કોઈ વ્યક્તિને રોલમોડેલ બનાવી લેવાની બ્રહ્મચર્ય-વૃત્તિ એ ચિત્તનું દમન છે. વ્યક્તિ સાથે પરિસ્થિતિ અને સ્થાનનું સંયોજન વ્યક્તિએ-વ્યક્તિએ અલગ-અલગ પરિણામ લાવે છે. ગાંધીજી જેવું આચરણ કરવાથી ગાંધીજી નથી બનાતું, માત્ર નકલચી બનાય છે. જીવનચર્યા અને વિચારો એ આંતરિક સૂક્ષ્મ ગતિનાં માત્ર દ્રશ્યમાન પરિણામો છે. તેથી, બાહ્ય સ્વરૂપની ઉઠાંતરીમાં મૂળ સત્ત્વ હંમેશાં બાકાત રહી જતું હોય છે. મહાત્માઓની જીવનશૈલીની નકલખોરીથી જીવનને ઉન્નત બનાવવાનાં લોજિક બતાવતા દંભીઓથી ચેતવું રહ્યું. લોજિક એ આપણે બનાવેલાં ગણિતનાં આપણે જ બેસાડેલાં જવાબો જેવું પૂર્ણાનુમાન છે. જગત બે-ને-બે-ચાર-નાં હિસાબે ચાલતું નથી. સમય સાથે હિસાબો બદલાય છે અને વિચારોની ધારની તીવ્રતા બદલાય છે. બીજાનાં વિચારો સાથે સહમત થવું એ એક વાત છે, અને બીજાનાં વિચારોમાંથી સિદ્ધાંતો ઉપજાવી કાઢવાં, અને તેના નશામાં આજીવન ડૂબેલાં રહી, રેડીમેઇડ માસ્ક પહેરીને જીવનભર પેરોડીઓ કર્યા કરવી, એ ઘસાયા વગરની અક્કલની કેસેટ ચોટી જવા જેવી વાત છે.
અધ્યાત્મ-ખોજની પ્રબળ ઝંખનાને કારણે ગાંધીજી જીવનભર વિવિધ ધર્મોને સમજવાના યથાર્થ પ્રયત્નો કરતા રહ્યા અને તેમાંથી પોતાને ગમતી બાબતોને જીવનમાં વણી લેવાના પ્રયોગો કર્યા. આમ છતાં એમણે જે કર્યું એ એમની મતિ પ્રમાણે કર્યું. પોતે ઘણું વેઠીને પોતે નક્કી કરેલા રસ્તે ચાલતા રહ્યા. સત્યની શોધ, સત્યાગ્રહ અને અહિંસા એ એમની આંતરિક અધ્યાત્મિક તૃષ્ણાનાં પરિણામ સ્વરૂપે ખીલેલાં ફૂલ હતાં. તેથી તેમના ઉપરછલ્લા વિચારો ને ગ્રહણ કરી લેવાથી એક્ચ્યુલી કશું ગ્રહણ થતું નથી … ! પરંતુ આવી બાબતની ખાદીની કેદમાં આજીવન કારાવાસ ભોગવતાં ચંપક ટાઈપ ફન્ની ‘ગાંધીવાદીઓ’ને સમજ ન જ હોય એ સમજી શકાય .. !
ગાંધીજી હયાત હોય તો તેઓ ટેકનોલોજીનો કેટલાં પ્રમાણમાં ઉપયોગ કરે ? સ્માર્ટફોનનાં જમાનામાં પહેલાં તો આવો કોઇ પ્રશ્ન મનમાં ઉદ્દભવે એ જ અલ્પબુદ્ધિની નિશાની છે. પણ એકવીસમી સદીમાં પણ આ પ્રશ્ન અમુક ‘ગાંધીવાદીઓ’ને ગલોટિયા ખવરાવી દે છે … ! જો ગરીબ લોકો કમ્પ્યુટર ચલાવવા લાગે તો ગાંધીજીના વિચારોની કરુણ હત્યા થઈ જાય કેમ કે રેંટિયાથી જ જીવનને ઉમદા બનાવી શકાય, એ જાતની તેમની સમજ હોય છે. રેંટિયા-ગતિથી ચાલતી તેમની માઈક્રો-મતિ ભૌતિકવાદને લગતી કોઈ પણ બાબતથી કલ્પિત અસમંજસમાં ડૂબી જાય છે.
ગાંધીજી બિહારનાં ચંપારણમાં થોડો સમય રહેલાં, અને ત્યાંના લોકોની ગરીબી જોઈને વ્યાકુળ બનેલા. ત્યાની કોઈ સ્ત્રી પાસે એક જ સાડી હતી અને તેથી તેના માટે નહાવાનું મુશ્કેલ થઈ પડતું. રેંટિયાનાં આવિષ્કારનાં વિચારનું આ હતું ઉદ્દભવ બિંદુ. અને કારણ એ હતું કે ગરીબ લોકો જો વસ્ત્રો ખરીદી ન શકે તો એમણે એમની જરૂરિયાત પુરતા સ્વાવલંબી બની જવું જોઇએ. પણ અત્યારનાં સમયમાં રેંટિયો સંપૂર્ણ અસ્થાને છે, કારણ કે બજારમાં તૈયાર કપડાંના અનેક સોંઘા વિકલ્પો ઉપલબ્ધ થઈ ગયા છે. આ જ રીતે, ખાદી જ પહેરવી એ પ્રકારની જડસુ-વૃત્તિ પણ ‘ગાંધીવાદીઓ’ની નાદાનિયત બતાવે છે.
ભાવનગર ખાતે ધૂળ ખાતા ગાંધી-સ્મૃિત મ્યુિઝયમ અને બાર્ટન મ્યુિઝયમને ખંડેર હાલત ભોગવતા જોઇએ ત્યારે એમના ટ્રસ્ટીઓની ગતિ અને મતિ બંને અંગે શંકા જન્મી આવે છે. નાની-નાની વાતોમાં સિદ્ધાંતના હાકલા-પડકારા કરનારા ગાંધીવાદીઓ ખાદીનો ચૂસ્ત બંદોબસ્ત ઠોકવા સિવાયની બધી જ બાબતોમાં નીરસ જણાય છે. થોડા વખત પહેલા મારા પિતાશ્રીએ આ મ્યુિઝયમની મુલાકાત દરમ્યાન બીડીનાં અસંખ્ય ઠુંઠા મ્યુિઝયમની ફ્લોર પર પડેલા જોયા, અને સદ્દભાવનાથી તેને વીણી, બહાર ચોકીદારને શરમાવવા ખાતર જઈને પૂછ્યું કે આ બીડીનાં ઠુંઠા ક્યાં નાખવા ? (મીન્ઝ કે કચરા-પેટી ક્યાં છે ?) પરંતુ ‘ગાંધીવાદ’ના તાવમાં ખંડેર બનેલા તંત્રનાં સિપાહીભાઈએ શરમાવા ને બદલે ટટ્ટાર અને તીખી મુદ્રા ધારણ કરી કહ્યું કે ગમે ત્યાં બહાર નાખી દ્યો ને, સાહેબ … ! વ્યાકુળ મનને ઉધારી ઉપર આંચકી લીધેલાં અને કાટ ખાઈ ગયેલાં સિદ્ધાંતોનાં રેંટિયા ઉપર ગમે તેટલું ધમરોળી લ્યો, પણ યોગ્ય ઉકેલ તો આવા ઘનચક્કરો પાસે ક્યાંથી અપેક્ષિત હોય જ .. !
*તા.ક.
આ માત્ર ‘અમુક’ ગાંધીવાદી વર્ગની વાત છે. બાકી ગાંધીવાદના ઓજસ હેઠળ ઉછરેલી લોકભારતી (સણોસરા) જેવી સ્માર્ટ સંસ્થાઓ તેમની શિક્ષણ-પદ્ધતિ અને વૈજ્ઞાનિક અભિગમ પ્રત્યે અચૂક આદર જન્માવે એવી છે. તેથી આ અંગે કોઈ ગેરસમજણને સ્થાન ન આપવું.
https://www.facebook.com/nihar.meghani?ref=ts&fref=ts
![]()


એમાં મને કશી પીડા નહિ, પણ વાત વાતમાં જો કોઈ બા માટે આડું તેડું બોલે એ કંઈ સાંખી લેવાય ? પછી ઝઘડો પાક્કો ! ઝઘડાથી કોણ ડરે ? પણ બપોરનો પોગરામ પડી ભાંગે એની હોળીમાં લાડવાની કેટલી ય મનવર કરવી પડી. ગઈ સાલ અમારી ટોળકીએ વટ પાડી દીધેલો. આખી ય બ્રહ્મપોળમાં સહુથી વધારે ગંઠા અમે બાંધેલા. પાંદડે પાંદડું ચાવળી ચાવળીને તોડેલું. ના સડેલું ના વળેલું કે ના ખાબડિયું. દાદા રાજી રાજી થઈ ગયેલા, 'કે'જે તારી બાને દહકું આલશ્યે ગોળો ખાવા, ખાખરાનાં પાનની ભારીઓ બાંધતા બાંધતા દિનુ ટુનટુન પાંદડાં ભેગાં કરી ફુલ્લીનો એક્કો બનાવતો કે તૂટેલું પાંદડું દેખાડી 'લ્યા જો, લગડું આયું' કહી પાંદડું જમીન પર દોડાવતો,નીલેશ છત્રી ખાખરાની સુંવાળી બરડ ડાળી આંગળા વચ્ચે અવળી સરકાવી ઊભા રૂવાંની ભાત ઉપસાવવા મથતો, ભારીઓ બંધાય એટલે પછી છાપરે સૂકવવા નાંખવી પડે, પતરાં ગરમ લાય જેવા થઈ ગયા હોય ત્યારે ભારીઓ ઉથલાવવા ફદલ (કિરીટ) છાપરાં પર કૂદતો બંને હાથમાં ભારીઓ વિંઝોળતો, બળતા પગે સંતુલન જાળવવા દોડતો પગ ઠેબવતો. બહુ દઝાય ત્યારે ભારી પગ નીચે દબાવી પોરો ખાતો, એની ઠેકાઠેકથી માંડ માંડ જંપેલા શાંતાબા ઊઠી જતાં. ‘મૂઆ નખ્ખોદિયા કંઈ કામ ધંધો છે કે નહિ?’ની હાક જગવતા ખસી ગયેલો સાલ્લો સરખો પહેરતાં પહેરતાં જ બહાર આવતાં. ‘કિયો છે ઈની માનો ધણી ?’ આ ટાંણાંની રાહ જોતો બેઠો હોય, એમ રમેશ લાડવો બીલ્લી સદૃશ પ્રગટ થતો, કોઈને વઢ ખાતાં જોઈ એના મુખ પર કોઈ અનેરી કાંતિ છવાતી. ભારીઓ દિવસમાં બેથી ત્રણ વાર ઉથલાવવી પડે. પાંદડાં વધારે તડકામાં રહે ને લીલાશ ઓછી થઈ જાય, તો પતરાળું બરાબર ના લાગે એટલે સુકવણી ધ્યાનબદ્ધ કરવી પડે. એમાં ફદલ સિવાય કોઈનું કામ નહિ. એ ગરોળીની જેમ છાપરે ચડી જાય પણ સાચેસાચ ગરોળી જોઈ જાય તો રાડ પાડી ને નાસે. જો કે અમારા પાનાંની સુકવણી વખણાતી હોય તો એના લીધે. પાનખર ચારેકોર વેરાયેલી ઝાડ પાન ખેરવવા મંડેલા ને લીમડા તો ઝપટાવા માંડેલા. બા કે' ‘લ્યા બધા તાપમાં રખડી ખાવ છો તો થોડી સળીઓ ભેગી કરી લાવો તો કૉમમાં આવે. હવે નવા ગંઠા છોડવા પડશે ભઈ’. લાલો ઉછળીને કહે, 'બા ત્રણ ઠેકાણે લીમડાના વન છે. અમે કાલ ને કાલ ઉશેટી લાઈશું'. બોલે બંધાયા પછી ડગલું ભર્યું કે ના હટવું ના હટવું. પણ આ લાડવો હખણો નહીં મરે ને ડોબા વળી વાત વહેતી મૂકી દેશે તો ગરબડ ! મારા ભાગનો દહકો આપીશ એવી ધારણ આલી એટલે જીભ ઝાલી રહી. બપોરના જમણનો ઓડકાર આવે એ પહેલાં અમે ભાગોળે ભેગા થઈ ગયા હોઈએ. લાડવો કે' ‘પેલ્લા ધકાના માઢ પાછળ જઈએ.’ ધનજી કાનજી ઝીઝાંનો જુનો ડે’લો હવે ધકાના માઢથી ઓળખાતો. માઢ પાછળના વાડામાં લગભગ વીસેક મોટા લીમડા ફાલેલા, એના છાંયડે પતરાની પાટીવાળા પલંગ ને ખાટલા ઢાળી ઢાળી ઝુડીવાળા બેસે. સુપડા જેવા પાતરમાં અડધે સુધી તમાકુ ભરી હોય બાકીના અડધા ભાગમાં ટીમરુનાં જરાક લંબ-ચોરસ કાપેલાં પાન ને લાલ અને કાળી દોરીના પીલ્લાં. બાજુમાં પલાળીને નીચોવેલા ધોતિયાના કકડામાં ટીમરુનાં પાન બાંધ્યાં હોય. સુકાં પાન વાળીને બીડી બનાવાય નહીં ને પાણી છાંટી ને પાન કાળું પડાય નહિ એટલે ભીના કકડામાં હવા ખવડાવવી પડે. હવાયેલાં પાન કાપવાં-વાળવાં સહેલા પડે. ધનજીમામા, કા'ભૈ દાદા, ત્રંબક ઢોચકોને તળશી અદા …. આ ટોળીમાં તળશી અદા બીડીઓ વાળવામાં એક્કા ને એવી જ એમની અદા ! કલાકારની લચકથી કાતર ચલાવે. એક પાદડાંમાંથી બે પાન કતરાય એની કાળજી લે. સાંજે ઊભા થતાં ચારેબાજુ પડેલી બધી કતરણ ભેગી કરી લે ને ઘેર લાવી પતરાના ડબામાં ઠાલવે 'તેવડ તીજો ભઈ શું ? હવારે બંબો સળગાવવા કામ લાગે.’ ભગુમામા એમની ફીરકી લે' આ તેવડે તારું નખ્ખોદ કાઢ્યું, ફાડ્યા ! પણ સાંભળે એ બીજા. ત્રાંસી હથેળીએ તમાકુ વાળી ઢગલી સરખી કરતાં ડાબા હાથનો અંગુઠો અને બીજી આંગળીથી પત્તું દબાવે. તરત પહેલી આંગળી પત્તાનો ખૂણો વાળી લે. સ્હેજ જ હથેળી હવામાં ઘૂમે ને પેલું પત્તું હથેળી પર ગોઠવાઈ જાય. અંગુઠાથી એક ખૂણો અને બે આંગળીઓ વચ્ચે વાળેલો ખૂણો …. બાકીનું પત્તું વધેલી આંગળીઓ પર ઠેરવાયું હોય. તમાકુ ઠલવાતાં જ ટચલી આંગળી પત્તું નીચેની તરફ વાળી વળાંક બનાવે ને બીજા હાથનો અંગુઠો અને આંગળી છેડો અંદર દબાવતાંક ભૂંગળી વાળી લે. વળેલો ચપટો છેડો ચપ્પાની અણીથી અંદર દબાવી લાલ દોરાના બે ત્રણ આટાં લપેટી દોરો તોડી વળ ચડાવ્યો કે બીડી તૈયાર! જો કે, બીડી વાળવાની ધનજીમામાની ઝડપને કોઈ ના પહોંચે. સાંજ પડ્યે એમની બાજુમાં ગડીઓનો ગંજ ખડકાયો હોય. મોટા ભાગે જાડી બીડી બનાવવા લાલ દોરો પાતળી બીડી વાળવા કાળા દોરાની વપરાશ થતી. વળતી જતી બીડીઓ સાથે કેટલીય વાતો વીંટાતી-ઉકેલાતી. કેટલીય વાર થડ ઓથે કે ચોતરા નીચે સંતાઈ એમની વાતો સાંભળી મોટાઓની ખાનગી વાતો જાણવાનો અમે પોરસ કરતા. પણ એ વાત કહીયે ત્યારે અમને કોઈ ખાસ ગણતું નહિ, એટલે અમારો પોરસ પાનખરમાં લીમડાની સળીઓ ગરે એમ ગરી પડતો. ઉકળતા ઉનાળે લીમડાની છાયામાં ઝૂડીવાળા સિવાય, ઠાકોરવાસના કેરમ રમવાવાળા, સાત કુકરી રમવાવાળા ને ગંજીપાવાળાના ચોરા જામતા. જુગાર રમનારા એટલે ટકેલા કે પીવાના પાણીની કોઠીઓ ભરાવવાનો ખર્ચો દરેક બાજીના ભાગમાંથી નીકળતો. આ જુગારી ગેંગ બે ધારી તલવાર જેવી. બે-ત્રણ બાજી કોઈ જીતી જાય તો હારેલો ગાળ બોલીને કાઢે ને નજીક જઈએ ને કોઈ બાજી ગુમાવે તો,' અટિયા લગાવછ હાળા ? ઊભું થા અહીંથી'. બોલતા તગેડે. એવી દાઝ ચડે ! કાચી કટ્ટ લીંબોળી લીંબોળીએ ફટકારવા જોઈએ. લાલો કે' 'આ લોકોના નાસ્તામાં લીમડાનો મૉર ભભરાઈ દેવો છે?' દિનુ અકળાય, ‘મૉર તો મ્હેકે ડફોળ, એવા આઈડિયા ના ચાલે. હા, એમની પપૈયાની ચટણીમાં થોડી લીંબોળીઓ છીણીને નાંખી દઇએ.' બધા ખડખડ હસી પડે. નીલેશ આખી ય ટોળીને થુંકા થુંક કરતી જોતો હોય એમ વર્ણન માંડે. એ તો આડ વાત પણ મૉર મ્હૉરે ત્યારે આખો ય વાડો મધમધી ઊઠે. એ વખતે એ સુગંધ સમજાતી નહિ પણ કડવી મીઠી ફોરમથી મન ધરાતું નહિ. કોઠીના મોંએ બાંધેલા ટાટ (કંતાન) પર ગરેલા મૉરની સુગંધવાળું પાણી પી ઊંડો શ્વાસ લેવાની હરીફાઈમાં ભલે દિનુ ટુનટુન લાંબો શ્વાસ તાણે, પણ સુખડી ખાવાની લાલચે એની હાર વણલખી રહેતી. ચૈત્ર વૈશાખના વાયરા વરતાય એ પહેલાં ખાખરાના ગંઠા માળીએ ચડે, લીમડા મ્હોરી ઊઠે. એવે બા નકોરડા ઉપવાસ કરતી. આસો મહિનાના નવરાત ભલે ઘેરઘેર ઉજવાય પણ બાને મહિમા તો આ ચૈતરના મોટા નોરતાનો. દાદા અંબાજીના ભગત ને કુટુંબમાં માતાજીનું કરવઠું એટલે ઘેર ગરબો લેવાતો. જો કે દીવો પૂજા બા કરતી, ‘એમને વખા પડે બચાડા જીવને.’ બદલામાં દાદા શરીર નરવું રાખવા લીમડાનો મૉર પીતા. ‘આ મૉર પીએ એટલે માતાજી પરસન્ન!’ સૂરજનો તડકો અડે ને મૉર ગરે એ પહેલાં તોડી લાવવાનું કામ અમારું. અમે મૉર લાવીએ પછી દાદા ફૂલડી ય ન ગરે એમ જાળવીને જાડી ડાંખળીઓ તોડી મૉર ધુએ. લાંબા ખરલ પર પાથરી એમાં મીઠાનો ગાંગડો ને કાળાં મરી ઉમેરી બરાબર લસોટે. મૉર લસોટતાં ય એમની નજર અમારા પર જ હોય. લ્યા છોકરોં નાહતા નહિ. એવો મેઠો મૉર બનવાનો …. બોલતાં પીત્તળની પવાલીમાં મૉરનો લચકો નાંખી તમામનાં નામ ગણી ગણી પાણી ઉમેરતાં જાય. રમેશ લાડવો કે ફદલ કોક આવી જાય તો છટકી શકાય પણ …. હું, લાલો અને નિલેશ તો ઘરનાં એટલે ઉબકા આવે તો ય કાઢો પી જવો પડે. મોઢું બગાડીએ તો બા કે’ ‘પી લે ભઈ, લીમડો કડવો પણ નરવો બહુ. હેંડ પછી સુખડી આલું.’