છેવટે
આવીને વળગે છે
એ એવી: વિહવળ
કરી દે સામટા ગળગળા
છૂટા પડવાની વેળા
નૈન અગનગોળો
જેમ
ડૂબતા સૂરજનાં છેલ્લાં ડૂસકાં
લોપાઇ જાય
આકાશની વિશાળ છાતીમાં
ને
ઓઢી લે
એ પણ પછી
અંધારું – ઢાંક પિછોડો.
ટમટમે દરદ ઠેર ઠેર
તારા વગર
રાત થતી હશે?
જતી હશે?
… હાય!
છૂટા પડવાની ઘડી
ઘડીભર છૂટતી નથી
કાળજે ચોંટેલી
પણ કાળજું લુંટતી નથી
ક્યાંક નિર્જળ
કયાંક સજળ
કરતી રહે છે વિહવળ
રે, મીત વિનાના મેળા
છૂટા પડવાની વેળા.
https://avataran.blogspot.com/2021/08/blog-post.html
![]()


વાર્તા ગુજરાતીમાં લખાય એટલે ભાષા ગુજરાતી હોય એમાં શું ક્હૅવાનું? આપણે એ પણ જાણીએ છીએ કે ગુજરાતી ભાષાના શિષ્ટમાન્ય, તળપદા કે બોલી જેવાં ભાષારૂપોમાં, એ માધ્યમોમાં, સાહિત્ય સરજાતું હોય છે. લોકકથાઓ તો કેવાં યે રૂપોમાં હોય છે, પણ ભાષા તો ગુજરાતી જ હોય છે.
ભારતની અદાલતોમાં માનહાનિ કે બદનક્ષીના કેસોમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. રાજનેતાઓ, પત્રકારો, ફિલ્મી સિતારાઓ, ઉદ્યોગકારો અને કર્મશીલો પર બદનક્ષીના દાવા મંડાયેલા છે. પૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવગૌડાને તાજેતરમાં કર્ણાટકની એક અદાલતે માનહાનિ કેસમાં બે કરોડ રૂપિયાનો દંડ કર્યો છે. આટલો આકરો દંડ ન્યાયતંત્રના ઇતિહાસમાં અભૂતપૂર્વ છે.