Opinion Magazine
Number of visits: 9569139
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મિખાઈલ ગોર્બાચેવનું ગ્લાસનોસ્ત અને પેરિસ્ત્રોઈકા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|21 September 2022

21 ડિસેમ્બર 1991ના રોજ, સોવિયત સંઘના અગિયાર રાજ્યોના વડાઓ કઝાકિસ્તાનની રાજધાનીમાં ભેગા થયા હતા. તેમની સામે બે કામ હતાં; સોવિયત સંઘની કેન્દ્રિય નેતાગીરીમાંથી આઝાદ થવાની ઘોષણા પર હસ્તાક્ષર કરવા અને સંઘના અંતિમ પ્રેસિડેન્ટ મિખાઈલ ગોર્બાચેવની નિવૃત્તિની યોજના બનાવવી. એ યોજનામાં, તેમને રહેવા માટે ઘર, તેમના ફાઉન્ડેશન માટે જગ્યા અને દર મહિને 140 ડોલરનું પેન્શન આપવાનો સમાવેશ થતો હતો.

એ ટેબલ પર, નવાં આઝાદ ગણરાજ્યોમાં સૌથી વધુ તાકાતવર રશિયાના નવ નિયુક્ત પ્રેસિડેન્ટ બોરિસ યેલ્તસિન પણ બેઠા હતા. યેલ્તસિન દાયકાથી ગોર્બાચોવના રાજકીય પ્રતિસ્પર્ધી હતા. ગોર્બાચેવને પરાજિત કરીને રશિયાની કમાન હાથમાં લેવાનું તેમનું સ્વપ્ન આજે પૂરું થઇ રહ્યું હતું. તેની તેમને કેટલી ખુશી હતી તેનો અંદાજ એ હકીકતમાં હતો કે પૂરી મિટિંગ દરમિયાન યેલ્તસિન એક પછી એક શરાબના પેગ ખાલી કરી રહ્યા હતા. એક તબક્કે એ એટલા પીધેલા હતા કે ટેબલ પર માથું નમાવીને બેઠા રહ્યા હતા. વચ્ચે-વચ્ચે એ સહેજ ભાનમાં આવતા અને “તમે કહો છો તે બરાબર છે” એવું બોલીને પાછા માથું નીચે ઢાળી દેતા હતા. મિટિંગના અંતે તેમને પકડીને બહાર લઇ જવા પડ્યા હતા.

“આ કેટલું ખરાબ છે! આ માણસ રશિયાનું સંચાલન કરવાનો છે?” આર્મેનિયાના પ્રેસિડેન્ટ લેવોન તેર-પેટ્રોસિયને યેલ્તસિનના એક મદદનીશના કાનમાં ગુસપુસ અવાજમાં કહ્યું હતું, “તમે લોકો કેવી રીતે જીવશો? અમને તમારી જરા ય ઈર્ષ્યા થતી નથી.”

જે માણસે ચાર દાયકા જૂના શીતયુદ્ધનો અંત લાવવામાં અને દુનિયાને ન્યુક્લિયર તબાહીમાંથી બચવવા માટે ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી, તે મિખાઈલ ગોર્બાચેવ (2 માર્ચ 1931 – 30 ઓગસ્ટ 2022) હવે એક એવા નેતાના હાથ નીચે અને એક એવા રશિયન સમાજમાં જીવવાના હતા, જ્યાં ડગલેને પગલે તેમની મજાક ઉડવાની હતી, અપમાન થવાનું હતું, અન્યાય થવાનો હતો. ઘણા દેશોને પોતાના જ નાયકોનું અવમૂલ્યન કરવામાં પિશાચી આનંદ આવતો હોય છે. જેવી રીતે ભારતમાં મહાત્મા ગાંધી અને પંડિત નહેરુનું થઇ રહ્યું છે, રશિયામાં ગોર્બાચેવનું પણ એવું જ થયું હતું.

ગોર્બાચેવના જીવનની ડબલ વાસ્તવિકતા હતી. એક તરફ વોશિંગ્ટન, લંડન અને પેરિસનો બૌદ્ધિક વર્ગ તેમની આરતી ઉતારતો હતો, જ્યારે ઘર આંગણે રશિયન લોકો તેમની ઘૃણા કરતા હતા. રશિયાના મોટા ભાગના લોકો તેમને સોવિયત સામ્રાજ્યના પતન માટે જવાબદાર માને છે, જ્યારે બાકીની દુનિયા તેમને એક એવા નેતા તરીકે યાદ રાખે છે જેમણે રશિયાને આધુનિકતા અને સ્વતંત્રતાના માર્ગ પર દોડતું કર્યું હતું.

એંસીના દાયકાથી જે લોકો પરિચિત હશે, તેમને તે વખતનાં વર્તમાનપત્રો અને પત્રિકાઓમાં આવતા બે શબ્દો યાદ હશે; ગ્લાસનોસ્ત અને પેરિસ્ત્રોઈકા. આ બે રશિયન શબ્દોમાં ગોર્બાચોવની બહુ ચર્ચીત રાજકીય કારકિર્દીનો સમાવેશ થાય છે. 1985માં ગોર્બાચેવ સોવિયત સંઘની કમ્યુનિસ્ટ પાર્ટીના મહામંત્રી બન્યા, તેના થોડા જ વખતમાં તેમણે આ બે શબ્દોને પ્રચલિત બનાવ્યા હતા. ગ્લાસનોસ્ત એટલે ખુલ્લાપણું અને પેરિસ્ત્રોઈકા એટલે પુનર્નિર્માણ. 

ગોર્બાચેવે સોવિયતની કમાન સંભાળી ત્યારે દેશ પ્લાન્ડ ઈકોનોમી એટલે કે પૂર્વનિયોજિત અર્થવ્યવસ્થાની નિષ્ફળતા આંખે દેખાય તેવી હતી (પ્લાન્ડ ઈકોનોમીમાં કર્મચારીઓનાં વેતન, વસ્તુઓની કિંમત, ઉત્પાદન વગેરે સરકાર નક્કી કરે). ગોર્બાચેવને લાગ્યું હતું કે અર્થવ્યવસ્થાનું પુનર્નિર્માણ (પેરિસ્ત્રોઈકા) કરવું અનિવાર્ય છે અને બજારોને છૂટો દોર આપવો પડશે. તેમણે માત્ર અર્થવ્યવસ્થા જ નહીં, પરંતુ સોવિયત સમાજની નીતિ-રીતિમાં પણ પુનર્નિર્માણને ઉત્તેજના આપ્યું હતું. 1985ના એક ભાષણમાં તેમણે કહ્યું હતું, “દીવા જેવું છે, કોમરેડ, કે આપણે બદલાવાની જરૂર છે. આપણે સૌએ.”

ગ્લાસનોસ્ત એ જ પુનર્નિર્માણનો હિસ્સો હતું. તેમને લાગ્યું હતું કે અર્થવ્યવસ્થામાં મૂડીવાદી વિચારોને સામેલ કરવાની સાથે સોવિયત સમાજે લોકતાંત્રિક મૂલ્યો પણ અપનાવવાં પડશે. બીજી રીતે કહીએ તો, ગોર્બાચેવ ઇચ્છતા હતા કે સમાજ વધુ પારદર્શી અને ઉદાર બને, સરકાર મીડિયા પરનું નિયંત્રણ જતું કરે, મુક્ત અભિવ્યક્તિને જગ્યા આપે અને લોકો તેમની ઈચ્છા પ્રમાણે જીવે. 1986ના ભાષણમાં ગોર્બાચેવે કહ્યું હતું, “જે લોકો જૂની પરંપરાઓ અને દૃષ્ટિકોણો મુજબ તાજા અવાજ, ન્યાયી અવાજને દબાવા માંગતા હોય, તેમણે દૂર હટી જવું જોઈએ.”

સોવિયત ઇતિહાસમાં ગોર્બાચેવનો ગ્લાસનોસ્ત અને પેરિસ્ત્રોઈકા એક ક્રાંતિકારી વિચાર હતો. તે વખતે સોવિયત સમાજની સ્થિતિ કેવી હતી અને કેમ ગ્લાસનોસ્ત અને પેરિસ્ત્રોઈકાનો વિચાર આકર્ષક બની ગયો, તેનો એક દિલચસ્પ કિસ્સો છે. તે વખતે એક અમેરિકન ટોક-શો સોવિયત સમાજમાં પણ લોકપ્રિય હતો. તેના હોસ્ટે એકવાર સ્ટુડીઓમાં એકત્ર થયેલી સોવિયત સ્ત્રીઓને પૂછ્યું હતું, “અમારા દેશનાં વિજ્ઞાપનોમાં સેક્સ બહુ હોય છે. તમારે ત્યાં ટેલીવિઝનમાં પણ વિજ્ઞાપનો હોય છે?”

પ્રેક્ષકોમાં હાજર લેનિનગ્રાડની એક મહિલા, લ્યુન્ડમિલા ઈવાનોવા, જવાબમાં બોલી, “અમારે ત્યાં સેક્સ નથી હોતો અને અમે તેના ઘોર વિરોધી છીએ.”

આ સાંભળીને બીજી એક મહિલાએ બૂમ પાડીને તેને સુધારી, “અમારે ત્યાં સેક્સ હોય છે, પણ વિજ્ઞાપનો નથી હોતાં.”

સોવિયત સંઘ જાણે એક સદી પાછળ જીવતું હોય તેવું હતું, અને મિખાઈલ ગોર્બાચેવે તેને ઉદાર અને આધુનિક બનાવીને બાકી દુનિયાની બરોબર મુકવા પ્રયાસ કર્યો હતો. 25 ડિસેમ્બર 1991ના રોજ સોવિયત સંઘના વિલયની ઘોષણા કરતાં તેમણે ટી.વી. પર જીવંત પ્રસારણમાં કહ્યું હતું;

“નિયતિમાં લખાયેલું હતું કે મેં જ્યારે રાજ્યની કમાન સંભાળી ત્યારે દેખીતી રીતે જ આ દેશમાં કંઈક ખરાબી હતી. આપણી પાસે બધું જ પુષ્કળ હતું; જમીન, તેલ, ગેસ અને અન્ય પ્રાકૃતિક સંસાધનો. ઈશ્વરે આપણને બુદ્ધિ અને પ્રતિભા પણ આપી હતી – છતાં આપણે બીજા ઔદ્યોગિક રાષ્ટ્રોના લોકોની સરખામણીમાં બદતર હાલતમાં જીવીએ છીએ અને એ અંતર સતત વધી રહ્યું છે. દેશ આશા ગુમાવી રહ્યો હતો. આપણે આવી રીતે જીવતા ન રહી શકીએ. આપણે બધું જ ધરમૂળથી બદલવું પડે તેમ હતું. આ કારણથી મને જરા ય અફસોસ નથી કે મહામંત્રી તરીકે હું થોડાં વધુ વર્ષ સુધી સત્તામાં ચીટકી ન રહ્યો. માર પક્ષે એ અનૈતિક અને બેજવાબદાર ગણાય. મને ભાન થયું હતું કે આપણા જેવા સમાજમાં આટલો મોટો સુધાર કરવો અઘરો અને જોખમી હતું, પણ આજે મને લાગે છે કે 1985માં આપણે જે લોકતાંત્રિક સુધારા કર્યા હતા તે ઐતિહાસિક રીતે સાચી દિશામાં હતા. હું થોડા સંદેહ પણ તમારામાં આશા સાથે મારા હોદ્દાનો ત્યાગ કરું છું. આપણે એક મહાન સામ્રાજ્યના વારસદાર છીએ અને તેને એક આધુનિક અને ગૌરવશાળી દેશ બનાવીશું.”

અલવિદા, મિખાઈલ ગોર્બાચેવ.

(પ્રગટ : “મુંબઈ સમાચાર” / “ગુજરાતમિત્ર”, 18 સપ્ટેમ્બર 2022)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

जो तोड़ने से भी न टूटे वह गांधी है

कुमार प्रशांत|Gandhiana|21 September 2022

गांधी सारी दुनिया में हैं – मूर्तियों में ! एक जानकारी बताती है कि कोई 70 देशों में गांधीजी की प्रतिमा लगी है. भारतीय सामाजिक-राजनीतिक जीवन में गांधी 1917 में प्रवेश करते हैं और फिर अनवरत कोई 31 सालों तक, अहनिर्श संघर्ष की वह जीवन-गाथा लिखते हैं जिसे हिंदुत्व की धारा में कु-दीक्षित नाथूराम गोडसे की तीन गोलियां ही विराम दे सकीं. लेकिन एक हिसाब और भी है जो हमें लगाना चाहिए: कितने देशों में गांधी-प्रतिमा को खंडित करने की वारदात हुई है ? संख्या बड़ी है. गांधी के चंपारण में,  मोतिहारी के चर्खा पार्क में खड़ी गांधी की मूर्ति पिछले दिनों ही खंडित की गई है. ऐसे चंपारण दुनिया भर में हैं. अमरीका में अश्वेतों ने भी, ‘ब्लैकलाइफ मैटर्स’ जुंबिश के दौरान गांधी-प्रतिमा को नुकसान पहुंचाया था. ऐसी घटनाओं से नाराज या व्यथित होने की जरूरत नहीं है. फिक्र करनी है तो हम सबको अपनी फिक्र करनी है जो लगातार गहरी फिक्र का बायस बनती जा रही है.

गांधी की प्रतिमाओं के खिलाफ एक लहर तब भी आई थी जब 60-70 के दशक में नक्सली उन्माद जोरों पर था. गांधी की मूर्तियों पर हमले हो रहे थे- वे तोड़ी जा रही थीं, विकृत की जा रही थीं, अपशब्द आदि लिख कर उन्हें मलिन करने की कोशिश की जा रही थी. तब यहां-वहां चेयरमैन माओ के समर्थन में नारे भी लिखे व लगाए जा रहे थे. मूर्तियों से लड़ने के इसी उन्मादी दौर में, बिहार के जमशेदपुर में गांधी की मूर्ति का विभंजन हुआ था.  तब जयप्रकाश नारायण ने अपनी गांधी-बिरादरी को संबोधित करते हुए लिखा था कि गांधी से इन लोगों को इतना खतरा महसूस होता है कि वे इनकी मूर्तियां तोड़ने में लगे हैं, इसे मैं आशा की नजरों से देखता हूं. यह हम गांधीजनों को सीधी चुनौती है जो अपनी-अपनी सुरक्षित दुनिया बना कर जीने लगे हैं. चुनौती नहीं तो गांधी नहीं, ऐसा भाव तब जयप्रकाश ने जगाया था जो शनै-शनै उस लहर में बदला जिसे इतिहास में जयप्रकाश आंदोलन या संपूर्ण क्रांति आंदोलन कहा जाता है.

आज गांधी के खिलाफ एक दूसरा ध्रुव उभरा है जो हिंदुत्व के नाम से काम करता है. नक्सली आज भी हैं. अपनी बची-खुची ताकत समेट कर नक्सली हमलों व हत्याओं की खबरें भी यहां-वहां से आती रहती हैं लेकिन यह साफ है कि राज्य की हिंसा अब उन पर भारी पड़ रही है. हिंसा का यह दुष्चक्र नया नहीं है बल्कि यही इसका शास्र है कि बड़ी हिंसा छोटी हिंसा को खा जाती है और छोटी हिंसा बड़ी बनने की तिकड़म में लगातार हमले करती रहती है. इन दो हिंसाओं के बीच समाज पिसता रहता है.

जब मैं हिंदुत्व की बात कहता हूं तब मेरा आशय अंध-संकीर्णता से है. यह संकीर्णता भी दुनिया भर में फैली है, बढ़ रही है. इंग्लैंड ने ऋषि सुनक की जगह लिज़ ट्रस को प्रधानमंत्री चुनना ऐसी ही संकीर्णता का ताजा उदाहरण है. कंजरवेटिव दल के सदस्य श्वेत चमड़ी व ब्रिटिश मूल की अवधारणा से चिपके हैं जबकि ब्रिटिश जनता ज्यादा उदारता से सोचती व बरतती है. सभी जानते हैं कि यदि ब्रिटेन में आज आम चुनाव हो जाए तो सुनक की जीत होगी. सुनक अच्छे प्रधानमंत्री होंगे कि ट्रस, सवाल यह है ही नहीं. सवाल यह है कि संकीर्णता फैल रही है कि उदारता ? लगता है कि सारी दुनिया में यह दौर संकीर्णता को सर पर उठाए घूम रहा है. यह संकीर्णता सत्ता की ताकत पा कर ज्यादा हमलावर व ध्वंसकारी होती जा रही है. इसी ने तो गांधी को गोली भी मारी थी न ! गोली से गांधी मरे नहीं; बहुत व्यापक हो गए. उनकी सांस्कृतिक व सामाजिक-राजनीतिक स्मृतियां भारतीय मन में जड़ जमा कर बैठ गईँ. संकीर्ण सांप्रदायिकता ने ऐसे परिणाम की आशा नहीं की थी. इसलिए अब सत्ताप्रेरित संकीर्णता उनकी उन सारी स्मृतियों को पोंछ डालना चाहते हैं जिससे उसकी क्षुद्रता-विफलता सामने आती है. गांधी के खिलाफ तब वामपंथियों ने चेयरमैन माओ का प्रतीक खड़ा किया था, हिंदुत्व वाले नाथूराम गोडसे का प्रतीक खड़ा करने में जुटे हैं. हम याद रखें कि इन सबके अपने-अपने गोडसे हैं. सब अपने प्रतीक को खड़ा कर रहे हैं लेकिन जो खड़ा नहीं हो पा रहा है और जिसे खड़ा करने में किसी की दिलचस्पी भी नहीं है वह है लोकतंत्र का आम नागरिक. गांधी इसी की हैसियत बनाने व बढ़ाने में जीवनपर्यंत लगे रहे.

गांधी होते तो आज, जब मैं यह पंक्ति लिख रहा हूं, 152 साल, 11 माह, 20 दिन के होते.  इतने साल आदमी कहां जीता है ! लेकिन गांधी जी रहे हैं तभी तो हम उनसे सहमत-असहमत ही नहीं होते रहते हैं, उनकी मूर्तियों पर हमला कर अपना क्रोध या अपनी असहमति व्यक्त करते हैं. गांधी न कभी सत्ताधीश रहे, न व्यापार-धंधे की दुनिया से और न उसके शोषण-अन्याय से उनका कोई नाता रहा, न उन्होंने कभी किसी को दबाने-सताने की वकालत की, न गुलामों का व्यापार किया, न धर्म-रंग-जाति-लिंग भेद जैसी किसी सोच का समर्थन किया. वे अपनी कथनी और करनी में हमेशा इन सबका निषेध ही करते रहे. वे कहते व करते इतना ही रहे कि हमारे निषेध का रास्ता हिंसक नहीं होना चाहिए. उनका तर्क सीधा था और आज भी उतना ही सीधा है कि जितने तरह के शोषण, भेद-भाव, गैर-बराबरी, ज्यादती चलती है, चलती आई है और आगे भी चल सकती है, उन सबकी जड़ हिंसा में है.

हिंसा का मतलब ही है कि आप मनुष्य से बड़ी किसी शक्ति को, मनुष्य का दमन करने के लिए इस्तेमाल करते हैं फिर चाहे वह शक्ति हथियार की हो कि धन-दौलत या सत्ता की या संख्या या उन्माद की. गांधी ऐसे किसी हथियार का इस्तेमाल मनुष्य के खिलाफ करने को तैयार नहीं होते हैं क्योंकि वे मानते हैं कि इससे मनुष्य व मनुष्यता का पतन होता है और जिसके खिलाफ हम होते हैं, वह बना ही नहीं रहता है बल्कि पहले से ज्यादा क्रूर व घातक हो जाता है. हिंसा हमारे निष्फल क्रोध की निशानी बन कर रह जाती है. इसलिए ही वे कहते हैं कि हिंसा बांझ होती है.

अहिंसक रास्ते से मनुष्य व मनुष्यों का समाज अपनी कमियों-बुराइयों से कैसे लड़ सकता है, और  कैसे अपनी सत्ता बना सकता है, इसका कोई इतिहास नहीं है. जो और जितना है, वह गांधी का ही बनाया है. तो गांधी एक संभावना का नाम है. कुछ लोग हैं ऐसे जो गांधी के बाद भी इस संभावना को जांचने और  सिद्ध करने में लगे हैं. इसलिए ही तो हम गांधी-विनोबा-जयप्रकाश का त्रिकोण बनाते हैं क्योंकि अहिंसक शोध की दिशा में इतिहास के पास कोई चौथा नाम है नहीं. हम कह सकते हैं कि इन चारों की अपनी मर्यादाएं व कमजोरियां भी हैं जैसी हर मानव की अौर हर मानवीय प्रयास की होती हैं. फिर ऐसे गांधी का और उनकी दिशा में की जा रही कोशिशों का ऐसा घृण्य विरोध क्यों है ? गांधी के प्रति धुर वामपंथियों का और धुर दक्षिणपंथियों का एक-सा द्वेष क्यों है ? यह द्वेष आज का नहीं, जन्मजात है. गांधी को अपने जीवन के प्रारंभ से तीन गोलियों से छलनी होने तक इनका घात-प्रतिघात झेलना पड़ा. ऐसा क्यों ? इसका कारण समझना किसी जटिल वैज्ञानिक समीकरण को समझने जैसा नहीं है हालांकि विज्ञान ही बताता है कि एक बार ठीक से कुछ भी जान-समझ लें हम तो जटिल या सरल जैसा कुछ नहीं होता है. जो जटिल है वह ज्ञात व अज्ञात के बीच की खाई है.

गांधी इस अर्थ में बेहद खतरनाक हैं कि वे कैसी भी गैर-बराबरी, किसी भी स्तर पर भेद-भाव, किसी भी तर्क से शोषण-दमन को स्वीकारने को तैयार नहीं है- इस हद तक कि वे इनमें से किसी की मुखालफत करते हुए जान देने को तैयार रहते हैं. दूसरी तरफ यही गांधी हैं कि जो किसी भी तरह बदला लेने या प्रतिहिंसा को कबूल करने को तैयार नहीं हैं. मानव-जाति ने प्रतिद्वंद्वी से निबटने के जो दो रास्ते जाने,माने और लगातार अपनाए भी हैं, वे इन्हीं बलों पर आधारित हैं- हिंसा-प्रतिहिंसा-बदला.  कहूं तो हमारी सभ्यता का सारा इतिहास इन्हीं तीन ताकतों का दस्तावेज है. कोई तीसरी ताकत भी हो सकती है जो इस दुष्चक्र से मनुष्यता को त्राण दिला सकती है, इसका अविचल दावा और उस दिशा में लगातार साहसी प्रयास हमें गांधी में ही मिलता है. गांधी से द्वेष का यही कारण है कि गांधी हमेशा, हर जगह उनकी जड़ ही काट देते हैं.

गांधी से वामपंथियों का विरोध या द्वेष इधर कुछ कम हुआ है. राजनीतिक सत्ता की छीनाझपटी में लगी दलित पार्टियों का गांधी के खिलाफ विषवमन कुछ धीमा पड़ा है तो सोच-समझ रखने वाले दलितों के बीच से सहानुभूति व समन्वय की कुछ आवाजें भी उठने लगी हैं. लेकिन इन सबके पीछे राजनीतिक परिस्थितिजन्य मजबूरी कितनी है और समझ में बदलाव कितना है, यह देखना अभी बाकी है. हम देख ही रहे हैं कि गांधी के अपमान व उनकी मूर्तियों के विभंजन पर इनकी तरफ से कोई खास प्रतिवाद आज भी नहीं होता है.

प्रतिवाद में जो आवाजें उठती हैं उनमें हायतौबा ज्यादा होती है. यह भी सच है कि ऐसी घटनाओं  के पीछे दिशाहीन सामाजिक उपद्रवी, शराबी-अपराधी किस्म के लोग भी होते हैं लेकिन यह भी सच है कि यह गांधी से विरोध-भाव रखने वाली राजनीतिक-सामाजिक शक्तियों का कारनामा भी है. यथास्थिति बनाए रखने वाली दक्षिणपंथी तथा हिंसा-द्वेष की लहर बहा कर उनकी जगह लेने में लगी वामपंथी ताकतों का यह वही खेल है जो गांधी को अपने हर कदम के इंकार में खड़ा पाता है. गांधी का यह इंकार इतना सशक्त, तार्किक व सीधा है कि 70 से अधिक सालों से लगातार अनुपस्थित होने पर भी वे गांधी की कोई सार्थक काट खोज नहीं पाए हैं सिवा छूंछा क्रोध प्रदर्शित करने के. यह असत का सत पर प्रहार है.

गांधीवालों में इससे क्रोध या ग्लानि का भाव पैदा नहीं होना चाहिए. मूर्तियों का यह प्रतीक-संसार सारी दुनिया में अत्यंत बेजान, अर्थहीन व नाहक उकसाने वाला हो गया है. हमारा हाल तो ऐसा है कि बुद्ध जैसे मूर्तिपूजा के निषेधक की मूर्तियों से हमने जग पाट दिया है. तो गांधी पर हम गांधी वाले रहम खाएं और  मन-मंदिर में भले उन्हें बसाएं, उनकी मूर्तियां न बनाएं. हम दृश्य-जगत में उनके मूल्यों की स्थापना का ठोस काम करें. गांधी सामयिक हैं, यह बात नारों-गीतों-मूर्तियों-समारोहों-उत्सवों से नहीं, समस्याओं के निराकरण से साबित करनी होगी. जो गांधी को चाहते व मानते हैं उनके लिए गांधी एक ही रास्ता बना व बता कर गए हैं : अपने भरसक ईंमानदारी व तत्परता से गांधी-मूल्यों की सिद्धि का काम करें ! इससे उनकी जो प्रतिमा बनेगी, वह तोड़े से भी नहीं टूटेगी. हम जयप्रकाश की वह चेतावनी याद रखें : “ गांधी की पूजा एक ऐसा खतरनाक काम है जिसमें विफलता ही मिलने वाली है.” इसलिए गांधी की हर विखंडित प्रतिमा दरअसल हमें विखंडित करती है और हमें ही चुनौती भी देती है.

(21.09.2022)
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
My Blog:
https://kumarprashantg.blogspot.com

Loading

ગાંધીજીએ આપેલી સનાતન ધર્મની વ્યાખ્યા

તુષાર ગાંધી (અનુવાદ - આશા બૂચ)|Gandhiana|21 September 2022

‘ઓપિનિયન’ના વાચકો પત્રકાર-લેખક અરુણ ગાંધીના પુત્ર અને મણિલાલ ગાંધીના પૌત્ર એટલે કે ગાંધીજીના પ્રપૌત્ર તરીકે તુષાર ગાંધીથી સારી રીતે પરિચિત હશે. તાજેતરમાં તેઓના બે પુસ્તકો ‘Let us kill Gandhi’ અને ‘Lost Diary of Kastur – my Baa’ની ભેટ આપણને મળી છે.

22મી સપ્ટેમ્બર રેંટિયા બારસ, ગાંધી જયંતી.

તે નિમિત્તે કેટલાંક લોકો તેમનાં પૂતળાં ઉપર કે રાજઘાટ ઉપર ફૂલોનો હાર પહેરાવવાની ચેષ્ટા કરશે.

મને તે પાવન દિવસે ચરખા પર સૂતર કાંતવાની સાથે, Manorama Newsમાં, 21 ઓગસ્ટ 2022માં પ્રગટ થયેલ તુષારભાઈના લેખનો અનુવાદ તેમની અનુમતિથી અહીં પ્રસ્તુત કરવાનું વધુ મુનાસીબ લાગે છે. આજના ભારતના માહોલમાં કદાચ હિન્દુ ધર્મની આ વ્યાખ્યાની સહુથી વધુ જરૂર છે. જો યુનાઇટેડ કિંગ્ડમમાં વસતા હિન્દુ અને મુસ્લિમ કોમનાં પહેલી અને બીજી પેઢીનાં માતા પિતાએ પોતાની બીજી કે ત્રીજી પેઢીનાં સંતાનોને પોતપોતાના ધર્મની સાચી ઓળખ આપી હોત, તો લેસ્ટરમાં ફાટી નીકળેલાં કોમી રમખાણો ન થયાં હોત.

— આશા બૂચ

•••

મોહનદાસ ગાંધી – બાપુ અવારનવાર ગૌરવથી કહેતા કે તેઓ હિન્દુ છે; માત્ર હિન્દુ નહીં પરંતુ સનાતની હિન્દુ હોવાનો દાવો કરતા.

વર્તમાન સમયમાં આ પ્રકારનો દાવો આપણામાંના મોટા ભાગના લોકોના રૂંવાડા ઊભા કરી જાય. હાલના સંયોગોમાં ‘સનાતની હિન્દુ’ શબ્દ એક ડરામણું દૃશ્ય ખડું કરી દે તેવું બને. હિન્દુ ધર્મની વિભાવનાનું હિન્દુત્વની રાજકીય અને નીતિભ્રષ્ટ દૃષ્ટિકોણ દ્વારા અપહરણ થઇ ગયું છે.

ભારતે આઝાદી હાંસલ કરી તેના થોડા દિવસ પહેલાં સનાતન હિન્દુ ધર્મની વ્યાખ્યા બાપુએ આપેલી તે તેમના જ શબ્દોમાં જોઈએ:

“સનાતન હિન્દુ ધર્મ એ કોઈ કૂવામાંના દેડકા જેવો મર્યાદિત અને બંધિયાર ખ્યાલ નથી. તે સાગર જેવો વિશાળ છે. એવું અર્થઘટન કરીએ તો એ પૂરી માનવજાતિની માલિકી છે, પછી તે ભલે ગમે તે નામે ઓળખવામાં આવે.” એમ.કે. ગાંધી. “હરિજન”, 10 ઑગસ્ટ 1947

તેઓએ આ વિધાન ત્યારે લખ્યું, જ્યારે ભારતનું વિભાજન થયું અને નવા રાષ્ટ્રના નિર્માણ સમયે દેશ હિંસાથી સળગતો હતો, જ્યારે ઉન્મત્ત થયેલી પ્રજા ભારતના ચારેય ખૂણે કોમી દાવાનળની આગમાં ભડકે બળતી હતી અને દેશને તેના નવજન્મ સમયે જ ભરખી જશે તેવો ભય હતો.

ધિક્કાર અને હિંસા ભારતને ભરડો લઇ રહી હતી તેની નિંદા કરવાની સાથે જ ગાંધીજીએ હિન્દુ પ્રજાને યાદ અપાવતાં લખ્યું,

“હિન્દુ ધર્મ સહુથી વધુ સહિષ્ણુ ધર્મ છે. તેણે ઈસાઈ ધર્મના ઉદ્દભવ સમયે સિતમનો ભોગ બનીને ભાગીને આવેલા લોકોને આશ્રય આપેલો, બેની-ઇઝરાયેલ નામથી ઓળખાતી પારસી પ્રજાને પણ યાતનામાંથી ઉગારી શરણ આપ્યું. મને એવા હિન્દુ ધર્મના અનુયાયી હોવાનું ગૌરવ છે જે બધાને પોતાનામાં સમાવી લે છે અને સહિષ્ણુતાનો સ્તંભ છે.”

એમ.કે. ગાંધી. “હરિજન”, 30 નવેમ્બર 1947

આપણે એ યાદ રાખવું ઘટે કે આ સમય દરમ્યાન બાપુ ભારતમાં રહેનાર તમામ લોકોને હિન્દુ ગણતા હતા, પછી ભલે તેઓ બીજા ધર્મના અનુયાયી હોવાનો દાવો કરતા હોય.

“હિન્દુ ધર્મ સત્ય અને અહિંસાના મજબૂત પાયા ઉપર આધારિત છે, અને તેથી બીજા ધર્મના લોકો સાથે સંઘર્ષ થવાની તેમાં કોઈ ગુંજાઈશ નથી.”

એમ.કે. ગાંધી. “હરિજન”, 25 માર્ચ 1939

જ્યારે ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ ભભકા અને શાનથી ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે ભારતના નાગરિકોને  દેશના ઘડવૈયાઓએ  જેને રાષ્ટ્રપિતા માન્યા હતા તેમના શબ્દોને યાદ અપાવવા જરૂરી છે.

મોહનદાસનો ઉછેર ખૂબ રૂઢિચુસ્ત ઉચ્ચ વર્ણના પરિવારમાં થયેલો, જેમાં હિન્દુ કુટુંબમાં પાળવામાં આવતા અસ્પૃશ્યતા સહિતના તમામ જૂનવાણી આચારો, પ્રતિબંધો અને નિયમોનું પાલન કરવામાં આવતું. મોહને અસ્પૃશ્યો મનાતા લોકો પ્રત્યેના અમાનવીય વર્તનથી થતા અન્યાય જોયા હતા. તેઓ જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ આવી પ્રથાઓ માટેની તેમની નફરત વધતી ગઈ અને યુવાન વયે આ પ્રથાઓનું ઉલ્લંઘન કરવાનો જાગૃતપણે નિર્ણય કર્યો. પણ આવી પ્રથાઓને વખોડવા છતાં પોતે હિન્દુ ધર્મનો ત્યાગ ક્યારે ય નથી કર્યો. જ્યારે દક્ષિણ આફ્રિકામાં તેઓ ક્રિશ્ચિયન કલર્જીની નિકટ આવ્યા અને તેમના ઉપર ક્રિશ્ચિયન ધર્મ અપનાવવા માટે ખૂવ દબાણ આવ્યું ત્યારે તેઓ પોતાના ધર્મને ચુસ્તપણે વળગી રહ્યા અને કબૂલ કર્યું કે હિન્દુ ધર્મમાં ઘણી ખોડ અને ખામીઓ છે, પરંતુ પોતાનો ધર્મ છોડીને બીજો ધર્મ સ્વીકારવાનું કોઈ કારણ તેમને ન જડ્યું. જેમ જેમ તેમનો બધા ધર્મના મુખ્ય ગ્રંથોનો અભ્યાસ વધવા લાગ્યો તેમ તેમ તેમની ધર્મો વિશેની સમજ વિકસવા લાગી અને તેમને હિન્દુ ધર્મના સારની સાચી સમજણ લાધી.

“મારો ધર્મ હિન્દુ છે, જે મારે મન માનવતાનો ધર્મ છે અને હું જે ધર્મો વિષે જાણું છું તે બધાના ઉત્તમ અંશોનો તેમાં સમાવેશ થાય છે. મારા ધર્મ પરની શ્રદ્ધા સત્ય અને અહિંસા દ્વારા જળવાઈ રહી છે એટલે કે બહોળા અર્થમાં જોઈએ તો સર્વ પ્રત્યે પ્રેમ. હું ઘણી વખત મારા ધર્મને સત્યના ધર્મ તરીકે ઓળખાવું છું.”

એમ.કે. ગાંધી. ‘ફેલોશીપ ઓફ ફેઈથ’ – પાના નંબર 52

“મારી કલ્પનાનો હિન્દુ ધર્મ એ કોઈ સંકુચિત પંથ નથી. એ એક મહાન ઉત્ક્રાંતિ પામેલી પ્રક્રિયા છે જે કાળના ઉદ્ભવ જેટલી પુરાણી છે અને જે ઝોરોઅસ્ટર, મોઝીસ, ક્રાઈસ્ટ, મોહમ્મ્દ, નાનક અને અન્ય ધર્મોપદેશકોને સ્વીકારે છે, અપનાવે છે.”

એમ.કે. ગાંધી. “હરિજન”, 8 માર્ચ 1942

આજે હિન્દુ ધર્મને અનુસરનારાઓએ બાપુ જે ખરા હિન્દુ ધર્મમાં માનતા હતા, જેને તેઓ સનાતન હિન્દુ ધર્મ કહેતા હતા, તેનું પાલન કરતા હતા અને જેના માટે ગૌરવ અનુભવતા હતા તેને સમજીને તેનું પાલન કરવું જોઈએ; નહીં કે જેને રાજકીય હેતુસર કલુષિત કરીને નીતિભ્રષ્ટ, અસહિષ્ણુ અને હિંસક હિંદુત્વ તરીકે ફેલાવવામાં આવી રહ્યો છે તેને અનુસરવું.

બાપુના સમયમાં બે વ્યક્તિઓ હિન્દુ ધર્મનું પાલન કરનારી હતી, એક હતા મોહનદાસ ગાંધી, જેઓ સત્ય, પ્રેમ અને કરુણામાં સમાવિષ્ટ હતો તેવા સનાતન હિન્દુ ધર્મનું પાલન કરતા હતા. બીજો હતો નથુરામ ગોડસે, જે પોતાને સનાતની હિન્દુ કહેવડાવતો હતો અને ક્રૂર, વેરવૃત્તિથી ભરપૂર અને પાશવી વર્તન કરતો હતો જે આજે હિંદુત્વના નામે ઓળખાય છે. આ બંને વ્યક્તિઓમાં વિસ્તીર્ણ ભિન્નતા છે, આપણે તે કદી ન ભૂલવું જોઈએ.

e.mail : 71abuch@gmail.com

મૂળ અંગ્રેજી લેખ :

https://www.onmanorama.com/news/opinion/2022/08/21/mahatma-gandhi-definition-sanatan-hindu-dharma-tushar-gandhi-column.html

Loading

...102030...1,3461,3471,3481,349...1,3601,3701,380...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—320
  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved