Opinion Magazine
Number of visits: 9743185
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, હરારી પાસે – 18 : સાહિત્યિક સર્જકતા 

સુમન શાહ|Opinion - Opinion|28 August 2023

સુમન શાહ

આપણા માટે એ જાણવું અનિવાર્ય છે કે ‘એ.આઈ.’ સાહિત્યિક સર્જકતાને અડીનડી શકે કે કેમ.

‘એ.આઈ.’ જીવનના કોઈપણ સંવિભાગને અડીને ઉપકાર કરે છે, નડીને નુક્સાન કરી નથી દેતું પણ થ્રેટ ઊભી કરે છે, આપણને સાવધ કરે છે. એ થ્રેટ અથવા જોખમ વિશે વિચારવું કે ન વિચારવું એ માણસની કુદરતી બુદ્ધિનો, વિવેકનો, વિષય છે.

કઈ રીતે ઉપકાર કરે છે? જુઓ, સાહિત્યકારની સર્જકતા કુદરતી છે પણ સર્જનને માટે વિષયવસ્તુઓ તો એને સંસારમાંથી મળે છે. કાવાદાવા, ગૂંચવાડા, સંઘર્ષ વગેરેથી સરજાયેલી પરિસ્થિતિઓનું જ્ઞાન તો એને જિવાતા જીવનમાંથી મળે છે. ઊર્મિ, કથા અને નાટક મનુષ્યજીવનમાં છે, તેથી સાહિત્યમાં છે.

એ જ રીતે સાહિત્યસર્જન માટે, કાવ્ય વાર્તા કે નાટક માટે, ‘એ.આઈ.’ પણ એને બહારથી જ મળવાનું છે. પરન્તુ ‘એ.આઈ.’ નવા નવા આઇડીયાઝનું સંસૃજન કરીને સર્જકને જાગ્રત અને તાજો રાખી શકે છે.

સર્જકને એ વાર્તાનાં પાત્રો કે પ્લૉટ્સના નમૂના ધરી શકે છે, એટલું જ નહીં, શબ્દચયન અને ચરિત્રચિત્રણ જેવી સર્જનપ્રક્રિયાપરક બાબતો પ્રત્યે એનું ધ્યાન ખૅંચી શકે છે. NovelAI એવું ટૅક્સ્ટબેઝ્ડ ચૅટબોટ છે. એથી સંભવ છે કે વાર્તાકારને નવા વિચારો આવે, પ્લૉટના જુદા પૉઇન્ટ્સ સૂઝે. ઉપરાન્ત, ‘એ.આઈ.’ સર્જનના અવનવા તરીકા બતાવશે. દાખલા તરીકે, ઇન્ટરઍક્ટિવ સ્ટોરી, જેમાં વાચકના ઇન્પુટ્સ પણ ઉમેરાતા ચાલે. એવા સ્વરૂપની વાર્તા અન્યથા શક્ય નથી.

‘એ.આઇ.’ સર્જકના વ્યાકરણદોષ વિરામચિહ્નદોષ દર્શાવીને એનાં વાક્યો ખરાં કરી આપશે, બલકે એની ભ્રાન્ત શૈલી માટે પણ સુધારા સૂચવશે. સ્પષ્ટતા કરશે કે – મેં આવા આવા સુધારા આવાં આવાં કારણોસર કર્યા છે. Groovewriter સર્જકોનો એવો મદદગાર છે. સંભવ છે કે એની મદદથી સર્જકનું લેખન ચોખ્ખું થઈ જાય.

વાચકો માટે પણ ‘એ.આઈ.’ ઉપકારક નીવડી શકે છે. કોઈ વાચકને કોઈ કૃતિ પર્સનાલાઈઝ્ડ કરવી હશે તો એ ‘એ.આઈ.’-ની મદદથી કરી શકશે. Storysmith એવું ઑજાર છે. અલબત્ત, એ તો જ શક્ય બનશે જો એની પાસે વાચકના સાહિત્યવાચનનો ઇતિહાસ તેમ જ એનાં રસરુચિની વીગતો હશે. વાચક એને એ બધું સામે ચાલીને આપી પણ શકે છે.

ઉપરાન્ત, જો સર્જક વિવેચકની જોહુકમીભરી વર્તણૂકથી કંટાળી ગયો હોય અને સર્જન માટે ફીડબૅક માગશે તો પણ ‘એ.આઈ.’ આપશે, કહેશે કે તમારે આવી આવી બાબતો પર વધુ ધ્યાન આપવાની જરૂરત છે.

’એ.આઈ.’ પાસેથી સાહિત્યકારો વિનમ્રતા અને પોતાની મર્યાદાઓના પાઠ પણ શીખી શકે. મારો એક અનુભવ કહું : બેચાર વખત જુદી જુદી રીતે પૂછવા છતાં ‘એ.આઈ.’-ને મારો પ્રશ્ન ન સમજાયો. પણ છેવટે સમજાયો. એટલે મેં એને જણાવ્યું કે – નાઉ, આઈ ગૉટ માય આન્સર, યુ આર સ્માર્ટર ધૅન મી, બટ યુ ટેક ટાઇમ ટુ અન્ડરસ્ટૅન્ડ ધ ક્વેશ્ચન્સ, ઇઝન્ટ ઇટ? તો એણે મને પૂરી નમ્રતા અને શાલીનતાથી ઉત્તર વાળ્યો કે – આઇ ઍમ ગ્લૅડ ધૅટ આઇ વૉઝ એબલ ટુ હૅલ્પ યુ ગેટ યૉર આન્સર. અને એણે ઉમેર્યું કે – આઇ ઍમ સ્ટિલ અન્ડર ડેવલપ્મૅન્ટ, ઍન્ડ આઇ ઍમ ઑલ્વેઝ લર્નિન્ગ. આઇ ઍપ્રીસિએટ યૉર પેશન્સ ઍઝ આઇ વર્ક ટુ ઇમ્પ્રુવ માય અન્ડસ્ટૅન્ડિન્ગ ઑફ ક્વેશ્ચન્સ.

હું ખુશ થઈ ગયો, ને એનો આભાર માન્યો. તો, કાયમ કહે છે તે કહ્યું કે – આ ઉપરાન્તનું કંઈપણ હોય તો મને પૂછજો.

જો ‘એ.આઈ.’-ની આ મદદોનો વિવેકપૂર્વક આશ્રય કરાય તો નવોદિતો, નીવડેલાઓની નજીક અને નીવડેલાઓ, સિદ્ધોની નજીક લાગવા માંડશે. ભેદરેખાઓ અળપાઈ જશે. એ અર્થમાં ખોટું નહીં, પરન્તુ નામરૂપ બદલીને જેમ આપણે ત્યાં કેટલાંક નાટકો લખાયાં છે, તેવી ચતુરાઇભરી ચોરીઓ થશે, તો ખોટું જ છે. મુદ્દો એ છે કે વ્યક્તિ ‘એ.આઈ.’-ને શિક્ષક અને પોતાને સમજદાર વિદ્યાર્થી ગણે.

પરન્તુ હરારી “21 Lessons for the 21st Century”-માં સ્પષ્ટપણે દર્શાવે છે કે ભવિષ્યમાં સાહિત્યિક સર્જકતા અનેકશ: જોખમાશે.

કહે છે, ’એ.આઈ.’ માનવીય સર્જકતાને વટી જશે, મનુષ્ય સરજી શકે એથી ઘણી મૌલિક, ઘણી સર્જનાત્મક અને ભાવ-ભાવના બાબતે વાચકોને જોડી રાખે એવી રચનાઓનું સંસૃજન કરી શકશે. તેઓ લખે છે :

“In the future, AI could easily surpass human literary creativity in a number of ways. AI could generate text that is more original, more creative, and more emotionally resonant than anything that humans can produce.” (P. 118).

તેઓ કહે છે, બધા લેખકો ‘એ.આઈ.’-સંસૃજિત ઘણી મૌલિક, ઘણી સર્જનાત્મક, રચનાઓ કરવા માંડશે એટલે સાહિત્ય એક જાતના હોમોજેનાઇઝેશનની દિશામાં ધકેલાશે, એટલે કે, બધા એકસરખું લખતા જણાશે. તેઓ લખે છે :

“AI could lead to the homogenization of literature, as all writers are forced to compete with AI-generated text that is always more original and creative.” (P. 119).

તેઓ કહે છે, આ જાતની રચનાઓના સંસૃજનમાં ‘એ.આઈ.’ પાવરધું થઈ જશે, પરિણામે, કેટલાક સાહિત્યપ્રકારોનો લોપ થઈ જશે; એમાં, હરારી કાવ્ય અને કથાસાહિત્યનો ય ઉલ્લેખ કરે છે ! વાંચો :

“AI could lead to the disappearance of certain genres of literature, such as poetry and fiction, as AI becomes better at generating these types of text.” (P. 119).

“Homo Deus”-માં, હરારી આ જ મતલબની વાત કરતાં લખે છે :

“In the future, AI is likely to become a powerful tool for literary creativity. AI can help writers to generate ideas, to find patterns in data, and to create new forms of literature. However, AI is unlikely to replace human writers altogether”. (P. 174).

પરન્તુ, એમાં ઉપસંહાર કરતાં હરારીએ એક નૉંધપાત્ર પણ ચૉંકાવનારો મુદ્દો રજૂ કર્યો છે. તેઓ કહે છે કે ભવિષ્યમાં માણસો અને ‘એ.આઈ.’ સાહિત્યિક સર્જકતાનાં સહયોગી થઈ ગયાં હશે – “The future of literary creativity will be a collaboration between humans and AI.” (P. 174).

કેમ કે ‘એ.આઈ.’-માં એવી ક્ષમતા આવી ગઈ હશે કે લેખકોને એ ઑજારો અને આધારસ્રોતો પૂરા પાડતું હશે. એવા સહયોગને કારણે લેખકોની સર્જકતાનો જુદો જ વિકાસ થયો હશે. કેમ કે, ‘એ.આઈ.’-એ ઘણી મોટી માત્રામાં ડેટાનાં વિશ્લેષણ કરવાની કુશળતા હાંસલ કરી હશે. તેથી ડેટાની પૅટર્ન્સ દર્શાવી શકશે, જે કદાચ સર્જકના ધ્યાનમાં ન પણ આવી હોય ! પરિણામે, સર્જકોને સર્જન માટેના નવા નવા વિચારો આવશે. ‘એ.આઈ.’ અપૂર્વ કહી શકાય એવાં સાહિત્યનાં વિવિધ રૂપો સરજી આપતું થયું હશે, એટલે લેખકોની સર્ગશક્તિનો ખાસ્સો ક્ષિતિજવિસ્તાર થશે.

આ બધાંના પરિણામે હરારીને એ ભય સતાવે છે કે ‘એ.આઇ.’-ની આ સર્જકતા માનવ-સર્જકોને પાછા પાડી દેશે.

જો કે એમણે એમ પણ કહ્યું છે કે “Human writers will still be needed to provide the spark of creativity, the human touch, and the understanding of human emotions”. (P. 134 : “21st…”)

સાચું છે, માનવ-સર્જકોની હમેશાં જરૂર પડવાની કેમ કે માણસના ભાવજગતને તેઓ જ પામી શકતા હોય છે અને સર્જકતાના વિવિધ ચમકારા પણ તેઓ જ સરજી શકતા હોય છે. અને એ પણ મર્યાદા છે કે ‘એ.આઈ.’ હજી માનવ-અનુભવને એટલું બધું આંબી શક્યું નથી.

એમનું આ અન્તિમ મન્તવ્ય કેટલાક સર્જકોને એટલે ગમે છે કેમ કે એમના મગજમાં રાઈ છે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ભલે ને ગમે એટલો વિકાસ સાધે – અમારું કશું બગડી જવાનું નથી – અમારે એના સહયોગની જરૂરત જ નથી.

તેઓ મને મનોમન એમ બબડતા સંભળાય છે કે, હમ નહીં સુધરેંગે …

= = =

(08/28/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

‘એન્થની’માંથી ‘એન’નાં અલગ થવાની પીડા : ’ધ ફાધર’

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|28 August 2023

રવીન્દ્ર પારેખ

એન્થની એંશીએકનો લંડનમાં રહેતો પિતા છે. તેને બે દીકરીઓ છે. એક એન અને બીજી લ્યુસી. લ્યુસીને  એક્સિડેન્ટ થયો છે ને એનને કોઈ મળી ગયું છે એટલે તે પેરિસ જવા ઈચ્છે છે, પણ જઇ શકે એમ નથી, કારણ, એન્થની સખણો રહેતો નથી. તેણે છેલ્લી કેરટેકર એન્જેલાને ઝઘડીને કાઢી મૂકી છે. ઝઘડો ઘડિયાળને કારણે થયો હતો. એન્થનીને હતું કે ઘડિયાળ એન્જેલાએ ચોરી લીધું છે ને એનનું માનવું હતું કે ઘડિયાળ એ ઘરમાં જ ક્યાંક  ભૂલી ગયો હશે. એન્થની ઉતાવળે બાથરૂમમાં જાય છે અને ઘડિયાળ પહેરતો બહાર આવે છે. તેને હવે એ યાદ નથી કે ઘડિયાળને લીધે તે એન્જેલા જોડે ઝઘડ્યો હતો. સાવ નિર્દોષતાથી તે હાથમાંનું ઘડિયાળ એનને બતાવે છે. તે દવા નથી લેતો તેવી એનની ફરિયાદ છે ને એન્થની દીકરીની વાત ઉડાવતાં કહે છે, ’EVERYTHING IS FINE. THE WORLD IS TURNING. તે પોતાની સંભાળ રાખી શકે તેમ છે ને તેને કોઇની જરૂર નથી.’

આ દૃશ્ય છે ફ્લોરિયન ઝેલરનાં નાટક પર આધારિત 2020ની અંગ્રેજી ફિલ્મ ‘ધ ફાધર’નું. ‘ધ ફાધર’ને બેસ્ટ પિક્ચર સહિત 93માં એકેડેમિક એવોર્ડ્સમાં 6 નૉમિનેશન્સ મળ્યાં હતાં. એન્થની હોપકિન્સને પહેલો ઓસ્કાર 1991માં આવેલી ‘ધ સાઇલન્સ ઓફ ધ લેમ્બ્સ’ માટે મળ્યો હતો ને બીજી વખત ‘ધ ફાધર’ માટે 2021માં ઓસ્કાર મળતાં, 83 વર્ષે સૌથી વયોવૃદ્ધ એકટર તરીકેનું બહુમાન પણ તેમને નામે ચડ્યું છે. ફિલ્મનું દિગ્દર્શન ફ્લોરિયન ઝેલરનું છે ને તેણે જ ક્રિસ્ટોફર હેમ્પટનની સાથે સ્ક્રીન પ્લે પણ લખ્યો છે. એ સ્ક્રીન પ્લે માટે બંનેને એકેડેમિક એવોર્ડ પણ મળ્યો છે. ફાધરની મુખ્ય ભૂમિકા એન્થની હોપકિન્સે ભજવી છે. આ ભૂમિકા હોપકિન્સને ધ્યાનમાં રાખીને જ લખાઈ છે. એ જ કારણ છે કે મુખ્ય પાત્રનું નામ પણ એન્થની રાખવામાં આવ્યું છે. તેની દીકરી એનની ભૂમિકા ઓલિવિયા કોલમેને ભજવી છે. એને પણ બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ તરીકેનું આ ફિલ્મમાં બીજી વખત નોમિનેશન મળ્યું હતું. પહેલું નોમિનેશન 2018માં આવેલી ફિલ્મ ‘ધ ફેવરિટ’ માટે મળ્યું હતું.

‘ધ ફાધર’ ચિત્તભ્રમની ફિલ્મ છે. તે પ્રેક્ષકને માત્ર ડિમેન્શિયાની જાણકારી જ નથી આપતી, અનુભવ પણ આપે છે. આખી ફિલ્મ એન્થનીની આંખે બતાવાઈ છે. દોઢેક કલાકની આ ફિલ્મની શરૂઆતમાં એન કહે છે કે તે વીક એન્ડમાં આવતી રહેશે, પણ હવે તે જેમ્સ જોડે પેરિસ રહેવા જવાની છે. એ સાથે જ એન્થની જુએ છે કે એક અજાણ્યો માણસ સોફા પર બેઠો છે. તે પૂછે છે કે તે કોણ છે ને એના ફ્લેટમાં શું કરે છે? પેલો પોતાની ઓળખાણ પોલ તરીકે આપતાં કહે છે કે એ ફ્લેટ તેનો છે. તે, એને તેના ફ્લેટમાં લાવ્યો છે. એન્થની એનને બોલાવે છે. એક સ્ત્રી સામે આવે છે તો એન્થની તેને પૂછે છે કે એન કયાં છે? પેલી કહે છે કે તે જ એન છે. એન્થની, તે પેરિસ જવાની છે એ વાત યાદ અપાવે છે તો પેલી કહે છે કે તે જવાની નથી.

એન ના કહે તેનું આશ્ચર્ય નથી, કારણ કે વીતેલા સમયમાં તો તે પોલ સાથે રહી જ છે ને પેરિસ જવાનું  વર્ષો પછી બનવાનું હોય તો એ સવાલનો જવાબ તે વીતેલા સમયમાં કેવી રીતે આપે? વર્તમાનમાં કહેવાયેલી વાત એન્થની ભૂતકાળમાં પૂછતો બતાવાય છે. જો કે, એન પછી ડિવોર્સ લે છે ને પાંચ વર્ષ સુધી લગ્ન કરતી નથી. ફિલ્મ જોનાર પ્રેક્ષકને તમ્મર આવી જાય તેવી સ્થિતિ છે, પણ એન્થની તો એનો ડગલેને પગલે સામનો કરે છે. બને છે એવું કે પ્રેક્ષક થિયેટરમાંથી ઊંચકાઈને સીધો જીવતાં સ્ક્રીન પર મુકાય છે. એન્થની જીવે છે વર્તમાનમાં ને જૂની સ્મૃતિ પ્રગટ થતી રહે છે. સ્મૃતિ પ્રગટ જ નથી થતી, તરત જ જીવાય પણ છે. એન્થની (અને ઓડિયન્સ પણ) એકસાથે વર્તમાન અને સ્મૃતિમાં સંડોવાય છે. મુશ્કેલી એ છે કે વર્તમાન અને ભૂતકાળને જુદા પાડનારી કોઈ ભેદરેખા જ નથી ને એમાં જીવનનો તાળો મળતો નથી. ભૂત અને વર્તમાન એકાકાર થતાં રહે છે. એન્થનીની મૂંઝવણ એ પણ છે કે ન જોઈતી સ્મૃતિ પણ, વર્તમાનમાં ધસી આવે છે, એટલે ગૂંચ ઑર વધે છે. તેનું ચિત્ત, નથી એ સમય પણ જુએ છે. ઘણીવાર તો એ નકકી નથી થતું કે દીકરી તેનાં ફ્લેટમાં છે કે તે દીકરીનાં ફ્લેટમાં છે? તેના ફ્લેટમાં તો દીવાલ પર લ્યુસીનું પેઇન્ટિંગ હતું, તે નથી દેખાતું તો તેને સવાલ થાય છે કે તે કોણે ખસેડ્યું? આમ તો બંને ફ્લેટ જુદા છે, પણ તેનું સામ્ય એન્થનીનો ભ્રમ વકરાવે છે, એટલે સ્થતિ વધુ કફોડી થાય છે. એક તબક્કે તે બારણું ખોલે છે તો તે, એ હોસ્પિટલમાં ખૂલે છે, જ્યાં લ્યુસી કણસતી પડી છે, તો બીજી વખત બારણું ખોલતાં તે પોતાને નર્સિંગ હોમમાં અનુભવે છે. કેમેરા, બારણાંઓને વારંવાર ને જુદા જુદા કલર ટોનમાં ક્લોઝઅપ્સમાં લાવે છે. એ ઉપરાંત જુદા જુદા સમયે રૂમનું શાંત ફર્નિચર પણ સૂચક રીતે બોલતું દેખાય છે.

શરૂઆતમાં એન્થનીને ઇયરફોન સાથે મ્યુઝિક સાંભળતો બતાવાયો છે. એને કારણે ઘરમાં પ્રવેશીને બોલાવતી દીકરી તેને સંભળાતી નથી. એમ જ એક પ્રસંગે તે સીડી સાંભળે છે, પણ તેનો કર્કશ અવાજ આવતાં તે સીડી બહાર કાઢે છે અને રૂમાલથી સાફ કરે છે, પણ સીડી તેની જેમ જ ઘસાઈ ગઈ છે એટલે કર્કશતા કેટલી ઘટે એ પ્રશ્ન જ છે. વોશબેઝિનનો પણ અસરકારક ઉપયોગ થયો છે. નળ ટપકવાનો અવાજ આવે છે ને એન્થની મોઢે છાલક મારે છે તે સાથે જ સ્મૃતિઓ ધોવાઇને નોખાં રૂપે પ્રગટે છે.

ફિલ્મમાં ઘડિયાળનો પણ સૂચક રીતે ઉપયોગ થયો છે. શરૂઆતમાં જ ઘડિયાળ ચોરાયાની વાત આવે છે ને પછી એન્થની હાથમાં પહેરીને એનને બતાવતો દેખાડાય છે. જાણે ચોરાયેલો સમય હાથ લાગ્યો ! એ એનો સમય છે. એ પછી એનું ઘડિયાળ પોલના હાથ પર હોવાનું એને લાગે છે. એ ટોળમાં પૂછે છે, ’ખરીદ્યું છે? એમાં રમૂજની સાથે કરુણતા પણ છે. કરુણતા એ કે એનું ઘડિયાળ બીજાના હાથમાં છે ને એણે હવે એના સમયમાં ગોઠવાવાનું છે. એક વાર એન્થનીને ઘડિયાળ જડતું નથી ને એણે સમય પૂછ્યા કરવો પડે છે. ઘડીભર તો તેને લાગે છે કે તે સમય વગરનો થઈ ગયો છે ! સમયની જ નહીં, કાળની પણ સેળભેળ થતી રહે છે. એમાં પાત્રોનાં નામ તો એ જ રહે છે, પણ વ્યક્તિઓ બદલાતી રહે છે, તે ત્યાં સુધી કે તે પોતાને વિષે પણ શંકા કરતાં નર્સ કેથરિનને પૂછે છે, ‘WHO EXACTLY AM I?’ ફિલ્મમાં રૈખિક સમય-વાસ્તવિક્તા – એ જ છે કે દીકરી શરૂઆતમાં પેરિસ જવાની વાત મૂકે છે ને અંતે દુ:ખી હૈયે પેરિસ જવા નીકળી જાય છે. એ સિવાયનો જે સમય ફિલ્મમાં દેખાય છે તે કેવળ ઉંમરને લીધે ગૂંચવાતાં વૈચારિક દૃશ્યો જ છે.

ફિલ્મમાં હૈયું ભીંજવનારી ક્ષણો પણ છે. એન જવાની છે. એન્થની એને ક્યારે જોવા પામશે એ નક્કી નથી. અત્યાર સુધી તો તે જ માતાની જેમ એન્થનીની કાળજી લેતી આવી છે. પિતાની સામે તે રડતી બેઠી છે ને પિતા એને ચહેરે એટલી સલુકાઈથી હાથ ફેરવે છે કે એની રેખાએ રેખા ટેરવાંમાં ઊતરી આવે ને એ જ પછી ભાવિ સ્મૃતિ બની રહે, પણ હાથ ફરે છે તેમ તેમ દીકરી છૂટતી પણ જાય છે. એમ લાગે છે જાણે ‘એન્થની’માંથી ‘એન’ અલગ થાય છે. પિતાનો હાથ ફરતો રહે છે તેમ તેમ એ સ્પર્શ દ્વારા પિતા પણ એનને હૈયે ઊતરતો જાય છે. આમ તો બહુ રહ્યું નથી, પણ એન્થનીનું ભાવિ નક્કી થઈ ગયું છે, તેણે કેથરિનની સંભાળમાં, નર્સિંગ હોમમાં જ રહેવાનું છે. આ યુગની એ કરુણતા છે કે વૃદ્ધત્વ હવે સંતાનો દ્વારા નહીં, પણ અજાણ્યા સ્વજનો દ્વારા ઉછરવાનું છે. સામે કેથરિન છે ને એકાએક દીકરીનાં આવેલાં કાર્ડ પરથી તે તેની માતાના સમયમાં મુકાય છે. એંશી વર્ષનો એન્થની આઠ વર્ષનો થઈ ઊઠે છે. માતાની તીવ્ર ઝંખના કરતો તે લોહીનાં આંસુ રડે છે ને રડતાં રડતાં હૃદયસ્પર્શી રીતે બોલે છે, ’મને લાગે છે કે હું મારાં પાન ખોઈ બેઠો  છું…’

કેથરિન તેને આશ્વસ્ત કરતાં, બહાર જવા તૈયાર થવાનું કહે છે. એન્થની આનાકાની કરે છે, તો બહુ અર્થસભર રીતે કહેવાય છે, ‘IT’S SUNNY OUTSIDE. WE HAVE TO GO WHILE IT’S SUNNY. WE HAVE TO TAKE THAT CHANCE. ‘CAUSE IT NEVER LASTS LONG WHEN THE WEATHER’S THAT GOOD, DOES IT?’

છેલ્લે, દૃશ્ય ખસે છે. બહાર પવનમાં હાલતાં ઝાંખાં પર્ણો ધોવાયાં હોય તેમ લીલું લીલું ચમકે છે ને એની ઉપરથી તડકાતું આકાશ ડોકાય છે …

આખી ફિલ્મ છવાયેલી રહી. અંતે બતાવાતાં વૃક્ષો સૂચવે છે કે મનુષ્યનું પણ વૃક્ષ જેવું જ છે. સો વર્ષ જૂનું વૃક્ષ, સો વર્ષ પહેલાંના સમયમાં હોય છે, એ સાથે જ વર્તમાનની દરેક ક્ષણોમાં પણ તે હોય છે. એનાં પર્ણો બદલાય છે, પણ જૂનાં ફરી આવતાં નથી. થડની પીડા એ છે કે નવાંનો ઉમંગ તો તે ઉછાળે છે, પણ જૂનાંને તે સાચવી શક્તું નથી. કરુણતા એ છે કે નવાં પર્ણો ઉગાડવા જતાં, વૃક્ષ તો ઘરડું થતું જ આવે છે. પછી એ જીવતું તો હોય છે, પણ એમાં જીવન હોતું નથી …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 28 ઑગસ્ટ 2023

Loading

किस दिशा में जा रही है भारतीय राजनीति

Opinion - Opinion|27 August 2023

राम पुनियानी

गत 15 अगस्त को भारत ने अपने 77वां स्वाधीनता दिवस मनाया. यह एक मौका है जब हमें इस मुद्दे पर आत्मचिंतन करना चाहिए कि हमारी राजनीति आखिर किस दिशा में जा रही है. आज से 76 साल पहले हमारे प्रथम प्रधानमंत्री जवाहरलाल नेहरु ने दिल्ली के लालकिले की प्राचीर से अपना ऐतिहासिक भाषण दिया था. उस समय देश बंटवारे से जनित भयावह हिंसा की गिरफ्त में था और ब्रिटिश शासकों की लूट के चलते आर्थिक दृष्टि से बदहाल था. हमारा स्वाधीनता संग्राम ने केवल ब्रिटिश औपनिवेशिक सत्ता की खिलाफत नहीं की वरन भारत के लोगों को एक भी किया. उन्हें भारतीय की एक साझा पहचान के धागे से एक सूत्र में बंधा.

संविधान सभा ने एक अभूतपूर्व ज़िम्मेदारी का निर्वहन किया. उसने भारत के लोगों की महत्वाकांक्षाओं और भावनाओं को समझा और उन्हें देश के संविधान का हिस्सा बनाया. हमारा संविधान एक शानदार दस्तावेज है. उसकी उद्देशिका न केवल स्वाधीनता आन्दोलन के मूल्यों का सार है वरन वह आधुनिक भारत के निर्माण की नींव भी है. नेहरु की नीतियों का लक्ष्य था आधुनिक उद्यमों और संस्थानों की स्थापना. भाखड़ा नंगल बाँध के निर्माण की शुरुआत करते हुए नेहरु ने स्वतंत्रता के बाद देश में स्थापित किए जा रहे वैज्ञानिक शोध संस्थानों, इस्पात और बिजली के कारखानों और बांधों को “आधुनिक भारत के मंदिर बताया” था. इनका लक्ष्य भारत को वैज्ञानिक और औद्योगिक प्रगति की राह पर अग्रसर करना था.

भारत आधुनिक देश बनने की राह पर चल पड़ा. औद्योगिकरण हुआ, आधुनिक शैक्षणिक संस्थाएं स्थापित की गईं, स्वास्थ्य के क्षेत्र में प्रगति हुई, दूध और कृषि उत्पादन बढ़ा और परमाणु व अंतरिक्ष सहित विज्ञान के लगभग सभी क्षेत्रों में शोध कार्य प्रारंभ हुआ. इसके साथ ही संवैधानिक प्रावधानों के चलते दलितों का उत्थान हुआ और शिक्षा व अन्य क्षेत्रों में महिलाओं की भागीदारी को प्रोत्साहित किया गया जिससे वे सामाजिक, राजनैतिक और आर्थिक क्षेत्र में अपनी उपस्थिति दर्ज करा सकीं. यह एक बेजोड़ और कठिन यात्रा थी जो 1980के दशक तक जारी रही.

सन् 1980 के दशक में देश को प्रतिगामी ताकतों ने अपनी गिरफ्त में ले लिया और साम्प्रदायिकता, राजनीति के केन्द्र में आ गई. शाहबानो के बहाने लोगों के दिमाग में यह बैठा दिया गया कि भारत की सरकारें अल्पसंख्यकों का तुष्टिकरण करती रही हैं. मंडल आयोग की रपट को लागू करने से भी साम्प्रदायिक राष्ट्रवाद को बढ़ावा मिला. ‘आधुनिक भारत के मंदिर’ निर्मित करने की बजाए हम मस्जिदों के नीचे मंदिर खोजने लगे. मस्जिदों को गिराना और उन्हें नुकसान पहुंचाना एक बड़ा मकसद बन गया. इससे सामाजिक विकास की प्रक्रिया बाधित हुई और आम लोगों को न्याय सुलभ करवाने और उनके जीवन को समृद्ध बनाने का सिलसिला रूक गया. महात्मा गांधी का ‘‘आखिरी पंक्ति का आखिरी आदमी‘‘ राजनैतिक सरोकारों से ओझल हो गया.

मंदिर की राजनीति के कारण जो हिंसा हुई उससे समाज ध्रुवीकृत हुआ और राजनीति में साम्प्रदायिक ताकतों का दबदबा बढ़ने लगा. मुसलमानों के अलावा ईसाईयों के खिलाफ भी हिंसा शुरू हो गई और जैसे-जैसे साम्प्रदायिक हिंसा बढ़ती गई वैसे-वैसे साम्प्रदायिक ताकतें भी ताकतवर होती गईं.

मंदिर के बाद गाय राजनैतिक परिदृश्य पर उभरी. मुसलमानों और दलितों की लिंचिंग होने लगी. घर वापसी का सिलसिला शुरू हुआ और लव जिहाद के मिथक का उपयोग मुस्लिम युवकों को निशाना बनाने के साथ-साथ लड़कियों और महिलाओं के अपने निर्णय स्वयं लेने के अधिकार को सीमित करने के लिए भी किया गया.

सामाजिक विकास की दिशा पलट गई. आर्थिक सूचकांकों में गिरावट आने लगी, भुखमरी का सूचकांक बढ़ने लगा और धर्म, अभिव्यक्ति और प्रेस की स्वतंत्रता को सीमित किया जाने लगा. सार्वजनिक क्षेत्र के बेशकीमती उद्यमों को सत्ताधारियों के चहेतों को मिट्टी के मोल बेचा जाने लगा. सत्ता के करीबी कई अरबपति जनता के पैसे चुराकर विदेश भाग गए. गरीबों और अमीरों के बीच की खाई और चौड़ी होने लगी. वैज्ञानिक सोच को बढ़ावा देने की बजाए प्रधानमंत्री हमें यह बताने लगे की प्राचीन भारत में प्लास्टिक सर्जरी इतनी उन्नत थी  कि हाथी का सिर मनुष्य के शरीर पर फिट किया जा सकता था. और यह तो केवल शुरूआत थी. सभी ज्ञानी हमें यह बताने लगे कि संपूर्ण आधुनिक विज्ञान हमारे प्राचीन ग्रंथों में मौजूद है.

इसके साथ ही भारतीय संविधान को बदलने की मांग, जो कुछ धीमी पड़ गई थी, फिर से जोर-शोर से उठाई जाने लगी. साम्प्रदायिक राष्ट्रवाद के चिंतक यह तर्क देने लगे कि भारत के सभ्यतागत मूल्यों (अर्थात ब्राम्हणवादी मूल्यों) को संवैधानिक मूल्यों से ऊंचे पायदान पर रखा जाना चाहिए. यह सामंती, पूर्व-औद्योगिक समाज की तरफ लौटने की यात्रा थी. न्याय के नाम पर बुलडोजरों का इस्तेमाल किया जाने लगा.

मणिपुर, नूह और मेवात में हिंसा की पृठभूमि में हम अपने गणतंत्र के भविष्य को किस तरह देखें? समस्या केवल राजनीति के क्षेत्र तक सीमित नहीं है. समाज में नफरत का बोलबाला है. बिलकिस बानो सहित हिंसा के अनेकानेक पीड़ितों को न्याय नहीं मिल पा रहा है. हिंसा करने वाले और नफरत फैलाने वाले बेखौफ हैं. ‘सभ्यतागत मूल्यों’ का हवाला देते हुए नए संविधान के निर्माण की वकालत की जा रही है. कुल मिलाकर हम पीछे जा रहे हैं.

ऐसे समय में आशा की एकमात्र किरण वे सामाजिक संगठन और समूह हैं जो हिंसा पीड़ितों के अधिकारों की रक्षा कर रहे हैं. इनमें शामिल हैं तीस्ता सीतलवाड़ के नेतृत्व वाला सिटिजन्स फॉर जस्टिस एंड पीस जैसे संगठन. कई जानेमाने वकील पूरी हिम्मत से सरकार की मनमानी की खिलाफत कर रहे हैं. हर्षमंदर के कारवां-ए-मोहब्बत जैसे संगठन भी आशा जगाते हैं. वे नफरत जनित हिंसा के पीड़ित परिवारों को सांत्वना और मदद उपलब्ध करवा रहे हैं. अनहद की शबनम हाशमी द्वारा शुरू किया गया ‘मेरे घर आकर तो देखो’ अभियान साम्प्रदायिकता के खिलाफ एक बुलंद आवाज है.

हम आज एक चौराहे पर खड़े हैं. राजनैतिक पार्टियों को भी यह एहसास हो गया है कि नफरत की नींव पर खड़ी साम्प्रदायिक विचारधारा कितनी खतरनाक है. वे संविधान और प्रजातांत्रिक मूल्यों की रक्षा के लिए साझा मंच बनाने को तैयार हो गए हैं. भारत जोड़ो अभियान की तरह की कई पहल हुई हैं जो शांति और सद्भाव का संदेश फैला रही हैं. कर्नाटक में जो हुआ उससे यह साबित होता है कि प्रजातंत्र को बचाया जा सकता है और जो लोग हमारे स्वाधीनता संग्राम सेनानियों के सपनों को जिंदा रखना चाहते हैं, उन्हें अवसाद में डूबने की जरूरत नहीं है. इस समय विभिन्न विघटनकारी ताकतें ‘आईडिया ऑफ इंडिया’ पर हमलावर हैं. वे भारत के संविधान को अपने रास्ते में बाधा मानते हैं. उनका एजेंडा एक ऐसे देश का निर्माण करना है जिसमें आम आदमी की आवाज अनसुनी ही रह जाएगी.

हम केवल उम्मीद कर सकते हैं कि आने वाले समय में मानवीय मूल्यों को बढ़ावा मिलेगा और हर व्यक्ति चाहे उसका धर्म, जाति या लिंग कुछ भी हो, सम्मान और गरिमा के साथ अपना जीवन जी सकेगा. और सभी की मूलभूत आवश्यकताएं पूरी होंगी.

23/08/2023
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया)
https://www.navjivanindia.com/opinion/communalism-hate-speech-and-hatred-in-which-direction-is-indian-politics-going-article-by-ram-puniyani

Loading

...102030...1,0421,0431,0441,045...1,0501,0601,070...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved