એક હતા પૂછીપૂછીસાહેબ. બધા બધું તેમને પૂછીપૂછીને કરે તેવો તેમનો આગ્રહ હતો. પોતે કાંઈ ખાસ કરતા નહોતા, પણ બધા બધું તેમને પૂછીપૂછીને કરે તેવો તેમનો કડક આગ્રહ હતો.
એક દિવસ ફરિયાદી કહે કે ‘સાહેબ, સારી સ્કૂલ કે કૉલેજ કે હૉસ્પિટલ – કંઈ આલજો મા – બાપ.’ પૂછીપૂછીસાહેબ કહે કે ‘એ નહીં બને, પણ પેલો 'મિ. ખાનગી' તને બધું આપશે. તું એની પાસે જા.’ એટલે ફરિયાદી ત્યાં ગયો અને બધું ખાનગી-ખાનગી થયું : સ્કૂલ ખાનગી, કૉલેજ ખાનગી, હોસ્પિટલ ખાનગી, નદી ખાનગી, તળાવ ખાનગી, બસ ખાનગી … બધું ખાનગી …
પૂછીપૂછીસાહેબ કહે, ‘બધું ખાનગી ભલે કર્યું, પણ પૂછવાનું તો મને જ. ખાનગી સ્કૂલમાં મને પૂછીને ભણાવવાનું, મને પૂછીને ફી લેવાની, મને પૂછીને નિયમો બનાવવાના. ખાનગી હૉસ્પિટલમાં મને પૂછીને દરદી દાખલ કરવાના, મને પૂછીને ફી લેવાની, મને પૂછીને નિયમો બનાવવાના … મારું મારા બાપનું ને તારામાં મારો ભાગ. તારા ધંધામાં ય મારો ભાગને તારા ધર્માદામાં ય મારો ભાગ.’
ફરિયાદીને જ્યારે જ્યારે ‘મિ. ખાનગી’ સામે વાંધો પડે ત્યારે તે પૂછીપૂછીસાહેબ પાસે પહોંચી જાય. પૂછીપૂછીસાહેબ તેને સમજાવે કે ‘હું તો તારી સાથે જ છું. ચાલ, પેલા ખાનગીને દબડાવીએ.’ પૂછીપૂછીસાહેબ ખાનગીને જાહેરમાં દબડાવે ને ખાનગીમાં કહે, ‘મારું મારા બાપનું, ને તારામાં મારો ભાગ.’
એક દિવસ ખાનગી બગડ્યો અને એ તો ચાલ્યો રડતો રડતો હાઇકોર્ટ પાસે. હાઇકોર્ટ કહે કે, ચાલો કોઈ વચલો રસ્તો કાઢીએ. હાઇકોર્ટે કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ વચલો રસ્તો કાઢ્યો. ખાનગી થોડો ખુશ થયો અને ફરિયાદી પણ થોડો ખુશ થયો. એટલે પૂછીપૂછીસાહેબને મજા જ મજા. ખાનગી રડતો રડતો હાઇકોર્ટમાં જાય, તો સાહેબ ફરિયાદીને કહે કે ‘હું તો તારા પક્ષે જ હતો, પણ આ જો પેલો ખાનગી હાઇકોર્ટમાં ગયો ને એટલે હાઇકોર્ટનું તો માનવું જ પડે ને.’ એટલે ફરિયાદી થોડો ખુશ થાય, પૂછીપૂછીસાહેબનો જયજયકાર કરે.
ફરિયાદી ખાનગીને જાહેરમાં દબડાવે અને ખાનગીમાં … સ્કૂલ ખાનગી, કૉલેજ ખાનગી, હોસ્પિટલ ખાનગી, નદી ખાનગી, તળાવ ખાનગી, બસ ખાનગી, ઘર ખાનગી, બધું ખાનગી …
દુનિયા ફરે તેમ આ વાર્તા ફરે છે, પણ કશું બદલાતું નથી. ખાનગી ખાનગી રહે છે. ફરિયાદી ફરિયાદી રહે છે અને પૂછીપૂછીસાહેબને પૂછીપૂછીને જ બધું થાય છે. ફરિયાદીને એટલી સરસ ટ્રેનિંગ મળી છે કે તે ખાનગીની ફરિયાદ કરતાં કરતાં પૂછીપૂછીસાહેબની ફરિયાદ કરવાનું કે તેમને અરીસો બતાવવાનું ભૂલી જાય છે. ખાનગી પૂછીપૂછીસાહેબને પૂછીપૂછીને બને તેટલી છૂટછાટ લે છે અને પૂછીપૂછીસાહેબનું દબાણ ન સહન થાય કોઈક દિવસ તે હાઇકોર્ટનો આંટો મારી આવે છે.
બધા ખુશ છે. ફરિયાદીની ફરિયાદ સંભળાય છે. ખાનગી ખાનગીમાં બધું પતાવે છે. હાઇકોર્ટ વચલો રસ્તો કાઢીને ખુશ છે. પૂછીપૂછીસાહેબને પૂછીપૂછીને બધું થાય છે. આ સુખદ અંત ધરાવતી વાર્તા છે.
e.mail : joshirutul@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 27 જુલાઈ 2020; પૃ. 13
![]()


મામાસાહેબ ફડકે તરીકે જાણીતા વિઠ્ઠલ લક્ષ્મણ ફડકેના દેહવિલય(તા. ૨૯મી જુલાઈ ૧૯૭૪)ને આજે તો પોણા પાંચ દાયકા થવા આવ્યા છે. આજની પેઢી માટે તો એ કદાચ પાઠયપુસ્તકનું એક પાનું હશે. પરંતુ જેમણે ‘ગાંધીજીના જમાનાનો હું પહેલો અંત્યજસેવક ગણાઉં’ તરીકે પોતાની ઓળખ આપી છે, તે મામાસાહેબ ફડકે દલિતશિક્ષણના જ નહીં આભડછેટ નાબૂદી અને દલિતોદ્ધારના ભેખધારી હતા. અસ્પૃશ્યતા નિવારણને જીવનધ્યેય બનાવનાર તથા અનેક દલિત વિદ્યાર્થીઓના જીવનમાં કેળવણીનો પ્રકાશ પાથરનાર મામાસાહેબ ખરા અર્થમાં ‘અવધૂત’ હતા.
દલિતોનાં શિક્ષણ અંગે મામાસાહેબમાં ઘણી વૈચારિક સ્પષ્ટતાઓ હતી. આત્મકથામાં તેમણે લખ્યું છે, ‘હું શિક્ષણ આપતો હતો તે સાક્ષરતા વધારવા માટે ન હતું, પણ જીવન સુધારવા માટે હતું. પરીક્ષા પાસ કરે અને છોકરા ધંધે વળગી જાય એવું મારું ધ્યેય ન હતું.’ ગોધરાની આ અંત્યજ શાળા પછી આશ્રમમાં પરિવર્તિત થઈ. ભારતનો સૌ પ્રથમ ગાંધીઆશ્રમ ગોધરામાં શરૂ થયેલો. ઈ.સ.૧૯૨૨માં અમદાવાદમાં કૉન્ગ્રેસનું અધિવેશન યોજાયું હતું. મામાસાહેબે તેમાં જન્મે સફાઈ કામદારો વિના જ સઘળી સફાઈનું કામ સંભાળ્યું હતું. મામાના મુખીપણાએ જે સ્વંયસેવકોએ સફાઈ કામ સંભાળ્યું તેમનો ફોટો પાડવા ગાંધીજી સૂચવ્યું. અનિચ્છાએ મામા તૈયાર થયા. બ્રાહ્મણ, વાણિયા અને મુસલમાન જ્ઞાતિના સફાઈ કામદારો બનેલા સ્વંયસેવકોની એ તસવીર વીતેલા જમાનાના આદર્શોનું ઉત્તમ સંભારણું છે. ૧૯૨૪માં મામાસાહેબના અધ્યક્ષપણામાં બોરસદમાં અંત્યજ પરિષદ યોજાઈ હતી. એ પરિષદમાં તેમણે કહ્યું હતું કે, ‘હિંદુમાંથી અસ્પૃશ્યતાનો રિવાજ જો બંધ કરવો હોય તો તે આપણું ખોબા જેટલા માણસોનું કામ નથી. પણ વયોવૃદ્ધો, પુરુષો, સ્ત્રીઓ, વેપારીઓ, મજૂરો, અને કારીગરોને ગળે વાત ઉતારવી જોઈએ. અસ્પૃશ્યતાનું નિવારણ એ સ્વરાજની એક શરત છે, એટલું જ કહ્યે વાત ગળે ઉતરી શકે નહીં’.
અંગ્રેજી રાજની રીત હતીઃ ભાગલા પાડો ને રાજ કરો. વર્તમાન રાજની પદ્ધતિ છેઃ ધ્રુવીકરણ પ્રેરો ને રાજ કરો. નાનામાં નાના મુદ્દે પણ લોકો બે ભાગમાં વહેંચાઈ જવા જોઈએ. તેમાંથી સરકારતરફી લોકોને પોતાની અસીમ શ્રદ્ધા કે વડાપ્રધાનના ટીકાકારો પ્રત્યેનો અભાવ ટકાવી રાખવાના મુદ્દા મળતા રહેવા જોઈએ. ટીકાકારોના વિવિધ પ્રકારની – પ્રકારભેદની પરવા કરવાની જરૂર નથી — તેમની ટીકામાં તથ્ય હોય તો પણ નહીં.