભ તેણે જોડ્યો છે જેથી તેના વિચારોને સહેલાઈથી સમજી શકાય છે. અને એટલે જ યુવાલ એક ઠેકાણે ટાંકે છે : “પરિવર્તન હંમેશાં તનાવપૂર્ણ હોય છે, અને એકવીસમી સદીની આરંભે ભાગમભાગ ભરી દુનિયામાં તનાવની વિશ્વસ્તરીય મહામારીને જન્મ આપ્યો છે.” આ બધું જ તેઓ રોજગાર સંદર્ભે ચર્ચામાં જણાવે છે. આ રોજગારી કેવી રીતે મશીન આધારિત થઈ રહી છે તે વિશે પોતાનો અનુભવ જ યુવાલ લખે છે કે, “જ્યારે હું પુસ્તક પ્રકાશિત કરું છું ત્યાર પ્રકાશકો તેનો સંક્ષિપ્ત વિવરણ લખવાનો આગ્રહ કરે છે અને તેમાં એ પ્રકારના શબ્દોનો આગ્રહ રાખે છે જે શબ્દોને ગૂગલ અલ્ગોરિથમમાં વધુ મહત્ત્વ મળતું હોય. આ પ્રકારનું એલ્ગોરિથમથી આપણે મનુષ્યોની પરવા કરવાનું છોડી શકીએ છીએ.” આમ અનેક આશ્ચર્યકારક લાગે તેવી ઘટનાઓ, વિચારો અને માહિતીથી યુવાલ હરારીએ વર્તમાન દુનિયાનું એક ચિત્ર આલેખી આપ્યું છે. તેના પર ચાલીએ તો આપણે થોડા હળવા રહીએ અને દુનિયાને પણ હળવાશથી લઈ શકીએ.
એ સાચું છે કે જન્મતાંની સાથે જ બાળકને, પોતાનું નામ મળે કે ન મળે, પણ પિતાનું નામ તો મળી જ જાય છે. સંતાનનું નામ મોડું વહેલું પડે, પણ પિતાનું નામ તો તરત જ વળગી જાય છે. જન્મ વખતે માતાનું નામ પણ નોંધાતું હશે, પણ પછી એ નામ ગૌણ થતું જાય છે ને સંતાન સાથે પિતાનું નામ જ બધે લેવાતું-પુછાતું રહે છે. એમાં જો છોકરી હોય તો લગ્ન સુધી તેની પાછળ પિતાનું નામ લાગે છે, પણ જેવી તે પરણે છે કે પિતાનું નામ ને અટક બંને ખસે છે ને તેને સ્થાને પતિનું નામ તથા તેની અટક તેનાં નામની પાછળ આવીને ગોઠવાઈ જાય છે. આ બધું પરંપરાગત રીતે ચાલ્યું આવે છે. એ ખરું કે પુત્રની સાથે પિતાનું નામ છેવટ સુધી જોડાયેલું રહે છે. કેટલાક કિસ્સાઓમાં પુત્ર પોતાનું નામ બદલે છે, પણ પિતાનું નામ છોડતો નથી. એવું પણ બને છે કે પુત્ર, પિતાનું નામ ચોક્કસ સ્ટેટસમાં ન મૂકતો હોય, પણ જ્યાં પણ માહિતી આપવાની ફરજ પુત્રને પડે છે, પિતાનું નામ જ દેવાય-લેવાય છે. એવું પુત્રીની બાબતમાં નથી. તે પરણે ત્યાં સુધી પિતાનું નામ ચાલે છે ને તે પછી તેની ઓળખ પતિનાં નામ સાથે જોડાવાથી બદલાય છે. પરણતાંની સાથે તેનું સરનામું તો બદલાય જ છે, તેની ઓળખ પણ બદલાય છે. તે પિતાની પુત્રી હતી, લગ્ન પછી તે પતિની પત્ની બની રહે છે.