Opinion Magazine
Number of visits: 9569867
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નાટક ‘बस, घर ही तो जाना है ’ : સ્થળાંતરિત શ્રમજીવીઓનું યાતનાસત્ર

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|20 May 2022

ગયા રવિવારે જોયેલું ‘બસ, ઘર હી તો જાના હૈ’ ઉદાસ બનાવી દેનારો અનુભવ હતો.

સ્વકેન્દ્રી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રભુત્વ હેઠળની કેન્દ્ર સરકારે કોવિડ દરમિયાન આપખુદ અને અવિચારી રીતે આખા દેશ પર ક્રૂર અને લાંબું લૉકડાઉન લાદ્યું. તેને કારણે દેશના લાખો શ્રમજીવીઓને ભૂખમરાથી બચવા માટે શહેરોમાંથી તેમના વતન ચાલી જવાની ફરજ પડી. હજારો કિલોમીટર ચાલીને સ્થળાંતર કરનાર શ્રમજીવીઓનો migrant labourersનો યાતનાલોક ‘બસ ઘર હી તો જાના હૈ’  નાટકનો વિષય છે.

શ્રમજીવીઓએ પગે ચાલીને કે સાયકલ પર માઇલોના માઇલો ખૂંદ્યા, તેમને અમાનવીય શારીરિક શ્રમ, ભૂખ, તરસ, પોલીસનો ત્રાસ વેઠવાં પડ્યાં. તેમાંથી કેટલાક માણસો ભૂખ, થાક કે અકસ્માતથી રસ્તે મરી ગયા.

સ્થળાંતરિત શ્રમજીવીઓના સેંકડો દર્દનાક કિસ્સા છે, જેમાંથી હાથમાંના મોબાઇલમાં ટેલિવિઝનમાંના રામાયણ-મહાભારતમાં અને મશગૂલ દેશે બહુ ઓછા જાણ્યા છે. 

સ્થાળાંતરિત શ્રમિકોની આ દુર્દશા યુવા લેખક આદિત્ય ત્રિવેદીને સ્પર્શી ગઈ. તેમણે સંવેદન અને સમજ સાથે આ નાટક લખ્યું. તેના પડકારજનક મંચનનું સૂઝથી દિગ્દર્શન પણ તેમણે જ કર્યું છે. આ સવા કલાકનું નાટક ‘બસ ઘર હી તો જાના હૈ’ વીસ કલાકારો અને કસબીઓની ‘ઇન્ડિ પ્રોડક્શન’ મંડળીએ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં ત્રણ અલગ અલગ પ્રયોગો તરીકે રવિવારે સાંજે સાતથી અગિયાર કલાક દરમિયાન ભજવ્યું. ખુદ નાટક ઉપરાંત તેની આવી ભજવણી પણ અનેક દૃષ્ટિએ નોંધપાત્ર કહેવાય. બિનવ્યાવસાયિક રંગભૂમિના એક સ્થાન તરીકે વિકસી રહેલા ‘પ્રયોગશાલા’ના મંચ પર આ નાટકના અત્યાર સુધી કુલ નવ પ્રયોગો થયા છે.

નાટકમાં યુવાન દીકરી જ્યોતિ (કલાકાર ચાર્મી ઘેલૈયા) અને ઘરડા પિતા દિવ્યનાથ પાંડે (અમીત અગ્રવાલ) છે. બંગલુરુમાં ઘરઘાટી તરીકે પેટિયું રળતી દીકરી પિતાને બાવીસો કિલોમીટર પર બિહારમાં આવેલાં તેમના વતન સમસ્તીપુર ગામે સાયકલ પર બેસાડીને નીકળી છે. લૉકડાઉનની ઘરબંધીના એકાંતને કારણે દિવ્યનાથ માનસિક સંતુલન ગુમાવી બેઠા છે. રોજેરોજ વતન તરફ ડગ માંડતા  સંખ્યાબંધ મહેનતકશોને જોતાં તેમને પોતાની પાંચ વર્ષની ઉંમરે જોયેલાં ભારત-પાકિસ્તાનના ભાગલા યાદ આવે છે. તે આઝાદીની લડત વખતના ભારતમાં જીવતાં હોવાની ભ્રમણામાં સરી પડે છે અને ‘સારે જહાં સે અચ્છા’ કે ‘સરફરોશી કી  તમન્ના’ જેવાં ગીતો ગાયાં કરે છે.આ માર્મિક પાત્રનું સર્જન લેખકનો એક ફાઇન સ્ટ્રોક છે. બધાં સ્થળાંતરિત શ્રમજીવીઓ જે યાતનાસત્રમાંથી પસાર થયા તે લેખકે જ્યોતિનાં વીતક દ્વારા બતાવ્યું છે. બાપ-દીકરીને સમાંતરે છે મુંબઈની એક ખોલીમાં રહેતો  રોજમદાર લક્ષ્મણપ્રસાદ (રિષભ શુક્લા). તે બે હજાર કિલોમીટર ચાલીને વતન દરભંગા જવા નીકળ્યો છે, તેના ઘરે તેની પત્ની છે. આ મજેદાર યુવાન દરરોજની ડાયરી લખે છે, કવિતા પણ લખે છે. માઇગ્રન્ટસ માટેની આસ્થા સાથે રસ્તા પર સ્ટોરી કરવા નીકળેલો એક ચૅનલ-પત્રકાર ઓમપ્રકાશ (તુષાર શર્મા) લક્ષ્મણને લઈને લાઇવ ટેલિકાસ્ટ પણ કરે છે.એ પત્રકારની પીડાની એક વાત છે, તેમ જ લક્ષ્મણપ્રસાદને ભાડુઆત તરીકે ઘરમાંથી કાઢી મૂકનારા તેના મિત્ર જેવા મકાનમાલિક પંચાલભાઈ(નરેન્દ્ર સિંગ)ની મજબૂરીની પણ બીજી વાત છે. જ્યોતિની કહાણી સાંભળીને મનમાં રામ જાગતા મદદ કરનારો આમ તો લાંચિયો જુલમી પોલીસ ચૌબેજી (અનુજ પુરાણી) છે, અને હિજરતી  મહેનતકશોને  હાઇવે પરના પોતાના ધાબા પર પૈસા લીધા વિના જમાડનાર, આશરો આપનાર દિલદાર સરદારજી પિન્ટુ પાજી (ક્ષિતિજ કપૂર) પણ છે.

નાટક માઇગ્રન્ટ લેબરર્સ સાથે સંકળાયેલી અન્ય કેટલીક બાબતોને સંવાદો કે વાર્તાના ભાગ તરીકે  આવરી લે છે. જેમ કે બેકારી, પોલીસ, શાસકો, ભ્રષ્ટાચાર, પત્રકારિતા. શ્રમજીવીઓની સખત રિબામણી, જિદ, આશા, હિમ્મત અને હતાશાને પણ લેખક-દિગ્દર્શકે મોટે ભાગે એક કે બે પાત્રોના દૃશ્યોમાં વણી લીધાં છે. લેખક પીડાના પ્રસંગમાં પણ ક્યારેક સરળ હાસ્ય કે ક્યારેક બ્લૅક હ્યૂમર જગવે છે.

‘પ્રયોગશાળા’ના મર્યાદિત મંચઅવકાશમાં પણ દિગ્દર્શક સ્થળાંતરની તસવીર સૂઝથી ઊભી કરી છે. લગભગ દરેક દૃશ્યપલટાની વચ્ચે સ્ટેજના કે છેડેથી બીજા છેડે જતા ચાર થાક્યાપાક્યા શ્રમજીવીઓ (ઉમેશ, જિજ્ઞેશ, માનવ અને ફુરકન જે બધા નેપથ્યે પણ છે), પિતાને સાયકલ બેસાડીને જતી છોકરીની દૃશ્યરચના, પ્રકાશ આયોજન (રાહુલ અને માનવ) અને સંગીત( પ્રતીક સોલંકી)ના સુમેળથી એક માહોલ સર્જાય છે, જળવાય છે. શહેરી શ્રમિકોના વતનઝુરાપાનો ભાવ લગભગ આખા નાટકમાં જાગતો રહે તે એક  સફળતા છે.

બધાં જ કલાકારોએ પોતાની ભૂમિકા ભજવવામાં મહેનત કરી છે. પણ કેટલાંક તેમને ભાગે આવેલાં પાત્ર અને તેમની પોતાની આંતરિક ક્ષમતાને કારણે વધુ ધ્યાન ખેંચે એ સ્વાભાવિક છે.

માઇલસ્ટોન, સાયકલ, વજનદાર થેલા, ડાયરી, કાપડની બે નાની દીવાલો જેવી પ્રૉપ્સનો નોંધપાત્ર ઉપયોગ અને એકંદર મંચસજ્જા(નિશ્મા)નો નાટ્યનિર્માણની ગુણવત્તામાં મોટો ફાળો છે.

અચાનક જાહેર કરવામાં આવેલ અવિચારી, લાંબા અને જડ લૉકડાઉનને કારણે માઇગ્રન્ટ લેબરર્સની આઝાદ ભારતમાં ક્યારે ય ન થઈ હોય તેવી દુર્દશા થઈ. પણ આ સ્થળાંતરની શોકાંતિકા તેના મૅગ્નિટ્યૂડના પ્રમાણમાં તો આપણી સરકારો અને આપણા સમાજને સ્પર્શી જ નથી એમ કહેવાનું થાય.

જૂજ અપવાદો બાદ કરતાં મોટા ભાગનાં માધ્યમો અને સર્જકો પણ આ સંવેદનહીનાતામાંથી બાકાત નથી.

આવા માહોલમાં ગુજરાતમાં આદિત્યએ સર્જેલું નાટક, અને તેને સારી રીતે તખ્તા પર મૂકનાર નાટ્યવૃંદ  ઘણાં ધન્યવાદને પાત્ર છે. તેમણે જાણકારોની પાસેથી આ નાટકની મર્યાદાઓને સમજી, નાટકને જરૂરિયાત  મુજબ મઠારીને  તેનાં ઘણાં  પ્રયોગો રાજ્ય અને દેશમાં લઈ જવા જોઈએ.

19 મે 2022

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

एक शब्द !

कुमार प्रशांत|Opinion - Opinion|20 May 2022

मैं पढ़ रहा हूं कि राजीव गांधी की हत्या के अपराधियों में से एक ए.जी. पेरारिवालन की मां अरपुथ्थम अम्माल को एक शब्द की तलाश है ! एक ऐसा शब्द कि जिससे वे उन सबका आभार व्यक्त कर सकें जिन सबने उनके बेटे की 31 साल लंबी कैद के दौरान उन्हें भरोसा, साहस, समर्थन अौर साधन दिए. 75 साल की मां अम्माल को किसी भाषा में वह एक शब्द नहीं मिला कि जिससे वे आभार की अपनी भावना को परिपूर्णता से प्रेषित कर सकें : “ एक ऐसे सामान्य व्यक्ति के समर्थन में खड़ा होने के लिए, जिसकी कोई खास पृष्ठभूमि नहीं है, न्याय के प्रति आपका गहरा जुड़ाव जरूरी है. जिस आदमी से वे लोग कभी मिले ही नहीं, कभी न देखा न बातें कीं, उसके लिए समय और शक्ति लगाना बताता है कि उनके मन में कितना प्यार व अपनापन भरा है… मैं उन एक-एक आदमियों तक पहुंच कर, उनका हाथ पकड़ कर अपना आभार व नमन बोलना चाहती हूं जिन्होंने 31 साल लंबे मेरे संघर्ष के विभिन्न मोड़ों पर मेरा साथ दिया. यह करके भी मैं उस ऋण से उऋण नहीं हो सकती. बस एक ही शब्द है मेरे पास जिसे खुशी, प्यार व सम्मान के आंसुओं से भरी आंखों से मैं कह सकती हूं : आभार !” 75 साल की आयु-जर्जर और 31 साल की कानूनी जंग में अपने अस्तित्व की बूंद-बूंद जला कर क्षत-विक्षत हुई अम्माल अपने होने का ओर-छोर संभालती, 50 साल के अपने बेटे पेरारिवालन की बांह पर निढाल होती हुई कह सकीं… 

अम्माल की तरह मैं भी इस पूरे विवरण को एक शब्द में व्यक्त करने के लिए एक उपयुक्त शब्द खोजता रहा और अंतत: मिला वही एक शब्द मुझे : मां !! मां के अलावा ऐसा कौन हो सकता है ? 

हमारे सर्वोच्च न्यायालय को भी कोई एक शब्द नहीं मिला कि जिससे वे बता पाते कि भारत के पूर्व प्रधानमंत्री राजीव गांधी की हत्या के सिद्ध मामले में फांसी की सजा पाए पेरारिवालन को सजा और कैद से मुक्ति देते हुए वे हमारे संवैधानिक न्याय की किस धारा का पालन कर रहे हैं. न्यायमूर्ति नागेश्वर राव, बी.आर. गवई और ए.एस.बोपन्ना की पीठ ने कहा : “ संविधान की धारा 142 के अंतर्गत मिले अपने विशेषाधिकार का इस्तेमाल करते हुए हम यह निर्देश देते हैं कि हमारी नजर में वादी ने अपने अपराध की सजा पा ली है. वादी, जो पहले से ही जमानत पर है, तक्षण से ही आजाद किया जाता है. जमानत की उसकी अर्जी भी अभी से निरस्त होती है.”

इतना आदेश देने के साथ ही पीठ ने कई बातें साफ कीं, मसलन तमिलनाड मंत्रिमंडल का ऐसा प्रस्ताव करना कि राजीव गांधी के हत्यारे की सजा माफ की जाए, कि ऐसे प्रस्ताव के ढाई साल बाद तमिलनाड के राज्यपाल का उस प्रस्ताव को राष्ट्रपति की स्वीकृति के लिए भेजना किसी भी दृष्टि से संवैधानिक नहीं है. उसने यह भी कहा कि केंद्र सरकार की इस दलील का कोई संवैधानिक आधार नहीं है कि 2014 के सर्वोच्च न्यायालय के ( भारत सरकार बनाम श्रीहरन) निर्देश के मुताबिक ‘वैध सरकार’ को मतलब केंद्र सरकार को ऐसे मामलों में अंतिम निर्णय का अधिकार है. पीठ ने यह भी साफ किया कि धारा 161 के अंतर्गत राज्यपाल को सजा माफ करने, राहत देने, स्थगित करने या पुनर्विचार करने का जो अधिकार है वह अधिकार न्यायिक समीक्षा के दायरे से बाहर नहीं है. पीठ ने इस मामले को राज्यपाल के पास पुनर्विचार के लिए भेजने से भी इंकार कर दिया.

पेरारिवालन को राजीव गांधी हत्याकांड में सीधा लिप्त पाया गया था और लंबे मुकदमे के बाद टाडा अदालत मे 28 जून 1998 को 26 अभियुक्तों को मौत की सजा सुनाई थी जिनमें पेरारिवालन भी थे. 11 मई 1999 को सर्वोच्च न्यायालय ने पेरारिवालन समेत चार अभियुक्तों की मौत की सजा को स्वीकृति दी थी. अगस्त 2011में मद्रास उच्च न्यायालय ने फांसी पर रोक लगा दी. यहां से मां अम्माल ने बेटे को बचाने की वह मुहीम छेड़ी जो 24 साल बाद सफल हुई. अपनी साड़ी पर “ फांसी की सजा खत्म करो” का आह्वान लिख कर अम्माल देश भर की जेलों, अदालतों का चक्कर काटती रहीं और सबकी अंतरात्मा पर चोट करती रहीं.

पेरारिवालन को भी कहने को वह शब्द नहीं मिल रहा था जिससे वे अपना मन खोल सकें. उन्होंने कहा : “अपने जीवन व न्याय के लिए मेरे पास मेरी मां ही एकमात्र आधार थी.” पेरारिवालन ने भी कहा कि फांसी की सजा पर कानूनन रोक लगनी चाहिए. जरूर ही लगनी चाहिए, क्योंकि मैं उन लोगों में हूं जो हमेशा से मानते हैं कि फांसी मनुष्य की सारी संभावनाओं को समाप्त कर देने वाला एक असभ्य चलन है. मेरे लिए इस प्रावधान की समाप्ति का समर्थन करना एकदम सहज व तर्कसंगत है. मैं जानता हूं कि बाजदफा मनुष्य ऐसे अपराध करता है जिसके बाद उसका जीना घृणित हो जाता है. जब हम पाते हैं कि अपने अमानुषिक कृत्य के लिए उसके लिए मन में पश्चाताप का कोई भाव भी नहीं जागता है तो लगता है कि इससे जीने का अधिकार छीन लेना चाहिए. लेकिन मैं यह भी जानता हूं कि इसके बाद भी मनुष्य में सुधार व बदलाव की संभावना को खत्म करना अमानवीय है, और इससे मानवीय अपराध-शास्त्र में कोई नया आयाम जुड़ता नहीं है. पेरारिवालन स्वंय इसके उदाहरण हैं. 19 साल की उम्र में हत्या के अपराधी के रूप में अपनी गिरफ्तारी के बाद से अपने अच्छे व्यवहार, चाल-चलन के कारण, लगातार पढ़ाई में आगे बढ़ते जाने के कारण ही उनके मामले पर अदालत ने अलग से विचार किया. लेकिन पेरारिवालन से मैं पूछना यह चाहता हूं कि भाई मेरे, यदि तुम फांसी की सजा खत्म करवाना चाहते हो तो क्या हत्या का अधिकार बरकार रखना चाहते हो ? कानून को किसी की जान लेने का हक न हो तो क्या व्यक्ति को किसी की जान लेने का हक होना चाहिए ? जान बम से लो या कानून से, मान्यता तो यही मजबूत होती है न कि जान लेना गलत नहीं है फिर वह जान राजीव गांधी की हो या पेरारिवालन की. दोहरा मानदंड कैसे चल सकता है ?

पेरारिवालन की माफी व मां अम्माल की भावनात्मक अभिव्यक्ति की इस पूरी कहानी में मैं भी एक शब्द ही तो खोजता रहा ! तमिलनाड के श्रीपेरंबदूर में 21 मई 1991 को जिस राजीव गांधी की जघन्य हत्या पेरारिवालन व उनके साथियों ने की, वे राजीव भारत के पूर्व प्रधानमंत्री भर नहीं थे बल्कि एक भरे-पूरे परिवार के पिता-पति व जीवन-केंद्र थे. उस हत्या ने पूरे परिवार को सन्निपात में झोंक दिया ! वे उससे कैसे उबरे, कैसे जीवन का एक मकसद व रास्ता खोजा उन सबने वह सब अलग कहानी है. लेकिन एक सच्ची कहानी यह भी तो है कि राजीव गांधी परिवार ने खुद को इस तरह व इतना संभाला कि हत्यारों की इस पूरी टोली को अपनी तरफ से माफ कर दिया. किशोरी प्रियंका ने तब जेल में जा कर हत्या की दोषी नलिनी से मुलाकात की थी और परिवार की तरफ से उसे माफी के प्रति आश्वस्त किया था. पूरे परिवार के अपने पति-पिता के हत्यारों के प्रति अपना भाव फिर कभी नहीं बदला. जो बीत गया, उनके लिए बीत गया. क्या उस हत्या के लिए, उस परिवार के लिए 31 साल के लंबे उतार-चढ़ाव को देखने-भोगने के बाद भी मां-बेटे के पास एक शब्द नहीं है ? यह उनके किसी आंतरिक विकास का प्रमाण नहीं देता है. इस कहानी में एक शब्द छूट रहा है. अम्माल को या पेरारिवालन को यदि खोजे भी वह शब्द न मिल रहा हो तो मैं उनकी मदद करता हूं. वे आसमान की तरफ हाथ उठाएं व उस अदृश्य से कहें : “ माफी ! … अपने कृत्य के लिए हमें अफसोस है.”

इस एक शब्द के बिना यह कहानी अधूरी व मलिन ही रह जाती है.

(19.05.2022)

मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें – https://kumarprashantg.blogspot.com

Loading

મન્તવ્ય-જ્યોત—6

સુમન શાહ|Opinion - Opinion|19 May 2022

જ્યોત ૬ : સાહિત્યસૃષ્ટિ ૩ ઉપખણ્ડ ધરાવે છે :

એમ મનાયું છે કે પૃથ્વી ૭ ઉપખણ્ડ ધરાવે છે : આફ્રિકા. ઍન્ટાર્કટિકા, એશિયા, ઑસ્ટ્રેલિયા / ઓસનિયા, યુરપ, નૉર્થ અમેરિકા, અને સાઉથ અમેરિકા.

ઘડીભર કલ્પી લો કે સાહિત્યસૃષ્ટિ પૃથ્વી છે. કહેવાયું છે કે સાહિત્યસૃષ્ટિ પણ ઉપખણ્ડ ધરાવે છે; એ ત્રણ છે : ઊર્મિ-કવિતા, કથન-કવિતા, અને નાટ્ય-કવિતા. અંગ્રેજીમાં કહેવું હોય તો, લિરિકલ અથવા લિરિક પોએટ્રી, નૅરેટિવ પોએટ્રી, અને ડ્રામેટિક પોએટ્રી.

અહીં ‘કવિતા’ અને ‘પોએટ્રી’ શબ્દોનો અર્થ ‘સાહિત્ય’ એમ લેવાનો છે.

આપણે માણસો સવારથી રાત સુધીમાં અનેક પ્રકારની ઊર્મિઓ અનુભવતા હોઈએ છીએ. બપોરે કે સાંજે કોઈ કોઈ ઊર્મિની એકબીજા આગળ કથાઓ, ઉપકથાઓ કે અમસ્તાં કથન કરીએ છીએ. અને કોઈ કોઈ ઊર્મિનું આપણી રાતોમાં નાટક ભજવાતું હોય છે – કૉમિક કે ટ્રેજિક.

માણસોનું એથી જુદું કશું જીવન નથી હોતું, અને સાહિત્યકલાના સર્જકો પોતાની આગવી રીતે એની જ વાત કરતા હોય છે.

પહેલા ઉપખણ્ડના સાહિત્યમાં, કેન્દ્રવર્તી હોય છે ઊર્મિ અને તે મનુષ્યના ભાવજગત સુધી વિકસતી હોય. બીજામાં, કથા અને તે વસ્તુજગત લગી વિસ્તરતી હોય. ત્રીજામાં, નાટ્ય અને નાટ્યમાં ભાવજગત અને વસ્તુજગત બરાબ્બર ગૂંચવાયાં હોય.

અલબત્ત, દરેક ઉપખણ્ડના સાહિત્યમાં, અન્યનાં વત્તાઓછાં તત્ત્વ નથી ભળ્યાં હોતાં એમ નથી.

સર્જકો ઊર્મિ, કથા અને નાટ્યકેન્દ્રી કૃતિઓ સરજે છે ત્યારે મનુષ્યના વિભાવાદિ ભાવસમૂહને એવી પ્રક્રિયા વડે સંયોજે છે કે એ સંયોગથી – એ ‘સંયોગાત્’ – ભરત મુનિકથિત રસનિષ્પત્તિ થાય છે. ફૉર્માલિસ્ટ થિન્કરો એ જ પ્રક્રિયાને ફૉર્મ કહે છે. ફૉર્મ વડે પણ રસનિષ્પત્તિ જ થાય છે. સુરેશ જોષી સમેતના સૌ સમજદારોએ વરસો પૂર્વે એ પ્રક્રિયાને ‘રૂપનિર્મિતિની પ્રક્રિયા’ કહી છે. સાર તારવ્યો છે કે ફૉર્મ અથવા આકાર એક પ્રક્રિયા છે, સર્જનની પ્રક્રિયા છે, અને અવર નામે તે રસનિષ્પત્તિની પ્રક્રિયા છે.

આ મન્તવ્યવ-જ્યોતમાં સવિશેષે નૉંધપાત્ર મુદ્દો આ છે : સામાન્યપણે એમ કલ્પવામાં આવ્યું છે કે ઊર્મિશીલ સાહિત્ય પદ્યમાં હોય છે. એ જ રીતે, કથા કે નાટ્ય ગદ્યમાં હોય છે એમ કલ્પવામાં આવ્યું છે. આમ તો એ સાચું છે. તેમ છતાં, ઊર્મિશીલ પણ ગદ્યમાં હોઇ શકે છે, કથા અને નાટ્ય પણ પદ્યમાં હોઇ શકે છે. બધું સંમિશ્ર પણ હોઇ શકે છે.

કેમ કે, વિવિધ અને સાત સાત ઉપખણ્ડ ખરા પણ તેમ છતાં જેમ પૃથ્વી અખિલ છે તેમ સાહિત્યસૃષ્ટિ પણ અખિલ છે.

જેમ કે, આ દૃષ્ટાન્તો પરખો :

આટલી મોટી “કાદમ્બરી” બાણે ગદ્યમાં સરજી છે છતાં એમની વર્ણનકલા કવિતામાં હોય એવી છે – એનું દૃષ્ટાન્ત છે, ઘડીએ ને પલકે આવતાં કાવ્યસદૃશ કલ્પનો અને એથી સરજાતો દૃશ્ય શ્રાવ્ય ઘ્રાણ્ય આસ્વાદ્ય કે સ્પર્શ્ય ઇન્દ્રિયપ્રત્યક્ષોનો આલોક. "કાદમ્બરી"-ને 'ગદ્યકાવ્ય' ગણનારાઓએ એ આલોક-દૃષ્ટાન્તને ખાસ આગળ કરવું જોઈએ.

“ધ ગ્રેટ ગૅટ્સ્બી” ફિત્ઝરાલ્ડકૃત કરુણાન્ત નવલકથાનું ગદ્ય ઊર્મિશીલ છે, પણ એમાં મુકાયેલો અન્તસૂચક ભાગ બ્લૅન્ક વર્સમાં છે.

કોઇ પણ બૅલેડમાં કથા હોય છે, પરન્તુ વિલિયમ વર્ડ્ઝવર્થે “લિરિકલ બૅલેડ્સ” લખ્યાં છે. વિનોદ જોશીએ શિખણ્ડીની કથાનું દીર્ઘકાવ્ય રચ્યું છે અને દ્રૌપદી-સૈરન્ધ્રીની કથાનું ચૉપાઇ-દોહરામાં પ્રબન્ધકાવ્ય સરજ્યું છે.

ટી.ઍસ. એલિયટે પાંચ પદ્યનાટકો લખ્યાં છે, એમાંનાં ત્રણ તો પદ્યનાટકનાં ઉત્તમ દૃષ્ટાન્તો છે : “મર્ડર ઇન ધ કૅથેડ્રલ”. “ફૅમિલિ રીયુનિયન”. “ધ કૉકટેઇલ પાર્ટી”. ઉમાશંકર-કૃત “મહાપ્રસ્થાન” જરૂર યાદ આવે. (પદ્યનાટકના આપણા પ્રયાસો વિશે મેં વરસો પર ‘બ્યુટિફુલ આ પદ્યનાટક’ લેખ કરેલો, મારા કયા પુસ્તકમાં સંઘર્યો છે, યાદ નથી આવતું.)

આપણા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની રચનાઓ મોટેભાગે પદ્યમાં છે, પણ માણિક્યસુંદર-રચિત “પૃથ્વીચંદ્રચરિત” ગદ્યમાં છે. કહેવાય છે કે મધ્યકાલીન સાહિત્યમાં, એ એકમાત્ર કૃતિ ગદ્યમાં છે.

સમકાલીન ગુજરાતી સાહિત્યમાં, પદો, ગીતો, સૉનેટ્સ, ખણ્ડકાવ્યો, પદ્યનાટકો, એકાંકી કે અનેકાંકી નાટકો, અ-પૂર્વ લાગે એવી નવલકથાઓ, જીવનકથાઓ કે આત્મકથાઓ નથી.

ઊર્મિ, કથા કે નાટ્ય – એ એકેય ઉપખણ્ડ પર સમકાલીનો નાનું ગામડું ય ઊભું કરી શક્યા નથી.

કીડીને શું જ્ઞાન કે પૃથ્વી કેટલી મોટી છે !

પૂછવું જોઈએ કે સમકાલીન ગુજરાતી સાહિત્યકારો ગદ્યના તેમ જ પદ્યના કેટલા અને કયા સાહિત્યપ્રકારોમાં લખે છે -? ગણવા બેસીશું તો એક આંગળીનાં વેઢાં પણ વધારે લાગશે.

= = =

(May 19, 2022: USA)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,4811,4821,4831,484...1,4901,5001,510...

Search by

Opinion

  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320
  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved