વહી જાય જળ, નળ રહે ક્ષાર સાથે,
મલક થાય મેલા તડીપાર સાથે.
છે તેવર વગરનો તકાજો પ્રજાનો,
સરોકાર સુક્કો છે સરકાર સાથે.
પહાડી પ્રતિમાની પિછવાઈ આગળ,
ઊભા રહેશે ઠીંગુઓ ‘સરદાર’સાથે.
અજબ સુસ્તી છે, સાવધાની અજબ છે,
મધુર-ખટ છે નાતો રવિવાર સાથે.
વિચારોના વાયુ પડે-ઊપડે છે,
સલામત છે સર મારું ‘ભણકાર’ સાથે.
‘ગાંડી ગુજરાત’ના વ્યાખ્યાતા પ્રાધ્યાપક બળવંતરાય કલ્યાણરાય ઠકોરને અર્ઘ્ય
27/10/2018
![]()


રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તાકાત તો ઘણી વધી છે, પરંતુ પ્રતિષ્ઠા નથી એવું સંઘના નેતાઓને લાગે છે. ભીડમાં કોઈ પ્રતિષ્ઠિત માણસ ન હોય તો એ ભીડ શી કામની એવું તેમને લાગે છે. એટલે તો બાવા-બાપુઓ તેમના આશ્રમોમાં ઇવેન્ટ યોજીને કોઈને કોઈ પ્રતિષ્ઠિત માણસોને બોલવતા રહે છે, તેમને સન્માને છે, સાંભળે છે વગેરે. ઉદ્દેશ તો ભીડને એ બતાવવાનો હોય છે કે તમે ગુરુની પસંદગી કરવામાં કોઈ ભૂલ નથી કરી. જુઓ! કેવા કેવા મોટા માણસો તમારા ગુરુની પાસે આવે છે. સામે પક્ષે મોટા માણસો પણ કાંઈક પામીને ભક્તોને કહે છે કે તમારા ગુરુ મહાન છે, એટલે નિશ્ચિંત રહીને ગુરુને ખોળે પડ્યા રહો. મેં એવા મોટા માણસોને પણ જોયા છે જે ભીડની સામે ભીડના દેખતા ગુરુને દંડવત્ પ્રણામ કરતા હોય.