વ્યર્થ સઘળી સલામ થઈ જાશે,
કાયદો તોડ-કામ થઈ જાશે.
ધર્મના નામ પર ધુતારાનાં
ધર્મસ્થાનો મુકામ થઈ જાશે.
લોકસેવાના કોઈ પણ મુદ્દે
મોરચા કાઢ-નામ થઈ જાશે.
લોકશાહીમાં લોકના નામે,
લોકશાહી લિલામ થઈ જાશે.
સત્ય કહેવાની ભૂલ ના કરશો,
જીવવું પણ હરામ થઈ જાશે.
હોય તે ઓળખાણ વર્દીની,
તો બધો ઇન્તેઝામ થઈ જશે.
શું ખબર લોકશાહીમાં લોકો,
સેવકોના ગુલામ થઈ જાશે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2019; પૃ. 20
![]()


ગુજરાત સમસ્ત અને અધઝાઝેરું ભારત મતદાન કરીને બેઠું છે, અને પરિણામ તેમ જ નવરચનાનું સુરેખ ચિત્ર હવે ત્રણેક અઠવાડિયે દેશજનતા સમક્ષ આવશે. વિચારો જો ગ્રહનક્ષત્ર હોય તો આ લખનાર કમ સે કમ એટલું તો માગી જ લે કે ગુજરાત રાજ્યનું મંગળાચરણ જેમની વરદ ઉપસ્થિતિમાં થયું હતું તે રવિશંકર મહારાજ કહેતા તેમ લોક તવી પર રોટલી ઉથલાવે તો સારું… કમ સે કમ, તે બળી તો ન જાય!