− ૧ −
આટલું કરીએ
આવ આજથી નવી શરૂઆત કરીએ,
સહુથી અલગ એવી કોઇ વાત કરીએ.
બદલવી નથી રીત-રસમ આ જગતની,
માફક આવે આપણને એવી રીતભાત કરીએ.
મહાલી લઈએ ભીડથી જરા આઘા જઈને,
ચાલ સ્વની સાથે જ ટૂંકી મુલાકાત કરીએ.
જગને બદલવાની જવાબદારી લેવી નથી,
આવ પરસ્પર જ આપણી રજૂઆત કરીએ.
છૂત-અછૂત, આભડછેટને દઈએ તિલાંજલિ,
માનવતાથી છલકાય એવી એક નાત કરીએ.
ધિક્કાર-તિરસ્કારને મૂકી સાવ નેવે ‘મૂકેશ’,
પ્રેમથી તરબોળ એવી એક પ્રભાત કરીએ.
− ૨ −
પડછાયો છું:
ચાલુ તારી સંગ સંગ પણ હાથ ન ઝાલી શકું,
હું હવે ‘હું’ નથી બસ હું તો મારો પડછાયો છું.
જે સાંભળી હરખાય છે તું, તે મારી કવિતા નથી,
અધૂરા અરમાનો લઈ તારે કાને હું અથડાયો છું.
મૃદુ અવાજે ગણગણી છે જ્યારે તેં કવિતા મારી,
રસિકજનોના દિલના ઊંડાણમાં હું પડઘાયો છું.
મળી ઘૃણા ચોતરફથી અફસોસ તલભાર નથી,
ધન્યવાદ આપ સહુનો, આપ થકી હું ઘડાયો છું.
સહેલાઈથી મળીશ નહિ હું, પ્રયાસો કરવા પડશે,
નીચા ઝૂકી નાખો નજર હું તળિયે જઈ જડાયો છું.
ટૂકડે ટૂકડે મળીશ તમને એ ઓરડાની ભીંત ઉપર,
તૂટી ગયેલ કાચ પાછળ હું ટૂકડાઓમાં મઢાયો છું.
નથી દેવા પુરાવા મારે જગતને મારી નિર્દોષતાના,
વિના કોઈ અપરાધે તકદીરના વાંકે હું દંડાયો છું.
સાવ છેટે જઈ બેસી ગયા નજદીકતા ઝંખતો રહ્યો,
અદ્રશ્ય કો આભડછેટથી અકારણ હું અભડાયો છું.
નિર્મળતા, સરળતા જેવી લાક્ષણિકતા હોવા છતાં ય,
‘મૂકેશ’ નાસમજ સમાજની ગંદકીથી હું ખરડાયો છું.
e.mail : mparikh@usa.com
![]()


સ્મશાનોમાં પીગળી રહેલી ધાતુની ચિમનીઓ, હૉસ્પિટલ્સની બહાર લાંબી કતારોમાં ઊભેલી એમ્બ્યુલન્સ અને શબ વાહિનીઓ તથા હૉસ્પિટલમાં જગ્યા ન મળવાથી દમ તોડી રહેલાં કોરોનાવાઇરસથી સંક્રમિત દરદીઓ અને વિવિધ રાજ્યોમાંથી આવતા આંકડાની વચ્ચે આપણે જીવી રહ્યાં છીએ. આપણે, ભારતે આમ તો સૌથી વધુ વેક્સિન ઉત્પાદનને નામે કૉલર ઊંચા કર્યા હતા અને વ્યવસ્થિત વેક્સિનેશન થશે અને આપણે કોવિડ-૧૯ સામે જીતી જઇશુંનો ખોંખારો પણ ખાધો હતો. પણ છેલ્લા દોઢેક અઠવાડિયાના સમયમાં કેટલી ઘટનાઓ બની.
કોઈનાં ખોટાં વખાણ કરવાં એ ખોટું છે. કદર કરવા યોગ્ય માણસની જાણતા હોવા છતાં કદર ન કરવી એ પણ ખોટું છે. પણ કોઈનો શ્રેય આંચકી લેવો, શ્રેયનો આખેઆખો હાર બીજાના ગળામાં પહેરાવવો અને પ્રચારનો ઘોંઘાટ કરીને શ્રેયના બીજા અધિકારીઓને ભૂલવાડી દેવા એ ખોટું નથી, ગુનો છે. ભારતમાં આજકાલ આમ થઈ રહ્યું છે. એવો પ્રચાર કરવામાં આવે છે કે ભારતનું બંધારણ એકલા ભીમરાવ આંબેડકરે ઘડ્યું હતું. એમાં કોઈ શંકા નથી કે ડૉ. આંબેડકરનો બંધારણ ઘડવામાં સિંહ ફાળો હતો, પરંતુ તે તેમના એકલાનું સર્જન નથી. બીજાના ભોગે આપણા સમાજના આઇકન સ્થાપવાની દેશમાં હોડ શરૂ થઈ છે અને તેમાં અસત્યનો સહારો લેવામાં આવે છે.
ગાંધીજી હતા એ હકીકત દલિતોએ સ્વીકારવી જોઈએ, બાકી અંગ્રેજો તો તેમને ભૂલી ગયા હતા. આમ સત્ય એ છે કે ડૉ. આંબેડકર બહુ મોડેથી બંધારણ ઘડવાની પ્રક્રિયામાં જોડાયા હતા અને એ પણ ગાંધીજીના કારણે.
ઉપર કહ્યું એમ ૧૯૪૨ પછી આઝાદ ભારતનાં બંધારણીય સ્વરૂપ વિષે સઘન ચર્ચા શરૂ થઈ ત્યારે સરકારે તેના બાહોશ સનદી અધિકારી બી.એન. રાવને બંધારણીય સલાહકાર બનાવ્યા હતા. તેમણે ભારતીય નેતાઓ સાથે બંધ બારણે કે ખુલ્લી રીતે ભારતીય બંધારણમાં શું હોવું જોઈએ અને શું ન હોવું જોઈએ એ વિષે ચર્ચા કરવાની હતી. આ ઉપરાંત બ્રિટિશ બંધારણ અને જગતનાં લોકતાંત્રિક દેશોનાં બંધારણોમાંથી કઈ બાબતો ભારતને અનુકૂળ નીવડશે તે બતાવવાનું હતું. બંધારણસભાની કેવી રીતે રચના કરવી અને તેનું કામકાજ કેવી રીતે ચલાવવું એ વિષે પણ તેઓ ભારતીય નેતાઓ અને વાઇસરોય સાથે ચર્ચા કરતા હતા. ભારતનું બંધારણ બંધારણસભામાં નહીં, પણ મુખ્યત્વે વીસેક જેટલી તેની પેટા-સમિતિઓમાં ઘડાયું છે એનો શ્રેય પણ બી.એન. રાવને જાય છે. ખુલ્લા વ્યાપક સદનમાં ચર્ચાનો કોઈ અંત નહીં આવે અને બંધારણ ખોરંભે પડશે એવી તેમની સલાહ હતી.