ભારતનાં પૂર્વ ફોરેન સેક્રેટરી નિરૂપમા રાવનું ‘ધ ફ્રેક્ચર્ડ હિમાલય’ નામનું પુસ્તક પ્રકાશિત થયું છે. પુસ્તકનો વિષય છે ભારત અને ચીન સંબંધોના આરંભનાં વર્ષો. દેશ આઝાદ થયો અને ચીન સાથે જે રીતે આપણા સંબંધો વિકસ્યા તેનો ઇતિહાસ અને વિશ્લેષણ નિરૂપમા રાવના પુસ્તકમાં છે. પાકિસ્તાન અને ચીન સાથેના સંબંધો વિશેની માન્યતાઓ જનમાનસમાં દૃઢ બની ચૂકી છે તેમાં કશો ય નવો દૃષ્ટિકોણ મૂકવો તે પડકારજનક છે. આ પડકારને ઝીલીને નિરૂપમા રાવે આ વિષય પર પુસ્તક લખવાનું સાહસ કર્યું છે. રાવ સિવિલ સર્વન્ટ્સના ઊંચા પદે બિરાજી ચૂક્યાં છે. 1973ની બેચના આઈ.એ.એસ. અધિકારી તરીકે તેઓ ઇન્ડિયન ફોરેન સર્વિસમાં જોડાયાં અને આગળ જતાં 2009માં ઇન્ડિયન ફોરેન સેક્રેટરીના પદે આવ્યાં. નિવૃત્ત થવાના પૂર્વે તેઓ અમેરિકામાં ભારતના એમ્બેસેડર રહ્યાં હતાં. વિદેશી બાબોતને લઈને તેમની સમજણના કારણે તેઓ આ પદે રહ્યાં અને હવે તેઓ પ્રોફેશનલી રાઈટીંગ કરે છે. નિરૂપમાં રાવના ‘ધ ફ્રેક્ચર્ડ હિમાલય’ પુસ્તકના રિવ્યૂ હજુ તો આવી રહ્યાં છે, પણ તે રિવ્યૂમાં એક સૂચન સર્વત્ર થયું છે કે ભારત-ચીન વચ્ચેના સંબંધો સમજવા આ પુસ્તક ઉપયોગી છે.
ભારત-ચીન સંબંધો સામાન્ય રહ્યા નથી. સીમા વિવાદથી માંડી ને વેપારી સ્પર્ધાના બાબતે બંને દેશો વચ્ચે મતભેદ છે. એશિયાની આ બંને મહાસત્તાઓના સંબંધોનું ફલક વ્યાપક છે અને એટલે તે સંબંધોનું સંપૂર્ણ આકલન કરવું અશક્ય છે. તેમાં કોઈ એક કેન્દ્રવર્તી વિષય લઈને આકલન થાય તો તે સંબંધને સહેલાઈથી સમજી શકાય. નિરૂપમા રાવે આ પુસ્તકમાં બંને દેશો વચ્ચેનો કેન્દ્રવર્તી મુદ્દો તિબેટ લીધો છે.
આ પુસ્તક અંગે ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ અખબારે નિરૂપમા રાવનો ઇન્ટરવ્યૂ લીધો છે. નિરૂપમા રાવને અહીં પહેલો પ્રશ્ન એ પૂછવામાં આવ્યો છે કે, ‘શું ચીન સાથેના સીમા વિવાદના કારણે તમે આ પુસ્તક લખવા પ્રેરાયાં છે?’ આ વિશે નિરૂપમા કહે છે કે, “2020માં લદાખમાં થયેલા સંઘર્ષના કારણે આ પુસ્તક પૂર્ણ કરવાનો મને ધક્કો મળ્યો. મારો ઉદ્દેશ છે બંને દેશો વચ્ચેના સૂક્ષ્મ ને જટીલ સંબંધોને વિશે એક પૂર્ણ ચિત્ર આપવું. ઉપરાંત મેં વાત પર પણ ધ્યાન આપ્યું છે કે ચીન વિશેના સંબંધ અંગે નેહરુ પર સમગ્ર દોષ ઠાલવી દેવામાં આવે છે. મેં એ તથ્યો પર પ્રકાશ પાડવાનો પ્રયાસ કર્યો છે કે નેહરુ ચીન સાથેના ભય અને વ્યવહાર કરવાના જોખમોથી અજાણ નહોતાં. જ્યારે ચીને તિબેટમાં પ્રવેશ કર્યો ત્યારે લ્હાસામાં આપણા અધિકારી સુમૂલ સિન્હાએ જે કહ્યું હતું તે આજે પણ યાદ કરવામાં આવે છે. તેમના શબ્દો હતા : ‘ચીન તિબેટમાં પ્રવેશી ચૂક્યું છે અને હવે હિમાલયનું અસ્તિત્વ જોખમમાં છે.’”

આગળ નિરૂપમા રાવ કહે છે : “હું માનું છું કે નેહરુ પાયાના કેટલાક ભયથી વાકેફ હતા, અને તેઓ કયા પ્રકારના પડકાર આવી શકે તે વિશે પણ માહિતગાર હતા. પરંતુ તેઓ શાંત માહોલ સર્જાય તેમ ઇચ્છતા હતા. અને તેથી જ તેઓ ચીન સાથે મિત્રતા બનાવી રાખી અને સંવાદભર્યું વાતાવરણ રાખ્યું. તેમણે વિચાર્યું કે એશિયાના બે મોટા દેશો જો એક થઈને કામ કરશે તો વિશ્વ રાજનીતિમાં ભારતને લાભ થશે. અત્યારે એ સાબિત થઈ ચૂક્યું છે કે તેઓ તેમની ગણતરીમાં થાપ ખાધી છે. જો કે એ ભૂલવું ન જોઈએ કે તેમણે એવાં નિર્ણય લીધા હતા કે હિમાલયની નજીક આપણું વહીવટી માળખું ગોઠવાય. ઉપરાંત કનેક્ટિવિટી વધે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ પામે તે પ્રયાસ પણ તેમણે કર્યાં હતા.”
નિરૂપમા રાવને ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ના પ્રતિનિધિ એમ પણ પૂછે છે કે આ પુસ્તક પર પર કામ કરતી વેળાએ સરદાર પટેલનો ચીન અંગેના દૃષ્ટિકોણ અને નેહરુના મત વિશે તમે ક્યાં ભેદ જુઓ છો? આ વિશે તેઓ કહે છે : “હું માનું છું કે કોમ્યુનિઝમ પટેલને નાપસંદ હતું અને તેઓ કોમ્યુનિસ્ટ ચીન પ્રત્યે અવિશ્વાસ રાખતા હતા. ચીન તિબેટમાં પ્રવેશ્યું ત્યારથી પટેલ ચીન તરફથી કશો ય લાભ ભારતને મળશે તેમ જોતા નહોતા. નેહરુ પણ આ વાત સમજી ચૂક્યા હતા. કમનસીબે, 1950માં પટેલ અવસાન પામ્યા અને ચીન વિશેની બૃહદ્દ નીતિ ઘડાઈ ત્યારે તેઓ ન હતા. એટલે એ આપણે જાણતા નથી કે તેઓ હોત તો ચીન વિશેની તેમની હાજરીમાં નીતિ કેવી હોત. સંશોધન દરમિયાન મેં જોયું છે કે 1949થી નેહરુ એ બાબતે ચિંતા કરવા લાગ્યા હતા કે ચીન તિબેટમાં પ્રવેશી રહ્યું છે અને તિબેટના પ્રવેશથી આપણી સુરક્ષા મામલે ચિત્ર બદલાતું ગયું.”

જવાહરલાલ નેહરુ દલાઈ લામા અને ચીનના પ્રથમ વડા પ્રધાન ઝો એનલાઈ સાથે 1956માં દિલ્હી ખાતે યુનેસ્કોની બુદ્ધિસ્ટ કોન્ફરન્સમાં
રાવ આગળ કહે છે : “નેહરુ દ્વારા ચીન વિશે નીતિ ઘડવામાં આવી ત્યારે સમય શીતયુદ્ધનો હતો અને નેહરુ કોઈ પણ પક્ષે ભારતને જોતરાવવું ન પડે તેમ ઇચ્છતા હતા. ભારત વિશ્વ રાજનીતિમાં ત્રીજી શક્તિ તરીકે સ્થાપિત થાય તેમ તેમની ઇચ્છા હતી. નેહરુને ખ્યાલ હતો કે ચીન સાથેનો સૌહાર્દપૂર્ણ વ્યવહારથી એશિયામાં શાંતિપૂર્ણ માહોલ બનાવી રાખી શકાશે. આપણી સરહદની નીતિમાં ચીન માટે એક ઇંચ પણ છોડી દેવાની વાત નહોતી. જો કે ભૂલ ત્યાં થઈ જ્યારે ચીન તિબેટમાં પ્રવેશ્યું. આપણે ત્યારે તિબેટમાં રહેલાં આપણા તમામ અધિકારો છોડી દીધા અને પછી બંને દેશોની સહદર પરની એક સામાન્ય નીતિ પણ ન ઘડાઈ.”
આ પછી એક અગત્યનો પ્રશ્ન છે જે વિશે રાવે આપેલા ઉત્તરથી નેહરુની ચીન અંગેની સમજ જાણી શકાય. પ્રશ્ન છે કે, ચીનમાં ભારતના પ્રથમ રાજદૂત કે.એમ. પન્નીકરની ભૂમિકા શું રહી હતી? આ વિશે રાવનું રિસર્ચ કહે છે : “મારું માનવું છે કે નેહરુ અને પન્નીકરની સમજણ સારી હતી. તે વખતે વિદેશ વિભાગના કાર્યાલય પન્નીકરના ચીન પ્રત્યેના વલણથી નારાજ હતા, તેમ છતાં પન્નીકર પોતાના લખાણમાં જે-તે મુદ્દાને રજૂ કરતા, તેથી નેહરુને સંતોષ હતો. પન્નીકર નેહરુ સાથે સીધા જ સંદેશાની આપલે કરી શકે તે રીત સ્વીકાર્ય બનાવી શક્યા હતા. હું એમ માનું છું કે નેહરુ પન્નીકરનો મત સ્વીકાર્ય માનતા હશે અને એટલે જ્યારે તિબેટમાં ચીન આવ્યું ત્યારે પન્નીકરનું કહેવું હતું કે આ કિસ્સામાં ભારત ઝાઝું કરી શકે એમ નથી. તેથી આ સ્થિતિને ભારત દ્વારા સ્વીકારી લેવામાં આવી. મને એવું લાગે છે કે પછી પન્નીકરનું સૂચન માનીને નેહરુએ ભારતની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જેટલાં પગલાં લેવાવાં જોઈએ તે લીધાં.”
વર્તમાન સમય અંગેના પ્રશ્નો પણ નિરૂપમાને પૂછવામાં આવ્યાં છે જેમાં હાલમાં ચાલી રહેલી બંને દેશોની વાર્તા સંબંધિત પ્રશ્ન છે. આ અંગે રાવનું કહેવું છે કે : “આ વાર્તા દરમિયાન મને એવું લાગતું નથી કે ચીનને જાણવામાં આપણે કોઈ પણ થાપ ખાધી હોય. આપણે સાત દાયકાથી તેમની સાથે વ્યવહાર કરી રહ્યા છીએ. આપણે ઘણું શીખ્યા છીએ અને હવે કેટલીક ઠોસ બાબતો પર પહોંચ્યા છીએ. હવે પ્રશ્નોને સ્પષ્ટ રીતે આપણે ઓળખીએ છીએ. મને નથી લાગતું કે હવે કોઈ એવી ભૂલ થાય. ચીન સાથે સરહદ પર આપણી જોખમી અને જટિલ સ્થિતિ છે. દુનિયામાં સૌથી લાંબા ગાળાથી જે વિવાદો સરહદ પર ચાલી આવ્યાં છે તેમાંની આ ભારત-ચીનની બોર્ડર છે. મારા મતે પૂર્વીય લદ્દાખની સરહદ પર ચીન હવે વધુ પડતું પ્રવૃત્ત અને આક્રમક છે એટલે હવે બોર્ડર પર એ રીતે ખૂબ ઝડપથી સ્થિતિ બદલાઈ છે. બંને દેશો વચ્ચેના સંબંધો તંગ થયા છે અને હવે સ્થિતિ શાંત રાખવા અર્થે કરાર કરવા સુધી વાત પહોંચી છે. જો કે ભારત અત્યારે ચીન સાથેના સંબંધો અંગે સાચા માર્ગે છે. આપણે ધીરજપૂર્વક સંવાદ કરી રહ્યાં છીએ. અને ક્યાંક ક્યાંક અપ્રવૃત્ત રહીને ને બળ ઘટાડીને પણ સ્થિતિ સામાન્ય કરવા અર્થે પ્રયાસ કરીએ છીએ.”
e.mail : kirankapure@gmail.com
![]()


આઠમી ડિસેમ્બર, 2021ની બપોર કારમી નીવડી ! તમિલનાડુનાં કુન્નુરમાં વૃક્ષોને ટકરાઈને એક હેલિકોપ્ટર ભડકો થઈ ઊઠયું ને તેણે સ્પેરપાર્ટસની સાથે જ તેમાં સવાર 14 લશ્કરી અધિકારીઓને સોનેરી ભડકામાં લપેટી લીધા. એમાં કેટલાક તો એવા સળગ્યા કે અગ્નિસંસ્કારની ય જરૂર ન રહી. હેલિકોપ્ટર ક્રેશની નવાઈ નથી, એમાં ઘણા બચી પણ જાય છે તો ઘણાં ભડકો ય થઈ જાય છે, પણ કુન્નુરમાં જે MI 17V5 હેલિકોપ્ટર ક્રેશ થયું તેણે તો દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સી.ડી.એસ.) બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત સહિત બીજા 11 લશ્કરી અધિકારીઓનો ભોગ લીધો છે. ચોપરમાં 14 અધિકારીઓ સવાર હતા, તેમાં કેવળ ગ્રૂપ કેપ્ટન વરુણસિંહ ગંભીર હાલતમાં સૈન્ય હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ વર્ષે જ સ્વતંત્રતા દિવસે કેપ્ટનનું શૌર્ય ચક્રથી અભિવાદન પણ કરવામાં આવ્યું હતું. એ બચી જાય તો ખરેખર શું બન્યું એ જાણી શકાય. બિપિન રાવત લશ્કરી વડા તરીકે દેશને સમર્પિત જીવ હતા ને તેમણે છેલ્લે પણ વેલિંગ્ટન ખાતે ડિફેન્સ કોલેજમાં લેકચર આપવાનું સ્વીકાર્યું હતું, પણ ચોપર ક્રેશ થતાં કોલેજ તેમના વક્તવ્યથી કાયમને માટે વંચિત રહી ગઈ છે.
મારા FB મિત્રોમાં વિદ્યાર્થીમિત્રો ઘણા છે. એમાં એક-બે મિત્રમંડળી પણ છે. એ લોકો અવારનવાર મને, સર, આ વિશે લખો ને અમારે એ જાણવું જરૂરી છે, એમ કહેતાં હોય છે. છેલ્લા કેટલાક વખતથી સંસ્કૃત કાવ્યશાસ્ત્ર વિશેની વિનન્તી ચાલ્યા કરી છે. એ તો ગહન વિષય છે. પણ 'મારી વિદ્યાયાત્રા'માં મારાં લેખનની વાત કરતી વખતે મેં એના જે થોડા નિર્દેશ કર્યા છે તે અહીં મૂકું છું :