Opinion Magazine
Number of visits: 9743360
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હવે ‘ન બોલ્યામાં નવ ગુણ’ નથી, અવગુણ છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|7 July 2023

રવીન્દ્ર પારેખ

આપણે ત્યાં બે કહેવત પ્રચલિત છે. ‘ન બોલ્યામાં નવ ગુણ’ ને ‘બોલે તેનાં બોર વેચાય’ ! બંને પોતપોતાની રીતે યોગ્ય છે, પણ આજના સમયમાં વિપરીત અસર કરનારી પણ છે. એક તરફ પ્રજા બોલતી જ નથી ને સહન કર્યે જાય છે, તો એક વર્ગ એવો છે જે નિરર્થક બોલ્યા કરે છે ને ગમે તેની ભાટાઇ પણ કરે છે. એક જમાનામાં દરબારમાં ભાટ-ચારણ રહેતાં જે ખરી ખોટી રાજભક્તિ કરીને પેટિયું રળી લેતા. એમને તો રાજ તરફથી સરપાવ મળતો હતો, પણ આજે એવા ઘણાં ઘેટાં છે, જે કૈં ન મળવાનું હોય તો પણ, એકની પાછળ એક ચાલ્યે રાખે છે. ઘણાંને તો એ પણ ખબર નથી કે પોતે ક્યાં જાય છે, પણ આગળ કોઈ ચાલે છે તો એ પણ ચાલે છે. કોઈ અંધને દેખતો કરવાનું શક્ય છે, પણ કોઈ દેખતાને દેખતો કરવાનું અઘરું છે, કારણ એણે અમુક જ જોવું છે ને અમુક તો જોવું જ નથી. એવો વર્ગ મોટો હોય છે, એટલે નુકસાન પણ વ્યાપક હોય છે. એમાંના ઘણાંને તો ખાસ કોઈ સ્વાર્થ પણ હોતો નથી, પણ એની સાથેવાળો ઢોલ વગાડે છે, તો એ પણ મંજીરાં ખખડાવવા લાગે છે. આવી ભક્તિથી પોતાને તો કોઈ નુકસાન નથીને તે જોવાનું રહે.

આજકાલ ચાલતી રાજરમતો પ્રજાહિતમાં ચાલે છે એવું લાગે છે? મહારાષ્ટ્રનો જ દાખલો લઇએ. ત્યાં છેલ્લી સરકારો અન્ય પક્ષના ટેકાથી જ ચાલી છે. શિવસેનાના ટુકડા થયા, એમ એન.સી.પી.ના પણ થયા. બાળ ઠાકરે એ પુત્ર મોહમાં બંધુ પ્રેમનો ભોગ લીધો ને રાજ ઠાકરેએ મ.ન.સે.ની સ્થાપના કરવી પડી. શિવસેનામાં પણ એકનાથ શિંદેએ મુખ્યમંત્રીપદું મેળવવા ભા.જ.પ.ની મદદ મેળવી ને ઉદ્ધવ ઠાકરેએ ઘર ભેગા થવું પડ્યું. હવે દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય મંત્રી થાય કે તેનું કેન્દ્રીય મંત્રીમંડળમાં પાનું પડે એવી સ્થિતિમાં રાષ્ટ્રીય કાઁગ્રેસ પાર્ટી(એન.સી.પી.)માં ધડાકો થયો. પાર્ટી અધ્યક્ષ શરદ પવારને બાજુ પર મૂકીને ભત્રીજા અજિત પવારે પોત પ્રકાશ્યું અને પોતાનાં મળતિયાઓને લઈને નાયબ મુખ્યમંત્રીપદ મેળવી લીધું. એ કેટલું ટકશે તે તો સમય કહેશે, પણ અજિત પવારે તો મુખ્ય મંત્રી થવું છે, તેવી જાહેરાત બધી શરમ છોડીને કરી દીધી છે. ભા.જ.પે. તો વિપક્ષ જેવું કૈં રહેવા જ નથી દેવું એટલે એ પક્ષોને તોડે છે ને નથી તૂટતા તેમને માથે EDની તલવાર લટકતી રાખે છે. અજિત પવારને ભા.જ.પ.ની આભડછેટ નથી, એટલે અગાઉ પણ ભા.જ.પ.ને ખોળે બેસી આવ્યા છે. અત્યારે હાલત એ છે કે શરદ પવારને પક્ષ અને પ્રતીક બચાવવાનાં ફાંફાં છે. આ બન્યું એમાં શરદ પવારની સુપ્રિયા શૂલે પ્રત્યેની પુત્રીભક્તિ અને અજિત પવારની કાકા પ્રત્યેની બેવફાઇ કેન્દ્રમાં છે. બાળ ઠાકરેનો પુત્ર મોહ શિવસેનાને નડ્યો, એમ જ શરદ પવારનો પુત્રી મોહ એન.સી.પી.ને નડ્યો છે. શરદે ઉંમર થતાં પક્ષ પ્રમુખપદ છોડ્યું, પછી વળી પકડી પણ લીધું. એ વખતે અજિત પવારને પક્ષ પ્રમુખ થવાનું મળશે એવી ધારણા હતી, પણ તે ફળીભૂત થઈ નહીં, કારણ કાર્યકારી પ્રમુખપદ સુપ્રિયા શૂલે અને પ્રફુલ પટેલ પાસે ગયું, એટલે અજિત પાસે બળવો કરવા સિવાય કોઈ માર્ગ ન રહ્યો. એક વાત સ્પષ્ટ છે કે શરદ પવાર બહુ સ્વસ્થ અને પહોંચેલ માયા છે. એમણે જ એમના ગુરુ વસંતદાદા પાટિલની સરકાર ગબડાવેલી તે જાણનાર જાણે છે. કાકાનો દાવ કાકા પર જ અજમાવે એવો ભત્રીજો તો શરદને મળ્યો જ છે. એ દગો દે એનો આઘાત તો શરદ પવારને ય ન લાગે એટલા એ ઘડાયેલા છે. કાકા ચાલમાં ફસાયા છે કે ભત્રીજો ભોગ બન્યો છે એ પત્તાં તો સમય ખોલશે, પણ ચાલની ગંધ તો આવે જ છે. અજિત પવાર ભા.જ.પ.માં એકલા પડે અને તેમની સાથે ગયેલા સભ્યો પાછા ફરે એમ બને. એમ થાય તો અજિત પવાર ન ઘરનાં, ન ઘાટના રહે. ગયેલા સભ્યોને પવારે જ મોકલ્યા હોય તો નવાઈ નહીં. વહેમ તો એવો પણ પડે છે કે એન.સી.પી. જ ભા.જ.પ.માં ગોઠવાય તો આગામી ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ પાટલો પડે. એ સમય પર છોડીએ, પણ અજિત પવારનો ઘડો લાડવો આજે નહીં તો કાલે થાય એવી પૂરી શક્યતા છે. કાલ ઊઠીને અજિત પવાર મુખ્ય મંત્રી થાય તો પણ, તે ખાટી જાય એવું નથી. એમ તો એકનાથ શિંદે કેટલું ખાટ્યા છે તે ક્યાં કોઇથી અજાણ્યું છે? ભા.જ.પ. હોય ત્યાં સામેવાળો ખાટે એવું ઓછું જ બનવાનું.

ભા.જ.પ. તો મહારાષ્ટ્રવાળી બિહારમાં પણ કરવાની પેરવીમાં છે. બીજી તરફ મણિપુરની હિંસાએ કેન્દ્રની નિષ્કાળજીને પણ છતી કરી દીધી છે. વિપક્ષો એક તો થયા છે, પણ આ એકતા કેટલી ટકે તે પ્રશ્ન જ છે. ભા.જ.પ.ને મજબૂત કરવામાં વિપક્ષો વચ્ચેનો મનમુટાવ વધુ ભાગ ભજવે છે. 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં, રાજકીય પક્ષોની સાઠમારી મહારાષ્ટ્રની જેમ વધતી જ રહેશે તો કેન્દ્રમાં ભા.જ.પ. સિવાય કોઇ વિકલ્પ જ નહીં રહે એમ બને.

આ બધાંમાં ક્યાં ય પ્રજાહિતની કોઈ વાત સંભળાય છે? કદાચ રાજકીય પક્ષોને એ યાદ પણ નથી આવતું કે તેઓ પ્રજાના મતથી સત્તા પર આવ્યા છે. પક્ષોને પ્રજા યાદ નથી આવતી તેમાં પ્રજા પણ વાંકમાં છે. રાજકારણ જવા દો, રોજ બ રોજની જિંદગીમાં તેની સાથે જે વ્યવહાર થાય છે તે અમાનવીય છે. એવે વખતે પણ પ્રજા ચૂપ રહે છે તે અક્ષમ્ય છે. મધ્ય પ્રદેશના ભા.જ.પ.નો એક કાર્યકર એક દલિત યુવક પર પેશાબ કરે છે. આ કોઈ પણ ખૂણેથી અધમ અને હીન કૃત્ય છે. તેનું પ્રાયશ્ચિત મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી દલિત યુવકના પગ ધોઈને કરે છે ને આરોપીની ધરપકડ કરી તેનાં ઘર પર બુલડોઝર ફેરવી દે છે. કમાલ તો એ છે કે બુલડોઝર આજકાલ ન્યાયતંત્રનું કામ કરે છે. ભા.જ.પ.ના એ આરોપીનાં ઘર પર બુલડોઝર ફરે તે પહેલાં તેની માતાએ વિનંતીઓ કરી કે આરોપીને સજા કરો, પણ ઘરને રહેવા દો, પણ બુલડોઝર ફરતાં, માતા તેનાં કોઈ વાંક વગર ઘર વગરની થઈ. અહીં પણ, જે વેઠે છે તે વેઠે જ છે.

‘ગબ્બર ઈઝ બેક’ નામની અક્ષયકુમારની એક ફિલ્મ આવેલી, જેમાં દર્દી મૃત્યુ પામે એ પછી પણ તેની સારવાર ચાલે છે ને તેનું અલગથી બિલ પણ આવે છે. ફિલ્મ જોયા પછી એવું થાય કે આ તો ફિલ્મ છે, પણ હિંમતનગરની એક હોસ્પિટલમાં એક બાળકી મૃત્યુ પામી તે પછી બાર કલાક તેની સારવાર ચાલી અને તેનું બિલ પણ આવ્યું. હવે એ નક્કી નથી થઈ શકતું કે ફિલ્મો જીવન પરથી બને છે કે જીવન ફિલ્મોથી દોરવાય છે. ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં એક દર્દી પગના ઈલાજ માટે હોસ્પિટલમાં દાખલ થયો, તો ડોક્ટરોએ એનાં પેટનું ઓપરેશન કરીને ટાંકા લઈ લીધા. ડૉક્ટરોનું કહેવું છે કે દર્દીએ પોતે જ પેટમાં ચાકુ માર્યું હતું. એ દર્દી પાગલ જ કહેવાયને જે પોતાને જ ચાકુ મારી લે છે. કોરોનામાં એક બાજુ લોકો ભયભીત હતા ને સતત તાણ અને જોખમો વચ્ચે જીવતાં હતાં, ત્યારે પણ કેટલીક હોસ્પિટલોએ મૃતકોનાં અંગોનો વેપાર કરીને હોજરીઓ ભરી લીધી હતી. બને છે એવું કે સરકાર પૈસા તો ખર્ચે છે, પણ તેનો ગેરલાભ ઉઠાવવાનું ભાગ્યે જ કોઈ ચૂકે છે. આમ તો સરપ્રાઈઝ ચેકિંગ થાય છે, પણ તે રોજ થાય તો પણ ઘણાં છટકી જાય એમ બને. અહીં પણ લોકો સમાચાર જોઈ-વાંચીને ધંધે લાગે છે. એ તે રોટલા રળે કે લોકોનું રડવા બેસે? એવું નથી કે લોહી ઊકળતું નથી, પણ રોજ મરે તેનું કોણ રડે એ પણ છેને !

આ તો થઈ પારકાની વાત, પણ જે આપણને સીધી રીતે સ્પર્શે છે એ તરફ પણ નજર જવી જોઈએ. મોંઘવારી સાધારણ માણસને નથી નડતી? વર્ષમાં ટામેટાં કે લીંબુ કે કાંદા ભળતાં જ મોંઘા થાય છે. અત્યારે ટામેટાં કિલોના 160 સુધી ગયાં છે. તેલ, કઠોળ, અનાજ, કરિયાણું … આપણને જરૂરી નથી? એના ભાવ વધે ત્યારે પણ આપણે ‘ન બોલ્યામાં નવગુણ’ કરીએ છીએ તે બરાબર છે? એ પણ છે કે મોંઘવારી વધારવામાં આપણો ફાળો પણ ઓછો નથી. અગાઉ આટલો પીક પર ન હતો તે શોપિંગનો શોખ અત્યારે ઘણી રીતે વકર્યો છે. જરૂરી નહીં એનો ઢગલો કરીને વસ્તુનો ઉપાડ આપણે જ વધારીએ છીએ અને વસ્તુની અછત ઊભી થતાં વસ્તુ મોંઘી થાય તો કકળીએ છીએ. જ્યારે જી.એસ.ટી. લાગુ થયો, ત્યારે લોકોએ હોટેલમાં જવાનું ઓછું કરેલું. એની અસર થોડો વખત રહી, પછી લોકોએ પણ કમાણીની ખરીખોટી રીતો શોધી કાઢી ને હવે તો શનિ-રવિ લોકો ઘરમાં ભાગ્યે જ જમે છે. એક વર્ગ એવો છે જે સખત પરિશ્રમ કરીને રોટલા ભેગો થાય છે, બીજો એવો છે જે કરતો કૈં નથી, પણ ખર્ચવા માટે તેની પાસે પુષ્કળ પૈસા છે, એ પણ આડેધડ ખરીદી કરીને વસ્તુની અછત ઊભી કરે છે અને પરિણામ મોંઘવારી વધવામાં આવે છે.

જી.એસ.ટી.ને છ વર્ષ થયાં છે. તેનાં હરખમાં વડા પ્રધાન કહે છે કે તેણે સામાન્ય નાગરિકના સમગ્ર કરના બોજમાં ઘટાડો લાવી દીધો છે ને કર વસૂલાતમાં નોંધપાત્ર વધારો થયો છે. અહીં મૂંઝવણ એ છે કે કર બોજ ઘટ્યો હોય તો કર વસૂલાતમાં વધારો થાય કઇ રીતે? આટલી કર વસૂલાત છતાં 2023માં ભારત પર દેવું 155 લાખ કરોડ બોલે છે. દેશના 14 વડા પ્રધાનોએ 67 વર્ષમાં 55 લાખ કરોડનું દેવુ કર્યું ને છેલ્લાં 9 વર્ષમાં તે બીજું 100 કરોડ વધીને 155 લાખ કરોડ થયું છે. આવતાં માર્ચ સુધીમાં તે 172 લાખ કરોડ થઈ શકે છે. નવ વર્ષમાં દેવું 181 ટકા વધે એ વિકાસ નથી તો શું છે? આ બધું જ પ્રજા તરીકે આપણને સ્પર્શે છે, પણ રેઇનકોટ પરથી પાણી સરે એમ બધું સરી જવા દઇએ છીએ, કાળઝાળ ગરમી પડે ત્યારે રેઈનકોટ કામ નથી લાગતો ને શેકાવાનું તો થાય જ છે. પ્રજા તરીકે આપણી સ્થિતપ્રજ્ઞતાની કસોટીનો આ કાળ છે. જોઈએ, ન બોલ્યામાં નવ ગુણ ચાલે છે કે બોલીને ‘નવ’ ગુણનો મહિમા થાય છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 જુલાઈ 2023

Loading

किसी कृष्ण या किसी व्याघ्र के इंतजार में हम 

कुमार प्रशांत|Opinion - Opinion|6 July 2023

कुमार प्रशांत

शरद पवार के हाथ से तोते उड़ गए हैं; उनकी राष्ट्रवादी कांग्रेस पार्टी भूलुंठित पड़ी है; कभी उनके पंख पर सवारी करने वाले उनके तोते पर कटे परिंदों से न उड़ पा रहे हैं, न रेंग पा रहे हैं; प्रधानमंत्री मोदी व उनकी पार्टी न अपना चेहरा छुपा पा रही है, न दिखा पा रही है; जिन्हें सांप सूंघ गया है वे हैं कांग्रेस व शिव सेना के नेतागण ! दिखाने को सभी अपनी-अपनी तलवारें भांजने का प्रहसन कर रहे हैं हालांकि सभी जानते हैं कि गत्तों की इन तलवारों में न धार है, न बल !

महाराष्ट्र की सरकार के पास सर तो है ही नहीं, कंधों पर धरा है खोखले उप-मुख्यमंत्रियों का बोझ ! उसका दम घुट रहा है. शिंदे-फड़णवीस-अजित आदि आज कार पर भले चल रहे हों, हम भी जानते हैं और वे भी कि हैं वे सब एकदम बे-कार ! ऐसा अर्थहीन हास्य-नाटक किसने लिखा ? यह इस कदर भद्दा व पतित प्रसंग है कि जिस पर न कोई किसी को बधाई दे रहा है,न संदेश, न टिप्पणी. सब आंखें बचा रहे हैं ताकि कोई किसी को कुछ कहता या करता देख न ले !

ऐसे में लोग मुझसे पूछ रहे हैं- सीधे भी और घुमा-फिरा कर भी कि महाराष्ट्र में जो कुछ, जिस तरह, जिनके द्वारा हुआ उस पर आपका क्या कहना है; याकि आप इसे कैसे देखते हैं ? मैं चुप रह जाता हूं, टाल देता हूं.  लेकिन ऐसा आप तभी तक कर पाते हैं जब तक सवाल पूछने वाला कोई दूसरा हो; जब सवाल अपने भीतर से उठ रहा हो तब न चुप्पी काम आती है, न टाल-मटोल !

इसलिए मैं यह लिख रहा हूं. और शुरू में ही, जयप्रकाश नारायण ने 1974 के जनांदोलन की तैयारी के दौरान, 1970-72 से जो सवाल देश से पूछना शुरू किया था, वही सवाल मैं आपसे पूछ ले रहा हूं : क्या नैतिक ताने-बाने के बिना कोई देश अपना अस्तित्व बचा सकता है ? आप महाराष्ट्र व राष्ट्र में, सत्ता के शीर्ष पर बैठे लोगों का हर कहीं  जैसा पतनशील व्यवहार और बेशर्म तेवर देख रहे हैं, वह दूसरा कुछ नहीं, नैतिक ताने-बाने के बिखर जाने का परिणाम है. यह राजनीति नहीं है. राजनीति का एकदम शाब्दिक मतलब भी लें हम तो वह है राज चलाने की नीति ! यहां जो हो रहा है उसमें कोई नीति नहीं है; और इसलिए दूसरा कुछ भी चल रहा हो, राज नहीं चल रहा है.

यह क्या हुआ व कैसे हुआ ? यह कैसे हुआ कि कभी लंबे समय तक महाराष्ट्र के शक्तिशाली मुख्यमंत्री रह चुके युवा देवेंद्र फडणवीस खुले आम यह कह लेते हैं कि राजनीति में आदर्शवाद वगैरह ठीक है लेकिन असली सच तो यह है कि आप सत्ता से निकले तो कोई पूछने वाला भी नहीं होता है. मतलब, असली सच तो सत्ता है बाकी खोखली बातें हैं. कैसे होता है ऐसा कि प्रधानमंत्री जैसी खास कुर्सी पर बैठा कोई आदमी आज देश के भ्रष्टाचारियों की सूची की सार्वजनिक घोषणा करता है और कल उन सभी भ्रष्टाचारियों को अपनी सरकार में कुर्सी पर बिठा लेता है ? मतलब, वह दिखाना चाहता है कि सत्ता की कुर्सियां सच तो छोड़िए, मर्यादा से भी कोई सरोकार नहीं रखती हैं. जो कुछ है सब जुमलेबाजी है ! नरेंद्र, देवेंद्र,पवार,ममता, राहुल, केजरीवाल आदि सब एक ही खेल खेल रहे हैं जिसका कोई अंपायर नहीं है, कोई कायदा नहीं है.

रातोरात मुंबई की सड़कों पर उन सबको बधाई देने वाले बड़े-बड़े, सचित्र पोस्टर सार्वजनिक स्थानों पर लग गए जिन्होंने शरद पवार का दामन छोड़ कर मोदी का दामन थाम लिया है. इससे ही खुलासा हुआ कि यह सब रातोरात नहीं हुआ बल्कि कई रातों में हुआ; कि यह सब ‘खुद छपवाया- खुद चिपकाया’ वाली उसी शैली में हुआ जिसका किस्सा सलीम-जावेद के जावेद ने सुनाया था कि कैसे फिल्मी दुनिया में अपना सिक्का जमाने के लिए उन दोनों ने अपना नाम फिल्मी पोस्टरों पर ठेका दे कर चिपकवाया था. लेकिन अजीत पवार से यह पूछा ही जाना चाहिए कि सार्वजनिक स्थानों पर ऐसे पोस्टर लगाने की अनुमति आपने किससे ली, किसने दी और उसका किराया किसने भरा; भरा कि नहीं भरा कि यह सब आप सबकी काली करतूतों में ढक गया ?

लेकिन असली जवाब तो उन इंदिरा गांधियों- शरद पवारों-अडवाणियों-मोदियों-शाहों को देना चाहिेए जिन्होंने मूल्यविहीन राजनीति को चलाने-चमकाने में सबसे बड़ी भूमिका अदा की है. किसी भी रास्ते सत्ता तक पहुंचना और किसी भी छल-क्षद्म से वहां बने रहना, राजनीति के नये खिलाड़ियों को यह ककहरा इन सबने मिल कर सिखाया है. जब इसकी पाठशाला खोली जा रही थी तब इसे गहरी चाल या मास्टर स्ट्रोक कहने वाले राजनीतिक पंडितों व विश्लेषकों की कमी नहीं थी. इस पाठशाला में पढ़-पढ़ा कर राजनेताओं की जो नई खेप सामने आई है और आ रही है वह मूल्यों को गंदे कपड़ों की तरह देखती है, जुमलों से अधिक उसकी कोई कीमत नहीं करती है तो आश्चर्य कैसा या दुख क्या मनाना ! उन्हें तो खुश होना चाहिए कि ये सब आधुनिक अर्जुन तैयार हुए हैं जिन्हें कुर्सी चिड़िया की आंख दिखाई देती है.

सत्ता ही एकमात्र लक्ष्य है, कोई राजनेता ऐसा कहे तो मेरे जैसा आदमी उसे आसानी से समझ सकता है. खेल क्रिकेट का हो कि कबड्डी का कि सत्ता का, जीतना उसका लक्ष्य होता है. इसमें कोई दोष भी नहीं है. हार हमेशा मुंह में एक कसैला-सा स्वाद छोड़ जाती है. फिर भी हर खेल में कोई जीतता तो कोई हारता तो है ही. लेकिन खेल तभी तक खेल है जब तक वह नियम से खेला जाता है, जब तक वह अंपायर की ऊंगली या सिटी पर चलता है. खिलाड़ी कितना भी बड़ा हो- मैसी हो कि कोहली कि फेडरर कि धोनी- न वह खेल से बड़ा होता है, न अंपायर की ऊंगली से ऊंचा होता है.

महात्मा गांधी ने दूसरा कुछ किया या नहीं लेकिन इतना तो किया ही कि अपने अस्तित्व की पूरी ताकत लगा कर राजनीति में, मानवीय व्यवहार में ( उनके लिए ये दोनों एक ही थे ! ) कुछ ऐसे मूल्यों की जगह बनाई जिनके लिए जान भी दी जा सकती है. कई लक्ष्मण-रेखाएं ऐसी खींचीं कि जिसे कोई पार न करे. कोई अभद्र काम या व्यवहार करे तो अंग्रेजी में एक मुहावरा ही बन गया है : इट्स नॉट क्रिकेट ! भारतीय संदर्भ में गांधी वैसा ही मुहावरा बन गए हैं : कोई गर्हित करे या कहे तो कहते हैं : यह गांधी का तरीका नहीं है ! जब गांधी थे तब भी उन वर्जनाओं को तोड़ने की कोशिशें होती थीं लेकिन गांधी का होना ही उसकी सबसे बड़ी वर्जना बना रहता था.

गांधी के बाद  भी जवाहरलाल, सरदार,राजेन बाबू, नरेंद्र देव, लोहिया आदि ने राजनीति में तो विनोबा, काका कालेलकर, जयप्रकाश नारायण सरीखे लोगों ने सार्वजनिक जीवन में मूल्यों की जड़ें सींचने का काम किया. हमने जो संविधान बनाया व लागू किया वह भी ऐसे मूल्यों की बात करता है. इसलिए गांधी को राजघाट से निकलने न देने की सामूहिक योजना बनी, तो बिना पढ़े-समझे संविधान की शपथ लेने से अधिक संविधान नाम की किताब का कोई मतलब नहीं है, ऐसा हमने अपनी राजनीति की नई पौध को समझाया. अब वह आपको आपकी ही पढ़ाई-सिखाई भाषा में जवाब दे रही है तो आप हैरान क्यों होते हैं ? यह वह भस्मासुर है जो गुरू के सर पर ही विनाश का अपना हाथ धरने को उद्धत है.

मूल्य दोधारी तलवार होते हैं. उन पर चलो तो धार लगती है, नहीं चलो तो विनाश होता है. भगवान कृष्ण इन दोनों पीड़ाओं से गुजरे थे. व्याघ्र के वाण ने उन्हें उससे छुटकारा दिलाया था. भारतीय समाज व राजनीतिक व्यवस्था उसी दौर से गुजर रही है. उसे किसी कृष्ण या किसी व्याघ्र का इंतजार है.

(06.07.2023)    

मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

સમાન નાગરિક કાયદાને મુદ્દે પંજાબના માન ચીપિયો પછાડે છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|6 July 2023

ધર્મસ્વાતંત્ર્ય નવેસર તપાસ માંગે છે

સરવાળે સવાલ એ છે કે સત્તાપક્ષ હોય કે વિપક્ષ, જે જોસ્સાથી મત માગે છે તેટલા જ જોસ્સાથી મતઘડતરની જવાબદારી ક્યારે ય સ્વીકારતા નથી, એવું કેમ.

પ્રકાશ ન. શાહ

પંજાબના મુખ્ય મંત્રી માને આપ શ્રેષ્ઠી અરવિંદ કેજરીવાલ અને સાથીઓ કરતાં સમાન નાગરિક કાયદાને મુદ્દે જુદો સૂર ઉચ્ચાર્યો છે. શિરોમણી અકાલી દળ સૂચિત સમાન નાગરિક કાયદા ઝુંબેશ બાબતે વિરોધી મત ધરાવે છે એ સંજોગોમાં માને જે મતબિરાદરીનું રખોપું કરવું રહે છે તે જોતાં આપના વિધિસર મત કરતાં જુદા પડવું એ એમની વ્યૂહાત્મક જરૂર હશે તેમ સમજાય છે.

આપ પ્રવક્તાઓએ કેજરીવાલ અને માન તત્ત્વતા જુદી ભૂમિકાએ નથી એવું સમજાવવાની કોશિશ જરૂર કરી છે, પણ માન માટે પંજાબના શીખ માનસની રીતે કશીક આઘાપાછી અનિવાર્ય હોય એમ જણાય છે. જો કે, એમણે સમાન નાગરિક ધારા(ખરું જોતાં કુટુંબ કાયદા)ના ખયાલને પડકારતાં જે રીતે વાત મૂકવાની કોશિશ કરી છે તે કાબિલે દાદ છે. એમણે કહ્યું છે કે, બગીચો તો રંગબેરંગી ફૂલો હોય તો શોભી રહે છે. જેમ એક જ રંગનાં ફૂલ ઇષ્ટ નથી તેમ નાગરિક ધારામાં પણ વૈવિધ્ય હોય એમાં ખોટું શું છે.

નાગરિક ધારો એકસરખો કરવા સામેની મુશ્કેલીઓનો જે દાખલો એમણે આપ્યો છે એમાં જો કે દમ નથી. જેમ કે, શીખોમાં બપોર પહેલાં લગ્નની પ્રણાલિકા છે તો હિંદુઓ મધરાતે ફેરા ફરે છે. આવા દાખલા ભાગ્યે જ કોઈ ગંભીર દલીલ તરીકે સ્વીકાર્ય બને. માને, બીજી બાજુ આદિવાસી પ્રણાલિકાની રીતે પ્રશ્ન ઉઠાવ્યો છે એમાં વજૂદ હોઈ શકે છે તે હમણાં ખુદ ભા.જ.પ.ના સુશીલ મોદીએ પણ કરેલી ટીકાઓ જોતાં સમજાય છે.

અલબત્ત, ભા.જ.પ.ની દૃષ્ટિએ મુખ્ય મુદ્દો અગર નિશાન જરી જુદી દિશામાં છે તે આપણને સમજાવું જોઈએ. ‘એક દેશ, એક કાયદો’ તે પ્રકારનાં એકતાસૂચક સૂત્રો એનો સતત અભિગમ રહ્યો છે. વળી સમાન નાગરિક કાયદાની આગ્રહી ભલામણ બંધારણના ઘડવૈયાઓએ 44મી કલમરૂપે અંકિત કરી છે. તેનો એ આ સંદર્ભના ગાઇવજાડીને ઉલ્લેખ કરે છે.

અહીં જરી પોરો ખાઈને સમજવાનું વાનું એ છે કે બંધારણ સભામાં લાંબી ચર્ચાવિચારણા પછી મૂળભૂત પ્રકારના અધિકારો વિશે અનિવાર્ય અને અનિવાર્ય નહીં એવું વિભાજન કરવામાં આવ્યું હતું. અનિવાર્ય એટલે જે મુદ્દે તમે કાનૂનન ન્યાયિક પ્રક્રિયામાં જઈ શકો તે, જસ્ટિસ્યેબલ એથી ઊલટું, સમાન નાગરિક કાયદાને માર્ગદર્શક એટલે સરવાળે નોન-જસ્ટિસ્યેબલ ખાતામાં નખાયેલ છે.

બંધારણ સભાની આ અંગેની પેટા સમિતિ પર, સમાન નાગરિક કાયદા બાબતે પોતપોતાને છેડેથી ભીમરાવ આંબેડકર, કનૈયાલાલ મુનશી ને મીનુ મસાણી આગ્રહી હતા. પણ ગૃહમાં બહુમતી વલણ એને માર્ગદર્શક સિદ્ધાંતોમાં મૂકવા તરફ હતું. અલબત્ત, મીનુ મસાણી, હંસા મહેતા, રાજકુમારી અમૃત કૌર વગેરે એને જસ્ટિસ્યેબલ બનાવવાના મતના હતાં.

સ્વરાજ પછી છેક અમૃતકાળ લગી તે દિશામાં ઠોસ કંઈ ન થઈ શક્યું એવી લાગણી ધરાવતો એક મત છે, તો સત્તાપક્ષને માટે એની પોતાની સમજ મુજબ કલમ 370, રામમંદિર અને સમાન નાગરિક કાયદા સહિતનો જે હિંદુત્વ એજન્ડા મિશ્ર સરકારની રાજનીતિમાં પાછળ રાખ્યો હતો, ‘બેક બર્નર’ પર હતો તેમાં આગળ વધવાનો છે. એમાં પણ ચાર પત્નીની છૂટ આપતો મુસ્લિમ નાગરિક કાનૂન (કુટુંબ કાયદો) એને સારુ સ્વાભાવિક અંશો ધરાવતા મુસ્લિમ કુટુંબ કાયદાની મર્યાદા તેમ જ મુસ્લિમ ઓળખનું ધર્મકોમ આધારિત રાજકારણ શાહબાનુ ઘટના સાથે જે રીતે બહાર આવ્યું એને વિશે ફરિયાદને અવકાશ છે તે હકીકત છે. 

ધર્મકોમની રાજનીતિના ધંધાદારીઓથી વિપરીત, નાગરિક છેડેથી હિંદુ-મુસ્લિમ-શીખ-ઇસાઈ-પારસી સૌએ આ મુદ્દે ‘ઝડપી પણ ધીમી’ ગતિનો વ્યૂહ અપનાવતે છતે એક પાયાની બાબત સમજી લેવી રહે છે કે સામાજિક સુધારાની પ્રક્રિયામાં ધર્મસ્વાતંત્ર્ય બાધક ન બની શકે. આ અઘરું છે એ સમજી માર્ગદર્શક સિદ્ધાંતોનો આશ્રય લેવાયો, પણ જો હિંદુ કુટુંબ કાયદામાં સુધારને અવકાશ હોય ને ઇસ્લામમાં, ખ્રિસ્તમતમાં કે બીજે કેમ ન હોઈ શકે ? 21મા લૉ કમિશને વ્યાપક અભિગમપૂર્વક ‘કન્સલ્ટેશન પેપર’ રજૂ કર્યું હતું. મત માગનારાઓ ધોરણસર મતઘડતરની જવાબદારી ક્યારે સ્વીકારશે ?

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 05 જુલાઈ 2023

Loading

...102030...1,1131,1141,1151,116...1,1201,1301,140...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved