Opinion Magazine
Number of visits: 9743067
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—209

દીપક મહેતા|Opinion - Opinion|12 August 2023

પુસ્તક પંઢરીનો પહેલો પડાવ 

જ્યાં સાડા છ લાખ મરાઠી પુસ્તકો છે તેવું મુંબઈનું પુસ્તકાલય

૧૮૬૦ પહેલાંના મુંબઈની વાતો કરતું પુસ્તક : મુંબઈચે વર્ણન    

આપણા મહારાષ્ટ્રમાં પંઢરી — પંઢરપુરની જાતરાનું અદકેરું મહત્ત્વ છે. તેને અનુસરીને હવે પછી થોડા વખત માટે આપણે કરશું પુસ્તક-પંઢરી. પણ કયાં પુસ્તક? કેવાં પુસ્તક? પુસ્તકનાં અવલોકન? ના, ના. જાતરાએ જનાર પાછા ફરતાં બીજાંને વહેંચવા માટે પ્રસાદ લેતો આવે તેવું કશુંક. આપણી આ જાતરાનો પહેલો પડાવ છે મુંબઈના દાદર વિસ્તારમાં આવેલું મુંબઈ મરાઠી ગ્રંથ સંગ્રહાલય. જાતરામાં સહભાગી છે ૧૯મી સદીના મરાઠી સાહિત્યના એક અગ્રણી ગોવિંદ નારાયણ માડગાંવકર, મરાઠીના વિદ્વાન સંશોધક-વિવેચક સ.ગં. માલશે અને આપનો નાચીઝ દી.મ. 

ગો.ના. માડગાંવકર

દી.મ. : યા માડગાંવકર સાહેબ, યા માલશે સર. તમારું બંનેનું પુસ્તક પંઢરીમાં સ્વાગત કરું છું. મરાઠી સાહિત્યના પ્રેમીઓ અને સંશોધકો માટે આ મુંબઈ મરાઠી ગ્રંથ સંગ્રહાલય એ તો એક તીર્થસ્થાન છે. માલશે સર! પહેલાં તેને વિષે થોડી વાત કરશો? 

માલશે : જરૂર કરવાના. આજે હવે લાયબ્રેરીઓમાં રસ કેટલાને રહેલો છે? આ મુંબઈ મરાઠી ગ્રંથ સંગ્રહાલયની શુરુઆત છેક ૧૮૯૮માં થયેલી. આજે તેની પાસે સાડા છ લાખ જેટલાં મરાઠી પુસ્તકો છે, જેમાં દોલામુદ્રિતોનો પણ સમાવેશ થાય છે.

દી.મ. : માલશે સાહેબ! આ દોલામુદ્રિત એટલે વળી શું?

માલશે : મરાઠી ભાષામાં ચોપડીઓ છાપવાનું શરૂ થયું ત્યારથી ૧૯મી સદીના સેવટ સુધી છપાયેલાં પુસ્તકોને અમે ‘દોલામુદ્રિત’ તરીકે ઓળખીએ છીએ. દોલા એટલે પારણું. મુદ્રણ-પ્રકાશનની બાલ્યાવસ્થાનાં પુસ્તકો તે દોલામુદ્રિત. આવાં પુસ્તકોનો બહુ મોટો ખજાનો અહીં છે. 

દી.મ. : અને એમાંનું એક છે માડગાંવકર સાહેબનું પુસ્તક ‘મુંબઈચે વર્ણન.’

માલશે : હા, જી. એ પહેલી વાર છપાયેલું ૧૮૬૩માં. અને ૧૯મી સદીની અધવચ સુધીના મુંબઈ શહેરની જાણકારી માટે તો આ ચોપડી સોનાની ખાણ જેવી છે. 

માડગાંવકર : આ તમે કશી વારતા કરતા છો! આપણી મુંબઈ વિષે તો કેટલું બધું લખાયેલું છે! તેમાં મારું પુસ્તક તો …

છઠ્ઠી આવૃત્તિ, ૨૦૨૦

દી.મ. : ગોવિંદરાવ પોતાને વિશે કશું બોલશે નહિ. માલશે સાહેબ! તમે જ થોડી વાર્તા કરો તેમના વિષે.

માલશે : ગોવિંદરાવનો જન્મ ૧૮૧૫માં, ગોવાના મડગાંવમાં. અર્વાચીન મરાઠી સાહિત્યના પહેલા ચાર મશાલચીમાં આજે તેમની ગણના થાય છે. બીજા ત્રણ તે સદાશિવ કાશીનાથ છત્રે, બાળ ગંગાધાર શાસ્ત્રી જાભેકર, અને હરિ કેશવજી પાઠારે. ગોવિંદરાવના ખાસ ધ્યાન ખેંચે તેવા બાબત એ કે તેમનાં ૧૮ પુસ્તકોમાંથી એકને બાદ કરતાં બધાં મૌલિક પુસ્તકો છે. ગોવિંદરાવના વડીલ(પિતા)નો ધંધો તપકીરની પૂડી (પડીકાં) વેચવાનો. ગોવામાંનો પોતાનો ધંધો સંકેલી લઈને નારાયણરાવ સકુટુંબ મુંબઈ આવ્યા. કાલબાદેવી રોડ પર તપકીરની પૂડી અને બીજાં ઓસડિયાં વેચવાની દુકાન શુરુ કરી. આગળ જતાં સમાજ સુધારાની ચળવળના ભાગ રૂપે તપકીર પૂડીના ગેરફાયદા ગણાવી ગોવિંદરાવે તેનો ઉગ્ર વિરોધ કર્યો. મુંબઈ આવીને તેઓ એલ્ફિન્સ્ટન નેટિવ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની નિશાળમાં ભણવા લાગ્યા. પછી સરકારી ઓફિસમાં નોકરીએ લાગ્યા. પણ થોડા વખત પછી ફરી રેવરન્ડ વિલ્સનની નિશાળની કોલેજ શાખામાં ભણ્યા અને પછી ત્યાં જ ‘માસ્તર’ બન્યા. 

દી.મ. : સાહેબ! આ જરા સમજાયું નહિ : રેવરન્ડ વિલ્સનની નિશાળની ‘કોલેજ શાખા’ એ વળી શું?

માલશે : જુઓ મહેતા! તમે તો જાણતા કે એલ્ફિન્સ્ટન કોલેજ એ મુંબઈની સૌથી પહેલી કોલેજ. પછી બીજી તે વિલ્સન કોલેજ. હિન્દુસ્તાનની ઘણી ભાષાના જાણકાર રેવરન્ડ વિલ્સને પહેલાં સ્કૂલ શરૂ કરી. અને વખત જતાં એ સ્કૂલની શાખા તરીકે કોલેજ શરૂ કરી. પછીથી બંને સંસ્થાઓ અલગ થઈ.

વિલ્સન સ્કૂલનું અસલ મકાન, ગિરગાંવ

દી.મ. : હો, હો. અત્તા કળલં.

માલશે : ૧૮૬૩ના અરસામાં ગોવિંદરાવ નોકરીમાંથી રિટાયર થયા. એ વખતે આપેલા ભાષણમાં રેવરન્ડ વિલ્સને ગોવિંદરાવે લખેલાં ૧૭ મરાઠી પુસ્તકની વિગતો આપી છે. પણ મહેતા, તમને જાણીને આશ્ચર્ય થશે કે ગોવિંદરાવે ગુજરાતીમાં પણ ચાર ચોપડી લખેલી : સત્યનિરૂપણ (૧૮૫૩), ઉદ્ભીજ પદાર્થ (૧૮૫૯), શુચીર્ભૂતપણા, અને ઋણનિષેધક બોધ. અલબત્ત, આ ચારે તેમનાં મૂળ મરાઠી પુસ્તકોના અનુવાદ હતા. પણ એ અનુવાદ કરેલા ગોવિંદરાવે પોતે. 

દી.મ. : તે ગોવિંદરાવજી! આપ ગુજરાતી બી ભણેલા?

ગોવિંદરાવ : ભણેલા નઈ, પણ આવડી ગયેલા. અને એમાં કોઈ નવા વાત નહોતા. અમારા જમાનામાં મરાઠી, ગુજરાતી, પારસી, બધા સાથે મળીને કામ કરતા અને એટલે એકબીજાની બોલી આપોઆપ શીખી જતા. 

માલશે : ૧૮૬૫ના માર્ચની ૧૫મી તારીખે ગોવિંદરાવજી દેવલોક પામ્યા તે અગાઉ તેમણે જે કાંઈ લખ્યું તે બધું સાચી વાત લોકો સામે માંડીને તેમના જીવનને એક પાયરી ઉપર ચડાવવા માટે લખ્યું.

દી.મ. : અને માલશેસાહેબ! આપે તેમનું સમગ્ર સાહિત્ય ત્રણ મોટા ગ્રંથોમાં સંપાદિત કરીને ૧૯૬૮થી ૧૯૭૦ સુધીમાં પ્રગટ કર્યું. આ કાંઈ નાનુંસૂનું કામ ન કહેવાય. અને હા, તેમાં આપે ગોવિંદરાવજીનું પ્રમાણભૂત જીવનચરિત્ર પણ પહેલી વાર આપ્યું.

માલશે : જુઓ મહેતાભાઈ, મારા-તમારા જેવાને લાખો લોકો વાંચે, તારીફ કરે, એવું તો બનવાના નહિ. એટલે જે બી કામ હાથમાં લઈએ એ બને તેટલી સારી રીતે કરવું, એટલું આપણે કરી શકીએ. પણ મારે એક વાત કહેવા જોઈએ : ગોવિંદરાવનું સૌથી મહત્ત્વનું પુસ્તક તે તો તેમનું છેલ્લું પુસ્તક, ‘મુંબઈચે વર્ણન’. જાણીતા વિવેચક ન.ર. ફાટકસાહેબે કહેલું છે તેમ ૧૮૬૩માં જ્યારે આ પુસ્તક પહેલી વાર પ્રગટ થયું ત્યારે મુંબઈનો ઇતિહાસ જાણવા માટે બહુ ઓછાં સાધન હતાં. અંગ્રેજીમાં પણ એ વખતે મુંબઈ પર ઝાઝાં પુસ્તક લખાયાં નહોતાં. એવે ટાણે ગોવિંદરાવે આ પુસ્તક લખ્યું એ ખરેખર માન પ્રેરે તેવી બાબત છે.

ગોવિંદરાવ : જુઓ, એમાં બાબત એવી છે કે નાની ઉંમરે હું મુંબઈ આવી વસ્યો. અને મારાં આંખ-કાન ખુલ્લાં રાખીને જીવ્યો. મરાઠી ઉપરાંત અંગ્રેજી, ગુજરાથી, હિન્દી, વગેરે ભાષા બોલનારા સાથે મળીને કામ કર્યાં. એટલે ઘણા જાણવા મળ્યા. અને શોધવાની મહેનત કરો તો જાણકારી મેળવવા માટેનાં સાધન તો હતાં જ. એટલે આ પુસ્તક લખી શકાયું.

માલશે : મરાઠી માણૂસને પોતાની ભાષા માટે, પોતાના ઇતિહાસ માટે ઘણું અભિમાન હોય છે એમ કહેવાય છે. અને વાત સાવ ખોટી બી નથી. છતાં મુંબઈ વિશેની માહિતીના ખજીના જેવા આ પુસ્તકની બીજી આવૃત્તિ લગભગ સો વરસ પછી, છેક ૧૯૬૧માં થઈ એ જરા નવાઈ લાગે તેવી વાત છે. જો  કે પછી ૨૦૨૦ સુધીમાં તેના કુલ ૬ આવૃત્તિ થયા છે એ સારી વાત છે.

ગોવિંદરાવ : આ પુસ્તક રચવાના મન મને કેમ થયા એની થોડી વાત કરું. એક દિવસ એક સભામાં હું ગયો હતો. એક ગોરા સાહેબ ભાષણ કરતા હતા. પોતાના દેશના ઇતિહાસ માટે, સાહિત્ય માટે, જાણકારી માટે, ગ્રેટ બ્રિટનમાં કેટલા બધા લોક કામ કરતા રહે છે તેમ બોલ્યા. પછી કહ્યું કે તમારે પણ તમારા દેશ માટે આ રીતે કામ કરવા જોઈએ. સારા કામને સરકાર મદદ કરે ચ છે, પણ સરકારની મદદ પર બધો મદાર ન રાખો. વાંચો, જાણો, લખો. – આ ભાષણ સાંભળ્યા પછી મેં નક્કી કરેલું કે ભલે હું મારા હિન્દુસ્તાન દેશનો ઇતિહાસ ન લખી શકું, ભલે મારી માયભૂમિ મહારાષ્ટ્રનો ઇતિહાસ ન લખી શકું. પણ આ મુંબઈ શહેરનો ઇતિહાસ તો મારે લખવો જ જોઈએ. પણ હા, એ વખતે મને માલુમ નહોતું કે મુંબઈને સલામ કરતું અ પુસ્તક મારું છેલ્લું પુસ્તક હશે.

દી.મ. : માલશે સાહેબ! આ પુસ્તકમાં શું શું છે એનો જરા ખ્યાલ આપશો?

સ.ગં. માલશે

માલશે : જરૂર. પુસ્તક ૧૫ ચેપ્ટરમાં વહેંચાયેલું છે. પુસ્તકની શરૂઆત થાય છે મુંબઈની હાલની (એટલે કે આ પુસ્તક લખાયું ત્યારની, ૧૮૬૦ની આસપાસની) અને અગાઉની સ્થિતિની સરખામણીથી. લોકો, તેમના પહેરવેશ, બોલી, રીતરિવાજો, તહેવારો, ધંધા-પાણી, વગેરેનું અપાર વૈવિધ્ય તે વખતના મુંબઈમાં પણ હતું એ હકીકત આ પુસ્તક વાંચતાં સમજાય છે. અને બીજી વાત એ કે એ જમાનામાં લોકો એકબીજાની પરંપરાને માન આપતા, તેમાંથી કેટલુંક સારું લાગે તે અપનાવતા પણ ખરા. 

દી.મ. : આજે એવું કદાચ ઓછું જોવા મળે છે, નહિ?

ગોવિંદરાવ : જે સતત ગતિમાન છે તે જ છે જગત. મુંબઈ પણ કેટલું બધું બદલાઈ ગયું છે! અરે! અમારા જમાનામાં પણ સતત બદલતું રહેતું હતું. વરળી, પાયધુની, કુલાબા, ડોંગરી, બોરીબંદર, વાલકેશ્વર, ચોપાટી. ક્યાં એ લકડી બંદર, ક્યાં અમારા જમાનાની ચોપાટી, અને ક્યાં આજની ગિરગામ ચોપાટી! કોઈ ગરીબ, ચીંથરેહાલ માણસ, પોતાની મહેનત, બુદ્ધિ, અને નસીબને જોરે શ્રીમંત બની જાય એવું જ આ શહેરનું થયું. અંગ્રેજોએ એનું કલેવર બદલ્યું, પણ એ કલેવરમાં પ્રાણ પૂર્યા તે તો આપણે સૌએ. 

માલશે : એ વખતે સરકાર લોકોના જીવનમાં ઝાઝું માથું મારતી નહિ. આખા મુંબઈ ઈલાકાની સરકારમાં ૧૭૨૦ની સાલમાં ફક્ત ૪૦ સનદી અધિકારી હતા. અને એમના પગાર? મુંબઈના ગવર્નરનો પગાર હતો વરસે – મહિને નહિ હોં – ત્રણ હજાર રૂપિયા! અને ત્યારે પગાર દર છ મહીને ચૂકવાતો! 

ગોવિંદરાવ : અને માલુમ છે? મમ્માદેવીના મંદિરની પાછળ એક વખત બહુ મોટું ‘શાલ બજાર’ હતું.

દી.મ. : શાલ બજાર? એટલે?

માલશે : દેશના જુદા જુદા ભાગોમાંથી આવેલી શાલના ઢગલા માંડીને દુકાનદારો બેઠા હોય! રંગબેરંગી, જરીવાળી અને વગરની, ગરમ, રેશમી, સુતરાઉ, અમૃતસર કે કાશ્મીરથી મગાવેલી શાલ. બારે મહિના વેચાય.

દી.મ. : પણ એ લે કોણ? મુંબઈમાં એવી ઠંડી જ ક્યાં પડે છે? 

ગોવિંદરાવ : અમારા જમાનાના મુંબઈમાં ટાઢ, તડકો, પાઉસ, બધું માફકસર રહેતું. અને આ શાલ બજારથી થોડે દૂર હતી અફીણ-ગાંજાની દુકાનો. એનાથી આગળ જાવ એટલે જોહરીઓ – તમે ગુજરાતીમાં શું કહો? હા, ઝવેરીઓની દુકાનો, લાઈનબંધ. પછી આવે તાંબા-પિત્તળનાં વાસણોની દુકાનો. લાલ-પીળાં વાસણો દિવસના અજવાળામાં ઝગારા મારે! અને એની બાજુમાં એક લગભગ ચીંથરેહાલ, પોતડી ઘાલેલો માણસ રસ્તાની ધારે બેસીને પતરાવળી અને પડિયા વેચતો હોય. 

માલશે : એ જમાનામાં હજી પ્લાસ્ટિક નામના દાનવે દેખા દીધી નહોતી. અને જે કાંઈ વપરાતું તેમાનું મોટા ભાગનું ‘રિસાઈકલ’ થતું. દાણો-પાણી કે શાકભાજી લેવા જાય ત્યારે લોકો પોતાની કપડાની પીશવી, તમે શું કહો? હા, થેલીઓ, સાથે લઈ જતા. દુકાનદાર ત્રાજવે તોળી તોળીને ઘઉં-ચોખા, વગેરે એક એક થેલીમાં ભરતો જાય. 

દી.મ. : અમને તો હવે એવી થેલી લઈને ઘર બહાર જતાં શરમ જ આવે. એટલે બધું પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરેલું મળે. કેટલી સગવડ!

માલશે : જરા ગિરગામ કે જુહુ ચોપાટી જઈને જોજો! દરિયા કિનારા પર પ્લાસ્ટિકના ઢગલેઢગલા રોજેરોજ પડ્યા હોય છે. 

દી.મ. : હા, અમે પહેલાં નાની નાની સગવડો ઊભી કરીએ, અને પછી મોટી મોટી અગવડો સામે ચાલીને આવે. પણ ગોવિંદરાવજી અને માલશે સાહેબ. આપણે રાત થોડી અને વેશ ઝાઝા એવું થયું છે. એટલે આ વાતો આજે તો અટકાવીએ. આવતે શનિવારે ફરી મળીશું, આપણે ત્રણે. ત્યાં સુધી આવજો!

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 12 ઓગસ્ટ 2023

Loading

मणिपुर, नूह और ट्रेन में क़त्ल: सद्भाव की वापसी ज़रूरी

राम पुनियानी|Opinion - Opinion|12 August 2023

राम पुनियानी

देश के अलग-अलग हिस्सों में भयावह हिंसा हो रही है. मणिपुर में पिछले तीन महीने से हिंसा जारी है. इसमें करीब 100 व्यक्ति अपनी जान गँवा चुके हैं और लगभग एक लाख बेघर हो गए हैं. मरने वालों में कुकी लोगों की संख्या ज्यादा है और विस्थापितों में कुकी, नागा और ज़ो लोगों की. ये तीनों आदिवासी समुदाय हैं जिनकी बहुसंख्यक आबादी ईसाई है. इसके अलावा, मणिपुर में तीन महिलाओं के साथ जो व्यवहार हुआ उसने पूरे देश को शर्मसार किया है. मणिपुर की हिंसा का नस्लीय-धार्मिक चरित्र सबके सामने है. सरकार या तो हिंसा रोकने में असमर्थ है या जानबूझकर हिंसा होने दे रही है. प्रधानमंत्री ने मणिपुर के हालात पर 37 सेकंड का बयान दिया है. वे इस बीच सात देशों में घूम आएं हैं, वहां से तरह-तरह के पुरस्कार ले आए हैं और देश भर में चुनाव रैलीयां संबोधित कर चुके हैं. परन्तु वे पीड़ितों से मिलने मणिपुर नहीं गए. यह शायद उतना ही शर्मनाक है जितनी कि हिंसा है.

हिंसा के पहले कुकी आदिवासियों के खिलाफ नफरत फैलाई गयी. उन्हें म्यांमार से आए घुसपैठिया बताया गया. उन पर यह आरोप भी लगाया गया कि वे अफीम उगाते हैं और खेती की ज़मीन पर कब्ज़ा कर रहे हैं. मणिपुर की हिंसा के बारे में दो बातें साफ़ है: सरकार या तो अक्षमता या मिलीभगत के चलते हिंसा को नियंत्रित नहीं कर रही है. और दूसरा यह कि हिंसा भड़काने के लिए नफरत का ज़हर वातावरण में घोला गया.

आरपीएफ कांस्टेबल चेतन सिंह द्वारा ट्रेन में तीन मुसलमान यात्रियों और अपने वरिष्ठ अधिकारी की गोली मारकर हत्या करने की घटना डरावनी है. उसके अधिकारी से उसे छुट्टी देने से मना कर दिया था और उसके मन में मुसलमानों के प्रति नफरत भरी थी. चेतन सिंह ने ट्रेन में घूम-घूम कर मुस्लिम यात्रियों की पहचान की और उन्हें गोली मारी. उसने उनके कपड़ों और दाढ़ी से पहचाना कि वे मुसलमान हैं (प्रधानमंत्री नरेन्द्र मोदी ने हमें बताया था कि उन लोगों को उनके कपड़ों से पहचाना जा सकता है). मुसलमान यात्रियों को मारते समय चेतन सिंह कह रहा था कि मुसलमान पाकिस्तान के प्रति वफादार हैं और अगर उन्हें भारत में रहना है तो ‘योगी-मोदी’ कहना होगा. ऐसा दावा किया जा रहा है कि वह मानसिक रूप से बीमार था. अगर ऐसा था तो उसे रेल यात्रियों की रक्षा करने के लिए हथियार क्यों दिए गए? या फिर यह इस घोर सांप्रदायिक कांस्टेबल को बचाने की चाल है?

हमारे समाज में नफरत का बोलबाला है. गोदी मीडिया इसे और बढ़ावा दे रहा है. मीडिया के दूसरे हिस्से इस नफरत को कम करने के लिए कुछ नहीं कर रहे हैं. इसका नतीजा हम सबके सामने है. चेतन सिंह हमें शम्भूदयाल रेगर नाम के दुकानदार की याद दिलाता है जिसने सोशल मीडिया पर लवजिहाद के दुष्प्रचार से प्रभावित हो कर एक बंगाली मुस्लिम श्रमिक अफ्राजुल की हत्या कर दी थी. इन दोनों घटनाओं से साफ़ है कि समाज में सांप्रदायिक ताकतों द्वारा अलग-अलग चैनलों के ज़रिये फैलाई जा रही नफरत हमें कहाँ ले आई है.

हरियाणा के नूह के घटनाक्रम के बारे में दो चीज़ों पर ध्यान दिए जाने की ज़रुरत है. ब्रजमंडल जलाभिषेक यात्रा हर साल निकाली जाती है. इसकी मंजिल होती है नल्हर महादेव मंदिर. यह दिलचस्प है कि इस साल यह यात्रा मुस्लिम-बहुल इलाकों से नहीं निकली बल्कि उन रास्तों से निकली जिनके आसपास मुस्लिम बस्तियां थीं. मंदिर में विहिप नेता सुरेन्द्र जैन मौजूद थे. यात्रा शुरू होने से पहले से ही वे मुसलमानों के खिलाफ नफरत फैलाने में जुटे हुए थे. उनके भाषणों के वीडियो उपलब्ध हैं.

इसके अलावा मोनू मानेसर, जो नासिर और जुनैद की हत्या और एक चार-पहिया वाहन में उन्हें जलाए जाने की घटना में आरोपी है, ने भी एक वीडियो जारी कर कहा था कि वह यात्रा में शामिल होगा और लोगों से अपील की थी कि वे उसका स्वागत करने के लिए मौजूद रहे. मोनू बजरंग दल के गौरक्षा सेल का प्रमुख है और नासिर और जुनैद की हत्या में शामिल होने के कारण नूह के लोग उससे नफरत करते हैं. मोनू का वीडियो भड़काऊ था. इसी तरह का वीडियो बिट्टू बजरंगी नाम के एक अन्य कथित गौरक्षक ने भी जारी किया. ऐसा लगता है कि विहिप ने इन दोनों को यात्रा में शामिल न होने की सलाह दी.

ऐसा दावा किया जा रहा है कि मुस्लिम अल्पसंख्यकों ने जुलूस पर हमला किया और मंदिर पर भी. घटना के वीडियो से पता चलता है कि मंदिर के अन्दर से पुलिस के मौजूदगी में धर्मरक्षकों ने गोलीबारी की. जुलूस में शामिल लोग हथियार लिए हुए थे और वे जानते-बूझते मुस्लिम-बहुल इलाकों से भड़काऊ नारे लगाते हुए निकले. जुलूस पर हमला करने वाले भी हथियारबंद थे.

वीडियो से साफ़ है कि इस पूरे घटनाक्रम के दौरान पुलिस या तो मूकदर्शक बनी रही या उसने अपना मुंह दूसरी तरफ घुमा लिया. जुलूस में शामिल लोगों ने एक मस्जिद पर भी हमला किया और उसके नायब इमाम को मर दिया. करीब 200 हिन्दुत्ववादियों की भीड़ ने गुडगाँव के सेक्टर 57 में इस मस्जिद पर हमला किया. उन्होंने वहां सो रहे तीन लोगों की पिटाई की, नायब इमाम शाद को कई बार चाकू से गोदा और मस्जिद में आग लगा दी. नायब इमाम की मौत हो गयी. उसका एक वीडियो सोशल मीडिया पर उपलब्ध है जिसमें वह प्रार्थना कर रहा है, “हिन्दू-मुस्लिम बैठ के खाएं थाली में ऐसा हिंदुस्तान बना दे या अल्लाह”.

नूह से हिंसा दिल्ली-एनसीआर के अन्य इलाकों में फ़ैल गयी है. सिटीजन्स फॉर जस्टिस एंड पीस ने पुलिस महानिदेशक और राष्ट्रीय अल्पसंख्यक आयोग से कहा है कि हिंसा को फैलने से रोका जाना चाहिए. जम्मू-कश्मीर के पूर्व राज्यपाल सत्यपाल मलिक ने नूह के घटनाक्रम पर बहुत सटीक टिपण्णी की है. दिल्ली के कान्सटीट्यूशन क्लब में बोलते हुए उन्होंने कहा, “जाट समुदाय संस्कृति और परंपरा से आर्यसमाजी जीवन पद्धति में आस्था रखता आया है और आम तौर पर जाट बहुत धार्मिक नहीं होते. उस इलाके के मुसलमान भी पुरातनपंथी सोच वाले नहीं हैं. यही कारण है कि स्वतंत्रता के बाद से लेकर अब तक वहां दोनों समुदायों के बीच टकराव के बारे में इसके पहले शायद ही हमने कभी सुना हो. परन्तु जैसा कि मणिपुर से जाहिर है, 2024 के चुनाव जैसे-जैसे नज़दीक आते जाएंगे, इस तरह की घटनाएं और होंगीं.”

विहिप का इस इलाके में कई जुलूस निकलने का इरादा है. सुप्रीम कोर्ट ने सरकार से कहा है कि वह यह सुनिश्चित करे कि इन जुलूसों के दौरान न तो हिंसा हो और ना ही नफरत फैलाने वाले भाषण दिए जाएं.

हमें नफरत से मुकाबला करना ही होगा. हमें नफरत के खिलाफ आन्दोलन चलाना होगा. हमें ऐसे प्रशासनिक तंत्र और पुलिस बल की ज़रुरत है जो बहुवाद और विविधता के मूल्यों के प्रति संवेदनशील हो. हमें ऐसी सरकार चाहिए जो भारतीय राष्ट्रवाद के प्रति प्रतिबद्ध हो, सांप्रदायिक राष्ट्रवाद के प्रति नहीं.

(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया)
08/08/2023
https://www.navjivanindia.com/opinion/manipur-nuh-and-the-murders-in-the-train-where-did-the-hatred-of-communal-forces-bring-us-article-by-ram-puniyani

Loading

અસત્યને સત્યના વાઘા પહેરાવી રજૂ કરવાનું રાજનૈતિક શાસ્ત્ર, પોસ્ટ-ટ્રુથ શું છે?

હિમાદ્રી આચાર્ય દવે|Opinion - Opinion|11 August 2023

પોસ્ટ-ટ્રુથ ભાગ : 2

(ગત-અંકથી ચાલુ)

જેનાં કારણોમાં એમ કહી શકાય કે,

● જ્યારે પોસ્ટ-ટ્રુથ શબ્દ નહોતો ત્યારે પણ, દરેક યુગમાં, દરેક સમયમાં ભાવનાઓનો દુરોપયોગ થયો છે. તેના જવાબમાં વિદ્વાનો કહે છે કે, અફવા હંમેશાં ચળકાટ વાળી સનસનીખેજ હોય છે. માર્ક ટ્વેઇન કહે છે કે, સત્ય જ્યારે જૂતા પહેરે ત્યાં સુધીમાં અસત્ય અડધી દુનિયામાં ફરી આવે છે, આ જ વાત પોસ્ટ-ટ્રુથને લાગુ પડે છે. બીજું, અફવાને પડકારવા કરતાં અફવા સાથે જવું હંમેશાં સરળ હોય છે. વળી કોઈ માહિતી અફવા છે કે યથાર્થ એ ચકાસવા લોકો પાસે સમય કે તત્પરતાં ઓછી હોય છે. સમાજનો એક મોટો વર્ગ અફવાની નાવમાં બેઠો હોય ત્યારે, બધા વિચારે છે, માને છે તો સાચું જ હશે એવું માનનારો વર્ગ સમાજમાં મોટો હોય છે કે જેને એકલા પડી જવાનો ડર હોય છે.

● વળી,‘દિલ કો ખુશ રખને કો યે ખયાલ અચ્છા હૈ …’ ગાલિબ કહે છે એમ જૂઠ અમુક અંશે આરામદાયક હોય છે. આ વિશે ક્યાંક ઉદાહરણ સાંભળ્યું છે કે, બાળક પડી જાય ત્યારે મોટા એમ કહે કે જમીનને મારી દે, બસ. તમારી તકલીફો માટે કોઈ ખાસ કોમ, કે જે-તે શાસકોની ફલાણી-ઢીકણી નીતિ જવાબદાર છે, એમ કહીને જનતાને પેમ્પર કરનાર નેતા ખરેખર તો પોતાની જીતનું ગ્રાઉન્ડ તૈયાર કરી રહ્યો હોય છે, જે અંતે વિનાશમાં પણ પરિણમી શકે. (આ વાતનું યથાર્થ ઉદાહરણ હિટલર કે જેણે જર્મનની પ્રજાને કહ્યું કે, સેક્સ્યુઅલ ટ્રાન્સફર ડીસીઝ(સિફિલિસ એ સમયમાં ખૂબ ફાલ્યો હતો)નું અને પ્રથમ વિશ્વયુદ્ધમાં આપણી હારનું કારણ યહૂદીઓ છે. અને લોકોએ માની પણ લીધું! હિટલર અને મુસોલિનીએ રાષ્ટ્રવાદને ખોટી રીતે પરિભાષિત કરી, ચોક્કસ કોમને ટાર્ગેટ કરીને સતા મેળવી પૂરી દુનિયા પર અત્યાચાર આચર્યો.)

● બીજું, લોકશાહીમાં મત આપનાર સીમાડાના નાગરિકની બૌદ્ધિકતાને પડકારી નથી શકાતી. ગામડાંમાં વસતો મોટો વર્ગ ભારતના રાજકારણની દિશા નક્કી કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ એ વર્ગ છે કે જે રોજ બ રોજનાં જીવનમાં તકલીફોનો પ્રત્યક્ષ સામનો કરે છે એટલે તેમના દુઃખ કે તકલીફોની રોકડી કરી લેવી સહેલી બાબત છે. સગવડ-સુખની કલ્પના સતત મુશ્કેલીમાં રહેતા લોકોને વધુ અપીલ કરી જાય છે.

● મોટાભાગની જનતા ઇન્સ્ટન્ટ જ્ઞાનનો ઉપયોગ કરીને અભિપ્રાય બાંધતી હોય છે એટલે કે પ્રવાહોને સમજવામાં પોતીકું ચિંતન ઓછું હોય છે. જનતા પત્રકારો, લેખકો, રાજનીતિજ્ઞ, બુદ્ધિજીવીઓ પાસેથી સમજે છે. લોકશાહીમાં પોસ્ટ-ટ્રુથની એ ચરમસીમા ગણાય છે કે જ્યારે દેશનાં મોટાભાગના મીડિયાહાઉસ, લેખકો, બુદ્ધિજીવીઓ, એનાલિસ્ટો એકરાગે કોઈ એક પક્ષની બદબોઈ અથવા પ્રસંશા કરતા રહે.

● અલબત્ત, એક મત એવો છે કે જનતા બધું સમજે છે પણ તે ઇંટ્રેસ્ટ ડ્રિવન હોય છે. એ પોતાનું હિત જોઈને નિર્ણય કરે છે. ભલે કોઈ પક્ષ દસ ખરાબ કામ કરે, ભલે જે-તે સમુદાયનું શોષણ કે તુષ્ટિકરણ કરે પણ અમારા હિતના બે સારાં કામ કરે છે ને! આવી સ્વાર્થી ગણતરીઓ સાથે જનતા તેને સર્વ કરવાવાળા પક્ષ સાથે જાય છે. રાજનેતા કે ધાર્મિક સતાઓ ક્યારેક જનતાની નાડ પારખી તેને ગમે તેવી વાતો કરીને અથવા પોતાના હિતની વાતો જનતાને ગમે તેવી ભાષામાં રજૂ કરીને લોકોના મન જીતવાના પ્રયત્ન કરે છે. તેના માટે તેઓ કડવા સત્ય કરતા મીઠું જૂઠ બોલવું પસંદ કરે છે. ઇસ્લામ ખતરે મેં હૈ, એવું નરેટિવ સેટ કરીને અનેકો યુવાનોને ભટકાવીને પૂરી દુનિયા માટે ખતરારૂપ બનાવી દેનાર ધર્મગુરુઓનું જૂઠ દરેકને સમજમાં બ્રેનવોશિંગ ઉપરાંત આ ફેબ્રિકેટેડ જૂઠને સત્ય માનવા-મનાવવામાં અમુક લોકોને અંગત હિત દેખાતું હોય છે. ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો-અમેરિકા વચ્ચે દીવાલ બનાવી દેવાના વાયદા કર્યા. હવે, બોર્ડર પરના લોકો રેપ, હત્યા, લૂંટફાટ વગેરે રોજ બ રોજના ત્રાસથી ત્રસ્ત લોકોએ વિચાર્યું કે ભલે, ઉળધૂળિયો છે, વિવાદાસ્પદ છે, ખંધો બિઝનેસમેન છે પણ ટ્રમ્પ આપણું આ મોટું કામ તો કરી દેશે.

●સોશ્યલ મીડિયાનો વધતો વ્યાપ પોસ્ટ-ટ્રુથના વાઇડ સ્પ્રેડમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આજે જ્ઞાન આપવાવાળા વધી ગયા છે. તમે તમારા વિચાર, કોઈપણ તાર્કિક-અતાર્કિક મુદ્દા, તમારું સત્ય અરે કંઈપણ સોશ્યલ મીડિયા પર રજૂ કરી શકો છો, એ સાચું ખોટું જે હશે તે પછી નક્કી થશે. પહેલાના જમાનામાં, ટી.વી., છાપું, રેડિયો એ બધા એકમાર્ગીય માધ્યમો હતાં કે જ્યાં જનતાએ કશું ડાયરેકટ રીએક્ટ કરવાનું નહોતું. આજના સમયે ટી.વી. ન્યૂઝ જોનારા કે અખબાર વાંચનારની સરખામણીએ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરનારની સંખ્યા અનેકગણી વધુ છે. બધા લોકો ન્યૂઝ કે છાપું ભલે ન વાંચે સોશ્યલ મીડિયા પરના જ્ઞાન(!)ની ભરમારમાં જરૂર હશે. પાનના ગલ્લા જેવા આ વર્ચ્યુઅલ ચોરા પર એક એક રાજકીય ઘટનાનું પોતાની બુદ્ધિથી વિશ્લેષણ કરનાર લોકો પોતાના સીમિત જ્ઞાનથી ઘટનાનાં તથ્યો પારખવાની કોશિશ કરે છે, આવા વિશ્લેષણમાં સત્ય કરતાં પૂર્વગ્રહ અને ભાવનાત્મકતાનું તત્ત્વ વધુ પ્રબળ હોય છે, જે સમયાંતરે પ્રબળ ધારણાનું રૂપ પણ લઈ શકે છે. વળી, સોશ્યલ મીડિયાએ સંપર્કનું લાઈવ માધ્યમ બન્યું છે, જેના થકી આજનો નેતા પોતાની વાત ડાયરેકટ જનતાના કાન સુધી પહોંચાડી શકે છે અને  તે જનતાના સીધા સંપર્કમાં, ઇઝીલી અવેલેબલ હોવાનો ભ્રમ ઊભો કરીને જનતાનો પોતીકો બની શકે છે. આજે સરેરાશ નાગરિક રાજનીતિ જેવા જટિલ વિષય પર પોતાનો ગંભીર અભિપ્રાય ધરાવતો થયો છે. તેના કારણમાં સોશ્યલ મીડિયા છે. સોશ્યલ મીડિયા પર રાજકીય પક્ષો દ્વારા પીરસાતા પૂર્વગ્રહયુક્ત, સત્યથી પરે, પોતાના પક્ષને ફાયદો થાય એ દૃષ્ટિથી ઘડેલા નરેટિવસનો વ્યાપ વધ્યો છે. ‘આપણે રોજ બ રોજ જોઈએ જ છીએ કે જે–તે નિષ્ફળતામાં કે ઘટનામાં જવાબદાર રાજકીય પક્ષને જનતા તરફથી ક્લીનચિટ મળે એ માટે રાતોરાત સત્યથી તદ્દન વેગળા કુતર્કોને તર્કબદ્ધ રીતે પીરસવાની કવાયત ચાલુ થઈ જાય છે. આમ કે તેમ થવા પાછળ, ભૂતકાળની કે ઇતિહાસની આ ઘટના જવાબદાર છે, અગાઉની ફલાણી સરકારનો ફલાણો નિર્ણય જવાબદાર છે તેવું ઠસાવવા આઈ.ટી. સેલની રાઇટર ટીમ દ્વારા ઢગલાબંધ સાહિત્ય તૈયાર કરવું અને તેનો વિશાળ સ્કેલ પર ફેલાવો કરવાની પ્રવૃત્તિ એ સોશ્યલમીડિયાનું દૂષણ છે.’ જેના કારણે હત્યાકાંડ-ગેંગરેપ-હુલ્લડો વગેરે ગંભીર ઘટનાઓની જવાબદારી લેવામાંથી જવાબદાર પક્ષ છૂટી જાય છે અને ઊલટું, બીજા કે ત્રીજા પક્ષ પર તેની જવાબદારી નાંખી દઈને એક કાંકરે બે પક્ષી મારે છે. રાજકીય સંદર્ભે તો આવી પ્રવૃત્તિ નૈતિકતા વિરુદ્ધ છે જ પણ સામાજિક પ્રવાહને પણ તે વિપરીત અસર કરે છે. દરેક જઘન્ય ઘટના પાછળ ઇતિહાસ-ભૂગોળ સમજાવી દેવાની  હરક્તને કારણે જનતામાં એવો પડઘો પડે છે કે જે-તે સમુદાય સાથે, જે-તે સમુદાયની વ્યક્તિ સાથે અમુક-તમુક દુર્ઘટના થઈ પણ જવા દો, એ તો એ જ લાગના હતાં!  સરવાળે સમાજમાં સંવેદનહીનતા વધવાની શકયતા રહે છે. વળી જઘન્ય અપરાધિક ઘટના સંદર્ભે જો કોઈ વ્યક્તિ સંવેદના વ્યક્ત કરે તો તેના પર જે-તે પક્ષના આઇ.ટી. સેલના લોકો તૂટી પડે છે, ટ્રોલ કરે છે, તેની સમજણ પર સવાલો ઉઠાવે છે જેના કારણે આવું કરનાર વ્યક્તિનું મોરલ તૂટી જાય છે. ‘આમ, એક બાજુ ફેક નરેશનનું  સમર્થન અને બીજું બાજુ સત્ય રજૂ કરનારને રંજાડવાની પ્રવૃત્તિ પોસ્ટ-ટ્રુથનું વર્ચસ્વ વધારવાનું કામ કરે છે.’ બીજું, રાજનેતાઓ કે તેના પ્રખર સમર્થકોએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરેલી વાત પર તેના ને તેના માણસો સકારાત્મક અભિપ્રાયો આપતાં રહે છે. લોકો સમજે છે કે જે તે વ્યક્તિની વાત પર સમાજના બૌદ્ધિક શિક્ષિત વર્ગના લોકો સહમત છે તો તેનામાં નક્કી કંઈક તથ્ય હશે જ. ‘આમ, કૃત્રિમ રીતે ઊભો કરાયેલો જનમત ધીરે ધીરે એક તંદુરસ્ત ધારણાનું / સ્વીકૃતિનું રૂપ લે છે.’

●સમાજમાં વધતી અરાજકતા વચ્ચે બુદ્ધિજીવીઓનું મૌન, બૌદ્ધિકોની નિરપેક્ષતા / સાપેક્ષતા કરતાં ય વધુ, ડરનું તત્ત્વ પોસ્ટ – ટ્રુથના વહનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ખૂબ સારી અપીલ ધરાવતો નેતા જનતાને કહે કે તમે ફલાણી ચીજથી ડરી રહ્યા છો તેના કારણમાં તો અમુક – તમુક બાબતો છે અને હું જ તમને તેમાંથી બહાર કાઢી શકું એમ છું. અથવા  પ્રભાવશાળી નેતા તેના અસરકારક ભાષણ વડે કૃત્રિમ ભય ઊભો કરીને તેમ જ ભવિષ્યના ફૂલગુલાબી સપનાં દેખાડીને જનતાને  પોતાની વાતો જ સત્ય છે, એવું માનવાની અદૃશ્ય ફરજ પાડે છે. ડર જેટલો મોટો હશે, તેના સંદર્ભે રજૂ કરાયેલ ‘પોસ્ટ ટ્રુથ’ની પક્કડ એટલી જ મજબૂત રહેશે. ભારતની વાત કરીએ તો, પરસ્પર સમાંતરે રાજનેતાઓનાં વલણને લઈને બે બાબતો જડબેસલાક જનમાનસમાં ઘર કરી ગઈ છે. સરેરાશ મુસ્લિમ માને છે કે બી.જે.પી. તો આપણને હેરાન કરવામાં કંઈ બાકી નહીં રાખે, માટે સલામત રહેવું હોય તો ભલે ભ્રષ્ટાચાર કરતી હોય પણ કાઁગ્રેસને સપોર્ટ કરો. જ્યારે સરેરાશ હિંદુ કહે છે કે બી.જે.પી. ન આવી તો તો હિન્દુત્વને ખતરો છે એટલે મોંઘવારી – વિકાસ બધું એકબાજુ મૂકીને બી.જે.પી.ને સાથ આપો. આ બન્ને માન્યતા સંપૂર્ણ સત્ય નથી. અથવા તો સત્ય લાગે તેવું, સત્ય અને અસત્ય વચ્ચેના પ્રદેશમાં જેનું સ્થાન છે. ‘પણ લોકોના આવા અભિપ્રાયમાં તથ્યગત સત્યતા કરતાં વધુ, નેતાઓએ ઊભો કરેલો હાઉ મહત્ત્વનો ભાગ ભજવે છે. ડર બતાવીને વૈમનસ્ય ઊભું કરવામાં આવે ત્યારે ડર આગળ વિવેક અને તર્ક હણાઈ જાય છે અને અંતે જનોતેજક ભાષણ આપનારા સફળ થાય છે.’ પાસ આંદોલન, મરાઠા આંદોલન, અથવા આરક્ષણ સંબંધિત તાજેતરનું મણિપુર આંદોલન વગેરે લોકોના ડરની ભાવનાને ભડકાવવાની, એ સંદર્ભે ફેક નરેશન સ્પ્રેડ કરવાની રાજનીતિના ઉદાહરણ છે. (જે – તેને અનામત મળી ગયું અને અમને ન મળ્યું એટલે આપણો સમુદાય પછાત રહી જશે એ ડર સાચો હોય તો પણ તેને વધુ હાઇપ આપીને રાજનૈતિક ફાયદો ઉઠાવવામાં આવે)

● જ્યારે કોઈ દેશમાં એકધારી અરાજકતા, એક રાજકીય પક્ષનું વર્ચસ્વ વધી જાય છે પછી સમયાંતરે એ તબક્કો આવે છે કે જનતામાં તે પક્ષ પ્રત્યે અસંતોષ વધતો જાય છે. એવા સમયે નેતૃત્વના ગુણથી ભરપૂર પ્રભાવશાળી નેતા તેમની તકલીફનો એકમાત્ર ટ્રબલ શૂટર છે એવો વિશ્વાસ સંપાદન કરવામાં સફળ થાય, “‘હું જ તારો ઈશ્વર’ પોસ્ટ–ટ્રુથનું આ એક કાયમી સ્લોગન ગણી શકાય કે જ્યારે લોકોનો વિશ્વાસ એક વ્યક્તિમાં સ્થાપિત થાય એ પછી તેના સો જૂઠને જનતા તર્કથી નહીં પણ વિશ્વાસથી તોલે છે.” આવા નેતાઓ વાક્પટુતા, પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હોય છે. અને ઇતિહાસની ભૂલો તેમ જ ભવિષ્યના ગુલાબી સપનાં અંગે ભ્રામક બયાનબાજી કરીને લોકોને આકર્ષવામાં સફળ રહે છે. હિટલર પ્રત્યે જર્મનીની પ્રજાનો વિશ્વાસ એ આ અંગેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

હિલેરીની જગ્યા તો જેલમાં છે, સાઉથ અમેરિકા દ્વારા અમેરિકામાં ચાલતાં ડ્રગ રેકેટ બંધ કરાવીશ, દરેકના ખાતામાં પંદર-પંદર લાખ, હું જીતી ગયો તો ફલાણી પાર્ટીના સિનિયર નેતાઓના કૌભાંડ બહાર પાડીશ … વગેરે વગેરે અનેક ચુનાવી જૂમલા પણ પોસ્ટ ટ્રુથના જ પ્રકાર છે. જે-તે રાજનેતા જે બોલી રહ્યો છે એ જ સાચું છે અને જો એ જીતાઈને આવશે તો જ જનતાનું ભલું થશે, એવો વિશ્વાસ સંપાદન કરવો એ એક વિજ્ઞાન છે. એક ન્યૂઝએન્કરે ખબર ફેલાવી કે બે હજારની નોટમાં નેનોચીપ છે, નોટબંધીનાં ફાયદા, સ્વિસબેન્કોમાં જમા કાળું ધન પરત લાવવાની વાત, બટેટામાંથી સોનુ બનાવવાની વાતને ટ્વિસ્ટ કરીને રજૂ કરવી, ફોટોશોપ કરીને ભૂતકાળના રાજનેતાઓના ચરિત્રને હાનિ કરવી, ‘ચોકીદાર ચોર છે’ના નારા, વગેરે પોસ્ટ ટ્રુથના ઉદાહરણો છે જેને જનતાએ જે-તે સમયે સત્ય માન્યું હતું અથવા હજુ પણ માને છે.

‘પોસ્ટ ટ્રુથનો એ કરિશ્મા છે કે છેતરાનારો પણ જાણે છે કે એ છેતરાઈ રહ્યો છે છતાં તે એ કરિશ્માઈ અસરમાંથી બહાર આવવા નથી માંગતો.’ જેના કારણમાં જે-તે પક્ષ કે જે-તે નેતાની જનતા પરની મજબૂત પક્કડ છે. અસરકારક, છટાદાર ભાષણો અને એવી જ અપીલિંગ પર્સનાલિટી એ પોસ્ટ-ટ્રુથ સફળ થવાની પહેલી શરત છે. એ પછી, નેતાએ આપેલા વચનો કેટલા અંશે ફુલફિલ થયા એ ગૌણ બની જાય છે.

સત્ય-અસત્ય-અર્ધસત્ય, વિશ્વાસ-અવિશ્વાસ-અંધવિશ્વાસ  બધી બાબત અલગ ભલે હોય પણ મૂળે એકબીજા સાથે જોડાયેલી છે. વિશ્વાસનો અભાવ એ અવિશ્વાસ અને અતિરેક એ અંધવિશ્વાસ છે. એ જ રીતે સત્યનું. ‘હિટલરે કહ્યું છે કે એક જૂઠને સો વાર દોહરાવો તો એ સત્ય થઈ જાય છે, એ વિધાનને જાણે મંત્ર માનીને પોસ્ટ ટ્રુથના આ યુગમાં રાજનેતાઓ ઉપરના તત્ત્વોનું તમને ગમતું મિશ્રણ તૈયાર કરીને તમને પીરસે છે.’ આમ, આજની રાજનીતિ પોસ્ટ ટ્રુથથી સંક્રમિત થયેલી છે. ધ્યાનથી જોઈએ તો 2008-09ની મંદીનો પહેલો દૌર પૂરો થયા બાદ ભારત સહિત સમગ્ર વિશ્વમાં આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ‘જો તમે કોઈ યુક્તિ વડે લોકોના દિલ સુધી પહોંચવામાં સફળ થાવ છો, તો પછી તમે સાચું બોલો છો કે જૂઠું બોલો છો તેની લોકોને કોઈ પરવા નથી. ન તો એ વાતની ચિંતા છે  કે આ બધું કરીને તમે તેમને ખાઈમાં તો નથી ધકેલી રહ્યા ને!’

જો કે રાજનીતિમાં અપ્રમાણિકતા એ કોઈ નવી વાત નથી પણ આજે જે હદે એ લોકોના અભિપ્રાયને પ્રભાવિત કરી રહી છે, વૈમનસ્ય વધારી રહી છે, તથ્યને ઊલટાવવામાં સફળ રહી છે, જૂઠને સત્ય અને સત્યને જૂઠ કહેવામાં સફળ થઈ રહી છે, એ ચિંતાજનક છે. વિદ્વાનો ચિંતા દર્શાવે છે કે, તથ્ય તથા વિવેકને કોરાણે મૂકીને ફક્ત વિશ્વાસને સત્યનો આધાર માનવામાં આવશે તો તેનું પરિણામ પ્રજ્ઞાહીન ટોળાંઓના સર્જનથી વધુ શું હશે? અલબત્ત, ચાણક્ય કહે છે કે, સત્ય એક જ છે જેને વિદ્વાનો અલગ અલગ રીતે રજૂ કરે છે. એટલે સમજદાર વ્યક્તિએ પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી, યથાર્થને ચકાસી અભિપ્રાય બનાવવો રહ્યો જેના માટે પૂર્વગ્રહમુક્ત શુદ્ધ જ્ઞાન જરૂરી છે. એમ કરવામાં માનવજાતનું કલ્યાણ છે. સત્યને અસત્ય કહેવાથી સત્યને નુકશાન નથી, સમાજને જ છે. એટલે જ ફિલસૂફ પ્લેટોએ કહ્યું છે કે “સત્ય આપણા વિચારોથી સ્વતંત્ર છે. જો કોઈ તેના પર વિશ્વાસ ન કરે તો પણ તે હંમેશાં આપણી વચ્ચે રહેશે.”

[પ્રગટ : ગુજરાતની નવી પેઢીનું સૌ પ્રથમ ડિજિટલ અખબાર “ખાસ-ખબર”; 31 જુલાઈ 2023; પૃ. 06-08]
સૌજન્ય :  હિમાદ્રીબહેન આચાર્ય દવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

પોસ્ટ ટૃથ ભાગ – 1

અસત્યને સત્યના વાઘા પહેરાવી રજૂ કરવાનું રાજનૈતિક શસ્ત્ર, પોસ્ટ-ટ્રુથ શું છે?

Loading

...102030...1,0581,0591,0601,061...1,0701,0801,090...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved