વગઝલ
બાંધવા જે વું કશું હોતું નથી
છોડવા જેવું કશું હોતું નથી
સગપણો તો દૂરતાનો ખેલ છે
હાથવા જેવું કશું હોતું નથી
રેઢા પડ જેવો વસીલો છે તો શું
લૂંટવા જેવું કશું હોતું નથી
સ્વપ્ન તૂટ્યાં તોય મન કહેતુ રહ્યું
તૂટવા જેવું કશું હોતું નથી
ભાગ્યનો ફૂગ્ગો ફૂટેલો હોય તો
ફૂંકવા જેવું કશું હોતું નથી
છે તિલિસ્મિ જૂઠ જો કોઈ કહે
આપવા જેવું કશું હોતું નથી
આંખથી સાહિલ જો વાતો થાય તો
બોલવા જેવું કશું હોતું નથી
•••
ગઝલ
કયા તારણે
કયા કારણે
ટકોરા દીધા
કયા બારણે
વિટાયા છીએ
કયા તાંતણે
થયા હિમ સમા
કયા તાપણે
જીવ્યાં યાદમાં
કયા સગપણે
બળ્યા તો બળ્યા
કયા ખાપણે
મળીશું ફરી
કયા ભવરણે
(06/09/2923)
e.mail : sahilrjt1946@gmail.com
નીસા ૩/૧૫ દયાનંદ નગર, રાજકોટ-360 002
![]()








હવે આપણે વાણીસ્વાતંત્ર્યના એક બીજા પાસા પર આવીએ — અખબારી સ્વાતંત્ર્ય. બે કે ત્રણ ચુકાદાઓમાં આપણી અદાલતોએ અખબારોના તરફે મજબૂત ચુકાદાઓ આપ્યા છે. તેમાંનો એક મહત્ત્વનો કેસ વર્ષ ૧૯૬૨નો છે અને તે ‘સકાળ’ અખબારનો. આ કેસનો મુદ્દો હતો : તત્કાલીન કેન્દ્ર સરકારની નીતિ જે મુજબ અખબારનાં દરેક પાનાની કિંમત નિર્ધારિત મર્યાદામાં રાખવાની રહેતી હતી. આ નીતિ કરવાનું કારણ ઇજારાશાહી અટકાવવાનું આપવામાં આવ્યું હતું. જેના પરિણામે મોટાં અખબારો માપમાં રહે અને નાનાં અખબારોને વિકસવાની તક મળે. સર્વોચ્ચ અદાલતે આ વાત સ્વીકારી નહીં. આ સંદર્ભે સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટપણે જણાવ્યું, જ્યારે અખબારની કિંમત ઘટાડો ત્યારે અનિવાર્ય રીતે દૈનિકનાં પાનાંની સંખ્યા ઓછી થાય છે, તેથી આ પ્રકારનો વિચાર એ દૈનિકના વિતરણમાં સીધી દખલગીરી છે. પાનાંની સંખ્યા ઘટાડવી વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય સાથે સીધી દખલગીરી છે. આ ભૂમિકા સાથે સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારની, દૈનિકની કિંમતને મર્યાદિત રાખવાની નીતિને રદ્દબાતલ ઠરાવી.