ભારતીય લોકતંત્રની હમણાંના વરસોની તાસીર સંસદ અને રાજ્યોના વિધાનગૃહોના કામના કલાકોમાં ઘટાડા છતાં વધતી સંસદીય કાર્યવાહીની છે. તૃણમૂલ સાંસદ ડેરેક ઓ બ્રાયનની ટ્વીટ ટિપ્પણી, ‘પાસિંગ લેજિસ્લેશન ઓર મેકિંગ પાપડી-ચાટ ?’, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પક્ષને બહુ ચચરી હતી. પણ હકીકત છે કે પેગાસસ જાસૂસી મુદ્દે હંગામેદાર રહેલા સંસદના વર્ષા સત્રમાં નિર્ધારિત કામના કલાકોમાંથી લોકસભામાં ૧૯ ટકા અને રાજ્યસભામાં ૨૬ ટકા જ કામ થઈ શક્યું હતું. છતાં આ જ સત્રમાં ૧૨૭મા બંધારણ સુધારા ખરડા સાથે વીસ વિધેયકો મંજૂર થઈ થયાં મોટા ભાગના વગર ચર્ચાએ, પાંચ-પંદર મિનિટની ચર્ચાથી અને રજૂ થયા એ જ દિવસે પસાર થયાં હતાં. ટ્વેન્ટી- ટ્વેન્ટી ક્રિકેટથી ય વધુ ત્વરા દૂરોગામી અસરો જન્માવતા કાયદાના ઘડતરમાં જોવા મળે તે સ્થિતિ ચિંતાજનક છે વિપક્ષની પાણી-પુરી બનાવો છો કે કાયદા ? એવી ટીકા પણ લાજમી ઠરે છે.
તેરમી મે ૧૯૫૨ના રોજ લોકસભાની પ્રથમ બેઠક મળી હતી. એ ઘટનાને છ દાયકા થશે. સંસદ અને રાજ્યોના ધારાગૃહોનું કામ કાયદા ઘડવાનું, નાણાકીય અને વહીવટી નીતિ-નિયમો ઘડવાનું છે. દેશ સમક્ષના પ્રશ્નોની તેમાં ચર્ચા વિચારણા થાય છે. બજેટ સત્ર, વર્ષા સત્ર અને શિયાળુ સત્ર એવા વરસે ત્રણ સત્રો, બે સત્રો વચ્ચે છ મહિનાથી અધિકનો સમય ન થાય તે રીતે, મળવા જરૂરી હોવાની જોગવાઈ છે. તે માટે નિયમિત રીતે વિધાનગૃહોની બેઠકો મળવી જોઈએ.
૧૯૫૨માં લોકસભાની ૧૦૩ બેઠકો મળી હતી. ૧૯૫૬માં મળેલી ૧૫૧ બેઠકોનો વિક્રમ તો કદી ન તૂટ્યો પણ બેઠકોની સંખ્યા વરસોવરસ ઘટતી રહી છે. ૧૯૭૪ સુધી લોકસભાની વરસે સો બેઠકો મળતી હતી. પણ હવે તે બાબત ભૂતકાળની બની ગઈ છે. ૧૯૭૪થી ૨૦૧૧ દરમિયાનના પાંત્રીસ વરસોમાં માત્ર પાંચ જ વખત લોકસભાની સો કરતાં વધુ બેઠકો મળી હતી. ૨૦૦૮માં માત્ર ૪૬ અને ૨૦૨૦માં ૩૩ જ બેઠકો મળી હતી.

૨૦૧૯ની લોકસભા ચૂંટણી પછીનું આ લાગલગાટ છઠ્ઠું સંસદ સત્ર એના નિર્ધારિત સમય કરતાં વહેલું આટોપી લેવાયું છે. છતાં લોકતંત્ર મજબૂત અને પરિપકવ થઈ રહ્યાની દુહાઈ સાથે સંસદીય કાર્યવાહી ચાલતી રહે છે, અંદાજપત્રો પસાર થાય છે, કાયદા ઘડાય છે અને બંધારણમાં સુધારા પણ થાય છે.
જે સ્થિતિ સંસદની છે તે જ રાજ્યોની વિધાનસભાઓની પણ છે. હાલમાં ઘણા બધા રાજ્યોની વિધાનસભાઓના, ગુજરાતની જેમ એક-બે દિવસના, વર્ષાસત્રો જાણે કે છ મહિને મળવાની ઔપચારિકતા ખાતર મળી રહ્યા છે. ૨૦૧૭થી ૨૦૧૯ના વરસોમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની સરેરાશ ૨૪, પશ્ચિમ બંગાળની ૪૦ અને કેરળની ૫૩ બેઠકો મળી હતી. પી.આર.એસ. લેજિસ્લેટિવનો એક અભ્યાસ જણાવે છે કે બારમી ગુજરાત વિધાનસભા(૨૦૦૮-૨૦૧૨)માં ૯૦ ટકા બિલો રજૂ થયા તે જ દિવસે પસાર થઈ ગયા હતા. ૨૦૧૨માં દિલ્હી વિધાનસભાએ એક બિલ દસ જ મિનિટમાં પસાર કર્યું હતું. ગોવા વિધાનસભામાં કોઈ પણ ચર્ચા વિના સરેરાશ ચાર જ મિનિટમાં બિલો પસાર થાય છે. ૨૦૦૯થી ૨૦૧૪ દરમિયાન હરિયાણા વિધાનસભાની સરેરાશ ૧૧ બેઠકો જ મળી હતી. તેમાં ૭૦ ટકા ચર્ચા બજેટ પર થઈ હતી. બાકીના ૩૦ ટકા સમયમાં ૧૨૯ વિધેયકો રજૂ થયા કે તરત મંજૂર થયા હતા.
સંસદમાં સમયના અભાવે ખરડાઓની ઝીણવટથી ચર્ચા કરી, સર્વસંમતિ ઊભી કરી શકાતી નથી. એટલે તેને સંસદીય સમિતિઓને સોંપવાની જોગવાઈ છે. કાઁગ્રેસના નેતૃત્વ હેઠળની યુ.પી.એ. સરકારોના કાર્યકાળની ચૌદમી લોકસભામાં ૬૦ ટકા અને પંદરમીમાં ૭૧ ટકા બિલો સંસદીય સમિતિઓને સોંપવામાં આવ્યા હતા. પરંતુ વર્તમાન સરકારના શાસનકાળમાં બિલોને સંસદીય સમિતિઓને સોંપવાનું વલણ ઘટી ગયું છે. સોળમી લોકસભામાં માત્ર ૨૭ ટકા બિલો જ સંસદીય સમિતિઓના હવાલે કરવામાં આવ્યા હતા. હાલની લોકસભાના સમયમાં બહુ જ થોડા બિલો સંસદીય સમિતિને સોંપવામાં આવ્યા છે.
પૂરતી ચર્ચા વિના ઉતાવળે પસાર થયેલા બિલો પરથી કાયદા બન્યા પછી તેની કાયદેસરતાને ચકાસવા બંધારણીય સમીક્ષા માટે અદાલતોનો આશરો લેવો પડે છે, તેનાથી અદાલતોનું ભારણ બિન જરૂરી વધતું હોવાની અને સાંસદો પોતાની ફરજો યોગ્ય રીતે નહીં બજાવતા હોવાની ચિંતા સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમન્નાએ વ્યક્ત કરી છે. ઉતાવળે પસાર થયેલા ખરડાઓની કેવી દશા થાય છે તેના તાજા ઉદાહરણ ગુજરાતનો લવજેહાદનો કાયદો અને કેન્દ્રનું નાગરિકતા સંશોધન બિલ છે. ગુજરાતના લવ જેહાદના કાયદાની મહત્ત્વની મનાતી જોગવાઈઓ પર ગુજરાત હાઈકોર્ટે સ્ટે મૂક્યો છે. નાગરિકતા બિલને સંસદે દોઢેક વરસ પૂર્વે મંજૂર કર્યું હોવા છતાં હજુ તેના નિયમો ઘડાયા નથી કે તે કાયદો અમલી બન્યો નથી.
વિપક્ષને શત્રુ ગણતા સત્તા પક્ષ અને સંવાદહીન ધારાગૃહોનું વાતાવરણ દેશમાં પ્રવર્તે છે સંસદના છેલ્લા વર્ષાસત્રમાં તે જોવા મળ્યું છે. કોરોનાના બીજા ખતરનાક બનાવાયેલા તબક્કામાં સારવાર અને ઓક્સિજનના અભાવે થયેલાં અગણિત મોત, વેક્સિનની કિંમત તથા કિસાન આંદોલનની છાયામાં સંસદનું વર્ષાસત્ર મળ્યું હતું. આ બાબતે સરકારની નિષ્ફળતા ઉપરાંત વિપક્ષ પાસે ગરીબી, બેરોજગારી અને મોંઘવારી જેવા સનાતન મુદ્દાઓ તો હતા જ. પરંતુ સંસદના વર્ષા સત્રના ઉઘડતા દિવસે જ પેગાસસ જાસૂસીનો નવો મુદ્દો ઉઠ્યો.
સંસદમાં વિપક્ષની માંગ જાસૂસીની કોઈ તપાસની નહીં પણ યોગ્ય નિયમ હેઠળ ચર્ચાની હતી. પરંતુ લોકસભામાં જોરાવર બહુમતી ધરાવતા સત્તા પક્ષ ભા.જ.પે. સંવાદહીન લોકતંત્રની છાપ કાયમ રાખીને વિપક્ષની વાત ન માની. સરકારે સંસદમાં ફટાફટ બિલો પસાર કરાવ્યા અને વહેલું સત્ર આટોપી લીધું. કેન્દ્રના સત્તા અને વિપક્ષો શાસિત રાજ્યોમાં પણ વિપક્ષો વિરોધી માનસિકતા છે. કેન્દ્રના કાઁગ્રેસ સહિતના વિપક્ષોના સત્તાવાળા રાજ્યોની વિધાનસભાઓમાં કેન્દ્રના નાગરિકતા અને કૃષિ ખરડાઓની વિરુદ્ધમાં પ્રસ્તાવો પસાર થયા છે. ધારાગૃહોનો બહિષ્કાર અને હોબાળાથી કામગીરી અટકાવવાનું વલણ અપવાદને બદલે રાબેતો બની ગયો છે. સંસદ અને વિધાનસભાઓમાં સંવાદહીનતા અને સર્વસંમતિના અભાવને કારણે સરકારના લોકહિત વિરોધી કાયદા કે પગલાં માટે લોકોને સડક પર આવવું પડે છે.
થોડા સમય પહેલાં પાકિસ્તાનની સંસદમાં ઈમરાનસરકારના માહિતી અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ વિપક્ષ સમક્ષ એવો પ્રસ્તાવ મૂક્યો હતો કે જો વિપક્ષો સરકારની જ્યાં બહુમતી નથી એવા સંસદના બીજા ગૃહની કાર્યવાહીમાં કોઈ ખલેલ નહીં પહોંચાડવાની લેખિત બાંહેધરી આપે તો જ આ ગૃહમાં વિપક્ષના નેતાને બોલવા દેવામાં આવશે. ભારતમાં શું આપણે આવી સ્થિતિ નોતરવી છે?
વડા પ્રધાને ૨૦૧૯માં ‘મનકી બાત’માં કહ્યું હતું કે ‘કાયદા અને નિયમો સિવાય પણ લોકતંત્ર આપણા લોહીમાં વણાયેલ છે, તે આપણી સંસ્કૃતિ છે, આપણો વારસો છે.’ જો કે દેશની સંસદ અને રાજ્યોના ધારાગૃહોની કાર્યવાહીમાં આ વાતનો પડઘો જોવા મળતો નથી. લોકતંત્ર એટલે માત્ર ચૂંટણીઓ જ નહીં સ્વતંત્ર, ન્યાયી અને સતત સંવાદ સાધતી સંસદ અને ધારાગૃહો પણ.
e.mail : maheriyachandu@gmail.com
![]()


સૌની સારી શરૂઆત થાય એમ ઇચ્છીએ, પણ ઇચ્છવાથી એમ ભલું થઈ જતું હોત તો જગતમાં કોઈ દુ:ખી ન હોત. આપણે જાણીએ છીએ કે ઘણું સારું થાય છે, છતાં બધું સારું થતું નથી. બધું જ સારું હોત તો? કલ્પના કરવા જેવી છે. કોઈ દુ:ખી ન હોત ! આંસુ ન હોત ! અછત ન હોત ! બધું જ હાજર હોત ! ક્યાં ય જવાની જરૂર ન હોત ! બધું ઘર બેઠાં જ મળતું હોત ! કાયમ તૃપ્તિ જ હોત ! બધાં જ હસતાં હોત ! કોઈએ કૈં કરવાનું ન હોત ને એમ જ બધાં હસતાં હોત ! સરકારો સારી રીતે ચાલતી હોત ! ટેક્સ કપાય કે ન કપાય એની ચિંતા ન એને હોત, ન પ્રજાને ! કારણ બધું એને કે પ્રજાને મળી જ રહેતું હોત ! કોઈ માંદું ન હોત ! ન દવા હોત, ન દવાખાના ! રોજ જ આનંદ હોત ! રોજ જ હર્ષ ! રોજ જ ઉલ્લાસ ! ચાલતે, આવું હોત તો? ના, આપણે એનાથી પણ ઉબાયાં હોત ! જેમ એકધારું દુ:ખ ત્રાસ આપે છે એમ જ એકધારું સુખ, આનંદ જ આપે એ જરૂરી નથી. એક વસ્તુ નક્કી છે કે જીવન બદલાતું રહે છે ને જે પીડા કે મજા છે તે એ બદલાવાને કારણે ! જીવન કૈં એકસરખી છાપાંની નકલો નથી. આકાશ એક જ છે, એનું એ જ છે, પણ એક સરખું નથી. એના રંગો ય બદલાય છે. દરિયો ભરપૂર છે, તો ય સમૃદ્ધિથી તે ઠરી જતો નથી. તે ઊછળે છે ને કિનારાઓને ઘડતો રહે છે. નદી એક જ છે, પણ એક સરખી નથી, તે વહેતી રહે છે. આ વહેવું જ જીવન છે. જળ વધે છે, ઘટે છે. તેજ વધે છે ઘટે છે. અંધકાર એક જ છે, પણ એક સરખો નથી. જરા વિચારીશું તો સમજાશે કે આ એક સરખાપણું જ મૃત્યુ છે. જીવન બદલે છે ને બદલાય છે. તે પૂરું થાય કે પછી બધું સરખું છે. કોઈ ગતિ નથી. કોઈ ક્રિયા નથી. મૃત્યુ પછી વ્યક્તિ અટકી જાય છે. તેને કોઈ ફેર પડતો નથી- દુનિયા ચાલે કે અટકી જાય તેથી !
એમાં કોઈ શંકા નહોતી કે અંગ્રેજો બેવડાં ધોરણ અપનાવતા હતા. ભારતમાં આતતાયી વલણ અપનાવનારા અંગ્રેજો બ્રિટનમાં ટીકાના ડરે પ્રમાણમાં ન્યાયી વલણ અપનાવતા હતા. એ કાયદાકીય જવાબદાર રાજ્યતંત્રની ઢાલનો લાભ લઈને બ્રિટનમાં રાજકીય પ્રવૃત્તિ કરવામાં વધારે સલામતી છે, એવી એક સમજ ત્યારે પ્રવર્તતી હતી અને તેનો કેટલાક લોકો લાભ પણ લેતા હતા. સાવરકરે તો શ્યામજી કૃષ્ણવર્મા ઉપરના એક પત્રમાં લોકમાન્ય તિલકને એમ કહેતા ટાંક્યા છે કે, ‘ઇગ્લેન્ડમાં આચાર, વિચાર અને પ્રચારના ક્ષેત્રે પ્રવર્તતા સ્વતંત્ર વાતાવરણની જે અનુકૂળતા તમને છે એવી સ્વતંત્રતા અમને અહીં મળે એવી કોઈ શક્યતા નથી.’ (સમગ્ર સાવરકર વાંગ્મય, ખંડ ૧, પૃષ્ઠ, ૩૨૫)
અંધકારથી ભરેલું હતું, ત્યારે અભિનવ ભારતના તેજોપુંજનો અકસ્માત ઉદય થયો હતો. અકાળે અરુણોદય થાય એવી ઘટના બની. એ જોઇને લોકો આભા બની ગયા. એ લોકો (ભારતના પ્રસ્થાપિત નેતાઓ) જ્યારે અંગ્રેજ સરકાર પાસે પાછલા પ્રહરની યાચક અવસ્થામાં જે તે માગણીઓ કરતા હતા ત્યારે અચાનક સંપૂર્ણ સ્વાતંત્ર્યના ધ્યેયનો સૂર્યોદય થયો અને નિંદ્રાગ્રસ્ત જનતા અરુણોદય જોઇને આભી બની ગઈ તો એમાં કોઈ આશ્ચર્યની વાત નહોતી. સંપૂર્ણ સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટે સશસ્ત્ર ક્રાંતિયુદ્ધ એ જ એક માત્ર અને અનિવાર્ય સાધન છે એવું વગાડીને કહેનારા અને એ સારુ શત્રુના અને પોતાનાં પ્રાણની પરવા નહીં કરનારા માથાફરેલ તરુણને શાણાઓ જોતા રહ્યા. …