કડવી વાસ્તવિકતા તો એ છે કે બે વ્યક્તિઓ વચ્ચેની આત્મીયતાને જાહેરમાં જોઈને છળી મરતા આ લોકો નજર સામે કોઈ સ્ત્રીની છેડતી થતી હોય કે કુમળી બાળકી પર અત્યાચાર થઈ રહ્યો હોય ત્યારે ઊકળી નથી ઊઠતા!

સામાન્ય રીતે બંગાળના લોકોને પોતાની બૌદ્ધિકતા અને આધુનિકતા વિશે બહુ ઊંચો ખ્યાલ છે. કલા તથા ક્રાન્તિની રાજધાનીનું બિરુદ પામેલા બંગાળના લોકોને ખાસ આવો વહેમ છે, પરંતુ ગયા અઠવાડિયે આવેલા એક સમાચારે બંગાળની એ છબીને ઊલટાવી દીધી છે. કલકત્તાના ગૌરવ જેવી મેટ્રો ટ્રેનમાં એક યંગ છોકરો અને છોકરી (જે કદાચ પ્રેમીઓ હશે) એકમેકની ખૂબ જ નિકટ ઊભાં હતાં અને આલિંગન આપતાં હતાં. એક સિનિયર પ્રવાસીને તેમની એ ‘અતિ નિકટતા’ (હા, સમાચારોમાં આવો જ ઉલ્લેખ છે કે તેઓ વધુપડતાં નજીક ઊભાં હતાં) ખૂંચી ગઈ. એ મહાશય એ બન્નેને ઠપકો આપવા માંડ્યા. સ્વાભાવિક છે કે પેલા યંગસ્ટર્સે પણ તેમને જવાબ આપ્યો હશે. એમાં તો આજુબાજુવાળા બીજા બે-ચાર જણ ગિન્નાયેલા વડીલના ટેકામાં ભળ્યા અને બધા મળીને તૂટી પડ્યા પેલા કપલ પર કે યંગસ્ટર્સને કંઈ માન-મર્યાદા કે મૅનર્સ જેવું જ નથી, જાહેરમાં કેમ વર્તવું ને કેમ નહીં એની ગતાગમ નથી ને એવું બધું. ટૂંકમાં આપણી ભવ્ય સંસ્કૃિત ને સંસ્કારને તેમના જેવાઓ આવી આછકલાઈથી ભ્રષ્ટ કરી રહ્યા છે, નષ્ટ કરી રહ્યા છે એ પ્રકારના આક્ષેપો વરસાવ્યા એટલું જ નહીં, તેમને ડમડમ સ્ટેશન પર ધકેલીને નીચે ઉતારી દીધાં અને ત્યાં ટોળે વળીને તેમની ધોલધપાટ કરી એવા પણ સમાચાર આવ્યા.
મતલબ કે બે પ્રેમીઓ બાઝીને ઊભાં હતાં એમાં આસપાસના લોકો તેમની સાથે બાઝી પડ્યા! આજના નેટયુગમાં આવા સમાચારને ફેલાતાં વાર લાગે? સોશ્યલ મીડિયા પર પેલા અસલી બંગાળી ક્રાન્તિકારી ટ્વીટ અને પોસ્ટના ધોધ વહેવા માંડ્યા. ‘વાહ, બે માણસ પ્રેમથી એકમેકને બાઝે એમાં તમારી સંસ્કૃિત અભડાઈ જાય છે, પણ ગંદી ગાળો બોલીને બાઝવામાં તમારી સભ્યતા લાજતી નથી?’ ‘જાહેર સ્થળોની દીવાલો પર પાનની પિચકારી મારી શકાય, ખુલ્લા પાર્કમાં કે મેદાનમાં મૂત્રવિસર્જન કરી શકાય; પણ જાહેરમાં બે વ્યક્તિ એકમેક માટેના પ્રેમને અભિવ્યક્ત ન કરી શકે!’
ટેક્નૉલૉજિકલ ક્રાન્તિના પ્રતાપે દુનિયા આજે આંગળીના ટેરવે આવી ગઈ છે.
દેશ-વિદેશની સંસ્કૃિતઓ અને લાઇફ-સ્ટાઇલ એકબીજામાં ભળવા લાગી છે. મુંબઈની હાઇ-ફાઇ હોટેલ કે પાર્ટીમાં ગયા હો તો મુંબઈમાં છો કે ન્યુ યૉર્કમાં એ ખબર ભાગ્યે જ પડે. લેટેસ્ટ ફૅશન અને લાઇફ-સ્ટાઇલ હવે કોઈ એક દેશ સુધી સીમિત નથી રહ્યાં. આ સંજોગોમાં આપણી આધુનિક પેઢીના વર્તન-વ્યવહારમાં ખાસ્સું પરિવર્તન દેખાવાનું જ. અને આપણે જોઈએ છીએ કે આધુનિકતાની બાબતમાં દુનિયાની સાથે બરોબરી કરતી આપણી યુવા પેઢી અંગત લાગણીઓનું જાહેરમાં પ્રદર્શન કરવા બાબતે ખાસ્સી ઉદાર થઈ જ ગઈ છે. પણ સામાન્યત: જૂની પેઢીનો અભિગમ હજી જુનવાણી છે. જો કે સવાલ એ વડીલશાહી માનસિકતા સામે છે જે બે દોસ્તો કે પ્રેમીઓ વચ્ચેના પ્રેમને સમાજનાં દૂષણોનું કારણ ગણાવે છે! કડવી વાસ્તવિકતા તો એ છે કે બે વ્યક્તિઓ વચ્ચેની આત્મીયતાને જાહેરમાં જોઈને છળી મરતા આ લોકો નજર સામે કોઈ સ્ત્રીની છેડતી થતી હોય કે કુમળી બાળકી પર અત્યાચાર થઈ રહ્યો હોય ત્યારે ઊકળી નથી ઊઠતા! અરે, જોવાની વાત તો દૂર, કેટલાક તો એવી હરકતો કરતાં પણ શરમાતા નથી. આ આલિંગન-આક્રોશની ઘટનાના સમાચારની બાજુમાં એક વયસ્ક શખ્સે પાડોશીની ત્રણ વર્ષની બાળકી પર જાતીય અત્યાચાર કર્યાના સમાચાર પ્રગટ થયા હતા!
વડીલોની હાજરીમાં પોતાના પ્રિયજનની સાથે આત્મીય ન થવાય એવી તાલીમ અને ઉછેર હજી પણ ઘણા પરિવારોમાં મળે છે. મને ઘણી વાર થાય કે પોતાનાં સંતાનો તેમના જીવનસાથી સાથે પ્રેમથી ભેટે કે પ્રેમભરી વર્તણૂક કરે ત્યારે મા-બાપ કે વડીલોના મનમાં તો કેવી શીતળ શાંતિ અને પ્રસન્નતાનો સ્પર્શ થવો જોઈએ, એને બદલે ‘તેમના દેખતા એવું ન કરાય’ એવો સંકોચ આપણે કેમ યંગસ્ટર્સના મનમાં રોપી દીધો છે? નાનપણથી જે બાળકના મનમાં પ્રેમ કરવો એ કંઈક શરમજનક ચેષ્ટા છે એવું વવાઈ જાય તે મોટું થઈને પ્રેમ કરતાં કોઈ ગ્રંથિ નહીં અનુભવે? એને બદલે ઝઘડવું, લડવું, કોઈને દબાવવા કે ડરાવવા એ શરમજનક બાબત છે એવું તેમના બાળમાનસમાં દૃઢ કરાતું હોય તો! મને યાદ આવે છે મારા દાદાજી લાલચંદ મેઘાણીના હાથે લખેલાં કેટલાંક પાનાં, જેને બાપુજી દાદાજીનું વિલ કહેતા. એમાં કુટુંબમાં બહેન-દીકરીઓ કે વહુઆરુઓ સાથે શાલીનતાથી અને સમાનતાથી વર્તવું એવી શીખ લખી હતી! આવા સંસ્કાર પામેલા દીકરાઓ ક્યારે ય સ્ત્રી સાથે અયોગ્ય વ્યવહાર કે વર્તન ન કરી શકે. કોઈ પણ છોકરી કે સ્ત્રી પર અત્યાચાર થતો હોય ત્યારે તે ઊભો-ઊભો તમાશો ન જોઈ શકે. તે ચોક્કસ એવી સ્થિતિમાં મુકાયેલી સ્ત્રીને મદદરૂપ થવા પ્રયાસ કરે જ કરે. કમનસીબે આજના મોટા ભાગના યુવાનોને ન તો આવી શીખ મળી છે ન આવી તાલીમ મળી છે.
દેશમાં ઉત્તરનાં અનેક રાજ્યોમાં આવી સંકુચિતતાનો લોકોને પરિચય છે, પરંતુ કહેવાતા કલ્ચર્ડ બંગાળમાં આવી સંકુચિતતા જોઈને સ્તબ્ધ થઈ જવાયું છે. જો કે બંગાળના યંગિસ્તાનીઓએ (યંગસ્ટર્સે) આ ઘટનાનો જોરદાર વિરોધ કરવા આલિંગન મોરચાનું આયોજન કર્યું અને પેલી ઘટનાના બે દિવસ બાદ તો કલકત્તાની મેટ્રો રેલવેનાં એક નહીં, અનેક સ્ટેશનો પર ‘હગિંગ પ્રોટેસ્ટ’ યોજાયો. હજારો યંગસ્ટર્સ કે સ્ત્રી-પુરુષો એકમેકને ભેટતાં નજરે ચડ્યાં. નૈતિકતાના કહેવાતા ઠેકેદારોની ખોખલી શાલીનતાને યુવા પેઢીનો એ તમતમતો તમાચો હતો. ક્રાન્તિકારી બંગાળની લાક્ષણિક અદા હતી. નવી પેઢીની ખુલ્લી અને ઉદાર માનસિકતાની મહોર હતી.
સૌજન્ય : ‘સોશ્યલ સાયન્સ’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 08 મે 2018
![]()





માર્કસને પેરિસનિવાસ ઘણો ઉપયોગી નીવડ્યો. અહીં જ એમના મનમાં ઇતિહાસના ભૌતિકવાદી અર્થઘટન અને વર્ગ સિદ્ધાંતના બીજ વવાયાં –અંકુરિત થયાં. “ઈકોનોમિક એન્ડ ફિલોસોફિકલ મેન્યુસ્ક્રીપ્ટસ” અને એન્જલ્સ સાથે “જર્મન આઈડિયોલોજી” જેવા બે મહત્ત્વના ગ્રંથો લખ્યા. ઈયર બુક્ની નકલો પ્રુશિયન સરકારે જપ્ત કરી, માર્કસ સામે નોટિસ કાઢી ને આખરે પેરિસ છોડવું પડ્યું. રઝળપાટનું એક વધુ ચરણ શરૂ થયું ને કોઈપણ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ નહિ લેવાની શરતે, બ્રસેલ્સમાં આશ્રય લીધો. પણ ત્યાં ય માર્કસ પ્રવૃત્તિ વિના શાના રહી શકે. “કમ્યુિનસ્ટ કોરસપોન્ડસ કમિટી” રચીને એમણે સંઘર્ષ ચાલુ રાખ્યો. “લીગ ઓફ જસ્ટ”ના સભ્યો સાથેનો નાતો ગાઢ બનતા, ૧૮૪૭માં, લંડનમાં એનું પ્રથમ અધિવેશન મળ્યું. જ્યાં એન્જલ્સના મંત્રીપદે “કમ્યુિનસ્ટ લીગ”ની સ્થાપના કરવામાં આવી. આ સંસ્થાના સિદ્ધાંતો અને ઉદ્દેશોનો મુસદ્દો ઘડવાનું કામ માર્કસ અને એન્જલ્સને સોંપવામાં આવ્યું. “કમ્યુિનસ્ટ મેનિફેસ્ટો” તરીકે જાણીતો, ૪૦ પાનાંનો આ મહાન ઐતિહાસિક દસ્તાવેજ, ઈ.સ. ૧૮૪૮ના ફેબ્રુઆરીમાં લંડનથી પ્રગટ થયો. “બધી જ સત્તાઓ હવે સામ્યવાદને ખુદને એક સત્તા તરીકે સ્વીકારે છે. તેથી, તેને વિશેના કપોળકલ્પિત ગપાટાઓને ખતમ કરવા અહીં તેનું જાહેરનામું બહાર પાડવામાં આવે છે.” એવા શબ્દોથી શરૂ થતો આ મેનિફેસ્ટો આજે જગતની તમામ ભાષાઓમાં અનૂદિત થઈ ચૂક્યો છે. બટ્રાન્ડ રસેલે આ મેનિફેસ્ટોને, “જગતનાં પ્રચંડ પરિબળો, તેમની વચ્ચેના તુમુલ યુદ્ધ અને તેની અનિવાર્ય પરિણિતિને સંક્ષેપમાં પણ આશ્ચર્યકારક રીતે ઓજસ્વી અને વિર્યવાન શૈલીમાં રજૂ” કરનાર ગણાવ્યો હતો.
લંડન નિવાસ દરમિયાન માર્ક્સે ક્રાંતિની નિષ્ફળતાનાં કારણો શોધ્યા. ક્રાંતિ કોઈ વ્યક્તિની મૂર્ખતાના કારણે નહીં, પણ ઐતિહાસિક પરિબળોને કારણે નિષ્ફળ ગઈ હતી એવું સ્થાપિત કર્યું. માર્કસનો આ લંડનવાસ અત્યંત કારમી ગરીબીમાં વીત્યો. થોડાક લેખોનો પુરસ્કાર, હમદર્દોની મદદ અને એન્જલ્સનાં વર્ષાસનથી માંડમાંડ ગુજારો ચાલતો હતો. વિશ્વની સોનેરી નગરી લંડનમાં, “મૂડી” નામના મહાગ્રંથના લેખક માર્ક્સે જે યાતનાઓ વેઠી છે તે આજે ય કમકમાટી ઉપજાવે છે. જ્યારે માર્ક્સનું એક બાળક લોહીની ઊલટી કરતાં કરતાં મરણને શરણ થઈ રહ્યું હતું, એ જ વખતે ચડત ભાડાની વસૂલાત માટે એની ઘરવખરીની હરાજી થતી હતી અને તેમાંથી બાળકોનાં રમકડાં કે પારણું સુધ્ધાં બાકાત નહોતાં રહ્યાં. પોતાનો એક લેખ તંત્રીને મોકલવા માર્ક્સને બૂટ ગીરવે મૂકવા પડેલા, તો લખવાના કાગળો માટે કોટ વેચવો પડેલો. વહાલસોયી દીકરીના દફન માટે કફન ન હોય તેવી અવસ્થામાં પણ “મૂડીવાદી સમાજમાં પૈસો કમાનાર યંત્ર ન બની જવાય” એ માટે માર્ક્સ સજાગ રહ્યા. જો કે એકવાર રેલવેના ટિકિટ ક્લાર્કની નોકરી માટે માર્ક્સે પ્રયત્ન કરેલો પણ જગતના શ્રમિકોના સદનસીબે એમના ગરબડિયા અક્ષરો તેમને આ નોકરીથી વંચિત રાખવામાં નિમિત્ત બનેલા.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘે ૧૯૩૮માં સ્ટુડન્ટ યુનિયન હૉલમાં મોહમ્મદઅલી જિન્નાહની તસવીર મૂકી હતી. એ સમયે મોહમ્મદઅલી જિન્નાહ મુસ્લિમ લીગના નેતા હતા, પરંતુ મુસ્લિમ લીગે મુસ્લિમ માટેની અલગ ભૂમિનો ઠરાવ નહોતો કર્યો. મુસ્લિમ લીગે આવો ઠરાવ ૧૯૪૦માં કર્યો હતો, પરંતુ જિન્નાહની તસવીર મૂકવામાં આવી એના એક વરસ પહેલાં વિનાયક દામોદર સાવરકરના અધ્યક્ષપદમાં હિન્દુ મહાસભાએ કર્ણાવતી (અમદાવાદ) અધિવેશનમાં દ્વિરાષ્ટ્ર થિયરી આગળ કરી હતી અને હિન્દુ અને મુસલમાન એક દેશમાં સાથે રહી શકે એમ નથી એવો ઠરાવ કર્યો હતો. એના શિરપાવરૂપે અટલ બિહારી વાજપેયીની સરકારે વિનાયક દામોદર સાવરકરની તસવીર ૨૦૦૩માં સંસદભવનના સેન્ટ્રલ હૉલમાં મૂકી હતી. હવે ૮૦ વરસ પછી હિન્દુ યુવા વાહિની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી જિન્નાહની તસવીર હટાવવા માટે અંદોલન કરી રહી છે. આ હિન્દુ યુવા વાહિનીના સ્થાપક અને અધ્યક્ષ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ છે. દેખીતી રીતે ઉદ્દેશ કર્ણાટકમાં ચૂંટણી જીતવાનો છે અને નિશાન અને રણભૂમિ અલીગઢ છે. તેઓ કાયદો હાથમાં લઈને તોફાન મચાવી રહ્યા છે.