સળગાવી દો..
બધા બંધવા મજદૂરને …
એ પાછા નહીં ચૂકવી શકે તમારા પૈસા,
તમારાં રોજે રોજ વ્યાજ વધતાં પૈસા,
મફતમાં કામ કરાવ્યે રાખો,
ધમકાવો એ ગુલામને,એને પીટો,
એ ફાટી ગયો છે..(તમારા મતે)
૫૦૦૦ રૂપિયાની કિંમત શું?
એક જિંદગી શું જિંદગીભર તમારી ગુલામ?
કાયદાનો તમને ડર નથી,
ને અપરાધ તો જાણે રમત ..
ગરીબની જિંદગીનો રખેવાળ કોણ?
કમોતે, અત્યાચારી મોતે ગરીબ જ્યારે મરે,
એના ઘરે મોટાં મોટાં નેતાઓ આવે,
રાજકારણ ચલાવે,
સરકારી સહાય અપાવે,
ફોટા પડાવે, ટ્વીટ કરે ..
બસ …
ફટાકડા જેમ ફોડો જિંદગી મજૂરની,
એની વિધવા જીવતી મરશે,
જિંદગીભર તડપશે,
બાળકો માટે બધ્ધું જ કરશે
તમારાં બાપનું ક્યાં કૈં જશે ..
બસ ખાલી
૫૦૦૦ રૂપિયામાં.!!!
ધિક્કાર છે તમને …
તમારી આવનારી પેઢીઓને
આનું પરિણામ ભોગવવું જ પડશે …..
૯/૧૧/૨૦૨૦
e.mail : naranmakwana20@gmail.com
![]()


ગાંધીજીએ પહેલું રાજકીય નિવેદન કર્યું ૧૯૧૬ની છઠ્ઠી ફેબ્રુઆરીએ બનારસમાં બનારસ હિંદુ યુનિવર્સિટીના ઉદ્ઘાટન સમારંભમાં. એ નિવેદન નહોતું, દમદાર માણસના દમદારપણાનો અને એ સાથે આપણા કામનો નહીં હોવાની જાહેરાતનો બુંગિયો હતો. સમારંભમાં ભભકાનો પાર નહોતો. ઉદ્ઘાટન માટે આવેલા ગવર્નરની સલામતી માટે ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. શહેરમાં ચારે બાજુ પોલીસ હતી. સમારંભમાં ભાષણોની ધાણી ફૂટતી હતી અને બધા જ વક્તાઓ અંગ્રેજીમાં બોલતા હતા. સમારંભમાં કિંમતી આભૂષણો પહેરીને રાજા-મહારાજો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીજી આની વચ્ચે અકળામણ અનુભવતા હતા.
ઉમેશ સોલંકીની ‘ભીતર’ પદ્યનવલકથાનો હું પ્રથમ દિવસથી સાક્ષી રહ્યો છું. પદ્યનવલકથાની પંક્તિઓ લખાતી હતી, ત્યારે મારી, ઉમેશ સાથે ઘણા મુદ્દા પર વિસ્તારથી ચર્ચા થતી. નાના અમથા મુદ્દા પર પણ તેમણે ખૂબ જ ચીવટથી પોતાની કલમ કસી છે. જો મારી ભૂલ ન થતી હોય તો વિક્રમ શેઠ દ્વારા લખાયેલ ધ ગોલ્ડન ગેટ (Novel in Verse – પદ્યનવલકથા) પછી ‘ભીતર’ કદાચ ભારતની બીજી પદ્યનવલકથા છે. આવી ઑફબીટ સાહિત્યકૃતિ લખવા બદલ ઉમેશને અભિનંદન.
