શબ્દો ગઝલનાં અક્ષરોમાં હું ઉતારી જાણું,
જીવનના વમળોને મુક્તિ ઘાટે વહાવી જાણું.
જીવન સ્વપ્ન છે એ જ જૂની ખુવારી પરંતુ,
આંખો વચ્ચે એક દુનિયા નવી વસાવી જાણું.
અશ્રુ જાણે કે આકાશથી ખર્યો એક તારો,
જિંદગી એક ડમરી ધૂળ વ્યથા ઊરની જાણું.
રૂદન આદિકાળથી મોજાં તણું નથી કિનારો,
જીવન આંધી ક્ષમા ઉઠાવી ટમટમાવી જાણું,
કાળજું કોરી રહ્યા શબ્દ જિંદગી આઝાદ થઈ,
માટીમાં મળી વમળમાં જીવતાં શીખાવી જાણું.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()


ગીતાંજલિ શ્રી કૃત ‘રેત સમાધિ’ નવલકથાને બુકર પારિતોષિક મળ્યું એ કેવળ હિંદીજગત માટે જ નહીં ભારતીય સાહિત્ય સમસ્ત માટે ગૌરવપ્રદ ઘટના છે, અને સવિશેષ એક અર્થમાં ગુજરાત માટે પણ.