સર્જકોની લીલા સમયે પણ હશે તો નર્યો અંધકાર
અને માની કૂખે પાંગર્યું હશે બીજ
ત્યારે પણ
હશે તો નર્યો અંધકાર જ !
નવ નવ મહિનાનો વિકાસ પણ તો
થયો અંધકારમાં જ
ટેવ તો હતી ગર્ભાશયની
ગહન શ્યામલતાને જીરવવાની
તો પણ જન્મીને
દુનિયા તો માની આંખે જ જોઈ
સમજણ આવી ત્યારે
કર્ણમૂળે વહી આવ્યો શબ્દ ‘પ્રજ્ઞાચક્ષુ’
ત્યારે સમજાયું કે
આ દેહ પર ક્યાંક ચર્મચક્ષુઓ પણ છે !
પછી પરિચય થયો શૂન્યોથી
એમણે કહ્યું કે એટલે ડોટ્સ …
ગહન અંધકારની માયાજાળ ઉકેલતી
લઈ જાય ઉજાસ ભણી
એવી આનંદયાત્રા.
આજે ચાર જાન્યુઆરીએ
યાદ આવે સૌને અંધારા ઉલેચતી
બ્રેઈલલિપિ … થેન્ક્યૂ બ્રેઈલ !
![]()


કૃષ્ણ સુદામાની વાર્તા તો તમે વાંચી હશે. સુદામાજી કૃષ્ણના પરમ ભક્ત અને દોસ્ત પણ ખરા. સુદામા રહેતા એ નગર સુદામાપુરી કહેવાયું. પુરાણની સુદામાપુરી તે આજનું આપણું પોરબંદર. સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારે આવેલ પ્રસિદ્ધ બંદર.








આપણા પાટનગર દિલ્હીમાં બાપુને મોટા મોટા રાજપુરુષો મુલાકાતે નોતરતા. બાપુ એ કાળે સેવાગ્રામ આશ્રમમાં ગ્રામવાસીઓ વચ્ચે રહેતા. ગામડાંના ગરીબો સાથે વસીને બાપુ દેશ-દુનિયાનું કામ કરે. 1942ની ‘ભારત છોડો’ની દેશ વ્યાપી લડત પછી વિલાયતના માંધાતાઓને મોડી મોડી પણ સાન આવી. હવે તો ભારત છોડ્યે જ છૂટકો છે એવું પરદેશી ગોરાઓને ભાન થયું. આ બાબતની વાટાઘાટો કરવા વિલાયતની પાર્લામેન્ટના મોવડીઓ દિલ્હી આવે. બાપુ સેવાગ્રામથી આ લોકોને મળવા દિલ્હી આવે.
વિરાટ ભારતના ભાગલા થયા. એ સુંદર દેહના ટુકડાઓને સ્વરાજ માની નેતાઓએ સંતોષ માન્યો. અંગ્રેજો જતા જતા દેશના ભાગ પાડીને ઘા કરતા ગયા. બાપુને ભાગલાથી કારી ઘા લાગ્યો. ત્રીસ વર્ષની તપશ્ચર્યાનો કરુણ અંજામ આવ્યો એ બાપુને અસહ્ય હતું.