તું જ કહે કે કેવી રીતે દૂરથી તુજને વ્હાલ કરું,
મારી બાથમાં ગુંથાય ત્યારે પ્રેમ ઊભો થાય !
આ સૃષ્ટિ છે ના સાંકળી એમાં મળી બે ઘડી,
પ્રિયાને આલિંગું મુજ હ્રદયને જો પ્રિય દેખાય!
નથી જો સૌંદર્ય દેખાતું તો એ દોષ દૃષ્ટિનો !
છબી તુજ નીરમાં લ્હેરે લ્હેર વહેતી જાય !
ગુલાબી ગાલે નવીન સ્મિત મીઠું ફરકતું !
આંખ રતુંબડી ખુશનુમાં નયન ભીનાં દેખાય!
બધું ઊલ્લેખવાની છે છૂટ કિંતુ ઈશારામાં !
ટપકતાં દિલનો અન્દાજ અંતર તણો ન કરાય!
ઈશ્કનો તુજ બુખાર હવે જશે કયાં સુધી ?
શ્વાસ નાદ બિંદુની નિકટ શ્વાસોમાં ધડકાય !
આકાશ વાયુ પૃથ્વી આ પાણી અને પ્રકાશ,
પંચતત્ત્વે રંગે અમૃત સાગર પ્રેમનો છલકાય !
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()


દેશની આઝાદી સમયે જે કંઈ લખાયું તેમાં સૌથી વધુ આલેખાયેલી ઘટનાઓ વિભાજન દરમિયાનની છે. એશિયાના દક્ષિણ ઉપખંડના એક મોટા દેશના જ્યારે ભાગલા થયા ત્યારે તેમાં લાખો લોકોના ઘરો ઉજળ્યાં; લાખો પરિવારોએ સ્થળાંતર કરવું પડ્યું અને નિરાશ્રિતોની જેમ વર્ષો સુધી રહેવું પડ્યું. વિભાજનની પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યાં સુધી બંને દેશોમાં થયેલાં રમખાણોમાં દસ લાખથી વધુ લોકો હોમાઈ ચૂક્યા હતા. આ દર્દનાક ઘટનાની પીડા આજે પણ પંજાબ, બંગાળના અનેક પરિવારો ભૂલી શક્યા નથી. વિભાજનની ત્રાસદી વચ્ચે એક ગુજરાતી બહેને પોતાના જીવના જોખમે પાકિસ્તાનમાં જઈને કામ કર્યું અને ત્યાર પછી તેમનાં આ અનુભવને તેમણે શબ્દબદ્ધ કર્યો. તે બહેનનું નામ કમળાબહેન પટેલ અને તેમનો અનુભવ જે પુસ્તમાં શબ્દબદ્ધ થયો એટલે ‘મૂળ સોતાં ઊખડેલાં’. આશ્ચર્ય થાય પણ કમળાબહેને પાકિસ્તાનમાં રહીને હિંદુ અને પંજાબી બહેનોને ભારત લાવવાનું કામ કર્યું, તેમના આ કાર્યમાં તેમનું માર્ગદર્શન કરનારાં અને હિંમત બાંધનારાં મૃદુલા સારાભાઈ હતાં. આ બંને બહેનોના અંતર્ગત થયેલું આ કાર્ય અતિશય કપરું અને જોખમી હતું, પણ તેનાથી હજારો બહેનોનાં જીવન બચાવી શકાયાં અને તેઓને વતન લાવી શકાઈ.