Opinion Magazine
Number of visits: 9458646
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ફરી પાછા

‘બાબુલ’|Poetry|6 August 2022

ભર્યા તડકામાં અચાનક વિખરાઈ જવાનું

નથી સમજાયું આજ તક વિસરાઈ જવાનું

જવા દો કે પડછાયા ફરી પાછા સંભારશે

જરાક જમીન મળી કે બસ પથરાઈ જવાનું

થઈ ગયાં છે ભીનાં વદન પાદર ઉપર

ફરી બસ બેડલું ઘેલું છલકાઈ જવાનું

એ એમ ઢાળી દે છે નજર મળ્યા પછી

કાજળ મઢી આંખને શરમાઈ જવાનું

હોઠ પર છો ને લખી સનાતન ચુપકીદી

ભલા પળમાં હઇયું ભીનું પરખાઈ જવાનું 

સખી ઝુલ્ફો તમારી વેલ રાતરાણી શી

કશે વરસે મેઘ મોઘમ વિટળાઇ જવાનું

ઘડીભર તો એમનું મલકવું ખૂબ લાગે  

ઉતાવળમાં પછી ‘બાબુલ’ ગભરાઈ જવાનું

Loading

સંપાદનનું કામ બહુ અઘરું છે 

"પ્રણય" જામનગરી|Opinion - Opinion|6 August 2022

આપણાં સાહિત્યિક સામયિકોના સંપાદનકર્મ વિષે કશું કહેવા જેવું નથી ! કારણમાં કેટલાંક કારણો જોઈએ તો સંપાદકે નૈતિક હિમ્મતના અભાવે કેટલીક નબળી કૃતિઓ એક જ સર્જકની હોય તો પણ વધુ સંખ્યામાં પ્રકાશિત કરવી પડી છે, કારણ કે એ સર્જકનું અન્ય સાહિત્યિક સંસ્થાઓમાં પણ વર્ચસ્વ ઘણું ! કેટલીક કૃતિઓ નોકરિયાત સંપાદક પર ઉપરથી ભલામણ-દબાણ આવે એટલે ય જે તે સર્જકની અણગમતી કૃતિઓ ય પ્રકાશિત કરવી પડે ! આપણા મોટા ભાગનાં સાહિત્યિક સામયિકો સાહિત્યિક સંસ્થાના મુખપત્રો છે એટલે એ સંસ્થાના હોદ્દેદારો – મોટાભા-ઓની કૃતિઓની ગુણવત્તા જોયા વિના જ કૃતિ/કૃતિઓની પ્રકાશિત કરવાની લાચારી સંપાદકોની હોય છે ! કેટલીક વાર  સંપાદકની આસપાસ ઘેરી વળનારું સર્જકોનું ટોળું હોય છે એટલે સંપાદકની નજરે અન્ય ચહેરાઓ ચડતા જ નથી ! આવા સર્જકોનાં ઓશિંગણ બનતા સંપાદક પણ હોઈ શકે છે. સુરેશ દલાલને સંપાદન માટે ટ્રસ્ટની સ્વતંત્રતા હતી એટલે કેટલાક પ્રસંગે એમણે નૈતિક હિમ્મત બતાવી છે. કહેવાય છે કે રમેશ પારેખે “કવિતા” માટે કેટલાક કરફ્યુ કાવ્યો મોકલ્યા ત્યારે સુરેશ દલાલે એ પરત મોકલતા નોંધ કરી કે “કર ફ્યુ” (ઓછા કર) !

એવું જ સ્વરૂપલક્ષી સંપાદનોમાં ગઝલોનું હરીન્દ્ર દવેનું “મધુવન” જોઇએ તો કેટલીક કૃતિઓ ગઝલેતર પણ લાગે ! (મક્તા-મત્લા, રદીફ-કાફિયા – બે મિસરાથી બનતા શેરની વ્યવસ્થાનો અભાવ વ.) “ઉશનસ્”ની ગઝલોનો ભાગ્યે જ સ્વીકાર થઈ શકે, છતાં ય એમની ગઝલોથી અસંમત થનાર ચિનુ મોદી “ગઝલ ઉસને છેડી”, “ગુજરાતી ગઝલ” વ. સંપાદનમાં એમની કૃતિ સમાવે ! સંપાદનોમાંની ઘણી કૃતિ સંપાદિત પુસ્તક પર બોઝ બનતી અનુભવાય !

સર્જકલક્ષી – સ્વરૂપલક્ષી સંપાદિત પુસ્તકમાં સંપાદકે કોઈ સર્જક – કૃતિનો સમાવેશ ન કર્યો હોય તો એણે સંપાદકીય લેખમાં એના પ્રતીતિકર કારણો જણાવવા જોઈએ.

સંપાદનને બિનજવાબદાર સમજી ડાબે હાથે સંપાદન કરનારનો તોટો નથી; આવા સંપાદકોમાં કેટલાક તો તજ્જ્ઞ પણ હોઈ શકે છે !

તા.ક. આ સંદર્ભે આપણા હાસ્યલેખક વિનોદ ભટ્ટે નોંધેલ એક પ્રસંગ નોંધપાત્ર છે :

એ દિવસોમાં વિનોદભાઈ લેખક તરીકે હજુ નવા જ ગણાય; “નવચેતન” સામયિકમાં એમના લેખો પ્રકાશિત થાય; “નવચેતન”ના તંત્રી અને સંપાદક ચાંપશીભાઈ ઉદ્દેશી.

એક વાર અમદાવાદમાં લાલ દરવાજા પાસે “વીજળીઘર” પાસે બન્ને મળ્યા. ત્યાં જ ચાની હોટલમાં વિનોદભાઈ તંત્રી ચાંપશીભાઈને આગ્રહપૂર્વક ચા-પાણી માટે લઈ ગયા, ચા-પાણી કર્યા બાદ આગ્રહપૂર્વક એના પૈસા પણ વિનોદભાઈએ જ ચૂકવ્યા. ચાંપશીભાઈની સ્પષ્ટવક્તા તરીકેની નૈતિકતાભરી તંત્રીવાણી જૂઓ; એમણે વિનોદભાઈને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું;

“હવે એક મહિના સુધી “નવચેતન” માટે તારો લેખ ન મોકલીશ.”

આપણા સંપાદકો અને તંત્રીઓને માટે આ પ્રસંગ અને ચાંપશીભાઈના આ શબ્દો દીવાદાંડીરૂપ છે.

તા. ૦૬-૦૮-૨૦૨૨    

Loading

બે ગઝલ

"પ્રણય" જામનગરી|Poetry|6 August 2022

સહુ 

રોજ રોજ એની એ ચર્ચા કરે છે સહુ ! 

ઘાવ તાજો છે – ને નમક પણ ભરે છે સહુ ! 

આજકાલ ક્યાં છે તેઓ ખુશખુશાલ પણ ?

આવનાર વક્તથી યે બહુ ડરે છે સહુ ! 

આરપારનો ય નથી શક્ય નિર્ણયે,

એક એક પગલું ડરીને ભરે છે સહુ ! 

બોલવાનું કૈં જ નથી હોતું એમને,

રાત કે દિʼ કૈં જ ક્યાં એ ઉચ્ચરે છે સહુ ! 

સ્થાઇ કૈં જ હોતું નથી ઘર કે બાર પણ;

ગામ-ગામ, શ્હેર મહીં પણ ફરે છે સહુ ! 

આમતેમ ઠેકઠેકાણે ભટકતું મન,

આખો દિવસ આમતેમ બસ, ફરે છે સહુ ! 

માર્ગ ક્યાં ય સાંજ લગી લઇ ન જઇ શકે,

રોજ રોજ એ જ સફર આદરે છે સહુ ! 

ભેળસેળ થાય ઘણી ચીજમાં અહીં,

રોજ રોજ મૌત વિના પણ મરે છે સહુ ! 

લાશ માંહે કૈં જ નથી હોતું છેવટે, 

રોજ રોજ એમ – મરીને મરે છે સહુ ! 

એવો કેવો સ્વાદ એને આવતો હશે ?

જાણી-જોઇ ઝેર પી-ને પણ મરે છે સહુ ! 

સાંભળે છે કોણ ‘પ્રણય’, આ શહેરમાં ?

હાથ જોડી જોડી ફરી કરગરે છે સહુ ! 

તા. ૦૧-૦૮-૨૦૨૨    

+++

બીજું બધું તો ઠીક ! 

ગાળિયામાં ડોક છે; બીજું બધું તો ઠીક ! 

દુશ્મને ય કોʼક છે; બીજું બધું તો ઠીક ! 

ત્રાહિમામ્ લોક છે; બીજું બધું તો ઠીક !

શબ્દ-શબ્દ પોક છે; બીજું બધું તો ઠીક !

મોંઘવારી આવશે બીજા ય માર્ગથી,

રાહતો એડહૉક્ છે; બીજું બધું તો ઠીક ! 

હાડમારી રોજની આ મારી નાખશે,

બીજી વાત ફોક છે; બીજું બધું તો ઠીક ! 

બ્હાર રાજીપો જ ભલે જોઇ પણ શકો,

ભીતરે તો શોક છે; બીજું બધું તો ઠીક ! 

રોશનીથી કેમ એ અંજાય ઝૂંપડી ?

બંગલાઓ થોક છે; બીજું બધું તો ઠીક ! 

કોઇ માનતું જ નથી દંડવા છતાં,

રોજ રોકટોક છે; બીજું બધું તો ઠીક ! 

શાસકો તો એ જ હ , આજકાલ જેમ,

માણસો ડરપોક છે; બીજું બધું તો ઠીક ! 

માણસો ય એ જ ‘પ્રણય’, સાચું માનતા,

સ્વર્ગ-નર્કલોક  ; બીજું બધું તો ઠીક ! 

તા. ૦૧/૦૨/-૦૮-૨૦૨૨ 

Loading

...102030...1,2971,2981,2991,300...1,3101,3201,330...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved