મૌનમાં સ્થિર મર્મસ્થાને ખુદ કેન્દ્રમાં જડી જાય,
બધી વાણી ડહાપણની જ્યારે જ્યારે શમી જાય.
એક મીંડું અંદર બેઠું છે તગ તગ તાગી રહ્યું,
ચિત્તતંત્ર અનોખી દુનિયાનો મુખ પ્રેક્ષક બની જાય.
ઊંડે .. ઓર .. ઊંડે .. આ વમળમાં ઉતરતા જ,
મનની અંદર પળમાં *હું પણાને મારું* શમી જાય.
એક કોમળ કળી પર ઝાકળ ને અંદર ગેબી નાદ,
પરમ આનંદની અનુભૂતિ પળ ભરમાં થઈ જાય.
અહમના વળ જ્યારે જ્યારે બ્લેક હોલમાં ડૂબે,
સકળ બ્રહ્માંડમાં ખુદને મળી માણસ તરતો જાય.
લાંબી સફર છે જીવન યાત્રા તો શેની સકળ ડખળ,
હાથના ટેરવા ફરતા રહે જન્મ જન્મ જો જાય.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()


જેફરસને (13 એપ્રિલ 1743-4 જુલાઈ 1826) કરી હતી. આ યુનિવર્સિટીનો સમાવેશ UNESCO World Heritage Siteમાં થયો છે. થોમસ જેફરસન 4 માર્ચ 1801થી 4 માર્ચ 1809 સુધી અમેરિકાના ત્રીજા પ્રમુખ હતા. તેઓ લોકશાહીના હિમાયતી / લેખક / સંગીતકાર / દાર્શનિક / archaeologist / architect હતા. તેઓ અમેરિકાના સ્થાપકો માંહેના એક હતા. The Declaration of Independence – સ્વતંત્રતાની ઘોષણાનો (4 જુલાઈ, 1776) મુસદ્દો ઘડનાર પ્રમુખ લેખક હતા. તેમાં આ પ્રસિદ્ધ વાક્ય લખ્યું હતું : ‘all men are created equal – બધા માણસો સમાન બનાવવામાં આવ્યા છે.’ તેમને પુસ્તકોનો ગજબ શોખ હતો. તેમણે 10 જૂન 1815ના રોજ લખ્યું હતું કે ‘I cannot live without books – હું પુસ્તકો વિના જીવી શકતો નથી.’ જેફરસનને 5000 એકર જમીન અને 175 ગુલામો વારસામાં મળ્યા હતાં. ખેતી અને બીજા કામ માટે તેમની પાસે 600 જેટલા ગુલામો હતા. બાકીના ગુલામો તેમના ફાર્મમાં જન્મ્યા હતા. તેમણે આર્થિક કારણોસર 110 ગુલામોને વેચ્યાં હતાં !
UVAનું વિશાળ કેમ્પસ / ઈમારતો / હોસ્ટેલ જોઈને આંખ ઠરે; ગ્રીક અને રોમન સ્થાપત્ય શૈલીની ઈમારતો પ્રભાવશાળી છે. મનમાં વસવસો પણ રહે કે આવી જગ્યાએ અભ્યાસનો મોકો ન મળ્યો ! UVAના architect જેફરસન હતા. મહેલ જેવા પોતાના નિવાસસ્થાન ‘મોન્ટિસેલો’ના આર્કિટેક્ટ જેફરસન પોતે જ હતા. 5000 એકર જમીન વચ્ચે ટેકરી ઉપર આ નિવાસસ્થાન 1772માં બન્યું હતું. ‘મોન્ટિસેલો’ પ્રવાસીઓ જોઈ શકે છે. જે નિખાલસતા ભારતમાં શક્ય નથી તે અહીં જોવા મળી ! ‘મોન્ટિસેલો’માં Sally Hemings – સૈલી હેમિંગ્સને સ્થાન આપવામાં આવ્યું છે. જેફરસન 44 વર્ષના હતા ત્યારે, 16 વરસની મિશ્ર નસ્લની ગુલામ છોકરી સૈલી હેમિંગ્સ સાથે સંબંધ થયો હતો; જેનાથી તેમને 6 બાળકો થયા હતાં. ભારતમાં નેતાઓને ‘અવતારી’ તરીકે રજૂ કરવામાં આવે છે !
1819માં, ગુજરાતમાં ભક્તિકાળ ચાલતો હતો. 1821માં જેફરસને આત્મકથા લખી. જેફરસનના સમકાલીન સહજાનંદ સ્વામિએ (3 એપ્રિલ 1781 / 1 જૂન 1830) 1826માં શિક્ષાપત્રી લખી હતી; જેમાં પોતાના પછી મંદિરોનો વહીવટ / આચાર્યપદું વારસાગત સોંપવું તેવી સામંતવાદી વ્યવસ્થા કરી હતી ! જેફરસને બ્રિટિશ ગુલામી સામે જંગ છેડ્યો હતો; 1806માં જેફરસને બ્રિટિશ સામાનનો બહિષ્કાર કરવા આહવાન કર્યું હતું. જ્યારે સહજાનંદ બ્રિટિશ પોલિટિકલ એજન્ટને ત્યાં સામેથી મળવા જતા; તેમણે ગુલામી ટકાવી રાખવામાં મદદ કરી હતી; લોકોને ભક્તિ માર્ગે ચડાવ્યા હતા ! જેફરસન ધર્મ અને દર્શનમાં ઊંડી રુચિ હતી; પરંતુ સંગઠિત ધર્મનો ત્યાગ કર્યો હતો; સહજાનંદે પોતાનો સંપ્રદાય સ્થાપ્યો હતો ! જેફરસને 1819માં ભવ્ય યુનિવર્સિટી સ્થાપી; જ્યારે સહજાનંદે 1828માં પ્રથમ મંદિર ગઢડામાં સ્થાપ્યું હતું ! વિશ્વનો ઇતિહાસ કહે છે કે વિકાસ મંદિરોથી થતો નથી; ધર્મમુક્ત યુનિવર્સિટીથી થાય છે !
કોઈ પણ જાતિ, ધર્મ, કોમનું અગાઉ ન હતું એટલું મહત્ત્વ હવે પ્રજામાં ઠસાવવામાં આવે છે. તમે હિન્દુ વિષે કૈં બોલો તો મુસ્લિમો સતર્ક થઈ જાય છે ને મુસ્લિમ વિષે કૈં કહો તો હિન્દુઓના કાન ઊભા થઈ જાય છે. હિન્દુઓમાં પણ બે વર્ગ પડી ગયા છે. એક વર્ગ ભા.જ.પ.ની અને ભા.જ.પી. સરકારની ભક્તિમાં માને છે ને બીજો, નીરક્ષીર ન્યાયે સરકારની ગતિવિધિ વિષે મત આપે છે. એ હિન્દુ જ છે, પણ સરકારની ભક્તિમાં રાચતો નથી, તો ભક્તોને તે નથી ગમતું ને સરકારની જાણ બહાર જ સરકારની વકીલાતનો એ વર્ગ આનંદ લે છે. એ કમનસીબી છે કે હિન્દુઓને એક કરવા જતાં, તેમાં જ ભાગ પડી ગયા જેવું થયું છે. આ વાતે સરકાર અજાણ હોય એવું લાગતું નથી. આ વર્ગો વચ્ચે જ હુંસાતુંસી એવી છે કે તે એક થઈને બીજા કોઈ ધર્મની ટક્કર લે એ સ્થિતિ બહુ બચતી નથી. આમ તો હિન્દુ-મુસ્લિમ પ્રજાઓ મોટે ભાગે સંપથી રહેતી આવી છે, પણ બંને કોમોમાં કેટલાંક તત્ત્વો એવાં છે જે આ પ્રજા નજીક આવે તે ઇચ્છતાં નથી. એમાં રાજકીય, સામાજિક, આર્થિક એવાં ઘણાં પરિબળો ભાગ ભજવે છે. કેટલાંક રાજકારણીઓ પણ નથી ઇચ્છતા કે આ બે કોમ સંપીને રહે. બાકી મહોરમ કે ગણેશોત્સવ જેવા તહેવારોમાં બંને કોમના લોકો આનંદ માણે છે તેની નવાઈ નથી.