પ્રિય કવિ જૅક ગિલ્બર્ટ ના એક કાવ્ય ‘Rain’નો અનુવાદ આજે મૂકું છું.
અચાનક આ પરાભવ.
આ વર્ષા.
નીલા રંગોનું પલટાઈ જવું ભૂખરામાં
અને પીળાનું
ભયાનક ઘેરા પીળામાં.
ઠંડીગાર શેરીઓમાં
તારો હૂંફાળો દેહ.
કોઈ પણ ઓરડામાં
તારો હૂંફાળો દેહ.
આટલા લોકોની વચ્ચે
તારું ન હોવું.
આટલા બધા, લોકો જે ક્યારેય
‘તું’ નથી.
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()



‘સામાજિક એકીકરણના બળ તરીકે કામદાર સંગઠનવાદનો ઉદય અને પડતી’ લેખમાં યાન બ્રેમાન મજૂર મહાજન સંઘની દલિતોને મુખ્ય પ્રવાહમાં લાવવાની નિષ્ફળતા પર ભાર મૂકે છે. મિલોમાં દલિતોની આર્થિક જીવનરીતિ સુધરી પરંતુ સંઘના નેતાઓ સવર્ણ હોવાથી જે નિર્ણયો કરે એમાં દલિતો અને બીજા સભ્યોનો કોઈ સક્રિય હિસ્સો ન હતો. દલિતો સામે ભેદભાવ મિલોમાં પણ ચાલુ હતો. કેન્ટીનમાં સવર્ણ અંદર જમવા બેસતા જ્યારે દલિતો બહાર જમવા બેસતા. સમાજમાં અસ્પૃશ્યતા ખૂબ ફેલાયેલી હતી. જાતિ ભેદભાવને લીધે મજૂરોની એક વર્ગ તરીકે એકતા ન સ્થપાઈ. ૧૯૮૦ના દશકમાં જ્યારે અમદાવાદમાં મોટા ભાગની મિલો બંધ થઈ ત્યારે મજૂર મહાજન સંઘે કોઈ વિરોધ કર્યો નહીં અને કામદારોના હક માટે કોઈ લડ્યું નહીં.
