વાદળ બની એ વચ્ચે આવી જાય છે,
કોઈ જ્યારે લાલ આંખ કરવા જાય છે.
વાંક મારો છે કે સામેવાળાનો પછી જુએ છે,
પહેલા તો મારી પડખે ઊભી રહી જાય છે.
વાસ્તવિકતાને વાર્તા સાથે એવી રીતે જોડે,
ભાવ, અભાવ, સ્વભાવને સમજાવી જાય છે.
એકલતાનાં આઘાતમાં પણ હું બોલું ‘મા’,
ત્યાં તો પ્રેમભર્યાં વાદળ બની વરસી જાય છે.
હોય પાસે કે ના હોય, ‘મા’ શબ્દ જ કાફી છે,
ઉદાસીને ઉડાડી નવી ઉજાસ કરી જાય છે.
e.mail : ronakjoshi226@gmail.com
![]()






10મી એપ્રિલે આ અમર સર્જકના દેહાવસાનને 92 વર્ષ થયા. તેના જન્મને દોઢસો વર્ષ થયાં. કેટલાં ય પાણી વહી ગયાં, કેટલા ય પ્રવાહો પલટાઈ ગયા, દુનિયા કેટકેટલાં ક્રાંતિકારી પરિવર્તનોમાંથી પસાર થઈ. આમ છતાં ખલીલ જિબ્રાનના વિચારોની અને શબ્દોની તાજગી ઓસરી નથી. ક્યાંથી ઓસરે – જિબ્રાને કહ્યું છે, ‘એક ગઈકાલ હતી, એક આજ છે અને એક આવતીકાલ હશે. હે આત્મા! તું આ શબ્દોથી કે અવકાશથી બંધાયેલો નથી.’