ઝમકુએ ગોબર અને માટીની લીપેલી છ બાય છની હવેલીમાં, જમીન ઉપર ઘાસ પાથરી, તેની ઉપર કંતાનના કોથળામાંથી છાપાંઓ કાઢી અને પાથરીને તેની પથારી બનાવી. પછી ઝટઝટ ખાલી થયેલા તે કોથળામાં કડકડતી પોષી ટાઢમાં થરથર ધ્રુજતા પાંચ વરસના રામલાને ઢબુઢાંકણ કરી જ દીધો. પછી પોતે પણ વહેલી વહેલી બીજા કોથળામાં કાયા સંકેલતી કોક્ડું વળી, રામલાની બાજુમાં જ ભરાઈ ….
ઠંડા પવનના સૂસવાટા ઝૂંપડીની અંદર અને બહાર લગભગ સમાન વેગે પકડાપકડી રમતા હતા.
રામલો વિચારે ચડ્યો હતો.
'આટલી બધી ટાઢમાં ગરીબો કેવી રીતે રહેતા હશે?'
વિચારો ગોઠવવા મથતો રામલો બબડતો હતો.
'હું પણ કાલથી જ કોથળો લઈને જઈશ'.
'છાપાં ભેગાં કરીશ તો જ એમને આપીશને … ? પથારી માટે ….. નહીં તો ઠંડીમાં …. તેઓ ….'
એ વિચારે રામલાની આંખો અંધારામાં પણ ચમકી જ ગઈ.
પછી તો એ વિચાર પાકકો ગોઠવાઈ જ જતાં રામલો તરત ઘસઘસાટ ઊંઘી ગયો.
નાનકડી દીવીએ એક ડૂસકું સાંભળ્યું ……….
ઝૂંપડીમાં ઉછરતી અમીરીની જનેતાનું …….
૨૦-૦૧-૨૦૧૪
![]()


ગીત-ગઝલ-અછાંદસ-સૉનેટ-આખ્યાન જેવાં પદ્ય સ્વરૂપોની સાથેસાથે વાર્તા-નવલકથા-નાટક-સ્ક્રીપ્ટલેખન જેવા ગદ્ય સ્વરૂપોમાં રમમાણ રહેતા ડૉ. ચિનુ મોદી 'ઇર્શાદ'ને એક સર્વાંગી સાહિત્યકાર રૂપે સહુ કોઈ સુપેરે જાણે છે. આ બહુમુખી પ્રતિભાએ પોતાની કલમને માત્ર સાહિત્યની શતરંજના ચોકઠામાં જ કેદ નથી કરી રાખી, પરંતુ સમયાંતરે કૉપિ, કૉલમ જેવા સ્વરૂપોમાં પણ ઝબોળી રાખીને સમૂહ માધ્યમોની અનેક સૃષ્ટિમાં તેના થકી રંગોભર્યા છે. સાહિત્યકાર તરીકે આગવું નામ-કામ-દમામ ધરાવતા ડૉ. ચિનુ મોદી કૉપિરાઇટર તરીકે પણ સફળ રહ્યા છે. તેમના અનેક જિંગલ, સ્પોટ આજે પણ લોકજીભે છે. તો આવો, ડૉ. ચિનુ મોદીની સાહિત્ય સિવાયની એક અનોખી માધ્યમ સૃષ્ટિમાં લટાર વિશે એક આછેરો ખયાલ મેળવવા તેમની સાથે કરેલો એક વિશિષ્ટ વાર્તાલાપ માણીએ.
રેમઠ શરૂ થયું અને 'રે' નો પહેલો અંક આદિલે ડિઝાઇન કર્યો. રાવજીનું કાવ્ય પહેલી વાર સારા સામયિકમાં પહેલું છપાયું. દોઢ ડાહ્યા આનું આ દોઢ માસિક. રેનો તંત્રી-પ્રકાશક હું. ૧૬, જિતેન્દ્ર પાર્કથી એ પ્રગટ થાય. હું ૧૯૬૩-૬૪ માં કપડવણજ હતો અને જે સામયિક ૧૬, જિતેન્દ્ર પાર્કથી પ્રગટ થતું એ રેના પહેલા પાના પર એવી લાઇન પ્રકટ થઈ કે 'રેમાં પ્રકટ થતી કૃતિઓ અમે સમજીએ છીએ તે માની લેવું નહીં.' અને મારામાંના અધ્યાપકે તેનો વિરોધ કર્યો. તો 'રે' સારંગપુર ચકલાથી શરૂ થયું. 'રે' દોઢ વર્ષ ચાલ્યું. આજે પણ જોશો તો સિતાંશુ યશશ્ચંદ્ર, દિલીપ ઝવેરી, રાજેન્દ્ર શુક્લ એ સહુ. લાભશંકર ઠાકર, ચિનુ મોદી, આદિલ મન્સૂરી, મનહર મોદી સાથે ઉપસ્થિત છે. હજી રમેશ પારેખનો પરિચય કોઈને નહોતો. હું 'શ્રીરંગ'નો સંપાદક હતો ત્યારે રમેશ પારેખ 'યાયાવર'ની એક ગઝલ 'ચશ્માના કાચ પર' મને પોસ્ટમાં મળી અને મેં રમેશને લખ્યું તારી ગઝલ 'કૃતિ'માં છાપીએ ત્યારે કૃતિ સામયિક શરૂ થઈ ગયેલું. અને રમેશનો તરત જવાબ આવેલો 'છાપો છાપો, બાપલા'. 'રે'ના અંકમાં મુખપૃષ્ઠ ભૂપેન ખખ્ખર, જેરામ પટેલ, પિરાજી સાગરા જોવા મળશે. આદિલ મન્સૂરીનાં તમામ તોફાનો 'રે'ના મૃખપૃષ્ઠને અને 'રે'ના અંકોને ચકડોળે ચડાવતા. દિવાળી અંક આખેઆખો કોરો કાઢવામાં આવ્યો. એક અંકમાં રે-વીટીઓ તૈયાર થઈ ગઈ છે તેવી જાહેરાત કરવામાં આવી. ઘોડાની નાળ ચંદ્રક તરીકે આપવાની જાહેરાત, પુત્તમત્તાય પુત્તાલ ઘોસાલ (એટલે વાંઝણી રાંડનો) તથા સુરેશ જોશીએ સંયુક્ત રીતે નિર્ણય કરીને મુનિશ્રી બામ એકસો એકને આપેલો. આ બધી 'કુમાર ચંદ્રક' અને 'રણજિતરામ ચંદ્રક'ની મશ્કરી હતી. એક અંક પર 'ફિર વહી દિલ લાયા હૂં' એવી પંક્તિ છાપવામાં આવી. 'રે'નો છેલ્લો અંક હિટલર અંક તરીકે બહાર પડ્યો, જે પ્રબોધ પરીખે સંપાદિત કર્યો હતો. આ અંકમાં લાભશંકરે લખ્યુંં 'ગાંધીને હું ચાહી શકતો નથી અને હિટલરને ધિક્કારી શકતો નથી.'

