આદરણીય વિપુલભાઈ,
સાદર.
'ગાંધીજીનો કચ્છપ્રવાસ' તમે સહુ માટે સુલભ કરી આપ્યો તે માટે આભાર અને અભિનંદન.
તે એક અનોખો પ્રવાસ હતો, જાણે ભાવિમાં આવનારી નોઆખલી યાત્રાનો પૂર્વ શંખધ્વનિ!
આભાર પુન:.
![]()
આદરણીય વિપુલભાઈ,
સાદર.
'ગાંધીજીનો કચ્છપ્રવાસ' તમે સહુ માટે સુલભ કરી આપ્યો તે માટે આભાર અને અભિનંદન.
તે એક અનોખો પ્રવાસ હતો, જાણે ભાવિમાં આવનારી નોઆખલી યાત્રાનો પૂર્વ શંખધ્વનિ!
આભાર પુન:.
![]()
પ્રિય વિપુલભાઈ,
૨૦૧૭નું વર્ષ શુભ રહે એવી શુભેચ્છાઓ.
ગાંધીજીના કચ્છ પ્રવાસ વિશે મુરબ્બી પ્રભુલાલભાઈ ધોળકિયાએ લખેલી ડાયરી એક ચિરઃસ્મરણીય ગ્રંથ છે. લેખમાં ગુલાબશંકર ધોળકિયા નામ છે તે મારા દાદા ! કાન્તિપ્રસાદભાઈ અંતાણી અને પ્રભુલાલભાઈ અમારા વડીલોમાં ગણાય.
મારાં સદ્દભાગ્યથી, મારી તરુણાવસ્થામાં એમનો મારા પર 'ગુલાબભાઈના પૌત્ર' તરીકે તો ખરો જ, પણ તેનાથી વિશેષ ભાવ પણ રહ્યો. સરોજબહેન મને જાણતાં જ હશે. એમના મોટા ચોકના ઘરે અવારનવાર જવાનું બનતું. સરોજબહેનના ભાઈ સુરેશ મારાથી જૂનિયર પણ કૉલેજમાં એક જ ગ્રુપમાં. સરોજબહેનનો સંપર્ક થાય તો મારા નમસ્તે પહોંચાડવા વિનંતિ છે.
પ્રભુલાલકાકાએ ખરેખર ઉત્તમ રીતે ડાયરી લખી છે. પ્રભુલાલકાકા, કાન્તિભાઈ, દોલતરામભાઈ અને મારા દાદાને નાતબહાર કર્યા તે આ દુઃખદ ગાંધી કથાનું એક ઊજળું પાસું છે. આ ચારે ય 'યુવકો'એ જે હિંમત દેખાડી ને નાતની સજા ભોગવી, પણ નમતું ન આપ્યું તે પોતે જ અલગ કથા છે. પરંતુ પ્રભુલાલકાકાએ વાજબી રીતે જ આ ગાંધીકથાને આત્મપ્રશંસાની કથામાં નથી ફેરવી એ નોંધવા જેવું છે.
એવું થયું કે એ બધા કોઠારા પહોંચ્યા, ત્યાં મારા નાના હતા. એમને ઘરે ગયા. ત્યાં એમને મારા નાનાએ એમના વેવાઈ અને બીજા ત્રણ સાથીઓનું સ્વાગત તો કર્યું પણ જર્મન સિલ્વર(યાદ હશે જ)નાં કપરકાબીમાં ચા આપી. સામાન્ય કપરકાબી (સિરેમિક્સનાં) તો માટીથી સાફ ન કરી શકાય. જર્મન સિલ્વરનાં વાસણ તો સાફ કરવાં પડે, એટલે આભડછેટ પણ ધોવાઈ જાય. મારા નાનાએ આ સાથે જ એમને સમાચાર આપ્યા કે એમને ભુજની નાગરી નાતે નાતબહાર મૂક્યા છે.
તે પછી એમણે ગાંધીજીને આની જાણ કરી તો ગાંધીજીએ સલાહ આપી કે નાતની સજા માથે ચડાવજો, નાત જે કંઈ કરે તે સહન કરજો, અવિવેક ક્યાં ય પણ ન દેખાડજો પણ નમતું પણ ન મૂકજો. અંતે નાતમાં જ ફૂટ પડી, અને ધીમે ધીમે એમ નક્કી થયું કે સ્નાન કરી લે અને હાટકેશ્વરના મંદિરમાં દીપમાળા કરે તો એમને પાછા નાતમાં લઈ લેવા. એમણે એના માટે પણ ના પાડી. છેવટે, નાતે નક્કી કર્યું કે રોજ નહાય છે અને ઘરે પૂજા કરે જ છે તો એમને નાતમાં પાછા લેવામં વાંધો નહીં.
મારા દાદા પછી બંધારણસભામાં અને પહેલી લોકસભામાં ગયા, તે પછી સ્વતંત્ર પાર્ટી તરફથી ૧૯૬૨માં વિધાનસભામાં ગયા. પ્રભુલાલકાકા સંપૂર્ણપણે હરિજન સેવામાં લાગી ગયા. કાન્તિભાઈ કચ્છમાં જ કોંગ્રેસના આગેવાન તરીકે સક્રિય રહ્યા અને જિલ્લા પંચાયતના પહેલા પ્રમુખ બન્યા.
સ્મૃિતઓ જાગી જતાં બહુ લાંબું લખાઈ ગયું છે તો માફ કરશો.
– દીપક ધોળકિયા
![]()
પ્રિય વિપુલભાઈ,
તમારો સ્વામી આંનદ ઉપરનો લેખ વાંચીને મબલખ આનંદ થયો. મોસાળની મજા આવી ગઈ !!
કારણ તો એ કે મેં તેમને એકલવ્યની નિષ્ઠાથી ગુરુ માન્યા છે. કયારે ય મળ્યો નથી અને ભાગ્યે જ તેમને ચુક્યો હોઈશ।
ગુરુ ગણ્યા તેનું કારણ – કદાચ ચૌદ પંદર વર્ષની ઉંમરે પેલી દસ ગણાની વાત વાંચી. જે ચોટ્યું તે માંડ ઉખેડી શક્યો. વાત તો ભારે મથામણની રહી અને કદાચ 40 વર્ષ સુધી કોયાડાની જેમ વળગેલી રહી.
સવાલ આટલો : મારે જો સમાજના ઋણમુક્ત થવું અને રહેવું હોય તો શું કરું ? દસ ગણું કેવી રીતે પાછું વાળું ?
જાતજાતના ઠેકાણે લેક્ચર્સ લીધા. ક્યાંકથી દસ રૂપિયા મળ્યા તો ક્યાંકથી વીસ. સમાજને અર્પણના ભાવથી સવારથી સાંજ અંને રવિવાર કે રજા ય જોયા વગર મચેલો રહ્યો. 1974માં દુકાળનો અભ્યાસ કર્યો ત્યારે ય સ્વામીને નજરમાં રાખ્યા.
જીવ ઉપર આવી જઈને બહુ મથ્યો તો ય પેલું દસગણું તો ના જ થયું. આઠ ગણ સુધી જ પહોંચી શક્યો.
એક દિવસ આવી જ રખડપટ્ટીમાં ભાવનગરના બસ સ્ટેન્ડે ઊભો હતો અને પેલા ખૂટતા બે ગણાની ચળ ઉપડી. સ્વામી સાવ ખોટું બોલે તેમ તો કેમ હોય ? આને જો આટલું આટલું મથ્યા પછી પણ દસનો આંકડો આઘો રહેતો હોય તો તેમાં કોઈક કળ કે હિકમત હોવા જ જોઈએ ! એ હિક્માંતની મારી સમજ આવી છે :
ગૃહસ્થી સમાજમાંથી "જે" લે તેનું દસગણું પાછું વાળે — આમાં ભાર "જે" ઉપર છે. હું સમાજમાંથી જો માત્ર પૈસા લેતો હોઉં તો પગારમાં મળતા પૈસાના દસ ગણા પાછા દેવાના થાય. પણ હું માત્ર પગાર જ નથી મેળવતો – સ્વામીના નામ મુજબ આનંદ મેળવું છું. તો મારે તો સમાજમાં દસ ગણો આનંદ જ પાછો વાળવાનો થાય. ભાવનગરનું બસ સ્ટેન્ડ જ આપણું બોધિવૃક્ષ !
બસ હવે લહેર જ લહેર છે.
તમે સ્વામીને સ્મર્યા તેથી થોડુંક યાદ આવી ગયું.
e.mail : shuklaswayam345@gmail.com
![]()

