Opinion Magazine
Number of visits: 9667104
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હસી ફરી …

સરયૂ પરીખ|Opinion - Short Stories|1 September 2023

સંધ્યાના આછા અજવાળામાં મેં તેને દુકાનના નાના મકાન પાસે ઊભેલી જોઈ. એનો માસૂમ ચહેરો સફેદ હિજાબમાં લગભગ ઢંકાયેલો હતો. મેં કાર રોકી.

સરયૂ પરીખ

“હું સેલ્મા,” એમ કહેતી એ કારમાં બેઠી. અમારી સેવા-સંસ્થાના આરબ ભાષા જાણનાર સભ્યના કહેવાથી સેલ્માને હું ઇંગ્લિશ શીખવવા માટે લઈ જતી હતી. એ જરા મૂંઝાયેલી લાગતી હતી. સામાન્ય વાતચીતમાં ખબર પડી કે કોલેજમાં ભણેલી હતી. મારો આભાર માનતા કે જવાબ આપતાં તેના રૂંધાયેલા હાવભાવ નજરે પડતાં હતાં. Literacy Councilની ઓફિસમાં, જ્યાં હું volunteer Tutor હતી, ત્યાં સપ્તાહમાં બે વખત ભણાવતી.

સેલ્મા વિશે મને જાણ હતી એ મુજબ, એ ગૃહ-ત્રાસની ભોગ બનેલી બત્રીસ વર્ષની સ્ત્રી હતી. નજીકમાં જ યજમાનનું ઘર હતું તો પણ શોપીંગ સેન્ટરમાં ચાલતી આવી હતી. દુઃખી બહેનોની સ્વયંસેવક તરીકે કામ કરતાં મને અનુભવ હતો કે ભોળી સ્ત્રીઓનાં નંદવાયેલાં હૈયાને કોઈની ઉપર ફરી વિશ્વાસ આવતા સમય લાગે. અંગ્રેજી શીખવતા સાથે ગાળેલા સમયમાં, સેલ્માને મારા પર શ્રદ્ધા અને સ્નેહ થવાનો અવકાશ મળ્યો. સેલ્માએ પોતાની કહાણી આંખોમાં આંસુ સંતાડીને કહી.

“સીરિયાના પર્વતો બહુ દૂર રહી ગયા લાગે છે. એ નાની દીકરી, જેને મા-પાપા રાજકુમારી કહી બોલાવતા, એ કોઈ બીજા જન્મની વાત હોય એવું લાગે છે. જે સમયે હું શાળાનાં છેલ્લાં વર્ષોમાં ભણતી હતી, ત્યારે અમારા સગાનો દીકરો શબીર, મારી આસપાસ ઘૂમતો રહેતો. કોલેજમાં અમે વધારે નજીક આવ્યા અને એક બીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. બન્ને કુટુંબમાં અણબનાવ હતો, પરંતુ અમારા નિર્ણયને અનુમતિ મળી ગઈ. એણે દાંતના ડોકટરનો અભ્યાસ પૂરો કર્યો અને હું ઈજનેર બની. લગ્ન સરસ  રીતે થઈ ગયા. બધું મધુર સપના જેવું લાગતું હતું. પણ શબીરનો વ્યવહાર મને મેળવ્યા પછી, ટૂંક સમયમાં જ મારા તરફ બેદરકાર હતો. હવે બીજી તમન્ના, અમેરિકા જવાની શબીરના મન મગજ પર સવાર થયેલી હતી. મારા સ્વભાવ અને શિક્ષા અનુસાર પતિને ખુશ રાખવો, હુકમ માનવો અને નિષ્ઠાપૂર્વક અનુસરવો એ જ હોવાથી, હું શબીર સાથે ક્યાં ય પણ જવા તૈયાર હતી.

“અમે અમેરિકા આવી એક નાની જગ્યામાં સંસાર શરૂ કર્યો. નિયમ અનુસાર પરવાનગી ન હોવાથી, શબીર દાંતના ડોક્ટરના મદદનીશ તરીકે થોડા પગારમાં નોકરી કરતો, જેનાથી એને બહુ માનહાનિ અને નિરાશા લાગતી. હું પોતે નવી દુનિયામાં ભૂલી પડેલી હરણી જેવી, ઘરની બહાર નીકળતાં ગભરાતી. શબીરને પણ હું ક્યાં ય એકલી જાઉં એ નાપસંદ હતું. ધીરે ધીરે શબીરની રૂક્ષતા વધવા લાગી. જરા વાંધો પડતાં ઝટ લઈને હાથ ઉપાડતો. એને સમજાવવાની કોશિશ નાકામયાબ રહી. બે ચાર કુટુંબોની ઓળખાણ થયેલી, પણ હું જોઈ શકતી હતી કે પુરુષ પ્રધાન વાતાવરણમાં, સ્ત્રીઓની તરફદારી કરનાર કોઈ નહોતું. એક વખત, શબીરને બીજા આદમીઓ સાથે વાત કરતા સાંભળ્યો કે, “અહીં અમેરિકાની સિટિઝન બાઈ સાથે લગ્ન કરી લેતાં અહીં રહેવાના હક્ક મળી જાય, જેથી બધી રીતે ફાયદો.” એનું ઘેર આવવાનું અનિયમિત થવા લાગ્યું. હવે હું ક્યાં જઈને ફરિયાદ કરું? મારી સહનશક્તિનો અંત આવી રહ્યો હતો.

“એવામાં એક રવિવારની બપોરે શબીરે મારા પાસપોર્ટની માંગણી કરી. શબીર કહે, ‘હવે તારું અહીં કશું કામ નથી. તને તલાક આપી, તારા અબ્બાને ઘેર સીરિયા મોકલી આપું.’  મારા વિરોધ માટે મને ધડાધડ તમાચા મારી દીધા. પાસપોર્ટ હાથમાં ન આવતા રસોડામાંથી મોટી છરી ઉપાડી મારા તરફ  ધસ્યો, પણ હું દોડીને બેડરૂમમાં ભરાઈ ગઈ અને ૯૧૧ પર ફોન કરી, શું બોલી એ તો યાદ નથી, પણ પોલીસ આવશે એમ મને કહેવામાં આવ્યું. શબીર બાથરૂમમાં હોય એમ લાગતાં, હું ઘરની બહાર નીકળી ગઈ. પણ એ તરત મારી પાછળ આવ્યો અને પથ્થર પર ઘસડીને મને અંદર લઈ જવા લાગ્યો. પોલીસ કારનો અવાજ આવતા મને છોડીને, કશું ન થયું હોય તેમ ઊભો રહ્યો. હાથમાં મોટી છરી અને મારી અવદશા જોઈ તેને પોલીસ-કારમાં બેસવાની ફરજ પાડવામાં આવી.

“મારી પાસેથી પસાર થતાં, અમારી ભાષામાં બોલ્યો, ‘તને ગમે ત્યાંથી શોધી કાઢીશ અને મારી નાખીશ.’ ઓહ! એ ખુન્નસ ભરી આંખો …

“શબીરને લઈ ગયા પછીની શાંતિમાં મેં આસપાસ નજર કરી ત્યારે કેટલીએ નજર મને તાકી રહી હતી, એનો મને ખ્યાલ આવ્યો. એક સ્ત્રી પોલીસ ઓફિસર મને હળવેથી તેની કાર તરફ  દોરીને લઈ ગઈ અને અંદર બેસવામાં મદદ કરી. હવે મને વધુ ગભરામણ થવા લાગી. શબીર તરફથી થતા અત્યાચાર વિશે મને પરિચય હતો, પણ આ સાવ અજાણ રસ્તાની સફર મારી સામે અનેક શંકાઓ લઈને ઝળુંબી રહી.

“પોલીસથાણામાં શું કહી રહ્યા છે એ મને સમજતાં ઘણી વાર લાગી. મને કહેવામાં આવ્યું કે મારે ઘરે પાછા જઈ એકલા રહેવાનું સલામતીભર્યું નથી, કારણ શબીરને કેટલા દિવસ બંધીમાં રાખશે તે નક્કી નહીં. મને એક સેવા સ્ત્રી ગૃહમાં લઈ ગયાં અને મારા હાથમાં નામોની યાદી પકડાવી. મને મારી ભાષા જાણનાર મદદકર્તા કદાચ મળી આવશે એવી આશા આપવામાં આવી.

“એ રાત્રે તો હું મારાં મમ્મીને યાદ કરતી, આંસુ ભીના ઓશિકા પર નીંદરના ખોળે ખોવાઈ, પણ પછીની ઘણી રાતો જાગતાં વિતાવી. બીજે દિવસે ફોન કરવાનું શરૂ કરતાં મને મારી પરિસ્થિતિ કેમ સમજાવવી અને શું મદદ માંગવી એ સમજ નહોતી પડતી. પહેલા બે ત્રણ વ્યક્તિને મારી અંગ્રેજી ન સમજાઈ અને મને તેમની. … અંતે, મદદ માંગતો સંદેશો મૂકેલો હતો, એનો વળતો ફોન બે કલાકમાં આવ્યો.”

સેલ્મા આગળ બોલી, “મારી મૂંઝવણ અને પરવશતામાં વિશ્વાસ આપતો, મારી માતૃભાષામાં કોઈ અવાજ મારા આળા મનમાં હિંમત જગાવી રહ્યો. એ હતી તમારી સંસ્થાની, અમિના. તમે જાણો છો કે અમિનાના નિસ્વાર્થ સેવા ભાવ અને મદદને લીધે આજે હું જીવતી છું. અજાણ્યા લોકોને મારે મારી અતિ ગુહ્ય વાતો કહેવી પડી. પણ, મને આનંદ અને આશ્ચર્ય સાથ એ જાણવા મળ્યું કે આ લોકો મારી હકીકત સ્વીકારે છે, અને મને મદદ  કરવા તત્પર છે!”

સેલ્માને મળવા માટે શબીરે માંગણી કરેલ પણ સેલ્માએ ના કહેવરાવી. અમે એક જાજરમાન આરબ સ્ત્રી-વકીલને મળવા ગયાં. એ દિવસે મને પણ કાયદાના પ્રાબલ્ય વિષે ઘણું જાણવા મળ્યું. કાયદા પ્રમાણે, ત્રસ્ત વ્યક્તિ અમેરિકામાં સુરક્ષિત રીતે રહી શકે અને નોકરી કરી શકે. જો ત્રાસ આપનાર પકડાય તો આ દેશ છોડીને જતા રહેવાની તેના પર ફરજ પાડવામાં આવે છે. પરંતુ, કોર્ટના ફેંસલાની રાહ જોવામાં મહિનાઓ નીકળી જાય …

કાર્યકર્તા અમિનાએ, નજીકમાં જ એક ખાનદાન આરબ કુટુંબમાં, બાળક અને ઘરકામમાં મદદ કરવા માટે, સેલ્માને ગોઠવી. આ રીતે થોડી કમાણી સાથે, સેલ્મા પહેલી વખત અમેરિકામાં કૌટુંબિક વાતાવરણમાં શાંતિ અને પ્રસન્નતાનો અનુભવ કરી રહી હતી.

સેલ્માને ઇંગ્લિશ શીખવાની જરૂર હતી તેથી એના અનુકૂળ સમયે હું તેને લઈ જવા માટે મળતી રહેતી. યજમાન કુટુંબ અને પોતાની સલામતી માટે, એ ક્યાં રહે છે તે કોઈને જણાવવા નહોતી માંગતી. કોઈનું ધ્યાન આકર્ષિત કરવા ન માંગતી હોય તે રીતે, લજીલી, માથા પરના હિજાબને સંકોરતી ઊભી રહેતી. બરાબર પરિચય થયા પછી મેં સૂચન કર્યું કે એ હિજાબ માથે બાંધવાનું છોડે તો સમાજમાં જલદી ભળી જઈ શકે. પરંતુ સેલ્મા એના રીતિ-રિવાજમાં જરા પણ ફેર કરવા નહોતી માંગતી. દિવસમાં પાંચ વખત પ્રાર્થના કરવાનો નિયમ પણ ચોક્કસ રીતે પાળતી.

છ-આઠ મહિનામાં છૂટાછેડા થઈ ગયા. એ દિવસે કોર્ટમાં શબીરને જોઈ એને અનેક લાગણીઓ થઈ, એમાં ભયનો પડછાયો સૌથી વધારે ઘેરો હતો. થોડા ડોલર એના ભાગમાં આવ્યા. વકીલનો ખર્ચ અમારી સંસ્થા આપતી હોવાથી સેલ્માને પોતાની કમાણીના ડોલર થોડા ભેગા થયા હતા. સીરિયા પાછા જવામાં અતિશય શર્મજનક પરિસ્થિતિમાં પોતે અને એનું કુટુંબ મુકાઈ જશે એની સેલ્માને ખાતરી હોવાથી હમણાં પાછા ફરવાની હિંમત નહોતી.

અહીં શુભચિંતકોની મદદથી સેલ્માના ફરી લગ્ન કરાવી આપવાના પ્રયત્નો ચાલતા હતા. એક સ્ત્રી પરણ્યાં વગર રહી શકે તે કલ્પવું, સેલ્માની માન્યાતાઓથી બહાર હતું. અમે ક્લાસમાં એક વાર બેઠાં હતાં ત્યારે એણે આછા આશાભર્યા સ્મિત સાથે કહ્યું, “ટીચર, આ શનિવારે હું એક એન્જિનિયરને મળવાની છું.” શું પહેરવું, વગેરે વિશે અમે ઉત્સાહથી ચર્ચા કરી. બીજા અઠવાડિયે ફરી મળ્યા ત્યારે, “એનામાં કંઈ દમ નહોતો.” થોડા દિવસ પછી એક બીજા ઉમેદવાર, અનવર સાથે સેલ્માને બરાબર લાગ્યું, પણ પોતે એક શરત મૂકી કે અનવરે સીરિયા જઈને સેલ્માના માતા-પિતાને મળી, એમની સંમતિ લઈ આવવાની. આ બધી વાતો વચ્ચે એક વ્યવસ્થા એવી થઈ કે સેલ્મા એક વર્ષ અનવરની કપડાંની ત્રણ દુકાનોમાંની એક દુકાન ચલાવે અને વર્ષના અંતે બન્નેને લગ્ન કરવાની મરજી હોય તો પછી આગળ વાત ચલાવવી. વિધુર અનવર અને તેના બે બાળકો સાથે ફાવશે તેવી સેલ્માને શક્યતા લાગી.

ફરી અમારી સંસ્થાની મદદથી સેલ્માને રહેવાની જગ્યા ભાડે મળી. એ દિવસે અમારા ક્લાસની છેલ્લી સાંજ હતી. સંધ્યાના આછા ઉજાસમાં થોડે દૂર સૂકાયેલા ઝાંખરા વચ્ચે મજાના સૂર્યમુખીનાં સુંદર ફૂલો ખીલેલાં હતાં.

મે કહ્યું,”જો સેલ્મા, કેવા સુંદર ફૂલો છે!” મારા સામે હસીને એ ઝાંખરા વચ્ચે જઈને પ્રયત્નપૂર્વક પીળાં ફૂલો ચૂંટીને લઈ આવી અને “ટીચરને ભેટ”, કહી મારા હાથમાં મૂકી દીધાં, જાણે ગુરુદક્ષિણા આપી …

એ ઘણી જહેમતથી નવો ધંધો શીખી. જિંદગીમાં પહેલી વખત એકલા રહેવાનો અનુભવ એને ઘણી વખત વ્યાકુળ કરી દેતો. એક રાત્રે તેની હિંમતની કસોટી થઈ. દુકાન બંધ કરી ચાલતી ઘેર જતી હતી, ત્યારે એની પર્સ કોઈ ખેંચી ગયું, જેમાં સારા એવા પૈસા હતા. નુકસાન તો થયું પણ એ પોતે સુરક્ષિત જગ્યાએ પહોંચી ગઈ.

થોડા મહિનાઓથી હું સેલ્માને મળી નહોતી. એવામાં એનો કાગળ આવ્યો. “મારા માયાળુ ટીચર. હવે લગભગ વર્ષના અંતે ભવિષ્યની ઝાંખી દેખાય છે ખરી. મારું લગ્ન નક્કી થયું છે. મારી માગણી પ્રમાણે મારા વાગ્દત્ત અનવર, મારા માતા-પિતાની સંમતિ લઈ આવ્યા. એમને પહેલા લગ્નથી બે બાળકો છે. તમે જાણો છો કે મને બાળકો બહુ ગમે છે. હું આ સંબંધ માટે ખુશ છું. શુક્રિયા. સેલ્મા.

“સેલ્મા! તારા સમાચારથી આનંદ. તેં ચૂંટેલા સૂર્યમુખીનાં બીજ, મેં જમીન પર વેર્યાં હતાં. એમાંથી ઊગેલા છોડ પર સુંદર ફૂલો હસી રહ્યાં છે. તું પણ એમ હસતી રહે એવી શુભેચ્છા.”…. ટીચર સરયૂ.

હસી ફરી

આશ તારલી આજ રાતભર ઝાકળ થઈને ઝરતી,
સ્વપ્નોની રંગોળી  રોળી  શ્યામ  વાદળી  વરસી.

યૌવનના આંગણમાં  ખીલી  વેલી  પ્રેમ  સીંચેલી
શરમાતી  મલકાતી  અર્પિત  પૂર્ણ  પણે   વરેલી

એની  આશે  શ્વાસે  ઝૂલી  નરમી   નેણ  મીંચેલી
ત્રાપટ  ઝાપટ વાગી  ત્યારે  ધ્રૂજતી  એ  ભીંજેલી

અણધારી   આફત   આવેલી   વાછંટે   વીંઝેલી
તણખલાના  તીર  તેવર  ક્રુર   કાંટેથી  વીંધેલી

હૈયામાં  એ  હામ  લઈને  શક્તિ   સહ   જાગેલી
મમતાળી  ડાળી  ઓથારે  હસતી   ફરી  ખીલેલી

નવા પ્રહરની ઝાકળ  ઝીલી  તૃપ્ત બની તરસેલી
હૈયામાં નવ ઉમંગ  લઈને સ્વપ્ન  સજે  શરમીલી.

——–
https://saryu.wordpress.com
e.mail : saryuparikh@yahoo.com

Loading

વિનુભાઈ મહેતા સ્મરણ ….

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|1 September 2023

મિત્રો, આજે થોડી હળવી પણ એક પણ ખોટો શબ્દ આગળ પાછળ કર્યા વિના, વિનુભાઈ મહેતાના હોઠે થયેલ વાત, કાને સાંભળેલું તે, તમારી સમક્ષ વિનુ સ્મરણ સાથે લખી રહ્યો છું.

વિનુભાઈને લોક સાહિત્યના કવિ કાગનું, એક લાખ રૂપિયાની થેલી અર્પણ કરી, સન્માન કરવાની ઈચ્છા થઈ અને તેમણે આ કાર્યક્રમ ‘ચારણ ચોથો વેદના નામે કર્યો. આ કાર્યક્રમમાં, રાસબિહારી ગઢવી, રામભાઈ ગઢવી, હસુ દાન, હરસુખ દાન, જીતુદાન, મનુભાઈ અને નવોદિત ચેતન ગઢવી હાજર, સાથે ભીખુદાન ગઢવીનું સંચાલન. આ બધા દેવી પુત્રોમાં, વિનુભાઈને કવિમાં જેમ રમેશ પારેખ વ્હાલો, તેવી રીતે ગઢવીમાં ‘ભીખુ દાન’ પર અપાર પ્રેમ. ચારણ ચોથો વેદ કાર્યક્રમમાં કાગબાપુના દીકરા રામભાઈ ગઢવીનો આઈટમ રજૂ કરવાનો વારો આવ્યો. અને રામભાઈએ, લોકસાહિત્યના પાટા પરથી ઊતરી જૈન સ્તવન “નમો અરિહંતાણં …” રજૂ કર્યુ. એટલે કાર્યક્રમના બે ત્રણ દિવસ બાદ મેં વિનુભાઈને આ બાબતમાં પૂછ્યું તો મને એ કહે કે મફતકાકા પ્રથમ લાઈનમાં બિરાજમાન હતા એટલે કાકાને વ્હાલો થવા આ ભત્રીજાએ, લોકસાહિત્યની પ્રણાલિકા મૂકીને સ્તવન રજૂ કર્યું. રામભાઈને એમ કે કાકા એકબે કાર્યક્ર્મ અપાવશે કે કરશે. પણ આ ભાવનગરી ગઢવીને શું ખબર હોય કે આ કાકો હીરાનો વેપારી છે, તે પારખી લે કે આ પથ્થરો છે કે રતન … 

વિનુભાઈએ, બે વાર રમેશ પારેખને પાંચ લાખ રૂપિયાની થેલી અર્પણ કરીને સન્માન કર્યું. બીજી વાર સન્માન કરેલ તે કપોળ સમાજ દ્વારા. પ્રથમ વાર રમેશના સન્માન વખતે વિનુભાઈ અને અનિલ જોશી વચ્ચે મન દુઃખ થઈ ગયેલું. એ વખતે હું તો અમેરિકામાં, પણ વિનુભાઈએ મને પત્ર લખેલ તેમા એક વાક્ય લખ્યું હતું કે, હું ફલાણી તારીખે રમેશ પર્વ દ્વારા રમેશ પારેખનું સન્માન કરું છું અને આગળ લખ્યું હતું કે તને આ વાંચીને દુઃખ થશે કે રમેશના પરમ મિત્ર અનિલ જોશીએ રમેશના હવન કુંડમાં હાડકાં નાખવાનું કામ કર્યું છે.

મિત્રો, અહીંયા એક વાત સાચી કરું છું. આજે વિનુભાઈ નથી અને આપણા સાહિત્યકારો કેવું બે પ્રકારનું જીવન જીવતા હોય છે તેનો આ એક દાખલો આપુ છું. ’વિનુભાઈના, કફન ભાગીદાર દોસ્ત, ગુંણવંત શાહ થોડા વખત બાદ અમેરિકામાં આવ્યા હતા. તે વખતે રોચેસ્ટર મારા ઘરે ગુણવંતભાઈ જમવા આવેલા. ત્યારે મેં વિનુભાઈ અને અનિલ જોશી પ્રકરણ વિશે ગુણવંતભાઈને પૂછ્યું તો મને કહે આ વિશે તો અનિલે મુંબઈના છાપામાં ખૂબ લખ્યું. પછી મને કહે તને એક વાત કહું પણ તારે વિનુભાઈ અને કોઈને નહિ કહેવાની, તો જ હું તને કહું. મેં આ વાત આજ લગી વચન પ્રમાણે મનમાં સાચવી રાખી હતી. ગુંણવંતભાઈ મને કહે શંભુ, અનિલ જોશી ખરેખર સાચો છે … પણ જો આ વાત ગુણવંતભાઈ એ મિત્ર નાતે વિનુભાઈને કરી હોત તો આ તમાશો જાહેરમાં ન થયો હોત … એવું મારું માનવું હતું.

વિનુભાઈને ગુણવંતભાઈ પ્રત્યે અપાર પ્રેમ, અને ગુણવંતભાઈ પણ આ બાબતમાં પાછળ ક્યારે ય ન પડે. વિનુભાઈને મનમાં એક ઈચ્છા કે ગુણવંતભાઈને આ વાતની ક્યાંથી ગંધ પણ ન આવે તેમ તેના ઘરે બે પાંચ મિત્રો સાથે જઈ ગુણવંતભાઈને એક લાખ રૂપિયાની થેલી સાથે સન્માન કરવું. પણ વિનુભાઈને એક બાબતની ચિંતા હતી કે ગુણવંતભાઈને આ વાતની ખબર પડશે તો ગુણવંતભાઈ ચોખી ના પાડશે. આ વાત કરવા મને વિનુભાઈનો ફોન મુંબઈથી આવ્યો. મને કહે કે તું શું કરે છે? મેં કહ્યું કે મુંબઈથી જવાહર બક્ષી આવ્યો છે. અમે બેઠા છીએ. મને વિનુભાઈ કહે દીકરા, મારે તને એક વાત કરવી છે, પણ હવે માંડી વાળું છું. મેં પૂછ્યું તો કહે તારા ઘરે અત્યારે BBC આકાશવાણી આવીને બેઠું છે. તું ફોન મૂકે પહેલા મુંબઈ News વહેતા થઈ જશે … 

રમેશ પારેખ અમેરિકા આવ્યા ત્યારે તેમના મનમાં થોડો કોઈ પ્રકારનો તણાવ રહેતો. તેમને પ્લેનમાંથી ઉતરતાની સાથે મારા ઘરે જીદ પકડી કે મારે સવારે પાછું અમરેલી જતું રહેવું છે. વિનુભાઈને ચિંતા થાય કે આવું જ આઠ અઠવાડિયા રહ્યું તો કરશું શું? મને કહે કે દીકરા, આ ઘોડા દશેરાને દિવસે નહીં દોડે તો તે કયે દહાડે દોડશે? પછી કહે કે આ વિનોદને ખાસ સાથે લાવવાનું કારણ પણ આ કે જો રમેશ અવાક થઈને બેસી જાય તો વિનોદ પાસે તેનાં ગીત/કાવ્ય રજૂ કરાવવા …

એક સાંજે અમે ચાર અને ડો. અશોક શાહ મારી ઓસરીમાં બેઠા હતા. અને રમેશે તેનો કાવ્યસંગ્રહ ‘મીરાં સામે પાર” ગિરનારી બાપુ અમરદાસ ખારાવાલાને કેમ અર્પણ કર્યો, તે વાત રમેશભાઈએ વિગતવાર કરી. એટલે વિનુભાઈ અમરશી બાપુની એક વાત કરી. કોઈએ પૂછ્યું કે બાપુ, તમે રામકથા કરો અને સીતા વિદાયમાં તમારી આંખો ઝરે કે નહિ. બાપુ કહે તે તો મને ખબર નથી પણ સાંજે આરતી માંડવામાં ફરીને પાછી ખાલી થાળી આવે ત્યારે મારી આંખો ચોધાર આંસુએ ઝરે …

એકવાર અમારા ઓશો ભક્ત વિઠ્ઠલ સ્વામી હું અને વિનુ બાપા, બપોરે પૂજા રેસ્ટોરન્ટમાં નિરાંતે બેઠા હતા. આ વિઠ્ઠલ સ્વામી તમને ઘણી વાર વિનુભાઈ સાથે જોવા મળી જાય. મને કહે કે થોડા દિવસથી આ વિઠલો, મારી પાછળ આદુ ખાઈને પડ્યો છે કે મને તમે એક સરસ વ્યાખ્યાન બ્રહ્મચર્ય પર ગમે તે રીતે ગોઠવી આપો. દીકરા, તું આને સમજાવ. મેં તેને કહ્યું કે વિઠ્ઠલ, તું બ્રહ્મર્ચયની પતર ખાંડમાં. તું એમ કર એક વ્યાખ્યાન હસ્તમૈથુન પર ગોઠવી દે .. 

ઘણી વાતો વિનુભાઈની હૈયે છે, પણ એક તો આળસ અને બીજું સૈફ પાલનપુરી એક શેર જેવી છે.

વિરહની રાતે હસતા આ સિતારાને બુઝાવી નાંખુ પણ 

એક રાત નિભાવી છે આકાશને ને દુશ્મન કોણ કરે ?

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

नये संविधान की मांग आखिर क्यों?

राम पुनियानी|Opinion - Opinion|1 September 2023

राम पुनियानी

डॉ बिबेक देबरॉय, प्रधानमंत्री नरेन्द्र मोदी की आर्थिक सलाहकार परिषद् के मुखिया है. जाहिर है कि वे सत्ता के केंद्र के बहुत नज़दीक हैं – शाब्दिक और लाक्षणिक दोनों अर्थों में. हाल में (15 अगस्त, 2023), उनका लेख देश के एक शीर्ष समाचारपत्र में प्रकाशित हुआ. इसमें उन्होंने देश के वर्तमान संविधान के बने रहने पर प्रश्न उठाया. उनके अनुसार, आज का संविधान वह संविधान नहीं है जिसे हमने स्वाधीनता के समय अपनाया था क्योंकि उसमें अनेक संशोधन हो चुके है. उनका यह कहना है कि चूँकि कार्यपालिका संविधान के मूलभूत ढांचे में कोई बदलाव कर सकती और चूँकि संविधान अब बहुत पुराना हो गया है, इसलिए हमें नया संविधान बनाना चाहिए. वे यह भी कहते हैं कि यह संविधान औपनिवेशिक विरासत है और वे इसके कई प्रावधानों पर प्रश्न उठाते हैं जिनमें समाजवाद, धर्मनिरपेक्षता, न्याय, समानता और स्वतंत्रता जैसे मूल्यों की स्थापना और संरक्षण से जुड़े प्रावधान शामिल हैं. प्रधानमत्री कार्यालय (पीएमओ) ने देबरॉय की राय से आधिकारिक रूप से अपने को अलग कर लिया है परन्तु भारतीय संविधान की उपयोगिता को शंका के घेरे में डालने और उसका विरोध करने का उद्देश्य पूरा हो गया है.

इसके पहले से भी दक्षिणपंथी चिन्तक और नेता यह कहते आये हैं कि भारत का संविधान गवर्नमेंट ऑफ़ इंडिया एक्ट 1935 पर आधारित है, औपनिवेशिक विरासत है और भारतीय मूल्यों को प्रतिबिंबित नहीं करता. सच तो यह है कि दक्षिणपंथी हिन्दू राष्ट्रवादियों को यह संविधान कभी नहीं भाया. यह संविधान गवर्नमेंट ऑफ़ इंडिया एक्ट 1935 की तर्ज पर नहीं बना है. यह संविधान की मसविदा समिति के अध्यक्ष डॉ बी.आर. अम्बेडकर ने नेतृत्व में करीब तीन वर्ष तक चली लम्बी बहसों और कठिन श्रम का नतीजा है. संविधान सभा के अध्यक्ष डॉ राजेंद्र प्रसाद और उसके अधिकांश सदस्य भारत के औपनिवेशिकता विरोधी संघर्ष में रचे-बसे थे. और इसी संघर्ष ने भारत के एक राष्ट्र बनने की प्रक्रिया के शुभारम्भ में महती भूमिका निभाई थी.

बहुलतावादी और समावेशी भारत के पैरोकारों के विपरीत, धार्मिक राष्ट्रवादियों ने इस संघर्ष से दूरी बनाए रखी और उन्होंने उन मूल्यों का भी विरोध किया जो इस संघर्ष से उपजे थे. सन 1949 के 30 नवम्बर को संविधान सभा ने संविधान को पारित किया. इसकी तीन दिन बाद, आरएसएस के मुखपत्र ‘द आर्गेनाइजर’ ने उसे ख़ारिज करते हुए ‘मनुस्मृति’ को संविधान की तौर पर अपनाए जाने की वकालत करते हुए एक सम्पादकीय लिखा. इसमें कहा गया था, “ किन्तु हमारे संविधान में प्राचीन भारत में हुए अनूठे संवैधानिक विकास का कोईउल्लेख नहीं हैं. मनु द्वारा विरचित नियमों का रचनाकाल स्पार्टा और पर्शिया में रचे गए संविधानों से कहीं पहले का है. आज भी मनुस्मृति में प्रतिपादित नियम पूरे विश्व में प्रशंसा पा रहे हैं और इनका सहज अनुपालन किया जा रहा है. किंतु हमारे संवैधानिक पंडितों के लिए यह सब अर्थहीन है”.

हिन्दू दक्षिणपंथ के उभार के साथ संविधान का विरोध बढ़ने लगा. अटलबिहारी वाजपेयी की सरकार के 1998 में सत्ता में आने के बाद संविधान की ‘समीक्षा’ के लिए वैंकटचलैया आयोग का गठन किया गया. परंतु इस आयोग का इतना कड़ा विरोध हुआ कि सरकार को उसपर अमल करने का इरादा त्यागना पड़ा.

संविधान के प्रति विरोध अलग-अलग तरीकों और मंचों से किया जाता रहा है. के. सुदर्शन ने आरएसएस का मुखिया बनने के बाद घोषणा की कि भारतीय संविधान पश्चिमी मूल्यों पर आधारित है और इसके स्थान पर भारतीय पवित्र पुस्तकों, जिनमें मनुस्मृति भी शामिल है, पर आधारित संविधान बनाया जाना चाहिए. उन्होंने कहा ‘‘हमें नया संविधान बनाने में सकुचाना नहीं चाहिए क्योंकि हम इसे पहले ही सौ से अधिक बार संशोधित कर चुके हैं”. उन्होंने यह भी कहा कि फ्रांस अपने संविधान का अब तक चार बार पुनरीक्षिण कर चुका है. उन्होंने कहा कि संविधान कोई पवित्र ग्रंथ नहीं है बल्कि वह हमारे देश के समक्ष उपस्थित अधिकांश समस्याओं की जड़ है.

समय-समय पर भगवा ब्रिगेड के अलग-अलग सदस्य इसी तरह की बातें कहते रहे हैं. हाल में जब विपक्ष ने इंडिया नाम से एक गठबंधन बनाया तब इस समूह के कई नेताओं ने इस आधार पर इसका विरोध किया कि भारत को इंडिया का नाम अंग्रेजों ने दिया था. भाजपा के एक राज्यसभा सदस्य नरेश बंसल ने तो संविधान में इस शब्द के उपयोग पर प्रश्नचिन्ह लगाते हुए कहा कि यह शब्द भारत की गुलामी का प्रतीक है.

संघ के महासचिव दत्तात्रेय होसबोले का मानना है कि भारतीयों के दिलोदिमाग को औपनिवेशिक मानसिकता से मुक्त करना आवश्यक है. ‘‘हमारे देश में यूरोपीय विचारों, प्रणालियों, आचरण और विश्वदृष्टि का कई दशकों से बोलबाला रहा है. स्वतंत्र भारत इनसे मुक्ति नहीं पा सका है.”

देबराय और संघ परिवार संविधान के विरोध के मुद्दे पर एकमत हैं. जहां संघ परिवार संविधान के ‘पश्चिमी चरित्र’ पर प्रश्न उठाता रहा है वहीं देबराय इससे भी आगे बढ़कर स्वतंत्रता, समानता, धर्मनिरपेक्षता, समाजवाद आदि जैसे मूल्यों पर प्रश्नचिन्ह लगा रहे हैं. इससे यह साफ है कि संघ परिवार को असली परेशानी किससे है. भारतीय संविधान के औपनिवेशिक चरित्र की दुहाई देना ठीक वैसा ही है जैसे पश्चिम एशियाई देशों में मुस्लिम ब्रदरहुड जैसी संस्थाएं स्वतंत्रता और समानता के मूल्यों का इस आधार पर विरोध कर रही हैं कि वे पश्चिमी हैं. देबराय और उनके जैसे अन्य लोग इस बात से दुःखी हैं कि हमारा संविधान विभिन्न जातियों, धर्मों और दोनों लिंगों के लोगों को समानता देता है.

संघ परिवार मनुस्मृति के युग को भारत का स्वर्णकाल बताता है क्योंकि उस काल में लैंगिक और जातिगत पदक्रम को धार्मिक और सामाजिक स्वीकृति प्राप्त थी. इसमें कोई संदेह नहीं कि औपनिवेशिक शासन में हमारे  समाज के ढ़ांचे में व्यापक परिवर्तन हुए और लैंगिक व जातिगत पदक्रम की समाज पर पकड़ कमजोर हुई. यही वह वक्त था जब श्रमिकों ने अपने संगठन बनाए (नारायण मेघाजी लोखंडे, कामरेड सिंगारवेल्लू). इसी दौर में भगतसिंह जैसे नेताओं ने शासक वर्ग द्वारा आम लोगों के शोषण के खिलाफ आवाज उठाई और यह साफ कर दिया कि इस शोषण को हमें खत्म करना होगा. औपनिवेशिक शासनकाल को हम केवल स्याह-सफेद के चश्मे से नहीं देख सकते. इससे देश का कुछ भला भी हुआ और कुछ बुरा भी. औपनिवेशिक ताकतों ने निःसंदेह देश को जमकर लूटा परंतु उन्होंने ऐसी संस्थाएं भी खोलीं जो महिलाओं और पुरूषों को समान अधिकार देतीं थीं. संघ परिवार और प्रधानमंत्री के आर्थिक सलाहकार वर्तमान संविधान के स्थान पर नए संविधान के निर्माण के पक्ष में भले ही अनेक तर्क दे रहे हों परंतु उन्हें सबसे अधिक परेशानी समानता के मूल्य से है जिसके पैरोकारों में भगतसिंह और अंबेडकर जैसी विभूतियां थीं और जो हमारे राष्ट्रीय आंदोलन के मार्गदर्शक सिद्धांतों में से एक था.

सन् 1990 तक भारत ने समानता की स्थापना के लिए संघर्ष किया. इस संघर्ष की धुरी था हमारा संविधान और इसमें मददगार थीं नेहरू की देश को आधुनिक बनाने की नीतियां. अब हम रिवर्स गेयर में चल रहे हैं. मंदिर और गाय राजनीति के केन्द्रक बन गए हैं और सभ्यतागत मूल्यों के नाम पर ब्राम्हणवादी मूल्यों को देश पर लादा जा रहा है. इससे हम वह सब खो बैठेंगे जो हमने दुनिया के सबसे बड़े जनांदोलन अर्थात भारत के स्वाधीनता आंदोलन से हासिल किया था.

संविधान का विरोध दरअसल देश को उस युग में वापिस ढकेलने की कवायद है जिसमें जाति, वर्ग और लिंग के आधार पर असमानता को धर्म की स्वीकृति हासिल थी.

30/08/2023
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया; लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनलकम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)
https://www.navjivanindia.com/opinion/why-is-the-demand-for-a-new-constitution-rising-and-what-is-the-intention-of-the-saffron-brigade-article-by-ram-puniyani

Loading

...102030...1,0071,0081,0091,010...1,0201,0301,040...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved