Opinion Magazine
Number of visits: 9458645
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

बहुत गुस्से में है अदालत !

कुमार प्रशांत|Opinion - Opinion|9 July 2022

सर्वोच्च न्यायालय बहुत गुस्से में है. नुपूर शर्मा का नाम सुनते ही जस्टिस सूर्यकांत-पारडीवाला बेंच जिस तरह भड़का, उसका सामना तो हिंदुत्व वाली कोई नूपुर शर्मा ही कर सकती थीं. लेकिन इस गुस्से का एक परिणाम यह भी आया कि गूंगे बोलने लगे ! 15 अवकाशप्राप्त जजों, 77 सेवानिवृत नौकरशाहों तथा 25 पेंशनभोगी फौजियों ने चीफ जस्टिस के नाम एक खुला पत्र लिखा कि नूपुर शर्मा मामले में जज ने फैसले के बाहर जो टिप्पणी की, वह हमारे संविधान की आत्मा तथा भावना की बलि चढ़ाने जैसा है. मैं हैरान हूं. न्यायपालिका से लेकर सारी संवैधानिक परंपराओं व संस्थानों को वीर्यहीन करने के प्रतिवाद में जिनका मुंह नहीं खुला, वे अब मिमियाने लगे हैं. कायरता की बहादुरी ऐसी ही होती है. इसलिए ऐसी कायर बहादुरों की बात नहीं करता हूं. लेकिन मैं अदालत को बुजुर्गों की वह सीख याद दिलाना चाहता हूं कि गुस्सा गलती करने का दूसरा नाम है. व्यक्ति पर गुस्सा छूंछा होता है, परिस्थिति पर गुस्सा परिणामकारी होता है. अदालत को यह फर्क करना भी चाहिए और करता हुआ दिखाई भी देना चाहिए. 

यह सब मन में घुमड़ रहा ही था कि हमारे चीफ जस्टिस रमना साहब का अमरीका में दिया व्याख्यान पढ़ा कि भारत में हमारी परेशानी यह है कि हमारे सभी पक्ष चाहते हैं कि अदालत उनका पक्ष ले लेकिन मैं साफ कह देना चाहता हूं कि हमारा एक ही पक्ष है और वह है संविधान. हम उसी के पक्ष में खड़े रहते हैं. मुझे लगता है कि हमें अदालत के पक्ष के बारे में कुछ बात कर ही लेनी चाहिए.

नूपुर शर्मा का पूरा मामला भारतीय राजनीति के उस क्षद्म को उजागर करता है जिसकी खिचड़ी  काफी समय से पकाई जा रही थी लेकिन जो तैयार अब हुई है. क्या है वह क्षद्म ? मुहावरे में कहूं तो दूसरों के कंधे पर रख कर बंदूक चलाना. संघ-परिवार का शीर्ष नेतृत्व, सरकार हो कि संगठन या कोई दूसरा साइनबोर्ड टांगे हो, येनकेणप्रकारेण काम एक ही करना चाहता है: उन सबकी ज़ुबान बंद करो  जो आपसे असहमत हैं. शीर्ष यह काम बहुत बारीकी से करता है, भोंडे तरीके से दूसरों से करवाता है ताकि अपनी कमीज उजली रहे, समाज का मुंह काला हो.

जब प्रधानमंत्री सार्वजनिक मंच से कपड़ों से आदमी पहचानने की बात कहते हैं, श्मशान-कब्रिस्तान की तुकबंदी खड़ी करते हैं, ममता बनर्जी को घटिया शैली में आवाज देते हैं, तथ्यहीन बातों को दहाड़ कर सच बनाते हैं, जब उनकी पार्टी के अध्यक्ष कहते हैं कि हम देश जोड़ रहे हैं, विपक्ष देश का विनाश कर रहा है तब दरअसल वे सब अपनी पैदल सेना को इशारा कर रहे होते हैं कि किसी भी हद तक जा कर दूसरी आवाजों को कुचल दो ! कोई अनुराग ठाकुर या कपिल मिश्रा या प्रवेश वर्मा या आदित्यनाथ या हेमंत विश्वा शर्मा या इसी स्तर का कोई भी राजनीतिक प्यादा इशारा पकड़ लेता है और शीर्ष का काम पूरा हो जाता है. दूसरी तरफ हैं भूपिंदर तोमर, पिंकी चौधरी, बजरंग दास, नरसिंहानंद, वसीम रिजवी जैसे लोग हैं जो समाज में पहले भी थे, हैं भी और रहेंगे भी. ये उस वर्ग के लोग हैं  जिनका सांस्कृतिक विकास रुद्ध हो गया है जिसका परिणाम इनके दिमागी संतुलन पर पड़ता है. इन्हें स्वस्थ, संतुलित सामाजिक अस्पताल में रखने की जरूरत है. जब सारा समाज असंतुलित बना दिया जाता है, तब ऐसे तत्वों की जुबान खुलती है और आग उगलती है. जैसे पागलों को आप सड़क पर खुला नहीं छोड़ते हैं वैसे ही ऐसे तत्वों को भी सामाजिक विमर्श के मंच पर जगह नहीं मिलनी चाहिए.

नुपूर शर्मा ने जो कहा वह मुहम्मद साहब को बुरे इरादे से, बुरा कहने जैसी बात नहीं थी, मुसलमानों को उनकी औकात बताने की सरकारी नीति का हिस्सा थी. सारे चैनल, सारे अखबार इसी सरकारी नीति को आगे बढ़ाने में लगे हैं. मालिकों ने यही काम उन्हें दे रखा है. ‘जिसका खाते हैं उसका गाते हैं’ जैसी दासवृत्ति है. हम गलती से इन्हें पत्रकार माने बैठे हैं. इनकी अपनी कोई प्रतिबद्धता नहीं है. कुर्सी व थैली के इशारे पर हर असहमति को, हर तरह से अपमानित करना इनका पेशा है. अदालत नुपूर शर्मा को डांट सकती है, तो इन्हें क्यों नहीं ? सूर्यकांत-पारडीवाला बेंच ने ठीक ही मीडिया का कॉलर पकड़ा था और पूछा था कि मुकदमा तो चैनलों व एंकरों पर चलना चाहिए. लेकिन श्रीमान, आपने यह सवाल पूछा किससे ? देश तो आपसे पूछता है कि सत्ता या उसके प्यादे घृणा फैलाने का जो काम कर रहे हैं, क्या यह अदालत को दिखाई नहीं दे रहा है ?

दिखाई दिया था दिल्ली हाईकोर्ट के जज जस्टिस एस. मुरलीधरन को. नागरिकता आंदोलन के वक्त जब इसी तरह घृणा को राजनीतिक हथियार बनाने का इशारा दिया गया था तब उन्होंने अदालत की संवैधानिक भूमिका को उजागर ही नहीं किया था, पुलिस को कठघरे में भी खड़ा किया था. लेकिन इसके अगले ही दिन उनकी अदालत बदल दी गई. क्या जज बदल जाने से अदालत की संवैधानिक निष्ठा भी बदल जाती है ? रमना साहब, यदि हमारा संविधान ही न्यायपालिका की एकमात्र गीता है तो उसके इतने अलग-अलग पाठ कैसे पढ़े व पढ़ाए जाते  हैं ? एक लिखित निर्देशिका आपके पास भी है, हमारे पास भी है. आप उसके हिसाब से चलते हैं, हम उसके हिसाब से देखते हैं. हम देख रहे हैं कि आप उसके हिसाब से नहीं चल रहे हैं. हम गलत भी हो सकते हैं तो हमें विश्वास में लेना अदालत का संवैधानिक दायित्व है.

क्या अदालत वह सब देख ही नहीं पा रही है जो सारा देश देख रहा है : संवैधानिक संस्थाओं  को निकम्मा बनाना, कानूनों पर बुलडोजर चलाना, संसद को जी-हुजूरों की भीड़ में बदलना, मीडिया को खरीद कर कायर बना देना, स्वतंत्र अभिव्यक्ति की हर संभावना को कुचलना ? हमारे जांबाज कमांडर सारकारी नीतियों का बचाव करने टीवी पर दिहाड़ी मजदूरों की तरह लाए जा रहे हैं. अब कौन अग्निवीर युवा मानेगा कि फौजी ‘बहादुर’ होते हैं ? सेना व सेना के अधिकारियों का ऐसा खतरनाक राजनीतिक इस्तेमाल क्या संविधान पर ही ग्रहण नहीं लगा सकता है ? फौजी जनरल कहेंगे कि अग्निवीर योजना फौज ने बनाई है? कहेंगे तो यह पूछना लाजिमी होगा कि नीतियां बनाने का काम संविधान की किस धारा के अंतर्गत फौज के हवाले किया गया ?

रमना साहब ने कहा कि संविधान को छोड़ कर अदालत का कोई पक्ष नहीं है. ऐसे बयान पर अमरीका में भी तथा भारत में भी तालियां बजेंगी लेकिन तालियों की गड़गड़ाहट में यह बात दबा तो नहीं दी जानी चाहिए कि संविधान की भी अपनी स्पष्ट पक्षधरता है. वह न्याय-अन्याय के बीच, सच-झूठ के बीच, संवैधानिकता-असंवैधानिकता के बीच तटस्थ नहीं है. संविधान के शब्द और उसकी आत्मा साफ-साफ कहती है कि वह भारत के उन्हीं लोगों का पक्ष लेती है जिन्होंने उसे बनाया है – “ हम भारत के लोग, अपने लिए यह संविधान बना कर, इसे अपने ऊपर लागू करते हैं…”  रमना साहब क्या हमें बताएंगे कि हमारी अदालत – सर्वोच्च अदालत- कब भारत के  लोगों के साथ खड़ी रही है ?  मैं उन्हें और अपनी संपूर्ण न्याय-व्यवस्था को आपातकाल के शर्मनाक दौर की याद नहीं दिला रहा हूं लेकिन यह जरूर पूछ रहा हूं कि हमारा एक चीफ जस्टिस अपनी बनाई बेंच के साथ बैठ कर बाबरी मस्जिद के बारे में एक ऐसा फैसला सुनाता है जिसका न तो कोई ऐतिहासिक संदर्भ है, न जिसकी कोई लोकतांत्रिक परंपरा है. फिर हम देखते हैं कि जिस चीफ जस्टिस ने वह फैसला सुनाया, अगले दिन वही सरकार की अनुकंपा से राज्यसभा का सदस्य बन गया. यह होता है तो हम समझ पाते हैं कि किसका कौन-सा पक्ष है. क्या उनका यह आचरण संविधान की आत्मा के अनुकूल था ?  था तो कहें, नहीं था तो कहें, तब पक्षधरता हमारी समझ में आएगी.

जाकिया जाफरी के मामले में सुप्रीम कोर्ट के उनकी याचिका अंतिम तौर पर खारिज कर दी. हम उसे समझ सकते हैं. अदालतें जैसे साक्ष्यों की, जैसी मांग करती हैं शायद वैसे साक्ष्य व दस्तावेज जाफरी पेश नहीं कर पाई होंगी. लेकिन क्या न्यायपालिका यह नहीं समझती है कि कई बार – या अक्सर ? – सच उसके सामने पेश गवाहों-प्रमाणों-दस्तावेजों से अलग खड़ा पाया जाता है ? जाकिया जाफरी के मामले में क्या अदालत को यह याद नहीं आया कि वह एक ऐसे मामले के बारे में फैसला सुना रही है जिसने गुजरात में संविधान, प्रशासन की सामान्य प्रक्रिया तथा सभ्य समाज की तमाम पहचानों की धज्जियां उड़ा दी थीं ? क्या वह भूल गई कि यह वह मामला है जिसके बारे में सर्वोच्च न्यायालय को निर्देश देना पड़ा था कि गुजरात के मामलों की सुनवाई गुजरात के बाहर की जाए? यह वह मामला है जिसने भारतीय लोकतांत्रिक व्यवस्था की जड़ें हिला दी थीं और तत्कालीन प्रधानमंत्री को सार्वजनिक तौर पर कहना पड़ा था कि ‘यहां का राजा’ राजधर्म के पालन में विफल हुआ है ? जब ऐसे मामलों में आप फैसला सुनाते हैं तब आपकी ही नहीं, आपके साथ-साथ हमारे न्याय-संस्थान के धर्म की कसौटी भी होती है. जाने कब कोई अटलबिहारी वाजपेयी आएगा यह कहने कि मी लार्ड, आप न्याय-धर्म का पालन करने में विफल हुए हैं ! 

जाकिया जाफरी की याचिका खारिज करने का पूरा अधिकार हमने – संविधान ने – आपको दिया है लेकिन उसके बाहर जा कर, उस बेंच ने जैसी टिप्पणियां कीं, उनका औचित्य क्या है ? आप उन्हें झूठी, षड्यंत्रकारी, मामले को जिंदा बनाए रखने का चाल खेलने वाली बताएं और उनकी मदद करने वाले हर इंसान को कठघरे में खड़ा करें ? फिर सरकारी इशारे पर कुछ भी कर गुजरने से गुरेज न रखने वाली पुलिस तिस्ता सेतलवाड तथा आर. बी. श्रीकुमार को गिरफ्तार कर ले? रमना साहब, क्या आपकी न्यायपालिका पूरे सरकारी-तंत्र के सामने खड़े एक अकेले नागरिक की स्थिति भी नहीं समझती है ? आप याचिका खारिज कर सकते हैं, नागरिक की हैसियत खारिज करने का अधिकार आपको संविधान की किस धारा से मिला है ? यही वह गुस्सा है जिसका जिक्र मैंने शुरू में किया. यही वह गुस्सा है जिसका प्रतिवाद वजाहत हबीबुल्लाह, सुनील मिश्रा, जी.के.पिल्लई,सुजाता सिंह जैसे प्रशासकीय व पुलिस के वरिष्ठ व विशिष्ठ अधिकारियों ने भी किया है. इनसे हमारे मतभेद हो सकते हैं लेकिन न्याय की इनकी समझ व राष्ट्रप्रेम पर कोई अंगुली नहीं उठा सकता है. क्या इनकी गिरफ्तारी भी इसलिए की जाए कि जाकिया जाफरी की न्याय की तलाश का ये समर्थन करते हैं ? नहीं, न्यायपालिका के स्वास्थ्य व न्याय के भविष्य के लिए यह गुस्सा बहुत महंगा पड़ सकता है. संविधान गुस्से की नहीं, गरिमा की मांग करता है. आज हमारा न्यायतंत्र गहरे दवाब में है क्योंकि दूसरी संवैधानिक व्यवस्थाएं घुटने टेक रही हैं. इसलिए हम अदालतों से सीधा खड़े रहने की अपेक्षा भी करते हैं व आग्रह भी. हम भारत के आम नागरिक संविधान के निर्माता भी हैं तथा सारी संवैधानिक व्यवस्थाओं के सर्जक व संरक्षक भी.

(08.07.2022)

मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें 

https://kumarprashantg.blogspot.com

Loading

ધર્મનાં મૂળ તત્ત્વો અને એનાં આવરણો

મનસુખ સલ્લા|Opinion - Opinion|8 July 2022

અત્યારે દેશમાં જે માહોલ છે તેમાં લાગણીઓ વધુ સક્રિય છે. અંગત સંબંધોમાં લાગણી બળ પૂરું પાડે, પરંતુ રાષ્ટૃ કે તમામ નાગરિકો વિશે વિચારીએ ત્યારે નિરપેક્ષ વિચારને કેન્દ્રમાં મૂકવો જોઈએ. અત્યારનો મુખ્ય પ્રશ્ન ‘ધર્મ’ના સ્વરૂપ વિશેનો છે. તમામ ધર્મોના પ્રવર્તકો કોઈ વ્યક્તિ હોય છે. તેઓનાં મહાન કાર્યો અને વિચારોને કારણે લોકોએ તેમને ભગવાન, ખુદા, ઈશ, ગોડ તરીકે સ્વીકાર્યા હોય છે.

ધર્મ માટે એક સાદી વાત એ છે કે તેમાં અન્ય ધર્મ માટે આદર હોય, સન્માન હોય. કોઈ પણ ધર્મને ઊંચો કે નીચો ગણવાની જરૂર નથી. વળી ધર્મક્ષેત્રમાં બળજબરી, લાલચ કે ભયને સ્થાન નથી. એવું કરનારા ધાર્મિક તો નથી જ.

હવે એ વિશે સ્પષ્ટ થવું જરૂરી છે કે તમામ ધર્મોનાં મૂળ તત્ત્વો લગભગ સમાન હોય છે. માણસાઈને પોષણ આપનારા હોય છે. કોઈ પણ ધર્મ મનુષ્યનાં શુભ તત્ત્વોનો જ પુરસ્કાર કરે છે. સત્ય, પ્રેમ, કરુણા, સેવા, સાદગી, નિરહંકાર, વિશ્વાસ વગેરેને જે ધર્મો પુરસ્કારતા હોય છે, કારણ કે એ મૂળ તત્ત્વો છે.

સાથે જ ધર્મ સાથે વ્યવહાર, રીતરિવાજ, ઉપાસના પદ્ધતિ પણ જોડાયેલાં હોય છે. એમાં તફાવત હોય તે સહજ છે. એ તફાવત માટે ન પક્ષપાત હોય, ન નફરત હોય. કારણ કે ધર્મ આખરે તો વ્યક્તિની અંગત બાબત છે, પસંદગી છે. જેને જે રુચે તે ધર્મ પાળે. એ ચર્ચાનો વિષય નથી, શ્રદ્ધાનો વિષય છે. હિન્દુધર્મ તો નાસ્તિકનો પણ સ્વીકાર કરે છે. માણસ સ્વભાવ અને વલણ મુજબ જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ કે કર્મમાર્ગ પસંદ કરતો હોય છે. એ વ્યક્તિની પોતાની પસંદગી હોય છે. એમાં બીજા કોઈએ વચ્ચે નહીં આવવું જોઈએ. સ્થૂળ કે સૂક્ષ્મ કોઈ પણ પ્રકારની બળજબરી એ ધર્મથી વિરોધી બાબત છે. બળજબરી હોય ત્યાં ધર્મ હોઈ શકતો નથી.

છેલ્લી ત્રણ સદીમાં એક નવો વ્યાપક સંદર્ભ, પણ ઊભો થયો છે − તે લોકશાહી રાજ્યરચનાનો. રાજાશાહી, બાદશાહી કે કોઈ પણ પ્રકારના એકહથ્થુ શાસનની જગ્યાએ લોકશાહી રાજ્યરચના વધુ માનવતાવાદી હોઈ શકે છે. કારણ કે તેમાં બંધારણ અને કાયદાનું શાસન નિર્ણાયક હોય છે.

ધર્મક્ષેત્રમાં પણ મૂળતત્ત્વો સિવાયની બાબતોમાં બંધારણ અને કાયદાનું શાસન જ મહત્ત્વનું રહેવું જોઈએ. બંધારણ માનવ અધિકારોના રક્ષણ માટે હોય છે. લગ્નપ્રથા અને લગ્નસંસ્થા, કાયદાભંગની સ્થિતિ, સ્ત્રીઓ સાથે કે નીચલી ગણાતી જાતિ-જ્ઞાતિ સાથેના વ્યવહારોમાં ધર્મના રીતરિવાજોને બદલે બંધારણના નિયમો જ લાગુ પડી શકે, એ ધર્મની બાબતો નથી, માનવઅધિકારની બાબતો છે, દા.ત. અસ્પૃશ્યતા. આ બાબતોમાં ધર્મને વચ્ચે નહીં લાવવો જોઈએ.

ઈસ્લામમાં વ્યાજ ન લેવું એવી ભલામણ છે. દોઢ હજાર વર્ષ પહેલાં સમાજને જાળવી રાખવા એ જરૂરી હતું. વ્યાજ ન લેવા પાછળ ખ્યાલ એ હતો કે બીજાને મુશ્કેલીમાં મદદરૂપ થવું જોઈએ, એનું વળતર ન લેવાય. આજે બેકીંગ પદ્ધતિ જીવનના તમામ ક્ષેત્રોમાં પ્રવેશી છે. બધા ધર્મના લોકો વ્યાજ લે છે કે આપે છે. પરિસ્થિતિ બદલાતા આ બદલાયું છે. એમાં ધર્મતત્ત્વનો ભંગ નથી. આજે શિક્ષણ, માંદગી, રોજ-બ-રોજની સુવિધાઓ અને સેવાઓ સરકાર અને અનેક સામાજિક સંસ્થાઓ નિ:શૂલ્ક આપે છે. એમાં નબળાને મદદરૂપ થવાની ભાવના જળવાય છે.

ધર્મના ક્ષેત્રમાં શબ્દોને નહીં વળગવું જોઈએ, એની પાછળનાં ભાવના, આદર્શ કે ધ્યેયને સ્વીકારવાં, સમજવાં જોઈએ. છૂટાછેડાનો કાયદો પિતૃપ્રધાન સમાજમાં મહિલાઓને ધ્યાનમાં રાખીને ઘડાવો જોઈએ. એમાં ધર્મ વચ્ચે આવતો નથી. દરેક ધર્મ સૌ પ્રત્યે કરુણા અને માનવીય ગૌરવની વાત કરે છે તો તેમાં મહિલાઓના ગૌરવની બાદબાકી કેવી રીતે હોઈ શકે ? સતીપ્રથા, બહુપત્નીત્વ, સ્ત્રીઓના હકો એ ધાર્મિક મુદ્દો નથી સમાજવ્યવસ્થાનો, માનવીય ગૌરવનો મુદ્દો, તમામ નાગરિકને સ્પર્શતો મુદ્દો છે.

કોઈ પણ વિષય, તત્ત્વ કે રચનામાં અમુક પરિસ્થિતિમાં ખાસ હેતુથી અમુક બાબતો ગોઠવાયેલી હોય છે. તેમાં ચિરકાલીન તત્ત્વો હોય છે એમ જ તત્કાલીન જરૂરિયાત હોય છે. પરંતુ સમય જતાં મૂળ (ચિરકાલીન) તત્ત્વોને બદલે વ્યવહારો, પરંપરાઓ, રીતરિવાજો મુખ્ય બની જાય છે. એને જ ધર્મ ગણવાનું પણ શરૂ થઈ જાય છે. એમાંથી એને જાળવવાનું ઝનૂન ઊભું થાય છે.

ધર્મ અને ઝનૂન તદ્દન વિરોધી શબ્દો છે. તમામ ધર્મો તો ઉદાર, સહિષ્ણુ અને કરુણાળુ થવાનું શીખવે છે. પણ થાય છે એથી ઊલટું. તમામ ધર્મોમાં આ માટે સંઘર્ષો થયા છે. એ ધર્મવાળાએ જ એ ધર્મના લોકોને પજવ્યા કે પીડ્યા હોય છે. કોઈ વાર તત્કાલીન જરૂરિયાત માટે સદીઓ પહેલાં કહેવાયું હોય એને નવા સંદર્ભમાં બદલવાની મોકળાશ પણ હોવી જોઈએ. માનવતા મુખ્ય છે, રીતરિવાજ કે ઉપાસના પદ્ધતિ નહીં.

કોઈ પણ ધર્મમાં પૂજારી, પાદરી, મૌલવી કે ધર્મગુરુઓ રચાય છે. કારણ કે તેઓ અમુક ધારા-ધોરણો, વ્યવહારો, રીતરિવાજોને જાળવવાનું કામ કરે છે. પરંતુ તેમના શબ્દોને આખરી નહીં ગણવા જોઈએ. તેઓ પણ માનવીય મર્યાદાઓથી, અહંકાર, સ્વાર્થ કે ઈર્ષાથી ભરેલા હોઈ શકે છે. તેઓ પોતાનું સ્થાન મજબૂત રાખવા ધર્મતત્ત્વોને ગૌણ પણ ગણતા હોઈ શકે છે. એટલે વીસમી સદીના મહાન સાધક રામકૃષ્ણ પરમહંસે કહ્યું છે કે, ‘દાણો બંધાય માટે ફોતરાં જરૂરી હોય છે, પણ આપણે ફોતરાં નહીં, દાણા ખાઈએ છીએ.’ આ વિવેક ધર્મક્ષેત્રમાં જાળવવા જેવો છે.

લોકશાહીના નાગરિક તરીકે આપણે ધર્મનાં મૂળ તત્ત્વો(સત્ય-પ્રેમ-કરુણા)ને પારખવા અને પામવાનો પ્રયત્ન કરવો જોઈએ. પૂજારી, પાદરી કે મૌલવીઓએ જો ધર્મનાં મૂળતત્ત્વો આડે પડદો ઊભો કર્યો હોય તો એને પારખીને હટાવવો જોઈએ. જે કોઈ આપણે સત્ય-પ્રેમ-કરુણા સુધી લઈ જાય તેનો આદર કરીએ, પરંતુ જેઓ આપણને સંકુચિત, અભિમાની કે વિદ્વેષી બનાવે તેનાથી વેગળા થવું જોઈએ.

ધર્મતત્ત્વો અને એની ઉપાસના-પદ્ધતિ અને રીતરિવાજો એક નથી. રીતરિવાજો અને ઉપાસના પદ્ધતિઓનું મહત્ત્વ ત્યાં સુધી જ છે કે એ આપણને ધર્મતત્ત્વ સુધી લઈ જાય.

આજે માસમીડિયાનું ગાંડું પૂર આવ્યું છે. તેથી અસ્પષ્ટતા, ગેરસમજ, સંદર્ભરહિત હકીકતો, આખી વાતમાંથી ઉતરડીને અમુક જ બાબતને ઉપસાવવી આ બધું શક્ય બન્યું છે. કરુણતા એ છે કે લોકો વગર વિચાર્યે એને સ્વીકારે છે.

ધર્મક્ષેત્ર એવું શ્રદ્ધાક્ષેત્ર છે કે લોકો તપાસવા કે વિચારવાને બદલે માનીને બધું સ્વીકારી લે છે. રામકૃષ્ણ પરમહંસે બહુ વાજબી કહ્યું છે કે, ‘જેમ રૂપિયો સાચો છે કે બોદો એ ખખડાવીને લો છો એમ ગુરુને ખખડાવીને પસંદ કરવો જોઈએ.’ નહીં તો પૂજારી, પાદરી, મૌલવી આપણી આંખે પાટા બંધાવી દે એવું પણ બની શકે છે.

રાજકીય પક્ષો પણ જીતવાના સ્વાર્થમાં ગમે તેવાં વિધાનો, અવલોકનો કે અભિપ્રાયો રજૂ કરતા હોય છે. એના કેન્દ્રમાં સત્તા અને સ્વાર્થ હોય છે. પણ આપણે કાળજુ ઠેકાણે રાખીને એમને સાંભળવા જોઈએ. જે વિચાર કે અભિપ્રાય રાષ્ટૃને અને સમાન્ય જનને સમૃદ્ધિ, સ્વસ્થતા અને શાંતિ આપી શકે તેવો હોય તેનો જ સ્વીકાર કરવો જોઈએ. ધર્મનાં વાઘાં પહેરાવીને વહેંચાતા વિચારોને પારખતાં અને છોડતાં શીખવું એ આજની ગંભીર આવશ્યક્તા છે.

બહુ સાદી રીતે કહીએ તો જે જોડે, વિરોધને શમાવે અને સંવાદિતા વધારે એ જ ખરો ધર્મ છે. એ સિવાયનું ધર્મતત્ત્વ સિવાયનું છે. આપણે આવા કાળમાં દાખલ થઈ ચૂક્યા છીએ એ ધર્મના ભેદ વિના તમામ નાગરિકોએ સમજવું પડે તેમ છે.

06 જુલાઈ 2022

e.mail : mansukhsalla@gmail.com

C/403, Surel Apartment, Judges’ Bunglows area, AHMEDABAD – 380 015, India

Loading

હિન્દુઓ રામ ભરોસે તો નથી છોડી દેવાયાને?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|8 July 2022

આપણા વડા પ્રધાન ‘વાતોનાં વડાં’ પ્રધાન પણ છે. એ એટલા વ્યસ્ત છે કે ભગવાનની જેમ અત્ર તત્ર સર્વત્ર પ્રગટ થાય છે. ઘડીકમાં એ અમેરિકી પ્રમુખ સાથે હાથ મેળવતા દેખાય છે તો ઘડીકમાં, ભા.જ.પ.ની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં – તુષ્ટિકરણ નહીં, પણ તૃપ્તિકરણનો મહિમા કરતા દેખાય છે. એક દિવસ એ 7 ડિજિટલ સેવાઓ દેશને સમર્પિત કરે છે, તો એક દિવસ એ દ્રૌપદી મુર્મુજીને રાષ્ટ્રપતિ ઉમેદવાર તરીકે પોસ્ટરમાં આવકારે છે. એ જુદી વાત છે કે ત્યાં પણ દ્રૌપદીજીને બદલે ફોટામાં દર્શન તો સાહેબનાં જ થાય છે. અનેક જગ્યાએ સાહેબ દર્શન દે છે. કદીક જો અંતર્ધ્યાન થયેલા જણાય તો માનવું કે એ દિવસે વર્તમાનપત્રો બંધ રહ્યાં હશે. સગવડો હોય ને માણસ પહોંચી વળે એ જુદી વાત છે, પણ વડા પ્રધાનને બધું જ આવડે એ સાહેબે નોટબંધી, કૃષિકાનૂન, અગ્નિપથ જેવાં પ્રકરણોમાં વખતોવખત સાબિત કરી આપ્યું છે. દેશમાં ઓછું રહેતા હોય તો પણ તેમણે વિદેશી નાગરિકત્વ પ્રાપ્ત કર્યું નથી એ જ સ્વદેશીનો મહિમા કરવા પૂરતું છે. મહત્ત્વના પદ પર આવ્યા પછી માણસને થોડો પ્રમાદ ઘેરી વળતો હોય છે, પણ વડા પ્રધાન થાકતા નથી. દરેક મુદ્દે એમણે કૈં ને કૈં કહેવાનું હોય છે ને રોજ કહેવાનું હોય છે. એમણે જ મનની વાતો એટલી કહેવાની હોય છે કે લોકોને પણ મન છે ને એમણે ય કૈં કહેવાનું હશે એવું તો યાદ જ નથી આવતું. આ એ જ પ્રજા છે જેણે સાહેબના એક અવાજ પર ગેસની સબસિડી જતી કરેલી. એ પ્રજા રાંધણ ગેસ પર વર્ષમાં 244 રૂપિયાનો બોજ કેવી રીતે વેંઢારે છે એ સવાલ સાહેબને થતો નથી તેનું આશ્ચર્ય છે.

હજી સુધી તો ભારત લોકશાહી દેશ છે ને સમ ખાવા પૂરતો વિપક્ષ પણ છે જ, એ કેટલો રહેશે તે નથી ખબર, પણ સાહેબે ભક્તોનો વિશાળ સમુદાય અંકે કર્યો છે ને એ જતે દિવસે વિપક્ષ મુક્ત ભારત કરે તો નવાઈ નહીં ! સાહેબે શું ભણાવ્યું હશે તે નથી ખબર, પણ કોઈ મંત્રી, કોઈ પ્રદેશ પ્રમુખ, કોઈ સાંસદ, કોઈ  વિધાનસભ્ય કે કોઈ કોર્પોરેટર ટી.વી. પર સાહેબના નામના મણકા ન ફેરવતા હોય એવું બનતું નથી. આટલો ભક્તિભાવ દેશ આખામાં ઊભો કરવો એ રમત વાત નથી. આટલો પ્રભાવ પાથર્યા પછી એટલું સહેલાઈથી કહી શકાય કે દેશે હાલવું હોય તો ભલે હાલે, પણ સાહેબની ઈચ્છા વગર પાંદડું ય હાલે એમ નથી. સમજી શકાય એવું છે કે આદર્શો, સિદ્ધાન્તો, સ્થાપન, ઉત્થાપન આ બધું જ સાહેબને ઇશારે થતું હશે. જો આ સાચું હોય તો પૂરા આદર સાથે એ વાત ઉમેરવાની થાય કે દેશમાં હિન્દુઓનો અવાજ સંભળાતો થયો હોય તો એ સાહેબની ઇચ્છાનો જ પડઘો છે, બાકી હિન્દુઓને તો પૂછતું જ કોણ હતું? એક વાત સ્પષ્ટ છે કે ભારત હિન્દુ રાષ્ટ્ર નથી. નથી જ ! પણ, હિન્દુ પ્રજાને મગમાંથી પગ તો ફૂટ્યા જ છે. એમ હોય ને હિન્દુ પ્રજા હિન્દુત્વનો સ્વર બુલંદ કરે ને એનો સરકારને વાંધો ન હોય તો એ આ અવાજનું સમર્થન કરે છે એમ માનવું પડે. પ્રજા એવો અવાજ બુલંદ કરે ત્યારે તેને ઊંડે ઊંડે એવી આશા હોવાની કે કૈં થશે તો સરકાર તેની સાથે છે. એ આશા ઠગારી નીવડી રહી હોય એવું છેલ્લા થોડા દિવસોમાં લાગવા માંડ્યું છે.

આમાં એક પળ માટે પણ વિધર્મીઓની અવગણનાની વાત નથી, પણ કોઈક કારણસર જો થોડા વિધર્મીઓ આક્રમક થાય તો સરકારની ભૂમિકા કેવીક હશે એ પ્રશ્ન મૂંઝવે છે. એમ લાગે છે કે હિન્દુઓનો અવાજ વધવાનું શરૂ થયું ત્યારથી મુસ્લિમોને અસલામતી વધતી લાગી છે. એ ખરું કે હિન્દુઓએ માઇક પરથી થતી અજાનનો વાંધો ઉઠાવ્યો છે છતાં તે બંધ નથી કરાવી, પણ હનુમાન ચાલીસા માઇક પરથી શરૂ કરાઇ છે. જો અજાનથી પ્રદૂષણ વધતું હોય તો ચાલીસાથી કઇ રીતે ઘટે તે સમજવાનું મુશ્કેલ છે. બનવું તો એવું જોઈએ કે દરેક ધર્મના વડા પોતે જ સમજીને અવાજ ન થાય એવો પ્રબંધ કરે. આમ તો સ્વતંત્રતા પહેલાં ને પછી પણ માઇક પરથી અજાન પોકારાતી જ હતી, પણ ત્યારે હિન્દુઓ વિરોધ કરી શકે એમ ન હતું, કારણ ત્યારે ધાક લાગતો. કાઁગ્રેસી સરકારો મત મેળવવા લઘુમતીઓને પંપાળતી રહી ને એમાં લઘુમતીનો અવાજ બુલંદ રહ્યો. આ સ્થિતિ ભા.જ.પ.ની સરકાર કેન્દ્રમાં બની ત્યારે સુધરી. હિન્દુઓ બોલતા થયા. હિન્દુ ધર્મનાં વિધિવિધાનોનું જાહેર વર્ચસ્વ વધતું આવ્યું. હિન્દુ મતોનું મહત્ત્વ સમજાયું ને તેમને પ્રોત્સાહન વધ્યું. હિન્દુઓ પણ મિજાજ ધરાવતા થયા, છતાં એ હકીકત છે કે આખા ઇતિહાસમાં કોઈ હિંદુએ તલવારને જોરે કોઈ મુસ્લિમને હિન્દુ બનાવવાની કોશિશ નથી કરી કે ન તો બાબરી અગાઉ કોઈ મસ્જિદ તોડી છે. બાબરી પહેલાં તો હિન્દુઓ જ માર ખાતા આવ્યા છે. આ પ્રજા સહિષ્ણુ ને ધર્મભીરુ હતી. છે. એવું ન હોત તો મોગલો બહારથી આવીને મંદિરો તોડવામાં ને ઉપર મસ્જિદ સ્થાપવામાં સફળ થયા ન હોત.

બધું પોતાના ધર્મમાં જ છે એવી માન્યતાઓ હિન્દુઓમાં પણ ઘર કરવા માંડી છે. છેલ્લાં થોડાં વર્ષોમાં એવું બન્યું છે કે વ્યક્તિગત અનુભવો આખી કોમ તરફના તિરસ્કારનું કારણ બન્યા છે. થોડાક વિધર્મીઓ કે થોડાક હિન્દુઓને કારણે આખી કોમ ખરાબ ગણાવા લાગી છે ને નફરત પણ આખી કોમ માટે ફેલાવા લાગી છે. એમાં સોશિયલ મીડિયાએ ને કેટલાંક ગ્રૂપે ઉમેરો કર્યો છે. એક વાત સમજી લેવાની રહે કે ન તો હિન્દુની કે ન તો વિધર્મીની આખી કોમ ખરાબ છે, પણ કમનસીબે નફરત આખી કોમ માટે વધી છે. કાશ્મીરી પંડિતો પરના અત્યાચારે ને પાકિસ્તાનની આતંકી પ્રવૃત્તિઓએ મુસ્લિમો તરફનો અણગમો વધારવાનું કામ કર્યું છે. એ સારું થયું કે ખરાબ, પણ ધાર્મિક શિક્ષણે પણ નફરત વધારવાનું જ કામ કર્યું છે. બાકી હતું તે ટી.વી. ચેનલોએ ધાર્મિક વિવાદ વકરે એની કાળજી લીધી છે. આ બધું સરકારની જાણ બહાર થયું હોય એમ માનવાનું મુશ્કેલ છે. ભા.જ.પ.ની સરકારોમાં હિન્દુઓ વધારે બોલકા થયા છે ને એમાં મંત્રીથી માંડીને પ્રવક્તા કે સાધારણ માણસ પણ બાકાત નથી. એટલા બધા લવારા ધર્મને નામે થયા છે કે એમાંથી જ્ઞાન શોધવાનું મુર્ખાઈ ભરેલું લાગે. એમાં વાત જો સરકાર સુધી આવી તો તે બે કામ કરે છે, કયાં તો તે બુલડોઝર ફેરવી દે છે અથવા તો પક્ષમાંથી તગેડી મૂકે છે, પણ એથી સમસ્યાનો ઉકેલ આવતો નથી.

નુપૂર શર્માએ ધાર્મિક ટિપ્પણી કરી ને જે સંજોગોમાં કરી તેની તપાસમાં નથી સરકાર પડી કે નથી સુપ્રીમ કોર્ટ પડી. એણે આખા દેશમાં એક પ્રકારની અશાંતિ ને અકળામણ ઊભી કરી છે. એનું પરિણામ એ આવ્યું કે પોતે નુપૂર શર્માનાં સમર્થનમાં છે એવું કોઈ કહે તો તેને માથે મોત ઊભું થઈ જાય. એ જ મુદ્દે અમરાવતીના એક કેમિસ્ટનું અને ઉદેપુરના એક દરજીનું ગળું કાપીને નિર્મમ હત્યા કરી દેવાઈ છે. એના તાર આતંકી પ્રવૃત્તિ સુધી લંબાયા છે. એ ઉપરાંત જેમણે પણ શર્માના સમર્થનમાં હોવાની વાત કરી છે એમને હત્યાની ધમકીઓ મળી છે. કાયદો, કાયદાનું કામ કરશે એવું આશ્વાસન અપાય છે. એ તો કરશે ત્યારે કરશે, પણ આમ, નિર્દોષોનાં ઘાતકી રીતે મોત થતાં રહે તો એ અટકાવવા કૈં થઈ શકે એમ છે કે ખૂન થયા પછી કાયદો, કાયદાનું કામ કરે એની રાહ જોવાની છે તે સમજાતું નથી.

કાયદો પણ કાયદાથી કેટલુંક કામ કરશે એ પણ પ્રશ્ન જ છે. નુપૂર શર્માએ સુપ્રીમમાં માંગ કરી કે તેનાં પર થયેલા કેસો સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે, પણ તે ચલાવવા પહેલાં જ સુપ્રીમની બેન્ચે તેને એમ કહીને ચુકાદો આપી દીધો કે દેશમાં જે કૈં બની રહ્યું છે એને માટે એ જ જવાબદાર છે ને તેણે ટી.વી. ચેનલ પર આવીને જાહેરમાં માફી માંગવી જોઈએ. આમ થતાં શર્માને ન્યાય મેળવવાથી જ વંચિત કરી દેવા જેવું થયું છે. સુપ્રીમના જજ સૂર્યકાંત અને જજ પારડીવાળાએ જે રીતે શર્માને જવાબદાર ઠેરવી એમાં કાયદા કરતાં અંગત અણગમો જાહેર થઈ ગયો હોય એવું વધારે લાગ્યું. એને કારણે ઘણાં હિન્દુઓ નારાજ થયા ને સુપ્રીમની ટિપ્પણીઓ સામે લગભગ 117 ગણમાન્ય ભારતીયોએ સી.જે.આઈ. રમણાને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી છે. આ ભારતીયોમાં હાઈકોર્ટના પૂર્વ જજ, અમલદારો, સૈન્યના અધિકારીઓ … વગેરે છે. પત્રમાં એ પુછાયું છે કે બેન્ચની ટિપ્પણીઓ ન્યાયિક પ્રક્રિયા અને સિદ્ધાન્તો અનુસાર હતી તો એનો આદેશમાં ઉલ્લેખ કેમ નથી?

માથાં કાપવાની બે ઘટનાથી આખો દેશ ખળભળી ઊઠ્યો છે અને ભય અને આઘાતનું વાતાવરણ છે, ત્યારે દેશનો કોઈ મંત્રી આ બાબતે બોલવા તૈયાર નથી એ વધારે આઘાતજનક છે. આમ તો રાજ્યમાં હિન્દુ ધર્મના પાઠ ભણાવવાની વાતો ચાલતી હોય, ગીતાનો રાજકીય સ્તરે મહિમા વધારાતો હોય ત્યારે રાજ્યસરકાર કે કેન્દ્ર સરકાર એ રીતે ચૂપ છે, કેમ જાણે આ હત્યાઓ ભારતની બહાર બની છે. આ ઠીક નથી. વડા પ્રધાન છાશવારે અનેક મુદ્દે બોલતા રહેતા હોય કે કેન્દ્રીય ગૃહ મંત્રી હિન્દુત્વની વાતો ફેલાવતા રહેતા હોય કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ધાર્મિક વિધિવિધાનોનો આગ્રહ રાખતા હોય એ સાહેબો, નિર્દોષ દરજી અને કેમિસ્ટનું ગળું કાપી નાખવાને મુદ્દે ચૂપકીદી સેવે ત્યારે એમ માનવાનું છે કે જે ધાર્મિક વાતોનો તેઓ પુરસ્કાર કરે છે એમાં તેમને મત મેળવવા સિવાય બીજો કોઈ રસ નથી? એક તરફ ધાર્મિક તીવ્રતા જગવવાની પ્રવૃત્તિઓનો પુરસ્કાર થતો હોય ને એનાં પરિણામ સ્વરૂપ કોઈ ધાર્મિક સ્ટેન્ડ લે તો તેની સાથે સરકાર નથી એમ માનવાનું છે? વિદેશી રાષ્ટ્રોની બીકે સરકારે/પક્ષે જેમ પ્રવક્તાથી હાથ ખંખેરી લીધા એમ એ જનતાથી પણ હાથ ખંખેરી લેશે, એવું? જેણે પણ હિન્દુત્વનો ઝંડો ઊંચકવો હોય તેણે પોતાને ખર્ચે ને જોખમે તેમ કરવું એવું તો સરકારનું કહેવું નથીને? એમ લાગે છે કે સરકારે હિન્દુઓને ફરી એક વાર રામ ભરોસે છોડી દીધા છે …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 જુલાઈ 2022

Loading

...102030...1,3301,3311,3321,333...1,3401,3501,360...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved