Opinion Magazine
Number of visits: 9667403
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રમણ સોની : પુસ્તકોને પ્રત્યક્ષ કરાવનાર પાંચ અક્ષરનું નામ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Literature|7 July 2023

ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સંપાદક, વિવેચક, ગદ્યલેખક, ભાષાનિષ્ણાત અને અનુવાદક રમણ સોનીને જન્મદિવસની અનેક શુભેચ્છા

આજે અઠ્ઠોતેરમા વર્ષમાં પ્રવેશી રહેલા રમણભાઈની સતત સાહિત્યિક સક્રિયતાનો સાંપ્રત દાખલો એટલે ‘ગુજરાત મિત્ર’ દૈનિકનું ‘અક્ષરની આરાધના’ નામનું પખવાડિક પાનું.

તેમાં ગુણાનુરાગી છતાં સ્પષ્ટભાષી, વિશાળ વાચન અને રુચિવૈવિધ્ય ધરાવનાર, સૌષ્ઠવપૂર્ણ ગદ્યના લેખક હોય તેવા સમીક્ષક દેખાય છે; તેમના સમગ્ર સંપાદન-વિવેચન રાશિમાં પણ તેમની આ જ મહત્ત્તા છે.

રમણભાઈએ બનાવેલા ‘અક્ષરની આરાધના’ વૉટ્સૅપ ગ્રુપમાં પણ આ પાનું એકાંતરે સોમવારે વાંચવા મળે છે. તાજેતરનાં અને ઓછાં નવાં એમ બંને પ્રકારના પુસ્તકોના અવલોકનો હોય છે.

વળી ‘(નવા લેખકો સાથે) ગોષ્ઠી’ નામનો મોટે ભાગે literary anecdote સાહિત્યિક આખ્યાયિકાઓનો અને તત્સમ સામગ્રીનો એક આખો સ્તંભ એ બહુ ઓછાને ફાવે તેવી વાની છે.

છાપાની કૉલમ નહીં, આખું પાનું ઉત્તમ ગુણવત્તા સાથે ચલાવવા માટે જરૂરી વિપુલતા તો રમણભાઈ પાસે છે જ, પણ સાથે શિસ્ત અને આ ઉંમરે પણ શ્રમ કરવાની ક્ષમતા છે.

રમણભાઈના ઉદ્યમનો તાજેતરનો બીજો દાખલો એટલે ‘સંચયનસંપદા’ પુસ્તક. તેમાં ગયાં વીસ વર્ષથી ઇન્ટરનેટ પર મૂકવામાં આવતાં ‘સંચયન’નામના દ્વિમાસિક ઇ-મૅગેઝિનમાંથી ચૂટેલી સમગ્રી છે. અતુલભાઈ રાવલ અને રાજેશ મશરૂવાળાના કુનેહભર્યા તંત્ર સંચાલન હેઠળ નીકળતા આ મૅગેઝિનનું સંપાદન રમણભાઈ કરતા.

‘બહુરંગી લે-આઉટ સાથે નયનરમ્ય ભાતીગળ રૂપનો રુચિપૂર્ણ વૈભવ’ ધરાવતા ‘સંચયન’ના સંપાદનને રમણભાઈ એક દાયકાના ‘આનંદ-ઑચ્છવ’ તરીકે યાદ કરે છે. તેમાંથી એકસો સિત્તેર પાનાંનું અહ્લાદક મુદ્રિત પુસ્તક તે ‘સંચયનસંપદા’. ‘પસંદગીમાં કેટલુંક સરસ, સુંદર બાકી પણ રહી  ગયું … ગ્રંથ-2 કરીશું ત્યારે સાટું વાળી દઈશું’ એવું રમણભાઈનું સપનું.

‘સંચયન’ જેના નેજા હેઠળ ચાલે છે તે ‘એકત્ર ફાઉન્ડેશન’ ‘મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા’ છે. તેણે ‘એકત્ર ગ્રંથાલય’ નામે ગુજરાતી સાહિત્યનાં ચારસોથી વધુ દળદાર પુસ્તકો ડિજિટાઇઝ્ડ સ્વરૂપે પબ્લિક ડોમેઈનમાં મૂક્યાં છે.

તેમાંથી હમણાં મુદ્રિત સ્વરૂપે પણ આવેલો રમણભાઈએ તૈયાર કરેલો મતબર નિર્માણવાળો આકરગ્રંથ ‘મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા’. રમણભાઈના એક અતિવિશિષ્ટ કોશનો ઉલ્લેખ થવો ઘટે – ‘સમયદર્શી કોશ : કર્તાસંદર્ભ’.

કોશકાર અને સૂચિકાર રમણ સોનીની જેમ ગદ્યલેખક રમણભાઈને પણ અભ્યાસવા જેવા છે. તેમનું સમીક્ષાત્મક ગદ્ય સુવાચ્ય અને વિચારપ્લાવિત છે.

રસપ્રદ નવા શબ્દો મળે છે : વિ-રૂપીકરણ, વિ-સંદર્ભીકરણ, હાસ્યભાષા, દુર્વાચ્ય, હ્રસ્વીકરણ, સિગરેટરસિક, પર્યાય દ્વિભાષિકતા – ઘણાં ઉમેરણો થઈ શકે.

લલિત ગદ્યમાંથી કેટલુંક એટલું મજાનું છે કે ‘આ જ રમણ સોની કે ?’ એવો  સવાલ થાય. એમનું ‘ગુજરાતી લેખન-પદ્ધતિ’ પુસ્તક મારું મુખ્ય માર્ગદર્શક રહ્યું છે. ‘તોત્તો-ચાન’ ગુજરાતી વાચકોને ઘેલું લગાડી ગઈ હતી.

સંપાદક-વિવેચક તરીકેની રમણભાઈની શ્રેષ્ઠતા તો સર્વવિદિત છે. પણ તેમના કાર્યરાશિનું મારા માટે સૌથી આકર્ષક પાસું એ છે તેઓ એક મોટા ગ્રંથજ્ઞ, કહેતાં પુસ્તકોના જાણતલ છે. અંગ્રેજીમાં જેના માટે એક મજાનો શબ્દ છે bookman તે રમણભાઈના વારંવાર પ્રગટે છે.

અંગ્રેજી bookman શબ્દમાં જે અભિપ્રેત છે તેમાંથી ઘણું બધું રમણભાઈના લેખન- સંપાદનમાં જોવા મળે છે. એટલે કે ઉત્કટ ગ્રંથરાગ તો ખરો જ, પણ સાથે પુસ્તક નામની જે phenomenon – જે ઘટના છે તેના અનેક પાસાં : સમગ્ર પુસ્તક નિર્માણ, પ્રકાશન અને વેચાણ, વાચક, વાચન સંસ્કૃતિ, ગ્રંથાલય, પુસ્તક સંગ્રહ, પુસ્તકો સાથે આત્મીયતા ઇત્યાદિ. 

રમણભાઈને દરેક કૃતિમાં પેલો ન દેખાતો બુકમન ઉજાસ પાથરતો રહે છે. ‘ગ્રંથજ્ઞ રમણભાઈ’ આમ તો અભ્યાસલેખનો વિષય છે.

નિબંધ ઉપરાંતના લેખનમાં ઊર્મીઓને દૂર રાખનારા રમણભાઈનો પુસ્તક પ્રેમ તેમના લાક્ષણિક હળવા નિંબધ સંગ્રહ ‘સાત અંગ, આઠ નંગ અને –‘ ના ‘હું અને પુસ્તકો’ નામના નિબંધમાં વ્યક્ત થાય છે :

‘અમૂર્ત ઇ-પુસ્તકેશ્વરે અવતાર ધારણ કરી લીધો છે … અમે એના ઇ-વિશ્વમાં પણ થોડીક લટાર મારીશું – પણ પુસ્તકેશ્વરની તમારી આ નરી નિર્ગુણ જ્ઞાન-ઉપાસના એ અમારે માટે એકમાત્ર વિકલ્પ બનવાની નહીં.

‘અમને તો સગુણ ઉપાસના વહાલી છે. અમારે તો એ…ય ને પુસ્તક હાથમાં હોય, અમારી આંગળીઓના ટેરવાં એને સ્પર્શ કરતાં હોય, પાનાં ફરવાનો કે ફરફરવાનો એનો આછો ધ્વનિ સંભળાતો હોય, મુદ્રણની વાસ્તવિક વિવિધ ભાતો અને આકારોનું સૌંદર્ય આંખો દર્શન કરતી હોય –

‘અરે બહુ વાર વંચાયાથી, પુસ્તકના તૂટેલા બાઇન્ડિન્ગમાં સિલાઈની પેલી નાજુક દોરી પણ દેખાઈ જતી હોય, બિલકુલ નવાં કે સાવ જર્જરિત જૂનાં પુસ્તકની ગંધ ફોરતી હોય ને પુસ્તક ચાલુ ટ્રેનમાં કે ઊંઘની અટારીએથી વાંચતાં-વાંચતાં એનો સ્વાદ મળતો હોય – એવું પાંચે ઇન્દ્રિયોનું સુખ અમને આ મૂર્ત પુસ્તક આપે છે.

‘હું તો મારા ગ્રંથમહાલયમાં, આરામખુરશીમાં અઢેલીને પડ્યો છું. હાથમાં પુસ્તક છે રસભર્યું ને નજર સામે વૈભવભર્યું ગ્રંથસ્થાપત્ય છે. ઘડીક એ પ્રલંબ હરોળો સામે જોઉં છું ને ઘડીક મારા હાથમાંના પુસ્તકને મનમાં રોપું છું. થોડીકવારમાં એ પુસ્તકમાં ડૂબી ગયો હોઉં છું ને સાથે જ આ મહોલમાં તરતો હોઉં છું – એ બધી જ ક્ષણો મારા માટે પરમ સુખની ક્ષણો હોય છે.’

‘આંગણું અને પરસાળ’ના પ્રાસાદિક લઘુનિબંધોમાં ‘વાચનનો રસ અને કસ’ પણ પુસ્તકો માટેનો ભાવ વ્યક્ત કરે છે. રમણભાઈનો ગ્રંથરાગ ‘પ્રત્યક્ષીય : સાંપ્રત સહિત્ય-વિમર્શના આલેખો’માં પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે પ્રગટે છે. 

જો કે રમણભાઈની ગ્રંથજ્ઞતાની સર્વોચ્ચ અભિવ્યક્તિ એટલે ગ્રંથસમીક્ષાનું સામયિક ‘પ્રત્યક્ષ’. આ ત્રૈમાસિકના 1991 થી 2017ના આયુષ્ય દરમિયાન એકસો એક અંકો નીકળ્યા.

‘પ્રત્યક્ષ’ તેના સમયથી અત્યાર સુધી પુસ્તકો વિશેનું એકમાત્ર ગુજરાતી સામયિક રહ્યું છે (ધ ગ્રેટ ‘ગ્રંથ’ એના પહેલાનું). 

પુસ્તક-અવલોકનના આ સામયિકમાં નવસો જેટલાં નવાં ગુજરાતી પુસ્તકો વિશે લેખો પ્રસિદ્ધ થયા. આવકાર તરીકે તેણે ત્રણેક હજાર પુસ્તકો વિશે લખાયું. તેના માટેનો વિભાગ છે ‘પરિચય-મિતાક્ષરી’.

તેમાં પુસ્તક વિશેની બિલકુલ પાયાની વિગતો સાથે કવિતા, વાર્તા, નવલકથા, નાટક, ચરિત્ર, નિબંધ, બાળસાહિત્ય, વિવેચન, લોકસાહિત્ય, ઉપરાંત વિજ્ઞાન, માનવવિદ્યાઓ, પત્રકારત્વ સહિતનાં અનેક  જ્ઞાનક્ષેત્રોના ગુજરાતી પુસ્તકોનાં આગમનની જાણ ‘પ્રત્યક્ષ’ વાચકોને કરતું રહ્યું.

જુદી જુદી રીતે ‘પ્રત્યક્ષે’ વાચકોને પાંચેક હજાર પુસ્તકોનો પરિચય કરાવ્યો હોવાનું અભ્યાસી કાંતિભાઈ પટેલ નોંધે છે. અલબત્ત ચોક્કસ આંકડો વલભીપુર પાસેના ઉમરાળાના શિક્ષક પ્રવીણ કુકડિયાએ તૈયાર કરેલી ‘પ્રત્યક્ષ’સૂચિમાંથી મેળવી શકાય.

સૂચિમાં પણ ‘અન્ય : વ્યાપક’ અને ‘વિવિધ વિભાગો’ પ્રકરણો હેઠળના પુસ્તકો રમણભાઈના સાહિત્યેતર વિષયવ્યાપ અને રુચિવૈવિધ્યનો અંદાજ આપે છે.

ધારદાર મંતવ્યો નિમિત્તે તેમ જ સાહિત્યજગતની અનેક બાબતોને લઈને ઊભા થયેલા વિવાદોને, સ્થાન અને પ્રોત્સાહન આપવામાં ‘પ્રત્યક્ષ’ની ભૂમિકા કંઈક અંશે વિચારપત્ર ‘નિરીક્ષક’ને મળતી આવતી.

જો કે નોધવું જોઈએ કે ‘પ્રત્યક્ષ’ ‘પૉપ્યુલર મૅગેઝિન’, ‘લિટલ મૅગેઝિન’ કે ‘વ્હ્યૂ મૅગેઝિન’ કરતાં સાહિત્યનાં જ પુસ્તકપ્રેમી અભિજનો માટેનું ગ્રંથસમીક્ષાનું પાંચસોએક નકલોનો ફેલાવો ધરાવતું ત્રૈમાસિક હતું.

‘પ્રત્યક્ષ’ માટે સાહિત્યનું પુસ્તક એ સર્વસ્વ છે. એટલે તેના મુદ્રણ-નિર્માણ-પ્રકાશનનાં પાસાંને તે ન આવરી લે તો જ નવાઈ. આ દિશામાં સમયના એક તબક્કે કેટલાક અંકોમાં ચાલેલી ચર્ચા ગુજરાતી સાહિત્યમાં નોખી હતી.

પુસ્તક કહેતાં પાઠ્યપુસ્તકની પણ ચિંતા કરનાર જૂજ સામયિકોમાં એક તરીકે ‘પ્રત્યક્ષ’ એ કેટલાક અંકોનો મોટો હિસ્સો શાળા-પાઠ્યપુસ્તકો વિશે ફાળવ્યો છે. તેમાં શિક્ષકો તેમ જ નિષ્ણાતોએ જુદાં જુદાં ધોરણનાં ગુજરાતી પાઠ્યપુસ્તકોનાં લેખાંજોખાં કર્યાં છે. એ જ રીતે ગ્રંથસમીક્ષા અને અનુવાદ અંગે ચર્ચાસત્રો યોજીને તેની સામગ્રીને વિશેષ સ્થાન આપ્યું છે.

‘પ્રત્યક્ષ’ના સંપાદન વિશેષાંક પરથી થયેલું પુસ્તક ‘નેપથ્યેથી પ્રકાશવર્તુળમાં’ અજોડ છે. વળી આ સામયિકમાં પાનાં તૈયાર કરતી વખતે જે ખાલી જગ્યા પડે ત્યાં મૂકવામાં આવેલા આવકાશપૂરકો અથવા ફિલર્સ પરથી ‘બુંદબુંદની સૂરત નિરાળી’ નામે સામયિક સંપાદન વિશેનાં અવતરણોનો અનોખો સંચય બહાર પડ્યો છે. તેનું પેટામથાળું છે : ‘દોઢસો વર્ષની ગુજરાતી સાહિત્યસામયિક-પરંપરાના વિચારસંચલનો’.

આ રમણ સોની ન હોત તો દરેક સાહિત્યપ્રેમીની દુનિયાને ન્યાલ કરનાર સામયિક ન મળ્યું હોત. ગુજરાતીના પૂર્વ અધ્યાપક, કોશનિષ્ણાત અને સૂચિકાર રમણભાઈ ‘પ્રત્યક્ષ’ના કેવાં ‘લાડ લડાવ્યાં છે’ તે દરેક અંકની માવજત પરથી ધ્યાનમાં આવે છે.

કોઈ સંસ્થાના ટેકા કે અનુદાન વિના ચાલતા આ ‘દુસ્સાહસ’ માટે તેમણે વ્યક્તિગત આર્થિક ખોટ પણ એક કરતાં વધુ વખત વેઠી છે. સામયિકનું ‘આયુષ્ય છે ત્યાં લગી છે જ યુદ્ધ’ એવું રમણભાઈએ અનુભવ્યું છે.

જો કે સાથ આપનાર સૂચિકારો, અભ્યાસીઓ, લેખકોનો  યથોચિત ઋણસ્વીકાર પણ હતો.

અલબત્ત, દરેક અંક પર રમણ-મુદ્રા જ અંકાયેલી રહેતી. પુસ્તકો વિશેના ખજાના જેવા ‘ગ્રંથ’ માસિક (1964-85) અને તેના સંપાદક યશવંત દોશી એકબીજાનાં પર્યાય હતા. ‘પ્રત્યક્ષ’ અને રમણ સોનીનું એવું જ હતું.

‘ગ્રંથ’નો વિશાળ વિષયપટ ‘પ્રત્યક્ષ’માં હોય એવું આપણા બૌદ્ધિક જગતની કેટલીક મર્યાદાઓ છતાં રમણભાઈની ક્ષમતાને કારણે અને વિક્લ્પોને અભાવે લાગ્યા કરતું.

અંગ્રેજીમાં ખાસ નવાં પુસ્તકો વિશેનાં ‘બિબ્લિઓ’ કે ‘બુક રિવ્યૂ’ જેવાં માતબર સામયિકો જોતી વખતે ત્યારે આપણી ભાષામાં પણ આ પ્રકારનું સામયિક છે તેનો હરખ હતો. સાહિત્યના પુસ્તકોના ચાહક માટે પવનની લહેરખી જેવાં ‘પ્રત્યક્ષ’ થકી નવાં પુસ્તકોની સુવાસ આપણા સુધી પહોંચતી.        

‘પ્રત્યક્ષ’ કઈ ઘટના હતી તેની ઝલક ‘પ્રત્યક્ષસંપદા’ નામના સૂઝથી નિર્માણ પામેલા સંગ્રહમાં મળે છે. પ્રત્યક્ષના તમામ અંકો  Ekatra Foundation ની વેબસાઈટ પર વાંચવા મળે છે.

નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટે રમણ સોનીને 18 મેના રોજ ત્રીજા ‘નિરંજન ભગત સ્મૃતિ પુરસ્કાર’થી સન્માનિત કર્યા. એ અવસરનું સરસ-સરળ પ્રતિભાવ પ્રવચન સંસ્થાની વેબસાઇટ પર છે.

રમણ નામધારીઓએ ગુજરાતી સાહિત્યમાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે. તેમાંથી રમણલાલ સોની શતાયુષી થવામાં બે વર્ષ ચૂકી ગયા. રમણ સોની ન ચૂકે એવી આજના દિવસે શુભેચ્છા.

7 જુલાઈ 2023

-X-X-X-X-X-

ઓમ કમ્યુનિકેશનના ઉપક્રમે આજ રોજ, શુક્રવારે, સાંજે 5.30 વાગ્યે રમણ સોની પોતાનાં જીવન-કવન વિશે વક્તવ્ય આપશે.

સ્થળ : ગોવર્ધન સ્મૃતિ મંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ, અમદાવાદ

[1,300 શબ્દો]
 e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

एकरूपता या लैंगिक न्याय: यूसीसी का ड्राफ्ट कहाँ है

राम पुनियानी|Opinion - Opinion|7 July 2023

राम पुनियानी

विधि आयोग की अधिसूचना और प्रधानमंत्री मोदी की उसे लागू करने की जबरदस्त वकालत के चलते सामान नागरिक संहिता (यूसीसी) एक बार फिर चर्चा में है. चुनाव-दर-चुनाव, यूसीसी भाजपा के घोषणापत्रों का हिस्सा रही है. सन 1996 के घोषणापत्र में यूसीसी को ‘नारी शक्ति’ खंड में शामिल किया गया था. तब से लेकर आज तक भाजपा यूसीसी का मसविदा तैयार नहीं कर सकी है. हमें आज तक यह पता नहीं है कि यूसीसी के लागू होने के बाद, तलाक, गुज़ारा भत्ता, संपत्ति के उत्तराधिकार और बच्चों के संरक्षण के सम्बन्ध में क्या नियम और कानून होंगे. यूसीसी फिर चर्चा में है और अब तक आल मुस्लिम लॉ बोर्ड और कुछ मुस्लिम संगठन इसके खिलाफ आवाज़ उठा चुके हैं. इस बार, आदिवासियों और सिक्खों के संगठन भी इसका विरोध कर रहे हैं.

केंद्रीय सरना समिति के एक पदाधिकारी संतोष तिर्की ने कहा, “वह (यूसीसी) विवाह, तलाक, उत्तराधिकार और भूमि के हस्तांतरण के सम्बन्ध में हमारे प्रथागत कानूनों पर अतिक्रमण करेगी….”. एक अन्य आदिवासी समूह के नेता, झारखण्ड के रतन तिर्की ने कहा, “अपना विरोध दर्ज करने के लिए हम विधि आयोग को ईमेल भेजेंगे. हम ज़मीनी स्तर पर भी विरोध करेंगे. हम अपनी रणनीति तैयार करने के लिए बैठकें कर रहे हैं. यूसीसी  से संविधान की पांचवीं और छठवीं अनुसूची के प्रावधान कमज़ोर हो जाएंगे.”

राष्ट्रीय लोकतान्त्रिक गठबंधन (एनडीए) के एक घटक दल और उत्तरपूर्व के एक भाजपा नेता ने कहा कि वे इसका विरोध करेंगे. भाजपा के सुशील मोदी, जो संसद की विधि एवं न्याय स्थायी समिति के अध्यक्ष हैं, ने उत्तरपूर्वी राज्यों सहित आदिवासी इलाकों में यूसीसी लागू करने की व्यवहार्यता पर प्रश्नचिन्ह लगा दिया है (इंडियन एक्सप्रेस. 4 जुलाई 2023).

शिरोमणि अकाली दल (एसएडी) ने भी यूसीसी का विरोध किया है. अकाली नेता गुरजीत सिंह तलवंडी ने शिरोमणि गुरुद्वारा प्रबंधक समिति (एसजीपीसी) से कहा कि वह यूसीसी को सिरे से ख़ारिज न करे बल्कि विधि आयोग के साथ परामर्श करे. “इंडियन मुस्लिम्स फॉर सेक्युलर डेमोक्रेसी” जैसे प्रगतिशील मुस्लिम संगठनों ने ऐसे व्यक्तिगत कानून (पर्सनल लॉ) बनाने की मांग की है, जिनका किसी धर्म से सरोकार नहीं हो.

व्यक्तिगत और पारिवारिक कानून, दीवानी और फौजदारी कानूनों से अलग होते हैं. दीवानी और फौजदारी कानून सभी धर्मों के लोगों पर समान रूप से लागू होते हैं. व्यक्तिगत कानूनों को ब्रिटिश सरकार ने सम्बंधित धर्मों के पुरोहित वर्गों के परामर्श से तैयार किया था. हिन्दुओं के व्यक्तिगत कानूनों में बहुत विभिन्नता थी. मुख्यतः मिताक्षरा और दायभाग कानून लागू थे. देश के प्रथम प्रधानमंत्री जवाहरलाल नेहरु, हिन्दू पर्सनल लॉ के लैंगिक दृष्टि से अन्यायपूर्ण होने से चिंतित थे और इसलिए उन्होंने अम्बेडकर से हिन्दू कोड में सुधार प्रस्तावित करने के लिए कहा था. उस समय मुस्लिम पर्सनल लॉ में सुधार की बात सरकार की ओर से इसलिए नहीं की गयी क्योंकि विभाजन के दौर में हुए दंगों के जख्म ताज़ा थे और सरकार नहीं चाहती थी कि ऐसा लगे कि मुसलमानों पर कोई कानून उनकी मर्ज़ी के खिलाफ लादा जा रहा है. बाद में मुस्लिम लॉ को कुछ हद तक संहिताबद्ध किया गया और तीन तलाक को असंवैधानिक घोषित किया गया. तीन तलाक को अपराध इसलिए घोषित किया गया ताकि समाज को ध्रुवीकृत किया जा सके और मुसलमानों को कानून तोड़ने वालों के रूप में प्रस्तुत किये जा सके.

अम्बेडकर न्याय और समानता के जबरदस्त पक्षधर थे और वे स्पष्ट देख सकते थे कि हिन्दू पर्सनल लॉ, महिलाओं को पराधीन रखने और उन पर ज़ुल्म करने का हथियार हैं. अम्बेडकर ने लैंगिक समानता पर आधारित हिन्दू कोड बिल तैयार किया परन्तु इसका इतना जबरदस्त विरोध हुआ कि सरकार को उसके कई प्रावधानों को हटाना पड़ा और उसे चरणों में लागू करने का निर्णय लेना पड़ा. हिन्दुओं के पुरातनपंथी तबके, जिसे हिन्दू राष्ट्रवादियों का पूरा समर्थन हासिल था, ने अम्बेडकर के त्यागपत्र की मांग की. अम्बेडकर स्वयं भी हिन्दू कोड बिल पर प्रतिक्रिया से मर्माहत थे और उन्होंने केंद्रीय मंत्रिमंडल से इस्तीफा दे दिया. हिन्दू कोड बिल के विरोध में गीता प्रेस की कल्याण पत्रिका सबसे आगे थी. गीता प्रेस को वर्तमान सरकार द्वारा गाँधी शांति पुरस्कार से नवाज़ा गया है. कल्याण ने लिखा, “अब तक तो हिन्दू जनता उनकी बातों को गंभीरता से ले रही थी. परन्तु अब यह साफ़ है कि अम्बेडकर द्वारा प्रस्तावित हिन्दू  कोड बिल, हिन्दू धर्म को नष्ट करने के उनके षड़यंत्र का सबसे महत्वपूर्ण हिस्सा है. अगर उनके जैसा  व्यक्ति देश का विधिमंत्री बना रहता है तो हिन्दुओं के लिए यह घोर अपमान और शर्म की बात होगी और यह हिंदू धर्म पर एक धब्बा होगा.”

यूसीसी की मांग उभरते हुए नारीवादी आन्दोलन के ओर से ज़रूर की गयी थी. सन 1970 के दशक की शुरुआत में, मथुरा बलात्कार काण्ड के बाद इस मांग ने जोर पकड़ा. उस समय यह मान्यता थी कि एकरूपता से महिलाओं को न्याय मिलेगा. आरएसएस के द्वितीय सरसंघचालक गोलवलकर द्वारा के.आर. मलकानी को दिए गए एक साक्षात्कार में संघ प्रमुख ने यूसीसी का विरोध करते हुए कहा था कि भारत में विविधताओं के चलते यूसीसी लागू नहीं किया जा सकता (द आर्गेनाइजर, 23 अगस्त 1972). अतः इस तर्क में कोई दम नहीं है कि यूसीसी से राष्ट्रीय एकता मज़बूत होगी. हम अमरीका से सीख सकते हैं जहाँ के 50 राज्यों में अलग-अलग कानून लागू हैं. अब अधिकांश महिला संगठन भी यूसीसी की बजाय लैंगिक न्याय पर जोर देने लगे हैं. क्या तलाक, उत्तराधिकार और बच्चों के संरक्षण से सम्बंधित नियमों को लोगों पर लादने से लैंगिक न्याय स्थापित हो जायेगा?

क्या यूसीसी को ज़बरदस्ती लागू करना ठीक होगा? क्या यूसीसी लाद देने से, प्रथागत परम्पराएं और प्रथाएं ख़त्म हो जाएंगी? ये सवाल महत्वपूर्ण हैं. आज जरूरत इस बात की है कि विभिन्न धार्मिक समुदायों के अंदर से सुधार की प्रक्रिया शुरू हो और लैंगिक न्याय सुनिश्चित किया जा सके. यह सही है कि विभिन्न समुदायों का प्रतिनिधि होने का दावा करने वाले व्यक्तियों के बारे में हम यह नहीं कह सकते कि वे अपने पूरे समुदाय और विशेषकर अपने समुदाय की महिलाओें की राय का पूर्णतः प्रतिनिधित्व करते हैं. कई मामलों में पुरूष स्वयं को अपने समुदाय का नेता घोषित कर देते हैं. उनके दावों पर निश्चित रूप से प्रश्नचिन्ह लगाए जाने चाहिए और अलग-अलग समुदायों की महिलाओं की राय को महत्व दिया जाना चाहिए और उनकी राय ही वर्तमान कानूनों में सुधार और परिवर्तन का आधार होनी चाहिए.

भाजपा का यह दावा खोखला है कि यूसीसी लागू करने मात्र से महिलाओं का सशक्तिकरण हो जाएगा. अपने नौ साल के कार्यकाल में सरकार बहुत आसानी से समुदायों के भीतर से सुधार की प्रक्रिया की शुरूआत सुनिश्चित कर सकती थी. अलग-अलग समुदायों की महिलाएं समय-समय पर अलग-अलग मुद्दे उठाती रही हैं परंतु उनपर कोई ध्यान नहीं दिया गया. इसके साथ ही अल्पसंख्यकों में बढ़ते असुरक्षा भाव के कारण उनके कट्टरपंथी तबके की समुदाय पर पकड़ और मजबूत हुई है.

भाजपा का एकमात्र लक्ष्य है धार्मिक आधार पर समाज को ध्रुवीकृत करना और यूसीसी भी इसी उद्धेश्य के लिए उठाया गया कदम है. समुदायों के अंदर से सुधार को प्रोत्साहित करना और यह सुनिश्चित करना कि यूसीसी पर किसी भी चर्चा के केन्द्र में लैंगिक न्याय हो सबसे जरूरी है. यूसीसी को हां या न कहने की बजाए जरूरी यह है कि यह मांग की जाए कि सरकार सबसे पहले यह साफ करे कि यूसीसी में आखिर होगा क्या? अर्थात यूसीसी का मसविदा बहस और चर्चा के लिए सार्वजनिक किया जाए. हम केवल यह उम्मीद कर सकते हैं कि सभी समुदायों और विशेषकर मुसलमानों के परिपक्व और समझदार प्रतिनिधि यूसीसी का विरोध करने की बजाए यह मांग करेंगे कि यूसीसी का मसविदा तैयार हो.

भाजपा की जो सरकार गीता प्रेस को गांधी शांति पुरस्कार प्रदान कर सकती है वह महिलाओं के सशक्तिकरण में गहरी रूचि रखती है यह मानना किसी के लिए भी बहुत मुश्किल होगा. भाजपा का खेल सिर्फ इतना है कि मुस्लिम कट्टरपंथी व्यक्ति और संगठन यूसीसी के विरोध में खड़े हो जाएं और इससे समाज का साम्प्रदायिक ध्रुवीकरण और बढ़े और भाजपा की झोली में और वोट आएं. इस षड़यंत्र को असफल करने के लिए यह जरूरी है कि सभी राजनैतिक दल और सामाजिक संगठन यह मांग करें कि पहले यूसीसी का मसविदा तैयार किया जाए और उसके बाद ही वे यह तय करेंगे कि वे उसके खिलाफ हैं या समर्थन में. 

(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया)
05/07/23
https://www.navjivanindia.com/opinion/bjps-game-on-uniform-civil-code-is-old-noise-before-every-election-but-no-draft-to-show-article-by-ram-puniyani

Loading

હવે ‘ન બોલ્યામાં નવ ગુણ’ નથી, અવગુણ છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|7 July 2023

રવીન્દ્ર પારેખ

આપણે ત્યાં બે કહેવત પ્રચલિત છે. ‘ન બોલ્યામાં નવ ગુણ’ ને ‘બોલે તેનાં બોર વેચાય’ ! બંને પોતપોતાની રીતે યોગ્ય છે, પણ આજના સમયમાં વિપરીત અસર કરનારી પણ છે. એક તરફ પ્રજા બોલતી જ નથી ને સહન કર્યે જાય છે, તો એક વર્ગ એવો છે જે નિરર્થક બોલ્યા કરે છે ને ગમે તેની ભાટાઇ પણ કરે છે. એક જમાનામાં દરબારમાં ભાટ-ચારણ રહેતાં જે ખરી ખોટી રાજભક્તિ કરીને પેટિયું રળી લેતા. એમને તો રાજ તરફથી સરપાવ મળતો હતો, પણ આજે એવા ઘણાં ઘેટાં છે, જે કૈં ન મળવાનું હોય તો પણ, એકની પાછળ એક ચાલ્યે રાખે છે. ઘણાંને તો એ પણ ખબર નથી કે પોતે ક્યાં જાય છે, પણ આગળ કોઈ ચાલે છે તો એ પણ ચાલે છે. કોઈ અંધને દેખતો કરવાનું શક્ય છે, પણ કોઈ દેખતાને દેખતો કરવાનું અઘરું છે, કારણ એણે અમુક જ જોવું છે ને અમુક તો જોવું જ નથી. એવો વર્ગ મોટો હોય છે, એટલે નુકસાન પણ વ્યાપક હોય છે. એમાંના ઘણાંને તો ખાસ કોઈ સ્વાર્થ પણ હોતો નથી, પણ એની સાથેવાળો ઢોલ વગાડે છે, તો એ પણ મંજીરાં ખખડાવવા લાગે છે. આવી ભક્તિથી પોતાને તો કોઈ નુકસાન નથીને તે જોવાનું રહે.

આજકાલ ચાલતી રાજરમતો પ્રજાહિતમાં ચાલે છે એવું લાગે છે? મહારાષ્ટ્રનો જ દાખલો લઇએ. ત્યાં છેલ્લી સરકારો અન્ય પક્ષના ટેકાથી જ ચાલી છે. શિવસેનાના ટુકડા થયા, એમ એન.સી.પી.ના પણ થયા. બાળ ઠાકરે એ પુત્ર મોહમાં બંધુ પ્રેમનો ભોગ લીધો ને રાજ ઠાકરેએ મ.ન.સે.ની સ્થાપના કરવી પડી. શિવસેનામાં પણ એકનાથ શિંદેએ મુખ્યમંત્રીપદું મેળવવા ભા.જ.પ.ની મદદ મેળવી ને ઉદ્ધવ ઠાકરેએ ઘર ભેગા થવું પડ્યું. હવે દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય મંત્રી થાય કે તેનું કેન્દ્રીય મંત્રીમંડળમાં પાનું પડે એવી સ્થિતિમાં રાષ્ટ્રીય કાઁગ્રેસ પાર્ટી(એન.સી.પી.)માં ધડાકો થયો. પાર્ટી અધ્યક્ષ શરદ પવારને બાજુ પર મૂકીને ભત્રીજા અજિત પવારે પોત પ્રકાશ્યું અને પોતાનાં મળતિયાઓને લઈને નાયબ મુખ્યમંત્રીપદ મેળવી લીધું. એ કેટલું ટકશે તે તો સમય કહેશે, પણ અજિત પવારે તો મુખ્ય મંત્રી થવું છે, તેવી જાહેરાત બધી શરમ છોડીને કરી દીધી છે. ભા.જ.પે. તો વિપક્ષ જેવું કૈં રહેવા જ નથી દેવું એટલે એ પક્ષોને તોડે છે ને નથી તૂટતા તેમને માથે EDની તલવાર લટકતી રાખે છે. અજિત પવારને ભા.જ.પ.ની આભડછેટ નથી, એટલે અગાઉ પણ ભા.જ.પ.ને ખોળે બેસી આવ્યા છે. અત્યારે હાલત એ છે કે શરદ પવારને પક્ષ અને પ્રતીક બચાવવાનાં ફાંફાં છે. આ બન્યું એમાં શરદ પવારની સુપ્રિયા શૂલે પ્રત્યેની પુત્રીભક્તિ અને અજિત પવારની કાકા પ્રત્યેની બેવફાઇ કેન્દ્રમાં છે. બાળ ઠાકરેનો પુત્ર મોહ શિવસેનાને નડ્યો, એમ જ શરદ પવારનો પુત્રી મોહ એન.સી.પી.ને નડ્યો છે. શરદે ઉંમર થતાં પક્ષ પ્રમુખપદ છોડ્યું, પછી વળી પકડી પણ લીધું. એ વખતે અજિત પવારને પક્ષ પ્રમુખ થવાનું મળશે એવી ધારણા હતી, પણ તે ફળીભૂત થઈ નહીં, કારણ કાર્યકારી પ્રમુખપદ સુપ્રિયા શૂલે અને પ્રફુલ પટેલ પાસે ગયું, એટલે અજિત પાસે બળવો કરવા સિવાય કોઈ માર્ગ ન રહ્યો. એક વાત સ્પષ્ટ છે કે શરદ પવાર બહુ સ્વસ્થ અને પહોંચેલ માયા છે. એમણે જ એમના ગુરુ વસંતદાદા પાટિલની સરકાર ગબડાવેલી તે જાણનાર જાણે છે. કાકાનો દાવ કાકા પર જ અજમાવે એવો ભત્રીજો તો શરદને મળ્યો જ છે. એ દગો દે એનો આઘાત તો શરદ પવારને ય ન લાગે એટલા એ ઘડાયેલા છે. કાકા ચાલમાં ફસાયા છે કે ભત્રીજો ભોગ બન્યો છે એ પત્તાં તો સમય ખોલશે, પણ ચાલની ગંધ તો આવે જ છે. અજિત પવાર ભા.જ.પ.માં એકલા પડે અને તેમની સાથે ગયેલા સભ્યો પાછા ફરે એમ બને. એમ થાય તો અજિત પવાર ન ઘરનાં, ન ઘાટના રહે. ગયેલા સભ્યોને પવારે જ મોકલ્યા હોય તો નવાઈ નહીં. વહેમ તો એવો પણ પડે છે કે એન.સી.પી. જ ભા.જ.પ.માં ગોઠવાય તો આગામી ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ પાટલો પડે. એ સમય પર છોડીએ, પણ અજિત પવારનો ઘડો લાડવો આજે નહીં તો કાલે થાય એવી પૂરી શક્યતા છે. કાલ ઊઠીને અજિત પવાર મુખ્ય મંત્રી થાય તો પણ, તે ખાટી જાય એવું નથી. એમ તો એકનાથ શિંદે કેટલું ખાટ્યા છે તે ક્યાં કોઇથી અજાણ્યું છે? ભા.જ.પ. હોય ત્યાં સામેવાળો ખાટે એવું ઓછું જ બનવાનું.

ભા.જ.પ. તો મહારાષ્ટ્રવાળી બિહારમાં પણ કરવાની પેરવીમાં છે. બીજી તરફ મણિપુરની હિંસાએ કેન્દ્રની નિષ્કાળજીને પણ છતી કરી દીધી છે. વિપક્ષો એક તો થયા છે, પણ આ એકતા કેટલી ટકે તે પ્રશ્ન જ છે. ભા.જ.પ.ને મજબૂત કરવામાં વિપક્ષો વચ્ચેનો મનમુટાવ વધુ ભાગ ભજવે છે. 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં, રાજકીય પક્ષોની સાઠમારી મહારાષ્ટ્રની જેમ વધતી જ રહેશે તો કેન્દ્રમાં ભા.જ.પ. સિવાય કોઇ વિકલ્પ જ નહીં રહે એમ બને.

આ બધાંમાં ક્યાં ય પ્રજાહિતની કોઈ વાત સંભળાય છે? કદાચ રાજકીય પક્ષોને એ યાદ પણ નથી આવતું કે તેઓ પ્રજાના મતથી સત્તા પર આવ્યા છે. પક્ષોને પ્રજા યાદ નથી આવતી તેમાં પ્રજા પણ વાંકમાં છે. રાજકારણ જવા દો, રોજ બ રોજની જિંદગીમાં તેની સાથે જે વ્યવહાર થાય છે તે અમાનવીય છે. એવે વખતે પણ પ્રજા ચૂપ રહે છે તે અક્ષમ્ય છે. મધ્ય પ્રદેશના ભા.જ.પ.નો એક કાર્યકર એક દલિત યુવક પર પેશાબ કરે છે. આ કોઈ પણ ખૂણેથી અધમ અને હીન કૃત્ય છે. તેનું પ્રાયશ્ચિત મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી દલિત યુવકના પગ ધોઈને કરે છે ને આરોપીની ધરપકડ કરી તેનાં ઘર પર બુલડોઝર ફેરવી દે છે. કમાલ તો એ છે કે બુલડોઝર આજકાલ ન્યાયતંત્રનું કામ કરે છે. ભા.જ.પ.ના એ આરોપીનાં ઘર પર બુલડોઝર ફરે તે પહેલાં તેની માતાએ વિનંતીઓ કરી કે આરોપીને સજા કરો, પણ ઘરને રહેવા દો, પણ બુલડોઝર ફરતાં, માતા તેનાં કોઈ વાંક વગર ઘર વગરની થઈ. અહીં પણ, જે વેઠે છે તે વેઠે જ છે.

‘ગબ્બર ઈઝ બેક’ નામની અક્ષયકુમારની એક ફિલ્મ આવેલી, જેમાં દર્દી મૃત્યુ પામે એ પછી પણ તેની સારવાર ચાલે છે ને તેનું અલગથી બિલ પણ આવે છે. ફિલ્મ જોયા પછી એવું થાય કે આ તો ફિલ્મ છે, પણ હિંમતનગરની એક હોસ્પિટલમાં એક બાળકી મૃત્યુ પામી તે પછી બાર કલાક તેની સારવાર ચાલી અને તેનું બિલ પણ આવ્યું. હવે એ નક્કી નથી થઈ શકતું કે ફિલ્મો જીવન પરથી બને છે કે જીવન ફિલ્મોથી દોરવાય છે. ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં એક દર્દી પગના ઈલાજ માટે હોસ્પિટલમાં દાખલ થયો, તો ડોક્ટરોએ એનાં પેટનું ઓપરેશન કરીને ટાંકા લઈ લીધા. ડૉક્ટરોનું કહેવું છે કે દર્દીએ પોતે જ પેટમાં ચાકુ માર્યું હતું. એ દર્દી પાગલ જ કહેવાયને જે પોતાને જ ચાકુ મારી લે છે. કોરોનામાં એક બાજુ લોકો ભયભીત હતા ને સતત તાણ અને જોખમો વચ્ચે જીવતાં હતાં, ત્યારે પણ કેટલીક હોસ્પિટલોએ મૃતકોનાં અંગોનો વેપાર કરીને હોજરીઓ ભરી લીધી હતી. બને છે એવું કે સરકાર પૈસા તો ખર્ચે છે, પણ તેનો ગેરલાભ ઉઠાવવાનું ભાગ્યે જ કોઈ ચૂકે છે. આમ તો સરપ્રાઈઝ ચેકિંગ થાય છે, પણ તે રોજ થાય તો પણ ઘણાં છટકી જાય એમ બને. અહીં પણ લોકો સમાચાર જોઈ-વાંચીને ધંધે લાગે છે. એ તે રોટલા રળે કે લોકોનું રડવા બેસે? એવું નથી કે લોહી ઊકળતું નથી, પણ રોજ મરે તેનું કોણ રડે એ પણ છેને !

આ તો થઈ પારકાની વાત, પણ જે આપણને સીધી રીતે સ્પર્શે છે એ તરફ પણ નજર જવી જોઈએ. મોંઘવારી સાધારણ માણસને નથી નડતી? વર્ષમાં ટામેટાં કે લીંબુ કે કાંદા ભળતાં જ મોંઘા થાય છે. અત્યારે ટામેટાં કિલોના 160 સુધી ગયાં છે. તેલ, કઠોળ, અનાજ, કરિયાણું … આપણને જરૂરી નથી? એના ભાવ વધે ત્યારે પણ આપણે ‘ન બોલ્યામાં નવગુણ’ કરીએ છીએ તે બરાબર છે? એ પણ છે કે મોંઘવારી વધારવામાં આપણો ફાળો પણ ઓછો નથી. અગાઉ આટલો પીક પર ન હતો તે શોપિંગનો શોખ અત્યારે ઘણી રીતે વકર્યો છે. જરૂરી નહીં એનો ઢગલો કરીને વસ્તુનો ઉપાડ આપણે જ વધારીએ છીએ અને વસ્તુની અછત ઊભી થતાં વસ્તુ મોંઘી થાય તો કકળીએ છીએ. જ્યારે જી.એસ.ટી. લાગુ થયો, ત્યારે લોકોએ હોટેલમાં જવાનું ઓછું કરેલું. એની અસર થોડો વખત રહી, પછી લોકોએ પણ કમાણીની ખરીખોટી રીતો શોધી કાઢી ને હવે તો શનિ-રવિ લોકો ઘરમાં ભાગ્યે જ જમે છે. એક વર્ગ એવો છે જે સખત પરિશ્રમ કરીને રોટલા ભેગો થાય છે, બીજો એવો છે જે કરતો કૈં નથી, પણ ખર્ચવા માટે તેની પાસે પુષ્કળ પૈસા છે, એ પણ આડેધડ ખરીદી કરીને વસ્તુની અછત ઊભી કરે છે અને પરિણામ મોંઘવારી વધવામાં આવે છે.

જી.એસ.ટી.ને છ વર્ષ થયાં છે. તેનાં હરખમાં વડા પ્રધાન કહે છે કે તેણે સામાન્ય નાગરિકના સમગ્ર કરના બોજમાં ઘટાડો લાવી દીધો છે ને કર વસૂલાતમાં નોંધપાત્ર વધારો થયો છે. અહીં મૂંઝવણ એ છે કે કર બોજ ઘટ્યો હોય તો કર વસૂલાતમાં વધારો થાય કઇ રીતે? આટલી કર વસૂલાત છતાં 2023માં ભારત પર દેવું 155 લાખ કરોડ બોલે છે. દેશના 14 વડા પ્રધાનોએ 67 વર્ષમાં 55 લાખ કરોડનું દેવુ કર્યું ને છેલ્લાં 9 વર્ષમાં તે બીજું 100 કરોડ વધીને 155 લાખ કરોડ થયું છે. આવતાં માર્ચ સુધીમાં તે 172 લાખ કરોડ થઈ શકે છે. નવ વર્ષમાં દેવું 181 ટકા વધે એ વિકાસ નથી તો શું છે? આ બધું જ પ્રજા તરીકે આપણને સ્પર્શે છે, પણ રેઇનકોટ પરથી પાણી સરે એમ બધું સરી જવા દઇએ છીએ, કાળઝાળ ગરમી પડે ત્યારે રેઈનકોટ કામ નથી લાગતો ને શેકાવાનું તો થાય જ છે. પ્રજા તરીકે આપણી સ્થિતપ્રજ્ઞતાની કસોટીનો આ કાળ છે. જોઈએ, ન બોલ્યામાં નવ ગુણ ચાલે છે કે બોલીને ‘નવ’ ગુણનો મહિમા થાય છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 જુલાઈ 2023

Loading

...102030...1,0821,0831,0841,085...1,0901,1001,110...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved