સજળ આંખે, નદીનાં નીર સમ નયનોથી અશ્રુપાત,
નદીમાં ખરતાં ફૂલની માફક, તરતી તરતી જાઉં છું.
જીગરની વેદના, મ્હોબતની મતા સંભાળી બેઠો,
નદીમાં ખરતાં ફૂલની માફક, તરતી તરતી જાઉં છું.
વસેલાં દૂર, તો પણ બેઉ મન તો અંતે છે એક જ,
નદીમાં ખરતાં ફૂલની માફક, તરતી તરતી જાઉં છું.
વાયરા દર્દના, આંખોથી ગુલાબી પ્યાલી છલકાવે,
નદીમાં ખરતાં ફૂલની માફક, તરતી તરતી જાઉં છું.
નિર્માલ્યનાં અનંત ફૂલ, સાગર જેવી ચંચળ ઊર્મિ,
નદીમાં ખરતાં ફૂલની માફક, તરતી તરતી જાઉં છું.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()


બ્રિટનસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી, ગુજરાતી ભાષા અને સાહિત્ય તથા સંસ્કૃતિનું વિદેશોમાં જતન કરવા લગભગ દોઢેક દાયકાથી પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષાના વર્ગો લેવા, એ વર્ગો લેવા શિક્ષકો તૈયાર કરવા, શિક્ષકો માટે શિક્ષણની સામગ્રી તૈયાર કરાવવી, ગુજરાતી ભાષાની પરીક્ષાઓ લેવી અને એને માન્યતા અપાવવી, વિદેશમાં વસતા ગુજરાતી રચનાકારોની રચનાઓને પ્રોત્સાહન આપવું, ‘અસ્મિતા’ જેવા વાર્ષિકમાં સર્જનાત્મક રચનાઓ સાથે વિદેશમાં ગુજરાતી ભાષાસાહિત્યના પ્રશ્નોની ચર્ચા કરવી, આંતરરાષ્ટ્રીય ગુજરાતીદિનની ઉજવણી કરવી, બ્રિટનમાં જુદે જુદે સ્થળે ભાષાસાહિત્ય પરિષદ યોજવી જેવી અનેક પ્રવૃત્તિઓ આપણા સૌની પ્રશંસા માગી લે છે.
મંગલાચરણ પછી તરત પહેલી બેઠક શરૂ થઈ, જેનો વિષય હતો : ‘વિસ્તીર્ણ ગુજરાતનું સાહિત્યસર્જન’. વિપુલ કલ્યાણીએ વિષયની ભૂમિકા બાંધતાં ભીખુ પારેખ(તાજેતરમાં બ્રિટનના હાઉસ ઑફ લૉર્ડ્ઝમાં ચૂંટાવા બદલ)ને અભિનંદન આપ્યાં અને ભીખુ પારેખે ‘ડાયસ્પોરા લિટરેચર’ (વતનથી દૂર જઈ વસેલા આ પ્રવાસી-લોકોના સાહિત્યસર્જન) વિષે કરેલું નિરીક્ષણ ‘ગુજરાતી ભાષામાં ડાયસ્પોરા સાહિત્ય નથી.’ એ અંગે મતભેદ દર્શાવ્યો હતો. આ બેઠકના અધ્યક્ષપદે જયંત પંડ્યા હતા. બ્રિટનમાં જઈ વસેલા કવિ દીપક બારડોલીકર મુખ્ય વક્તા હતા. તેમણે શરૂઆતમાં જ કહ્યું કે, ગુજરાતમાં જ ગુજરાતીનો પ્રશ્ન છે. ખબરદારની પંક્તિ લઈ, ગુજરાત બહાર ગુજરાતીઓ જે દેશોમાં વસેલા છે તેની વાત કરતાં કહ્યું કે, બધા ગુજરાતી સમાજોની વાત નોખી નોખી છે. પાકિસ્તાનમાં અલગ ગુજરાતી સમાજ ૧૯૪૭-૪૮માં અસ્તિત્વમાં આવ્યો. પાકિસ્તાનના ગુજરાતીઓમાં મુસ્લિમો વધારે છે. પાકિસ્તાનમાં સર્જાતું ગુજરાતી સાહિત્ય મુખ્ય ધારા(મેઇન સ્ટ્રીમ)થી જુદું પડે તે નવાઈનો વિષય નથી. પાકિસ્તાનમાં બધાં સ્વરૂપોનું ખેડાણ થયું છે, પણ અફસોસ કે ગુજરાતને એની પડી નથી. પાકિસ્તાન ગુજરાતી શાયરોએ અનેક કાવ્યસંગ્રહો આપ્યા છે. શિવકુમાર જોશી, ચંદ્રકાન્ત બક્ષીએ પાકિસ્તાનના સાહિત્યકારો વિશે લખ્યું છે : (‘પગલાં પડી ગયાં છે’ – શિ. જો.; ‘ગુજરે થે હમ યહાં સે’ – ચં.બ.). આફ્રિકામાં વસેલા ગુજરાતીઓની વાત કરતાં બારડોલીકરે કહ્યું કે, ત્યાં હિંદુઓ-મુસલમાનો રોટલો રળવા આવ્યા હતા, પણ ત્યાં દૈનિકો દ્વારા પોતાનો અવાજ રજૂ કર્યો. ગુજરાતી ભાષાસંસ્કૃતિ જાળવવા પ્રયત્ન કર્યો. આફ્રિકામાં વસતા ગુજરાતીઓએ સાહિત્ય રચ્યું છે, જેને માટે પોરસાવા જેવું ન હોય તોપણ તે કાઢી નાખવા જેવુંય નથી. એ સાહિત્યમાં તેઓ જે ભૂમિમાં બેઠા છે તેની ઓછી, પણ માતૃભૂમિની સોડમ (વળગણ) વધારે છે. આફ્રિકાના ગુજરાતી સમાજને જ્યારે બ્રિટનમાં આશરો લેવો પડ્યો ત્યારે તેમાં અર્થોપાર્જનનો હેતુ મુખ્ય હતો, પણ એવાય ધૂની માણસો હતા જેમણે અનુભૂતિની અભિવ્યક્તિ માટે સાહિત્યસર્જન અને ભાષાવિકાસની ધૂણી ધખતી રાખી હતી. અહીં ગુજરાતી સાહિત્ય અકાદમી થઈ. લૅન્કેશાયરની રાઇટર્સ ગિલ્ડ થઈ. અહીં જે સર્જકો થયા તેમણે ગુજરાતી સાહિત્યને અનેક પુસ્તકો આપ્યાં. અહીં અનેક ગુજરાતી સામયિકો પ્રગટ થાય છે. અમેરિકામાં ગુજરાતી લિટરરી અકાદમી ઑફ નૉર્થ અમેરિકા થઈ છે. આ સંસ્થાઓએ સહરામાં વીરડા ગાળવાનું કામ કર્યું છે. શું ગુજરાતે અથવા ગુજરાતની સાહિત્ય સંસ્થાઓએ આની નોંધ લીધી છે?
રવિવારે બપોરની બેઠક હતી : ‘બારમો આંતરરાષ્ટ્રીય ગુજરાતીદિવસ મહોત્સવ’ માટેની. આ પ્રસંગે પણ સભાખંડ છલકાતો હતો. સંસ્કાર ગુર્જરી કાર્યક્રમ અંતર્ગત નાનાં બાળકો અને કિશોરીઓએ અભિનય કર્યો, રાસગરબા થયા અને તે પછી પદવીદાન સમારંભમાં ગુજરાતી પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થનાર છાત્રોને પ્રમાણપત્રો આપવામાં આવ્યાં. આ પ્રસંગે ઇલા આરબ મહેતા, વર્ષા અડાલજા અને રોઝાલ્બા તન્નાએ વક્તવ્યો આપ્યાં હતાં. એ પછી પ્રદ્યુમ્ન તન્ના અને રોઝાલ્બા તન્નાની કલાકૃતિઓનો સ્લાઇડ-શો હતો. એ પછી હતું કવિસંમેલન. એના આરંભે પ્રદ્યુમ્ન તન્નાના તાજેતરમાં પ્રગટ થયેલા કાવ્યસંગ્રહ ‘છોળ’નું વિમોચન મારે હસ્તે થયું. કવિ-સંમેલનનું સંચાલન બ્રિટનસ્થિત કવિ અદમ ટંકારવીએ કર્યું. જેમાં બેઘર લાજપુરી, નંદકિશોર ભટ્ટ, માસુમ કારોલિયા, પ્રફુલ્લ અમીન, વિનય કવિ, મજીદ ટંકારવી, બાબર બંબુસરી, પુરુષોત્તમ મિસ્ત્રી, હારુન પટેલ, જયંત પંડ્યા, અહમદ ગુલ, રમેશ પટેલ, દીપક બારડોલીકર, જગદીશ દવે, પ્રદ્યુમ્ન તન્ના, ઇસ્માઈલ કાઝી અને, આ પ્રસંગે ખાસ આવેલા મનહર મોદી અને અદમ ટંકારવીએ ભાગ લીધો.
બપોર પછી છેલ્લી બેઠક મળી. શરૂમાં તરતમાં પ્રગટ થયેલ લંડનવાસી જગદીશ દવેના મહાનિબંધ ‘ગુજરાતી અને મરાઠી સામાજિક નાટકો’ પુસ્તકનું પણ મેં વિમોચન કર્યું. જગદીશ દવેએ એ પ્રત મેઘનાદ દેસાઈને અર્પણ કરી. એ પછી અકાદમીના પ્રમુખ પોપટલાલ જરીવાલાએ ગુજરાતી સાહિત્ય અકાદમીની સમગ્ર પ્રવૃત્તિઓનો ખ્યાલ આપ્યો અને પરિષદને સફળ બનાવનાર સૌનો આભાર માન્યો. બેડફર્ડ મિત્રમંડળ વતી બિપિન શાહ અને મહેન્દ્ર મિસ્ત્રીએ આભાર માન્યો. એ પછી, આ પ્રસંગે ખાસ નિમંત્રિત ઇલા આરબ મહેતા, વર્ષા અડાલજા, જયંત પંડ્યાએ સંક્ષેપમાં પોતાના પ્રતિભાવો આપ્યા. ઇલાબહેને વાલિયામાંથી વાલ્મીકિ બનેલા આદિકવિના દૃષ્ટાંતથી લેખક લખતાં પહેલાં કેવી કેવી પ્રક્રિયામાંથી પસાર થાય છે તેનો નિર્દેશ કર્યો. વર્ષાબહેને પોતાને નાટ્યપ્રવૃત્તિમાંથી લેખનની પ્રવૃત્તિ તરફ કેવી રીતે વળવાનું થયું તેની વાત કરી. જયંત પંડ્યાએ ‘ડાયસ્પોરા’ને બદલે ‘અસ્મિતા’ શબ્દ માટે પક્ષપાત બતાવ્યો. ગુજરાતી અકાદમીના મકાનફંડનો નિર્દેશ કરીને તેમણે કહ્યું કે, ગુજરાતની અસ્મિતા ટકાવવા ગુજરાતીઓએ પોતાની કમાણીમાંથી કંઈક ફાળો સાંસ્કૃતિક-સાહિત્યિક પ્રવૃત્તિઓ માટે આપવો જોઈએ.
“હું ભલે માત્ર 14 વર્ષની હોઉં, મારે શું કરવું છે તેની મને બરાબર ખબર છે, મને ખબર છે કોણ સાચું છે અને કોણ ખોટું. મારી પાસે મારા અભિપ્રાયો, મારા પોતાના વિચારો અને સિદ્ધાંતો છે, અને કદાચ હું ગાંડાઘેલી કિશોરી જેવી લાગું તો પણ, હું એક બાળકને બદલે એક વ્યક્તિ જેવો અહેસાસ કરું છું, હું કોઈપણથી સ્વતંત્ર અનુભવ કરું છું … હું બીજા મોટાભાગના લોકોની જેમ, વ્યર્થ જીવવા નથી ઈચ્છતી. હું એવા લોકોનાં કામમાં આવવા માગું છું અને તેમના જીવનમાં ખુશી લાવવા ઈચ્છું છું, જેઓ મારી આસપાસ રહે છે પણ પણ મને જાણતા નથી. હું મર્યા બાદ પણ જીવવા ઈચ્છું છું.”