Opinion Magazine
Number of visits: 9568708
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ

સોનલ પરીખ|Opinion - Opinion|11 February 2023

સ્માર્ટ ફોન, આપણને એનું વ્યસન થઈ જાય એ રીતે જ ડિઝાઈન થયો છે. ઈલાજ એ નથી કે સ્માર્ટ ફોનનો ઉપયોગ બંધ કરવો. ઈલાજ એ છે કે સ્માર્ટ ફોન કરતાં વધારે સ્માર્ટ થવું. નવા વર્ષે એ જ સંકલ્પ લઈએ તો?

મહાભારતના દુર્યોધનની ‘જાનામિ ધર્મમ્‌ ન ચ મે પ્રવૃત્તિ, જાનામ્યધર્મમ્‌ ન ચ મે નિવૃત્તિ’ ઉક્તિ મહાભારત યુગથી માંડીને મોબાઈલ યુગ સુધીની માનસિકતાને લાગુ પડે. શું યોગ્ય છે તે જાણવા છતાં એ થઈ શકતું નથી અને શું અયોગ્ય છે એ જાણવા છતાં એ છોડી શકાતું નથી – આ સંઘર્ષ ત્યારનો કે આજનો નહીં, કોઈપણ સમયનો છે.

સોનલ પરીખ

2022 હર્મન હેસની પ્રખ્યાન નવલકથા ‘સિદ્ધાર્થ’નું શતાબ્દીવર્ષ હતું. હેસે બંને વિશ્વયુદ્ધમાં વિશ્વને ખુવાર થતું નજીકથી જોયું અને ‘ઓ ફ્રેન્ડ્ઝ, નોટ ઈન ધીસ ટોન’માં લખ્યું, ‘આપણે જાણીએ છીએ કે પ્રેમ ધિક્કારથી મોટો છે, સમજદારી દ્વેષ કરતાં ઊંચી છે અને શાંતિ યુદ્ધ કરતાં ઉમદા છે પણ વિશ્વવિગ્રહે આપણાં મૂલ્યોને ઊલટાંસૂલટાં કરી નાખ્યાં છે.’

ગઈ સદીમાં મૂલ્યોને ઊલટાંસૂલટાં કરી નાખવાનું જે કામ વિશ્વયુદ્ધોએ કર્યું હતું તે કામ આજે ટૅક્નૉલૉજી કરી રહી છે. તાજી વાત કરીએ તો 2020ની ડૉક્યુ-ડ્રામા ‘ધ સોશ્યલ ડિલેમા’માં અમેરિકાના ટૅક્નૉલૉજી-એથિસિસ્ટ ટ્રિસ્ટન હેરિસે કહ્યું, ‘હું તો સ્માર્ટ ફોનની દરેક ચાલ સમજતો હતો, છતાં એને છોડી શકતો નહોતો. મહામુશ્કેલીએ હું એને મારા કાબૂમાં કરી શક્યો. પણ મારી ખરી ચિંતા એ છે કે આપણે નવી પેઢીને એવી ટ્રેઈનિંગ, એવું કન્ડિશનિંગ આપી રહ્યા છીએ કે દરેક ઉદ્વેગ, એકલતા, ભય કે અનિશ્ચિતતાની સ્થિતિનો ઉકેલ આપણા “ડિજિટલ પેસીફાયર” એટલે કે સ્માર્ટ ફોન પાસે છે. એનાથી આપણી કુદરતી ઉકેલક્ષમતા નકામા અવયવની જેમ નાશ પામશે.’

કેવું બદલાઈ ગયું છે આપણું ભાવવિશ્વ – આપણું સુખ એટલે બ્રાન્ડ ન્યૂ સેલફોન, આપણું દુ:ખ એટલે સાયલન્ટ મોડ પર મૂકેલો સેલફોન ખોવાઈ જવો, ગુસ્સો એટલે કોઈનો સેલફોન છુપાવી દો પછી તેને થાય તે, આપણો આનંદ એટલે સરસ સેલ્ફી અપલોડ થાય તે અને આપણી પીડા એટલે એડિટ કર્યા પછીની પ્રોફાઈલ તસવીર જેવા ન દેખાઈ શકવું તે. ઊલટાંસૂલટાં થવાનું એટલી હદે પહોંચ્યું છે કે આપણે જ શોધેલી ટૅક્નૉલૉજી હવે આપણને એની આંગળીઓ પર નચાવે છે, ને આપણે નાચીએ પણ છીએ, કેમ કે આપણો સ્માર્ટ ફોન આપણા કરતાં વધારે સ્માર્ટ છે. જે સહેલાઈથી દૂર બેઠેલા લોકો નજીક છે એવો ભ્રમ આપે છે એ જ સહેલાઈથી બાજુમાં જ બેઠેલી વ્યક્તિને દૂર કરી દે છે. આપણી સંવેદના કોઈ કાનમાં બૂમો પાડે ન સંભળાય એવી બધિર બનાવી સ્માર્ટ ફોન આપણી એટેન્શન સિકિંગની આદિમ વૃત્તિ પર ટાર્ગેટ કરી પોતાનો આખો કારોબાર ચલાવે છે.

સ્માર્ટ ફોનને વખોડવાનો આશય નથી, પણ જ્યારે એ આપણા જીવનનો અગત્યનો હિસ્સો બની ગયો છે ત્યારે આપણે એના વિશે થોડું સમજી તો લેવું જોઈએ. આપણે એના વિશે પૂરું જાણતા નથી જ્યારે એ આપણા વિશે આપણાથી વધારે જાણે છે. સોશ્યલ મિડિયા કંપનીઓના કેટલાક ‘હિડન એજન્ડા’ છે – એ આપણી દરેક ક્લિક રેકૉર્ડ કરે છે, એનું એનાલિસિસ કરે છે, એને ટાર્ગેટ કરે છે અને આ ડેટાનો ફ્યુચર મોડેલ બનાવવામાં ઉપયોગ કરે છે. બે વ્યક્તિ વચ્ચેની ઓનલાઈન ફ્રેન્ડશીપ કોઈ ત્રીજી વ્યક્તિ નક્કી કરે છે ને કમાય છે. મનોવિજ્ઞાન કહે છે કે ભ્રમ ત્યારે કામ કરે છે, જ્યારે એ તમારા દિમાગના એવા હિસ્સાને સ્પર્શે છે જેની તમને જાણ નથી. લાઈકથી ખુશ થતી વખતે આપણને ખબર હોતી નથી કે એને લીધે આપણી પોકળતા-હોલોનેસ વધે છે. આ ખાલીપો ફરી ફરી, વધુ ને વધુ લાઈક મેળવીને જ ભરાય છે. આખું સોશ્યલ મિડિયા ફોસલાવવાની રમત છે. ફેસબુક ફોસલાવવામાં એટલું ઉસ્તાદ છે કે લગભગ આખા દેશની જનતાને કાબૂમાં લઈ શકે છે.

આપણે બધા, ખાસ તો નવી પેઢી વૉટ્સ અપ, ફેસબુક ને ટ્વિટર પર જે મુકાય તેને સાચું માની લે છે. એની ઈચ્છાશક્તિ એને ખબર ન પડે એમ નિયંત્રિત થવા લાગે છે. એક આભાસી વિશ્વ, ઈનામ મળવાથી થતી લાગણી ઉત્પન્ન કરતા ડોપામાઈન નામના રસાયણનો સ્રાવ વધારે છે. આત્મવિશ્વાસ મળવા ને તૂટવાની ઘટના સેલ્ફીને મળતી કૉમેન્ટ્સ પર આધાર રાખતી થઈ જાય છે. મોબાઈલ-મેનિયા પછી તરુણોની આત્મહત્યા 65 ટકા વધી છે એ આપણે જાણીએ છીએ? આપણી મોબાઈલ-નિર્ભરતાનો કટ્ટરવાદીઓ, અલગતાવાદીઓ અને ફેકન્યૂઝવાળા પુષ્કળ લાભ ઉઠાવે છે. એ લોકોને બરાબર ખબર છે કે જૂઠી ખબર, સાચી ખબર કરતાં અનેકગણી વધારે ઝડપે ફેલાય છે ને ભડકામણી વાતો ફેલાવવી સરળ છે કેમ કે લોકો ઉતાવળમાં હોય છે, સાચું-ખોટું પારખવાની ઝંઝટમાં પડતા નથી ને એમને ઉશ્કેરાવું ગમે છે.

સ્માર્ટ ફોન, આપણને એનું વ્યસન થઈ જાય એ રીતે જ ડિઝાઈન થયો છે, એ આપણને એવા વહેમમાં રાખે છે કે કર્તાહર્તા આપણે જ છીએ કેમ કે આપણે વહેમમાં રહીએ તો જ વ્યસનની પ્રતીતિ ન થાય. આપણે સ્ક્રીન પર રોકાયેલા રહીએ તેમ એ વધારે નફો કમાય, આપણા અભિપ્રાયો-લાગણીઓ-માનસિકતા બદલવામાં સફળ થાય અને અને ખોટા સમાચાર કે લાભદાયક થિયરી ફેલાવી શકાય. સ્માર્ટ ફોનનો ઉપયોગ બંધ કરવો એ આનો ઈલાજ નથી, અને એ શક્ય પણ નથી. ઈલાજ એ છે કે સ્માર્ટ ફોન કરતાં વધારે સ્માર્ટ થવું. એનો યોગ્ય ઉપયોગ કરવો, એના ગુલામ ન થવું.

પણ, એની લતમાંથી છૂટવું કઈ રીતે?

પહેલા તો પોતાની સ્થિતિ જાણો. જો તમે ત્રણ કલાકથી વધારે મોબાઈલ વાપરો છો તો તમને એની લત લાગી છે એ સમજી લો. એ પણ મોનિટર કરો કે કેટલી વાર, કેટલા સમયાંતરે મેસેજ ચેક કરો છો. જાગૃતિ પહેલું પગલું છે. ‘ચેકી’, ‘ટાઈમર’ જેવી એપ્સ ડાઉનલોડ કરો જે તમારા વપરાશને ટ્રેક કરે.

પછી પ્લાન બનાવો. એક્દમ વપરાશ છોડશો તો અજંપો-એંક્ઝાયટી આવશે. દિવસમાં સવારે એક કલાક ને રાતે એક કલાક નક્કી કરો, એ સિવાય ફોનને અડવાનું નહીં. અડધી કલાકે એક વાર ચેક કરો. એના કરતાં ઓછો વાપર્યો હોય તો પોતાને રિવૉર્ડ આપો. મોબાઈલ આંખથી દૂર રાખો. કામના કલાકોમાં મોબાઈલ સાયલન્ટ રાખો. કોઈને આપી રાખો અને વાપરવો હોય ત્યારે માગો. અઠવાડિયામાં એક દિવસ ‘હોલિડે’ રાખો. બધાને કહી દો કે આ દિવસે મોબાઈલ ઑફ હશે. ફોન વિશે વિચાર્યા ન કરો. વાંચન, સંગીત, મિત્રો, ફરવું વગેરે બહેતર વિકલ્પ તૈયાર રાખો. માઈન્ડફુલનેસ અને સર્જનાત્મકતા કેળવો. એ તમને મોબાઈલના વ્યસનથી તો મુક્ત કરશે, પણ વ્યક્તિત્વ-વિકાસની દૃષ્ટિએ પણ કામ આવશે. રચનાત્મક રીતે વ્યસ્ત રહો.

એક ઉપાય સેટિંગ બદલવાનો પણ છે. પેમેન્ટ સિસ્ટમ બદલી કાઢો. પે એઝ યુ ગો એવા પ્લાન હોય છે અને અમુક એમાઉન્ટ ભરો એટલે અમુક મિનિટની જ છૂટ મળે એવી સગવડ પણ હોય છે. ટેવ બદલો.

આ બધું છતાં જો છોડી ન શકાય તો ટ્રીટમેન્ટ લેતા અચકાતા નહીં. સ્માર્ટ ફોનના સ્માર્ટ યુઝર બનવું એ આજની અનિવાર્યતા છે. નવા વર્ષે એ જ સંકલ્પ લઈએ તો?

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 01 જાન્યુઆરી 2023

Loading

यात्रा से आगे

कुमार प्रशांत|Opinion - Opinion|10 February 2023

कुमार प्रशांत

बात राहुल गांधी से शुरू करूं या या इतिहास से ? इतिहास से ही करता हूं क्योंकि जो इतिहास का संदर्भ नहीं समझते हैं, वे बहुत जल्दी इतिहास बन जाते हैं. इसलिए राहुल गांधी की पदयात्रा को देखने से पहले भारतीय संस्कृति की तरफ देखते हैं जिसकी अपनी एक यात्रा निरंतर चलती रहती है.  हम यह ध्यान रखें कि जब हम यात्रा की बात करते हैं तो वह सफर से अलग मतलब रखती है.

ईश्वर से दिए पांवों से अलग, चलने के दूसरे साधन जब तक मनुष्य ने खोजे नहीं थे, तब तक पांवों उसका सबसे बड़ा व भरोसे का साथी था. प्राचीन ऋषियों-मुनियों-साधकों आदि का इतिहास हम न भी खंगालें तो भी यह देखना कितना लोमहर्षक है भारत को चार खूटों में बांधने की शंकराचार्य की यात्रा हो कि धर्मप्रवर्तन की गौतम बुद्ध की यात्रा या तीर्थंकर महावीर का परिभ्रमण हो, भारत ने पदयात्राओं से ही खुद को आकार लेते, संस्कारवान होते पाया है. नवीन सत्य के उद्घाटन के लिए हो या सत्य से वृहद् समाज को जोड़ने के लिए हो या अपनी संस्कृति का उद्बोध जगाने के लिए हो, पदयात्राएं इस देश की संस्कृति का अधिष्ठान रही हैं. ऐसा संसार में दूसरी जगहों पर नहीं मिलता है या बहुत ही कम मिलता है.

महात्मा गांधी के रूप में हमें एक ऐसा संस्कृति-पुरुष मिला जिसने प्राचीनतम व नवीनतम का सेतुबंध किया और ताउम्र हमारे मन-प्राणों को झकझोर कर आधुनिक बनाने का उद्यम किया. उस गांधी को हम सुदूर दक्षिण अफ्रीका में मिल मजदूरों को ले कर वह कूच करते पाते हैं जिसे रोकने-समझने में जनरल स्मट्स की गोरी सरकार बला की भोंदू नजर आई. गांधी के संदर्भ में हम बार-बार ऐसा होते पाते हैं. फिर हम 1930 में महात्मा गांधी को नमक सत्याग्रह के वक्त एक लंबी पदयात्रा करते पाते हैं जब वे साबरमती आश्रम से निकल कर, 388 किलोमीटर दूर दांडी के समुद्र तट तक जाते हैं. इस छोटी-सी पदयात्रा ने भारतीय स्वतंत्रता संग्राम को जैसी धार व उत्कटता दी, उसका दूसरा कोई सानी नहीं है.

इसके बाद क्षितिज पर उभरते हैं आचार्य विनोबा भावे ! उन्होंने जिस तरह भूदान की पदयात्रा की, वह ‘न भूतो न भविष्यति’ की श्रेणी का उपक्रम था. वह ज्ञात इतिहास में ऐसी एकमात्र पदयात्रा है  जिसका एक ही उद्देश्य था : अहिंसक क्रांति के लिए देश का मन तैयार करना ! क्रांति के मूल्यों को ले कर समाज से वैसी टक्कर लेने वाला दूसरा कोई अब तक सामने नहीं आया है. विनोबा के शब्दों में कहू तो यह विचार-क्रांति का तूफ़ान था.

इसके बाद भी यात्राओं या पदयात्राओं के दूसरे कुछ उदाहरण भी मिलते हैं जैसे बाबा आमटे की भारत जोड़ो यात्रा जिसने आजादी के बाद युवाओं को उनकी सामाजिक जिम्मेवारियों का व्यापक अहसास कराया. एक लंबी यात्रा जनता पार्टी के अध्यक्ष रहे राजनेता चंद्रशेखर ने भी की जिसमें वे अपनी राजनीतिक जमीन तलाशते रहे. बाद में वे अल्पकाल के लिए देश के प्रधानमंत्री भी बने. पद के लिए पदयात्रा जैसे कुछ छिटपुट उदाहरण और भी मिलेंगे लेकिन जाने-अनजाने में राहुल गांधी ने इन सबसे अलग एक नया परिदृश्य रचा.

वे ऐसे वक्त, एक ऐसी पदयात्रा पर निकले जिसकी देश की हवा में कहीं भनक भी नहीं थी.  राहुल गांधी और कांग्रेस की उनकी टीम ने भी पदयात्रा की तैयारी वगैरह की जितनी भी बारीक योजना बनाई हो तथा अनुशासन आदि तैयार किया हो, यह तो नहीं सोचा था कि यह लोगों में ऐसी हलचल पैदा करेगा. किसी को भी यह अंदेशा नहीं था – राहुल गांधी को भी नहीं – कि यह पदयात्रा कांग्रेस को व देश को इस तरह आलोड़ित कर देगी.

इस पदयात्रा का सत्ता में वापसी जैसा कोई उद्देश्य होगा, यह मानना संभव नहीं है. आज कांग्रेस जिस तरह टूट व चुक चुकी है उसके बाद यह सोचना कि एक पदयात्रा से वह इस कदर उठ खड़ी होगी कि सीधा दिल्ली में गद्दीनशीं हो जाएगी, खतरनाक बचकानापन है. राहुल गांधी में ऐसा बचकानापन नहीं है. इसलिए पूरी यात्रा में कहीं भी, कभी भी राहुल गांधी ने कांग्रेस की वापसी या अपनी सत्ता की बात नहीं की. उन्होंने जो बात सबसे ज्यादा की और इस यात्रा का जो परिणाम सबसे दृश्य है आज, वह यह है कि देश का सामान्य विमर्श कुछ बदला हुआ लगता है. जो बात कहीं से भूली जा रही थी, वह जैसे याद आने लगी है. हिंदुत्व की जैसी विषैली व्याख्या और उसका जैसा वीभत्स चेहरा पिछले वर्षौं में सामने आया है, उससे सारे देश में एक सन्नाटा छा गया था. जो बोलना था वह एक ही व्यक्ति को बोलना था, जो करना था वह उन्मत्त भीड़ को करना था. बाक़ी किसी के पास कुछ कहने व करने जैसा बचा नहीं था. जनता को जब आप भीड़ में बदल देते हैं तो वह लोक की भूमिका से विमुख हो जाती है. यह डर का सन्नाटा भी था और विमूढ़ता का सन्नाटा भी था.

ऐसा तब होता है जब समाज को कोई रास्ता नहीं मिलता है. तब डर कर चुप हो जाता है. रास्ता दिखाने वाला कोई सामने नहीं होता है, तो रास्ता भटक जाना स्वाभाविक होता है. बच्चा भी भटक जाता है जब घर उसे रास्ता नहीं दिखा पाता है. इसलिए बहुत जरूरी होता है कि देश का राजनीतिक तंत्र जैसे भी, जिधर भी चले, लोक के स्तर पर एक प्रगतिशील नेतृत्व सामाजिक पटल पर मजबूती से खड़ा भी रहे तथा जनता से सीधे संपर्क में भी रहे. ऐसा नहीं होता है तो लोकतंत्र सिकुड़ कर तंत्रलोक बन जाता है जिसमें सबसे वाचाल सियारों का हुआं-हुआं होता रहता है.  ऐसा ही हाल हमारा हो गया था. राहुल गांधी की पदयात्रा ने यह सन्नाटा तोड़ा है. एक भिन्न आवाज आज अपनी जगह बनाने लगी है. यह पूरी तरह सजग नहीं है, इसे खतरों का पूरा अहसास नहीं है. लेकिन जो संभावना टूटती-सी लग रही थी, जो लौ बुझती-सी लग रही थी, वह फिर सर उठा रही है.

यह लोकतंत्र का लोक है जिसने इस यात्रा के दौरान अपनी आंखें खोली हैं या कहूं कि जिसने सारा परिदृश्य नई तरह से देखना-समझा शुरू किया है. लेकिन यह भी खूब ठीक से समझने की जरूरत है कि राजनीतिक दल के रूप में कांग्रेस को भी और  विपक्ष को भी अपने अस्तित्व की लड़ाई अलग से लड़नी होगी.  यह यात्रा भारतीय जनता पार्टी को भी यह संकेत दे रही है कि सत्ता का सुख चाहे जितना लुभावना हो, सत्ता में शक्ति जनता से आती है. सत्ता जनता से मिलती है तथा जनता की आराधना से ही वह टिकती है. यह बात न कांग्रेस भूले, न भारतीय जनता पार्टी, सारा विपक्ष ! मतलब यात्रा से आगे भी एक यात्रा है जिसे पूरी एकाग्रता से पूरी किए बिना किसी भी राजनीतिक दल का कल्याण संभव नहीं है.

(10.02.2023)
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

કોર્વાતુન્તુરી – આ રણઝણતું નામ સાન્તા ક્લૉઝનું ઘર છે…

સોનલ પરીખ|Opinion - Opinion|10 February 2023

અમેરિકામાં એક યુવાન માતાએ વાત મૂકી કે હવે તો બાળકો ટેકનોસેવી અને સ્માર્ટ બની ગયા છે તો તેમને ક્રિસમસ ટ્રી અને સાન્તા ક્લૉઝને બદલે બીજું કંઈક આપવું જોઈએ, ત્યારે શાળાના સંચાલકોએ કહ્યું કે ‘ક્રિસમસ ટ્રી અતિશય ઠંડી વચ્ચે ખીલતાં જીવનનું પ્રતીક છે અને સાન્તા ક્લૉઝ બાળકોને વૃદ્ધો પ્રત્યે આદરથી જોતા શીખવે છે અને સંવેદનશીલ બનાવે છે. સાન્તા ક્લૉઝ એક સંસ્કાર છે, એક મૂલ્ય છે. નાતાલ અને નવું વર્ષ બાળકોને આશા, ભલાઈ, પ્રેમ અને સારાં કાર્યો તરફ શ્રદ્ધાથી જોતાં કરવાનો સમય છે. આપણે એ જ રીતે નાતાલ ઊજવીશું.’ 

નાતાલ અને નવા વર્ષને આપણે એ રીતે જોઈએ છીએ, ખરા? 

બાય ધ વે, આર્ક્ટિક સર્કલ પર લૅપલૅન્ડ અને રશિયાની સરહદે કોર્વાતુન્તુરી જેવું રણઝણતું નામ ધરાવતી કાન આકારની ટેકરી છે. ત્યાં સાન્તા ક્લૉઝનું ‘ઑફિશ્યલ હોમ’ છે.

ચીનમાં કોરોનાનો ઉપદ્રવ પૂરજોશમાં છે ત્યારે આપણને હજી જેને ભૂલ્યા નથી એ લોકડાઉનનાં વર્ષો ચોક્કસ યાદ આવી જાય. એની સ્મૃતિઓ અને ભવિષ્યમાં ફરી એવું તો નહીં થાય-ની આશંકા વચ્ચે 2022નું વર્ષ વિદાય લઈ રહ્યું છે, ત્યારે આપણે એક પ્રસન્ન અને સુંદર કલ્પનાની થોડી ક્ષણોને જીવી લઈએ તો કેમ?

જિંગલ બેલ જિંગલ બેલ, જિંગલ ઑલ ધ વે, સાન્તા ક્લૉઝ ઇઝ કમિંગ એલોંગ, રાઈડિંગ ઑન ધ સ્લેજ … નાતાલની બર્ફિલી રાત્રે લાલ રંગના ફરવાળા પોષાકમાં લાંબી શ્વેત દાઢી ફરકાવતા સાન્તા ક્લૉઝ રેન્ડિયર જોડેલી બરફગાડીમાં આખી દુનિયાની પરિક્રમા કરીને આવે છે અને બાળકોને ભેટ આપે છે. 

સાન્તા ક્લૉઝ ઈઝ કમિંગ – એ આવે છે, પણ ક્યાંથી આવે છે? આટલી બધી ભેટો ક્યાંથી લાવે છે? યુરો-અમેરિકાનાં બાળકોને પૂછો કે સાન્તા ક્લૉઝ ક્યાંથી આવે છે, તો કહેશે, ઉત્તર ધ્રુવથી.

જરા શાંતિથી વાત કરીએ : ઉત્તર ધ્રુવ એટલે પૃથ્વીની ટોચ. આર્ક્ટિક મહાસાગર તેને ઢાંકીને બેઠેલો છે. તેની આસપાસનો વિસ્તાર આર્ક્ટિક સર્કલ તરીકે ઓળખાય છે. દુનિયાના આઠ દેશના ઉત્તર છેડા આ સર્કલને અડકે છે. તેમાંનો એક દેશ એટલે ફિનલૅન્ડ. છેલ્લા પાંચ વર્ષથી હેપીનેસ ઈન્ડેક્સમાં પ્રથમ આવતા ફિનલૅન્ડના આર્ક્ટિક સર્કલને અડકતા પ્રદેશનું નામ છે લૅપલૅન્ડ. આ લૅપલૅન્ડ અને રશિયાની સરહદે કોર્વાતુન્તુરી જેવું રણઝણતું નામ ધરાવતી કાન આકારની ટેકરી છે. શુદ્ધ હવા અને ઊંચા પાઈન વૃક્ષોનાં શાંત ગાઢ જંગલ વચ્ચે મોટાં, શિંગડાવાળાં હરણ જેવાં નિર્દોષ ટોળેટોળાં રેન્ડિયરો વિહરે છે. અતિશય ઠંડી આબોહવાથી સાતાઆઠ મહિના બરફ છવાયેલો રહે. બરફની રમતો ખેલાય. જળાશયો પણ થીજી જાય. ઉનાળે બરફ પીગળે ને જળાશયોમાં એનાં મોટાં ચોસલાં તરે.

વર્ષમાં એક-બે વાર મધ્યરાત્રિએ પણ સૂર્ય પ્રકાશતો દેખાય. દિવસ ઊગે તો મહિનાઓ સુધી આથમે નહીં અને રાત પડે તો મહિનાઓ સુધી પૂરી ન થાય. ઠંડીગાર ઘનઘોર રાત્રિના આકાશમાં ધ્રુવીય પ્રકાશ (નૉર્ધન લાઈટ્સ) જેને ઓરોરા બોરિઆલિસ કહે છે તે રંગરંગના ઝળહળતા ગતિશીલ ભવ્ય આકારો રચે. પાંખી વસ્તી અને ભિન્ન પ્રકારની અત્યંત કઠોર અને અત્યંત સુંદર ઋતુલીલા – દંતકથાઓ ન જન્મે તો જ નવાઈ. તો દંતકથા કહે છે કે સાન્તા ક્લૉઝ અહીં, આ રહસ્યમય કોર્વાતુન્તુરીમાં રહે છે. આ ટેકરી-કાન વડે વિશ્વભરનાં બાળકોની ઈચ્છાઓ સાંભળે છે અને એક ગુપ્ત સ્થળે વહેંતિયાઓની મદદથી ભેટો તૈયાર કરે છે.

આમ તો છઠ્ઠી સદીમાં થઈ ગયેલા બિશપ નિકોલસ મૂળ સાન્તા ક્લૉઝ મનાય છે. તેઓ ગ્રીક હતા, પણ આખા યુરોપના લોકો તેમને માનતા. તેઓ ઈશ્વરપરાયણ હતા અને બાળકોને ગુપ્તપણે ખૂબ ભેટો આપતા. ડચ ઉચ્ચાર પ્રમાણે તેઓ સિન્ટાક્લાસ અને પછી સાન્તા ક્લૉઝ બન્યા. અમુક સ્રોતો એમનો સમય ત્રીજી સદી માને છે. ખરું જોતાં સાન્તા ક્લૉઝ ઐતિહાસિક કરતા દંતકથા રૂપે વધારે પ્રચલિત છે.

દંતકથાનું વ્યાપારીકરણ કરવાનું તો કોઈ પશ્ચિમ પાસે શીખે. લૅપલૅન્ડના પાટનગર રોવાનિયમી પાસે સાન્તા ક્લૉઝ વિલેજ નામનો વિશાળ એમ્યુઝમેન્ટ પાર્ક ઊભો થયો છે, જે સાન્તા ક્લૉઝનું ‘ઑફિશ્યલ હોમ’ ગણાય છે. રોવાનિયેમી બીજા વિશ્વયુદ્ધમાં તારાજ થઈ ગયું હતું. 1950માં યુ.એસ.ના પૂર્વ પ્રમુખ ફ્રેન્ફલિન રૂઝવેલ્ટનાં પત્ની એલિનોર લૅપલૅન્ડ આવેલાં. રોવાનિયેમીની તબાહી જોઈ તેઓ તેને બેઠું કરવાં કટિબદ્ધ થયાં. અધિકારીઓએ એમને માટે તાત્કાલિક ઊભી કરેલી કેબિન તે સાન્તા ક્લૉઝ વિલેજનું મંગલાચરણ.

1985માં વિલેજ ખુલ્લું મુકાયું. મૂળ કેબિનમાં અત્યારે વિલેજની ઑફિસ છે. આસપાસ દુકાનો, રેસ્ટોરાં, કાફે, આઈસ બારમાં બરફના બનેલા કાઉન્ટર પરથી બરફના ગ્લાસમાં શરાબ મળે. ખાસ પોષાક પહેરી અંદર જાઓ અને બરફનાં ટેબલ-ચૅર પર બેસી સુરાપાન કરો. લાંબી રુંવાટીવાળા મોટા હસ્કી ડૉગ અને રેંડિયરની સવારી, ઈગ્લૂ હૉટેલમાં રહેવાનો ને આર્ક્ટિક સર્કલમાં પ્રવેશવાનો રોમાંચ. આ બધા વચ્ચે સાન્તા ક્લૉઝની મુલાકાત પણ થઈ જાય. આજ સુધીમાં દુનિયાના 199 દેશોમાંથી બાળકોએ કરોડો પત્રો લખ્યા છે. એને માટે અહીં ખાસ પોસ્ટઑફિસ બની છે. ખુશમિજાજ ‘એલ્વ્સ’ તેમાં સેવા આપે છે. દરેક પત્ર પર ખાસ પોસ્ટમાર્ક હોય છે. દર વર્ષે નાતાલના એક મહિના અગાઉથી જ દુનિયાભરના પ્રવાસીઓની હલચલ શરૂ થઈ જાય. 23 ડિસેમ્બરે અડધી રાતે હર્ષનાદો વચ્ચે સાન્તા ક્લૉઝની સવારી નીકળે છે.

અમર થઈ જતી દંતકથા અને કલ્પનાનું પણ એક વાસ્તવ હોય છે. સાન્તા ક્લૉઝ દુનિયાની સૌથી પ્રસિદ્ધ વ્યક્તિ છે. તેમની પત્ની અને પુત્રીની પણ કલ્પના થઈ છે. અનેક ઈન્ડસ્ટ્રીઓ આ કલ્પના પર નભે છે. સતત થતાં પરિવર્તનો વચ્ચે સાન્તા ક્લૉઝની લોકપ્રિયતાની કાંકરી પણ ખરી નથી, તેનું કારણ તેની પાછળની ઉમદા ભાવના છે. સાન્તા ક્લૉઝ કહે છે, ‘હું સદ્દભાવનો ચાહક છું. પ્રેમ, શાંતિ અને આનંદનો ઉદ્દગાતા છું. લોકો ખુશ રહે તે જ મને જોઈએ.’ રેંડિયર તેમને ખૂબ પ્રિય છે. પહેલા તેમની સ્લૅજને એક રેંડિયર જોડેલું હતું, હવે એની સંખ્યા નવ છે. દરેકનાં નામ પણ છે. એમાંનું સૌથી નાનું લાલ નાકવાળું રેંડિયર સાન્તા ક્લૉઝનું માનીતું છે. રેંડિયર એ પ્રદેશની કામધેનુ સમાન છે. પણ સાન્તા ક્લૉઝ કહે છે, ‘મને તો રેંડિયર એટલા માટે પ્રિય છે કે તેઓ ભલા, માયાળુ અને સંપીલાં છે. માણસજાતે એમની પાસેથી ઘણું શીખવાનું છે.’

હવે તો પશ્ચિમની જ નહીં, દુનિયાભરની શાળાઓમાં ક્રિસમસમાં સાન્તા ક્લૉઝ આવે જ. એક યુવાન માતાએ વાત મૂકી કે હવે તો બાળકો ટેકનોસેવી અને સ્માર્ટ બની ગયા છે તો તેમને ક્રિસમસ ટ્રી અને સાન્તા ક્લૉઝને બદલે બીજું કંઈક આપવું જોઈએ, ત્યારે શાળાના સંચાલકોએ કહ્યું કે ‘ક્રિસમસ ટ્રી અતિશય ઠંડી વચ્ચે ખીલતાં જીવનનું પ્રતીક છે અને સાન્તા ક્લૉઝ બાળકોને વૃદ્ધો પ્રત્યે આદરથી જોતા શીખવે છે અને સંવેદનશીલ બનાવે છે. સાન્તા ક્લૉઝ એક સંસ્કાર છે, એક મૂલ્ય છે. નાતાલ અને નવું વર્ષ બાળકોને આશા, ભલાઈ, પ્રેમ અને સારાં કાર્યો તરફ શ્રદ્ધાથી જોતાં કરવાનો સમય છે. આપણે એ જ રીતે ક્રિસમસ ઊજવીશું.’

નાતાલ અને નવા વર્ષને આપણે એ રીતે જોઈએ છીએ ખરા?

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 25 ડિસેમ્બર 2022

Loading

...102030...1,2051,2061,2071,208...1,2201,2301,240...

Search by

Opinion

  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved