૧૯૪૨માં જે બાવીશ વર્ષની છે તે સૂરત પંથકની વાણિયાની દીકરી ઉષા મહેતા (નિ. ૧૬-૧૨-૨૦૨૧ તેમ જ “ઓપિનિયન” 20 ઑક્ટોબર 2021) આઝાદીની ચળવળમાં ગુપ્ત રેડિયો સંભાળે, કેવાં કેવાં સાહસ કરે, પોતાના બચાવ માટે પોતાના કામ માટે કે આઝાદી પછી પોતાની આજીવિકા માટે એક શબ્દ પણ ન ઉચ્ચારે – દેશપ્રેમની આ દીવડી સામે ધરાર સૂરજ બનીને ચમકતા, ખરે ટાણે માફી માગતા કે આથમી જતા વીરપુરુષોની કેટલી કિંમત? સ્ટેજ ઉપર ભારતમાતાના ઝંડા ફરકાવતા અને વિરોધ ઊઠે તો સ્ત્રીનાં કપડાં પહેરીને પાછલા બારણાથી પલાયન થતા મહારાજને અભય સ્વદેશી સ્વાર્થત્યાગના ગાયત્રીમંત્રની દીક્ષા લેવા યા ઉષા સામે બેસવા જેવું છે! ઉષાની માતાને સમાચાર મળ્યા કે જેલમાંથી છૂટવા માટે ઉષાએ માફીપત્ર લખ્યો છે. બીજે દિવસે ટિફિનની એક રોટલીમાં માાતએ ચબરખી મૂકી : માફી માગીને ઘરે આવીશ તો મારા ઘરના દરવાજા બંધ હશે!
અભયમ્ સત્ત્વસંશુદ્ધિ: જ્ઞાનયોગ વ્યસ્થિતિ :- આ છે હિન્દુ! જે હિન્દુ-હિન્દુ કરતા નીકળી પડ્યા છે તેને અને જે સમજ્યા વિના હિન્દુને ગાળો કાઢે છે તે બન્નેને વેંત ઊંચા ઊઠવાની જરૂર છે.
પોરબંદર
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2022; પૃ. 12
![]()


આ પુસ્તકમાં કુલ નવ વાર્તાઓ છે. એમાં આઠ વાર્તાઓ હિમાંશીબહેન કાયમ લખે છે તેવા કદની, મતલબ કે છથી આઠ પાનાંની, જ્યારે એક થોડીક લાંબી છે. પૂરાં વીસ પાનાંની. પણ એમાં નવાઈ પામવાની જરૂર નથી. પન્નાલાલ પટેલે વાત્રકને કાંઠે અને સાચાં શમણાં જેવી ઘણી લાંબી વાર્તાઓ લખેલી છે.
ટાગોરની રીતે જો કહેવાનું હોય તો ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’ને સ્થાને મને ‘વૈશ્વિક સાંસ્કૃતિકવાદ’ અથવા ‘વૈશ્વિક માનવવાદ’ શબ્દયુગ્મ વધુ ગમે.
પરંતુ યુ.પી.માં (ભલે મેઘાણીની ચારણકન્યા તો નહીં પણ નાનકડી છોકરીએ) ભા.જ.પ.ના આ આલ્બમ સામે નાનકડી, એક મિનિટ વીસ સેકન્ડની કવિતા ગાઈને ભા.જ.પ.ની ઊંઘ હરામ કરી નાંખી છે .સોશિયલ મીડિયાની ભાષામાં બોલે તો એ..ટ..લી..વાઈરલ થઈ કે અત્યારે આંકડો દસ લાખ ચાહકોનો થયો છે! એનું ગીત યુ.પી.મેં કા બા.. છે.