Opinion Magazine
Number of visits: 9743481
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

मणिपुर हिंसा: नस्लीय या सांप्रदायिक?

राम पुनियानी|Opinion - Opinion|25 June 2023

राम पुनियानी

उच्च न्यायालय द्वारा मैतेई समुदाय को अनुसूचित जनजाति (एसटी) के रूप में मान्यता दिए जाने के बाद से मणिपुर में भड़की जबरदस्त हिंसा में अब तक कम से कम एक सौ लोग मारे जा चुके हैं और एक लाख से ज्यादा अपने घरबार छोड़कर भागने पर मजबूर हो गए हैं. इस हिंसा के कारण आम लोग बहुत तकलीफें भोग रहे हैं और महिलाओं, बच्चों और विस्थापितों की हालत दयनीय है. इस स्थिति से निपटने में सरकार की विफलता के कारण देश बहुत शर्मसार हुआ है.

यह हिंसा 3 मई से शुरू हुई थी (या भड़काई गई थी) और आज करीब दो महीने बाद भी जारी है. कुकी और अन्य मुख्यतः ईसाई आदिवासी समूहों और उनकी संपत्ति को निशाना बनाया जा रहा है. हिंसक भीड़ चर्चों को चुन-चुनकर नष्ट कर रही है. अब तक करीब 300 चर्च नफरत की आग में खाक हो चुके हैं. इस बात का जवाब सरकार को देना ही होगा कि क्या यह हिंसा ईसाई-विरोधी है.

इस हिंसा के शुरू होने के बाद से माननीय प्रधानमंत्री महोदय ने इस मुद्दे पर अपना मुंह खोलने की जहमत नहीं उठाई है. जिस समय मणिपुर जल रहा था उस समय प्रधानमंत्री कर्नाटक में अपनी पार्टी के प्रचार में दिन–रात एक किए हुए थे. वे अब तक चुप हैं. इस मामले में उनसे चर्चा करने के इच्छुक एक सर्वदलीय प्रतिनिधिमंडल से मिलने का उन्हें समय नहीं मिला. वे मणिपुर को जलता छोड़कर अमरीका उड़ गए. क्या उनकी चुप्पी रणनीतिक है? आख़िरकार इस हिंसा का शिकार हो रही कुकी और अन्य पहाड़ी जनजातियां ईसाई धर्म की अनुयायी हैं, जिसे संघ परिवार ‘विदेशी’ मानता है? मोदी अनेक बार उत्तरपूर्व की यात्रा कर चुके हैं परंतु जिस समय हिंसा की आग को शांत करने के लिए उनकी जरूरत है तब वे वहां से मीलों दूर हैं.

गृहमंत्री अमित शाह ने कर्नाटक में ताबड़तोड़ प्रचार करने के बाद काफी वक्त दिल्ली में बिताया और फिर वे मणिपुर पहुंचे. उन्होंने वहां खूब बैठकें की परंतु नतीजा सिफर रहा. मणिपुर में अब भी हिंसा जारी है.

मणिपुर में भाजपा का शासन है और दिल्ली में भी सरकार भाजपा की ही है. अर्थात मणिपुर में ‘डबल इंजन’ सरकार है जिसके बारे में कहा जाता है कि वह विकास की गंगा बहा देती है. यहाँ यह याद दिलाना भी प्रासंगिक होगा कि भाजपा का एक लंबे समय से दावा रहा है कि उसके राज में साम्प्रदायिक हिंसा नहीं होती.

उत्तरप्रदेश के पूर्व पुलिस महानिदेशक डॉ विभूति नारायण राय ने अपनी लब्धप्रतिष्ठित कृति ‘काम्बेटिंग कम्युनल कनफ्क्टि्स’ में लिखा है कि अगर राजनैतिक नेतृत्व की इच्छा हो तो किसी किस्म की भी हिंसा को 48 घंटे के भीतर नियंत्रण में लाया जा सकता है. और मणिपुर में तो दो माह से हिंसा जारी है. ऐसा प्रचार किया जा रहा है कि मणिपुर में कुकी और अन्य पहाड़ी कबीलाई समूहों का कृषि भूमि के अधिकांश हिस्से पर कब्जा है और मैतेई लोगों को जमीन में उचित हिस्सेदारी नहीं मिल रही है. वर्तमान कानूनों के अनुसार आदिवासियों की जमीन गैर-आदिवासी न तो खरीद सकते हैं और ना ही उस पर कब्जा कर सकते हैं. मणिपुर की कुल आबादी में मैतेई का प्रतिशत 53 और कुकी का 18 है. शेष आबादी में अन्य पहाड़ी जनजातियां आदि शामिल हैं. पहाड़ी जनजातियों का दानवीकरण किया जा रहा है. उन्हें अफीम उत्पादक, घुसपैठिया और विदेशी धर्म का अनुयायी बताया जा रहा है. मुख्यमंत्री बीरेन सिंह ने हिंसा के पीछे राजद्रोहियों का हाथ होने की बात कही है। ‘द टेलिग्राफ’ अखबार ने इंटेलिजेंस ब्यूरो के पूर्व संयुक्त निदेशक सुशांत सिंह के हवाले से लिखा है कि मुख्यमंत्री का यह आरोप अनावश्यक और निराधार है और इससे ऐसा लगता है कि मुख्यमंत्री सभी कुकी लोगों को आतंकी बताकर बदनाम करना चाहते हैं.

दरअसल, नफरत इसी तरह की सोच से उपजती है. नफरत पैदा करके ही अल्पसंख्यक समुदायों के खिलाफ हिंसा भड़काई जाती है. मणिपुर हाईकोर्ट बार एसोसिएशन ने भारत के मुख्य न्यायाधीश डी.वाय. चन्द्रचूड़ को बताया है कि “मैतेई समुदाय को अनुसूचित जनजाति का दर्जा मिलने के खिलाफ आन्दोलन तो हिंसा का केवल बहाना था.”

पत्रकारों, लेखकों, सामाजिक कार्यकर्ताओं, महिला अधिकार कार्यकर्ताओं आदि सही करीब 550 नागरिकों ने एक बयान जारी कर हिंसा पर अपनी चिंता व्यक्त की है और प्रदेश में शांति की अपील करते हुए कहा है कि हिंसा पीड़ितों को न्याय मिलना चाहिए और उनका पुनर्वास होना चाहिए. बयान में कहा गया है, “मणिपुर आज जल रहा और इसके लिए काफी हद तक केंद्र और राज्य में भाजपा की सरकारों की विघटनकारी राजनीति ज़िम्मेदार है. और लोग मारे जाएँ उसके पहले इस गृहयुद्ध को समाप्त करवाने की ज़िम्मेदारी भी उनकी ही है.” बयान में बिना किसी लागलपेट के कहा गया है कि “सरकार राजनैतिक लाभ के लिए दोनों समुदायों को आश्वासन दे रही है कि वह उनके साथ है जबकि असल में दोनों समुदायों के बीच लम्बे समय से चले आ रहे तनाव को और गहरा कर रही है और उसने वर्तमान संकट से निपटने के लिए संवाद के आयोजन की अब तक कोई पहल नहीं की है.”

वक्तव्य में कहा गया है कि “इस समय, कुकी समुदाय के खिलाफ सबसे वीभत्स हिंसा मैतेई समुदाय के हथियारबंद बहुसंख्यकवादी समूह जैसे अरम्बई तेंग्गोल और मैतेई लीपुन कर रहे हैं. इसके साथ ही कत्लेआम करने के आव्हान किया जा रहे हैं, नफरत फैलाने वाले भाषण दिए जा रहे हैं और अपने को श्रेष्ठ साबित करने के प्रयास हो रहे है. इन ख़बरों की सच्चाई का भी पता लगाया जाना चाहिए कि उन्मत्त भीड़ महिलाओं पर हमला करते समय ‘रेप हर, टार्चर हर’ के नारे लगा रहे है.”

आरएसएस के मुखपत्र ‘आर्गेनाइजर’ ने 16 मई के अपने अंक के सम्पादकीय में अचंभित करने वाली बातें कहीं हैं. उसने कहा है कि मणिपुर में खूनखराबा चर्च के समर्थन से हो रहा है. इस आरोप को चर्च ने आधारहीन बताया है. मणिपुर के कैथोलिक चर्च के मुखिया आर्चबिशप डोमिनिक लुमोन ने कहा कि “चर्च न तो हिंसा करवाता है और ना ही उसका समर्थन करता है.” यह बेसिरपैर का दावा सांप्रदायिक राजनीति की पुरानी रणनीति का हिस्सा है. जाहिर कि वे इस तथ्य से लोगों का ध्यान हटाना चाहते हैं कि मणिपुर में 300 से अधिक चर्चों में या दो आग लगाई जा चुकी है, या उन्हें नुकसान पहुँचाया जा चुका है.

अगर चर्च को इस टकराव के खलनायक के रूप में प्रस्तुत किया जा सके तो अरम्बई तेंग्गोल और मैतेई लीपुन जैसे मैतेई समूहों द्वारा की जा रही योजनाबद्ध और बड़ी सफाई से अंजाम दी रही हिंसा पर पर्दा डालने में भगवा-प्रेमी मीडिया को मदद मिलेगी. यह कहना है पत्रकार अन्तो अक्करा का. वे बताते हैं, “मणिपुर में वही हो रहा है कि कंधमाल में 2008 में हुआ था. जिन गाँवों में चर्चों को नष्ट कर दिया गया है उनके पास्टरों से शपथपत्र भरवाए जा रहे हैं कि अब वे वहां नहीं लौंटेगे.”

उत्तरपूर्व में पहले भी हिंसा होती रही है. परन्तु वर्तमान हिंसा का स्वरुप निश्चित रूप से सांप्रदायिक है. इसकी गहन जांच की ज़रुरत है. और इस समय तो हम सभी यही प्रार्थना करनी चाहिए कि क्षेत्र में शांति स्थापित हो. 

(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया)
https://www.navjivanindia.com/opinion/manipur-violence-racial-or-communal-modi-government-will-also-have-to-answer-article-by-ram-punyani 
23/06/2023

Loading

સહિયારું ભારત બચશે તો જ તેમાં મારો કે મારા સમાજનો હિસ્સો બચશે

રમેશ ઓઝા|Opinion - Opinion|25 June 2023

રમેશ ઓઝા

એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ભારતમાં અંદાજે ૬૫ ટકા હિંદુઓને હિંદુ બહુમતીવાળું હિંદુરાષ્ટ્ર જોઈતું નથી. કારણો તેમનાં પોતપોતાનાં હશે. બુદ્ધિમાન હિંદુઓને લાગતું હશે કે આ માર્ગે આ જગતમાં કોઈ દેશ બે પાંદડે થયો નથી. જે જે દેશોએ ધર્મ, વંશ, ભાષા આધારિત બહુમતી રાષ્ટ્રવાદનો માર્ગ અપનાવ્યો છે એ બધા ખુવાર થયા છે. આ માર્ગે કોઈ દેશ આબાદ થયો હોય એવું એક ઉદાહરણ બતાવો. કેટલાક હિંદુઓને એમ લાગતું હશે કે આમાં અમારી ભાષાકીય, પ્રાદેશિક અને અન્ય અસ્મિતાઓને હાંસિયામાં ધકેલી દેવામાં આવશે. જેટલો હું હિંદુ છું એટલો હું તમિલ પણ છું. કેટલાક હિંદુઓને એમ લાગતું હશે કે ભારતમાં હિંદુના નામે માત્ર સવર્ણ હિંદુઓને જ ગણતરીમાં લેવામાં આવે છે. હિંદુ સમાજમાં અત્યાર સુધી સવર્ણોએ જ સરસાઈ ભોગવી છે. હિંદુ રાષ્ટ્રમાં તેમની ફરીવાર સરસાઈ સ્થાપશે.

ટૂંકમાં બંધારણમાં જે ભારતીય રાષ્ટ્રની કલ્પના કરવામાં આવી છે એ ભલે સહિયારું છે, એમાં ભલે બીજાને સ્વીકારવા પડે છે, કહો કે સહન કરવા પડે છે, એમાં ભલે આપણે બહુમતીમાં હોવા છતાં આપણને મોટો ભાગ મળતો નથી; પણ એમાં આપણો જે કોઈ ભાગ છે એ સુનિશ્ચિત છે. બંધારણીય રક્ષણ સાથે અધિકારપૂર્વકનો છે. મુસલમાનને ધકેલવામાં કદાચ આપણે જ ધકેલાઈ જઈએ! કોને ખબર છે. બંધારણીય ભારતીય રાષ્ટ્ર નજર સામે છે, લેખિત છે, આપણે તેનો અનુભવ કર્યો છે; જ્યારે હિંદુ રાષ્ટ્ર તો ભરેલા નારિયેળ જેવું છે. એ કેવું હશે અને એમાં આપણે ક્યાં હશું એના વિષે કોઈ ફોડ પાડવામાં આવતો નથી.

કદાચ કેટલાક હિંદુઓને, ખાસ કરીને યુવા હિંદુઓને અનુભવે હવે એમ પણ સમજાયું હશે કે  હિન્દુત્વવાદી શાસકો પાસે ડરાવવા-રડાવવા-પોરસાવા સિવાય બીજો કોઈ એજન્ડા નથી. ચોવીસે કલાક હિંદુ-મુસ્લિમ કરીને લોકોને ધૂણાવે છે. આર્થિક બાબતે આ લોકો ગંભીર નથી અને કોઈ સમજ પણ નથી.

આવાં આ ચાર કારણો છે અને ૬૫ ટકા હિંદુઓ આમાંથી કોઈના કોઈ કારણે હિંદુ રાષ્ટ્રનો વિરોધ કરે છે. ૬૫ ટકા એ કોઈ નાનો આંકડો નથી અને તેમાં કદાચ ટકા બે ટકાનો વધારો થઈ શકે છે, ઘટવાનો તો કોઈ સવાલ જ નથી.

પણ એ ૬૫ ટકા હિંદુઓને એક સૂત્રે કેવી રીતે બાંધવા?

એક સીધો અને સરળ ઉપાય છે વિપક્ષી એકતા. બી.જે.પી.ના ઉમેદવારની સામે વિરોધ પક્ષોનો જો એક જ ઉમેદવાર હોય તો મતોનું વિભાજન ન થાય અને બી.જે.પી.ને હરાવી શકાય. અહીં એક ગૃહિત છે જેના તરફ આપણું ધ્યાન જતું નથી. મતોનું વિભાજન એટલા માટે થાય છે (એમ માનવામાં આવે છે) કે જે તે પક્ષ જે તે અસ્મિતાઓનું કે પછી સમાજવિશેષના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે. આને કારણે બી.જે.પી. વિરોધી મતદાતા પોતાનાં સમાજવિશેષનાં હિતોનું રક્ષણ કરનારા પક્ષને મત આપે છે અને એ રીતે મતોનું વિભાજન થાય છે. ટૂંકમાં ગૃહિત એવું છે કે મતદાતા વિભાજીત છે અને જે તે પક્ષો વિભાજીત મતદાતાઓના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે અને માટે પક્ષો વચ્ચે એકતા સધાવી જોઈએ.

આ ગૃહિત સાવ ખોટું છે એમ ન કહી શકાય. કાઁગ્રેસના એકચક્રી શાસનના દિવસોમાં આ ગૃહિત વધારે સાચું હતું અને વધારે પ્રાસંગિક હતું, પરંતુ અત્યારના કોમી ધ્રુવીકરણના યુગમાં એ એટલું સાચું અને એટલું પ્રાસંગિક નથી. ૬૫ ટકા હિંદુઓને સમજાઈ ગયું છે અથવા સમજાઈ રહ્યું છે કે સહિયારું ભારત બચશે તો જ તેમાં મારો કે મારા સમાજનો હિસ્સો બચશે. અને જો આ નથી સમજાયું કે નથી સમજાઈ રહ્યું તો એને સમજાવી શકાય એમ છે.

અહીં રાહુલ ગાંધી અને તેમની કલ્પનાની નૂતન કાઁગ્રેસ પિક્ચરમાં આવે છે. એક તરફ વિરોધ પક્ષો છે જે જૂના ગૃહિત ઉપર ચૂંટણીકીય સમજૂતી કરવા માગે છે અને બીજી તરફ રાહુલ ગાંધી છે જે નવા ગૃહિત પર ભરોસો કરે છે. પટેલ અને ક્ષત્રીય સામસામે લડીને મતવિભાજન ન કરે અને તેમાં તેમનું હિત છે એ જૂનું ગૃહિત છે અને આજે જ્યારે હિંદુ રાષ્ટ્ર આકાર લઈ રહ્યું છે ત્યારે ભારતીય હોવાપણામાં અથવા સહિયારાપણામાં પટેલ અને ક્ષત્રીય બન્નેનું હિત છે એ નવું ગૃહિત છે. રાહુલ ગાંધીએ જૂનું ગૃહિત ૨૦૧૯ પછી છોડી દીધું છે અને સહિયારા, સેક્યુલર લોકતાંત્રિક, બંધારણીય ભારતીય રાષ્ટ્રના સ્વીકારમાં જ દેશનું કલ્યાણ છે અને તેમાં દરેક પ્રજાવિશેષનો સમાવેશ થાય છે. આ જ વાત ૧૯૧૫માં ભારત આવ્યા પછી ગાંધીજીએ ભારતીય પ્રજાને સમજાવી હતી.

આ માર્ગ કપરો છે, પણ સમય ધીરેધીરે અનુકૂળ થઈ રહ્યો છે. ગુસ્સો આવે અને અકળામણ થાય એવી નિરાશાજનક રાજકીય સ્થિતિમાં પણ ૬૫ ટકા હિંદુ નાગરિકોએ મોરચો સંભાળી રાખ્યો. પ્રચંડ વાવાઝોડામાં ઓથ વિના ઊભા રહ્યા. આ કોઈ નાનીસૂની વાત નથી. બીજું, રાહુલ ગાંધી તૂટ્યા નથી. તેમને તોડવા માટે શું શું નથી કર્યું! લખતાં પણ શરમ આવે એવા નીચ પ્રહારો તેમના ઉપર કરવામાં આવ્યા હતા. કીડી ઉપર કટક ઉતાર્યું અને એ પછી પણ કીડી અડીખમ ઊભી છે. મેદાન છોડ્યું નથી. ત્રીજું તેઓ લાંબી લડત માટે પ્રતિબદ્ધ છે એમ હવે લોકોને પ્રતીતિ થવા લાગી છે. સહિયારા ભારતમાં ભારતની પ્રજાનું સહિયારું કલ્યાણ છે એ વાત લોકો સુધી લઈ જવી હશે તો સંકોચ વિના ડર્યા વિના ખોંખારો ખાઈને એ ભાષામાં જ બોલવું પડશે જે રીતે ગાંધીજી બોલતા હતા. રાહુલ ગાંધીની જેમ ગાંધીજીને બદનામ કરીને તોડવામાં એ લોકોએ ક્યાં કાંઈ બાકી રાખ્યું છે! ૬૫ ટકા વિરુદ્ધ ૩૫ ટકાનું હિંદુ ધ્રુવીકરણ થઈ ચુક્યું છે એટલે હવે હિંદુ નારાજ થશે એવો ડર રાખવાની જરૂર નથી.

જોતા રહો, રાહુલ ગાંધીનું નૂતન રાજકારણ કઈ રીતે ઉઘાડ પામે છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 જૂન 2023

Loading

ચલ મન મુંબઈ નગરી—202

દીપક મહેતા|Opinion - Opinion|24 June 2023

પાલવા બંદરની પૂતળાં પરિષદ

છત્રપતિની છાયામાં મળ્યા પાંચ મહાનુભાવ     

સ્થળ : પાલવા બંદર પર છત્રપતિ શિવાજી મહારાજના પૂતળા નજીકનો બગીચો 

દિવસ : ૨૦૧૫ પછીનો કોઈ પણ દિવસ

સમય : મધરાત

સંત્રી : છત્રપતિ શિવાજી મહારાજ યાન્ચા વિજય અસો! 

પંચ પુરુષની પધરામણી :

છત્રપતિ : પધારો, પધારો મારી માતૃભૂમિના સપૂતો, પધારો.

(પાંચે જણ ‘માના ચા મુજરા’ કરીને આસન ગ્રહણ કરે છે.)

છત્રપતિ : આપણી આ માયભૂમિને સ્વતંત્ર કરવા માટે આપ સૌએ અનન્ય ભોગ આપ્યો છે એ હું જાણું છું. પણ આજે આપને મોઢે આપની વાત સાંભળવાની અમારી ઇચ્છા છે.

વાસુદેવ બળવંત ફડકે અને ગોપાળકૃષ્ણ ગોખલે 

વાસુદેવ બળવંત ફડકે : છત્રપતિનો જય હો! ૧૮૮૦ના જાન્યુઆરીની ત્રીજી તારીખની વહેલી સવારે ઠાણેની જેલની કોટડીમાંથી બહાર કાઢી મારા હાથે-પગે બેડીઓ પહેરાવવામાં આવી. મેં બહાર જોયું તો અધિકારીઓ દોડાદોડી કરતા હતા. થોડી વારે જેલનો અડીખમ દરવાજો ખૂલ્યો અને મને બહાર જેલરની ઓફિસમાં લઈ ગયા. અધિકારીઓએ કાગળ-પત્રોની આપ-લે કરી, સહી-સિક્કા કર્યા. જેલના રજિસ્ટરમાં મારી પણ સહી લીધી. પછી એક અધિકારીએ બંધ કવરમાંથી એક કાગળ કાઢીને વાંચ્યો : ‘મિસ્ટર વાસુદેવ બળવંત ફડકે … કન્વિક્ટેડ ફોર લાઈફ … હેન્ડેડ ઓવર ટુ આર્મી પોલિસ ફોર ટ્રાન્સપોર્ટેશન ટુ એડન સેન્ટ્રલ પ્રિઝન.’ અમારો વરઘોડો પહોંચ્યો ઠાણે સ્ટેશન. ત્યાંથી મઝગાંવ બંદર. તેહરાન નામની આગબોટ પર મને ચડાવી દીધો. લંગર ઊપડ્યું. બેડી પહેરેલા હાથ મહામહેનતે મેં જોડ્યા અને બોલ્યો : ‘હે ભારત માતા! હવે ક્યારે ય ફરી આપનાં દર્શન થવાનાં નથી. એક દિવસ મારી માતૃભૂમિ મુક્ત થશે, મને ખાતરી છે. પણ હવે કિનારો દેખાતો બંધ થવાની તૈયારીમાં છે. મા! તુઝે સલામ!

મંત્રી : મહારાજ! એડન ગયા પછી અભેદ્ય કિલ્લા જેવી જેલમાંથી વાસુદેવરાવ ભાગી શક્યા હતા, પણ થોડા વખતમાં પકડાયા અને ફરી એ જ જેલમાં સિતમની ચક્કીમાં પિસાયા. જેલની હોસ્પિટલમાં જ ૧૮૮૩ના ફેબ્રુઆરીની ૧૭મી તારીખે તેમનો દેહાંત થયો.

છત્રપતિ : પણ એમનો ગુનો શો હતો?

મંત્રી : આપખુદ પરદેશી શાસનનો સશસ્ત્ર વિરોધ.

છત્રપતિ : એમાં ગુનો ક્યાં આવ્યો? આપખુદશાહીનો વિરોધ કરવો એ તો દરેક નાગરિકની ફરજ છે.

મંત્રી : હા મહારાજ. પણ પરદેશીઓ એમ નહોતા માનતા. એટલે વાસુદેવરાવનો ભોગ લીધો. પણ આજે ય આ સ્વાતંત્ર્ય સેનાની મુંબઈમાં હાજર છે, સદેહે નહિ તો પૂતળા રૂપે. લોકો જેને ધોબી તળાવ તરીકે ઓળખે છે તેનું નામ પાડ્યું છે પરમ ક્રાંતિવીર વાસુદેવ બળવંત ફડકે ચોક, અને ત્યાં મૂક્યું છે તેમનું પૂતળું.

છત્રપતિ : આપના જેવા સ્વાતંત્ર્યવીરોથી જ આપણો દેશ ઉજળો છે, વાસુદેવરાવ!

મંત્રી : છત્રપતિ! મોટા મોટા અંગ્રેજ અમલદારો પણ જેમનાથી ડરતા એવા આ છે લોકમાન્ય ટિળક.

ટિળક : સ્વરાજ્ય એ મારો જન્મસિદ્ધ હક્ક છે અને હું તે મેળવીને જ જંપીશ. હા, મેં આમ કહ્યું હતું, પણ હું જીવ્યો ત્યાં સુધીમાં એ હક્ક મેળવી ન શક્યો. પણ મેં જ્યારે મોહનદાસ કરમચંદ ગાંધીને જોયા ત્યારે મને ખાતરી થઈ કે આ માણસ તો મારા દેશને આઝાદી અપાવીને જ જંપશે. હા, અમારી વચ્ચે મતભેદો હતા, પણ મનભેદ નહોતો. અંગ્રેજ સરકારે ત્રણ-ત્રણ વખત મારા પર ‘સેડેશન’નો આરોપ મૂકીને કેસ કર્યા. બે વખત સજા થઈ. એક વખત માંડલેની જેલમાં મોકલ્યો. એ વખતે આંદામાનની જેલ જેટલી જ ખરાબ એ જેલ ગણાતી. આ જેલવાસે મારી તબિયતની વાટ લગાડી. ૧૯૧૭માં નાશિકમાં એક ભાષણમાં મેં કહેલું તેમ હું સ્વભાવે યુવાન છું. હા, મારું શરીર વૃદ્ધ થયું હશે, પણ તેની અંદર એક તરુણ જીવે છે. એટલે હું ભલે ગમે તેટલું જીવું, પણ હું ઘરડો થવાનો નથી. કારણ હું જીવ્યો સ્વતંત્રતા માટે. સ્વતંત્રતાને નથી કોઈ હથિયાર કાપી શકતું, નથી તેને અગ્નિ બાળી શકતો, કે નથી એને પાણી ડૂબાડી શકતું. અંગ્રેજો આપણા દેશમાં આવ્યા હતા મહેમાન બનીને, પણ પછી આપણા દેશના માલિક બની બેઠા. છત્રપતિ! આપણો દેશ આઝાદ થાય એ દિવસ હું જોઈ ન શક્યો.

મંત્રી : છત્રપતિ! ૧૯૨૦ના ઓગસ્ટની પહેલી તારીખે લોકમાન્ય કાળધર્મ પામ્યા. ક્રાફર્ડ માર્કેટ નજીક આવેલા સરદાર ગૃહથી છેક ગિરગાંવ ચોપાટી સુધીની સ્મશાનયાત્રામાં બે લાખ લોકો જોડાયા અને મહાત્મા ગાંધી આખે રસ્તે ઉઘાડે પગે ચાલ્યા. અને હા, બ્રિટિશ સરકારે સુધ્ધાં બધા નિયમ નેવે મૂકીને લોકમાન્યના અંતિમ સંસ્કાર ચોપાટી પર કરવાની પરવાનગી આપેલી. પછીથી એ જગ્યાએ લોકમાન્યનું પૂતળું મૂકાયું.

છત્રપતિ : આજેય જીવે છે લોકમાન્ય, કેટલાયે દેશપ્રેમીઓના હૈયામાં.

મંત્રી : છત્રપતિ! આ છે નામદાર ગોપાલ કૃષ્ણ ગોખલે.

ટિળકને બેઠેલા જોઈ ઘડીભર અચકાય છે.

ટિળક : (ઊભા થઈને) પધારો ગોપાળરાવ.

ગોખલે : છત્રપતિ! આ બાળગંગાધર અને હું સાથે હતા, અને છતાં સાથે નહોતા. અમારું ધ્યેય તો એક જ હતું, માભોમની આઝાદી. પણ ત્યાં સુધી પહોંચવાના અમારા રસ્તા જૂદા હતા. અમે બંને મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજના વિદ્યાર્થી. અમે બંને ગણિતના અધ્યાપક બન્યા. અમે બંનેએ ડેક્કન એજ્યુકેશન સોસાયટીમાં સાથે કામ કર્યું. ૧૮૯૫માં અમે બંને ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસના જોડિયા મંત્રી બન્યા. એ વખતે કાઁગ્રેસમાં બે જૂથ હતાં : જહાલ અને મવાળ. ટિળક જહાલ પક્ષના અગ્રણી, હું મવાળ પક્ષનો. પણ ધીમે ધીમે અમારા વચ્ચેના મતભેદ ઊંડા થતા ગયા. ૧૯૦૭માં સુરતમાં કાઁગ્રેસનું અધિવેશન ભરાયું.

ટિળક : છત્રપતિ! ગોપાળરાવ રાસ બિહારી ઘોષને કાઁન્ગ્રેસના પ્રમુખ બનાવવા માગતા હતા. જ્યારે હું અને મારા સાથીઓ લાલા લજપતરાયને એ સ્થાન મળે એ માટે બનતું બધું કરી છૂટવા માગતા હતા. પણ અધિવેશન માટે બાંધેલા મંડપમાં પથ્થરબાજી થઈ, ખુરસીઓ ફેંકાઈ, લાકડીઓ ઊછળી, ભાગદોડમાં કેટલાય પડ્યા-આખડ્યા. એમના બૂટ-ચંપલ મેદાનમાં જ્યાં જુઓ ત્યાં દેખાતા હતા. પણ છત્રપતિ! એક ક્ષણ હું ક્યારે ય ભૂલી શકું નહિ. મારા વિરોધીઓનું ટોળું મને મારવા માટે સ્ટેજ પર ધસી આવતું હતું. એ જોઈને આ ગોપાળરાવ સ્ટેજ પર આવીને મારી ઢાલ બનીને મારી પડખે ઊભા રહ્યા, અને મારો જીવ બચાવ્યો.

ગોખલે : છત્રપતિ! અમે એકબીજાના હરીફ હતા, દુ:શ્મન નહોતા. અને અમારું સપનું તો એક જ હતું. હિન્દુસ્તાનને સુખી, સમૃદ્ધ, અને સ્વતંત્ર જોવાનું.

મંત્રી : છત્રપતિ! મહાત્મા ગાંધી ગોખલેને પોતાના રાજકીય ગુરુ માનતા. ૧૯૧૫માં દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા પછી તેઓ ગોખલેએ સ્થાપેલ સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટીમાં જોડાવાનું વિચારતા હતા. પણ ત્યાં તો ૧૯૧૫ના ફેબ્રુઆરીની ૧૯મીએ ગોખલેજીનું નિધન થયું અને ગાંધીજીએ ‘એકલા ચલો રે’ નો મારગ અપનાવ્યો.

ગોખલે : મોહનદાસ ગાંધી સર્જાયા હતા મહાત્મા ગાંધી બનવા માટે. કોઈ સોસાયટીમાં બંધાય તો એ ગાંધી શાના? 

મંત્રી : છત્રપતિ! હવે પધારે છે એક અર્થશાસ્ત્રી, કાયદાશાસ્ત્રી, બંધારણ નિષ્ણાત, સમાજના છેવાડે રહેલા માણસોના નેતા અને ઉધ્ધારક, બાબાસાહેબ આંબેડકર. જેમની અંગત લાઈબ્રેરીમાં પચાસ હજાર કરતાં વધુ પુસ્તકો હોય એવા વિદ્વાન નેતા.

છત્રપતિ : પધારો બાબાસાહેબ!

બાબાસાહેબ આંબેડકર

બાબાસાહેબ : છત્રપતિ! મારી કારકિર્દીની શરૂઆત થઈ મુંબઈમાં. ગવર્નમેન્ટ લો કોલેજનો બે વરસ પ્રિન્સિપાલ રહ્યો. અને મારા ક્ષર દેહનો વિલય થયો તે પણ મુંબઈના વરલીના દરિયા કિનારા નજીક. દેશ-પરદેશમાં ઘણું ભણ્યો, ડિગ્રીઓ મેળવી. દેશના રાજકારણમાં પડ્યો. ચૂંટણીઓ લડ્યો, હાર્યો અને જીત્યો. આઝાદી પછી દેશનું બંધારણ ઘડવામાં નિમિત્ત બન્યો. પણ રાત-દિવસ મને જેમની સતત ચિંતા રહેતી એ તો મારા દલિત બાંધવો અને બહેનોની. પરદેશમાં ભણીગણીને પાછો આવ્યો અને ગાયકવાડી વડોદરાની નોકરીમાં જોડાવાનું આમંત્રણ મળ્યું તે સ્વીકાર્યું. પણ હું દલિત સમાજનો, એટલે ડગલે ને પગલે મારે અપમાન, અન્યાય સહન કરવાં પડ્યાં. પછી મુંબઈની સિડનહામ કૉલેજમાં જોડાયો. તો ત્યાં પાણી પીવા માટે મારો ગ્લાસ અલગ રખાતો હતો, તેને બીજું કોઈ અડતું પણ નહિ. પછી તો પાર્લામેન્ટમાં બેઠો, સેન્ટ્રલ ગવર્ન્મેન્ટનો મિનિસ્ટર થયો. પણ હું સતત વિચારતો હતો કે મારા દલિત બાંધવોને બંધનમુક્ત કઈ રીતે કરવા? ઘણું વાંચ્યા-વિચાર્યા પછી મને જવાબ મળ્યો : હિંદુ ધર્મનો ત્યાગ. આ ધર્મમાં રહીને દલિતો ક્યારે ય હક્ક કે માન-સન્માન નહિ મેળવી શકે એમ મને લાગ્યું. અને મેં બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાનું નક્કી કર્યું. ૧૯૫૬ના ઓક્ટોબરની ૧૪મી તારીખ. નાગપુરમાં મેં અને મારી પત્નીએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. એ વખતે મારા પાંચ લાખ જેટલા અનુયાયીઓ પણ બૌદ્ધ બન્યા. પછી તો કારવાં આગે બઢતા ગયા. પણ હજી આજે ય મંઝીલ દૂર છે એ હું જાણું છું.

મંત્રી : છત્રપતિ! બાબાસાહેબના અવસાન પછી ૧૯૯૦માં ભારત સરકારે તેમને ‘ભારતરત્ન’ના સર્વોચ્ચ બહુમાનથી નવાજ્યા હતા. અને મુંબઈમાં મંત્રાલય નજીક તેમનું પૂતળું મૂકાયું છે.

છત્રપતિ : આ ‘મંત્રાલય’ એ વળી શું? ત્યાં મંત્ર-તંત્ર થાય છે?

મંત્રી : ના, જી. જ્યાં મારા જેવા મંત્રીઓનું કાર્યાલય આવેલું છે તે મંત્રાલય. પહેલાં સચિવાલય કહેતાં, તેની પહેલાં સેક્રેટરિયેટ.

છત્રપતિ : ઓહો! તો તો ત્યાં રોજેરોજ લોકોનું ભલું થાય તેવાં કામ થતાં હશે. ખરું ને!

મંત્રી (સવાલનો જવાબ આપવાનું ટાળે છે) : હવે પધારે છે હિંદુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે. 

બાળાસાહેબ ઠાકરે

ઠાકરે : સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ, છત્રપતિ! આપના ભગવા ઝંડાને આખા મહારાષ્ટ્રમાં ફરકાવવા માટે મેં મારું જીવન હોડમાં મૂક્યું હતું. પણ તે પહેલાં અમારે સંયુક્ત મહારાષ્ટ્ર માટે ખાસ્સી લાંબી ચળવળ ચલાવવી પડી હતી. મારા પક્ષનું નામ શિવ સેના, એટલે કે આપની સેના. ધનુષ બાણ એ અમારું નિશાન. મરાઠી માણુસની આન, બાન, શાન, એ અમારું ધ્યેય. મારી કારકિર્દીની શરૂઆત મેં એક છાપામાં કાર્ટુનિસ્ટ તરીકે કરેલી. અને પછી આખી જિંદગી કાર્ટૂન જેવાઓ સામે લડ્યો. 

ફડકે, ટિળક, ગોખલે, આંબેડકર, ઠાકરે : અરે! આપણે બધા પોતપોતાનું સ્થાન છોડીને અહીં છત્રપતિની છાયામાં ભેગા થયા છીએ, પણ મહાત્મા ગાંધી ક્યાં?

મંત્રી : એ તો બેઠા છે જુહુને કિનારે, પલાંઠી વાળીને, મૌન ધારણ કરીને. આંખો બંધ છે એટલે જોતા કશું નથી, પણ જાણે છે બધું જ. ધ્યાનથી સાંભળશો તો  ક્યારેક નિસાસા જેવો શબ્દ સંભળાશે : ‘હે રામ!’

છત્રપતિ : આજની આ વિશેષ પરિષદ સંકેલતાં પહેલાં આપણે સૌ સાથે મળીને ગાઈએ :

જય જય મહારાષ્ટ્ર માઝા, ગર્જા મહારાષ્ટ્ર માઝા.

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

(પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; ૨૪ જૂન 2023)

Loading

...102030...1,1271,1281,1291,130...1,1401,1501,160...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved