સૌ પ્રથમ તું ‘ક’ ને પછી બોલ ખડિયા,
ને ગણિતનો ‘ગ’ ભૂલવા ભૂલ દરિયા.
પાંખડું વાળ તો જ આકાર મળશે,
બાર-બારો ‘ઘ’ ધારવા ફોલ પડિયા.
ચાલ મૂળાક્ષરો તને શીખવી દઉં,
વેંતભરનો ‘ચ’ બોલવા આલ ફદિયા.
ગુણ ગાવા વગોવણી-કુથલી કર,
કાગવાણી ‘છ’ડાવવા ઢોલ બજિયા.
પાંચમા ધોરણે પડ્યા માર્ક ઓછા,
જંપવા દે ‘જ’ જોખવા તોલ સળિયા.
અમદાવાદ
e.mail : addave68@gmail.com
![]()




છાત્રયુવા નિમંત્રણ અને અલબત્ત, રવિશંકર મહારાજનો આદેશ, જયપ્રકાશ ગુજરાત પહોંચ્યા છે, એમાં એક ઇતિહાસન્યાય છે. જયપ્રકાશને સારુ એક રાષ્ટ્રીય નેતાને નાતે ગુજરાત આવવાની નવાઈ નહોતી, પણ આ મુલાકાત પૂંઠે કેમ જાણે ઇતિહાસન્યાય અને ઇતિહાસ સંકેત વરતાય છે. જયપ્રકાશ સન બેતાળીસના વીરનાયક હતા અને જ્યારે આકરા જેલવાસમાંથી બહાર આવ્યા ત્યારે કવિ દિનકરે એમને ‘જયપ્રકાશ હૈ નામ આતુર હઠી જવાની કા’ કહીને બિરદાવ્યા હતા. નહેરુ અને પટેલ બેસતે સ્વરાજે રાજ્યબાંધણીમાં પરોવાયા ત્યારે કાઁગ્રેસ પ્રમુખ તરીકે ગાંધીજીને સૂઝી રહેલાં નામો જયપ્રકાશ અને આચાર્ય નરેન્દ્ર દેવનાં હતાં. આ કદ ને કાઠી ૧૯૪૭માં, આખી પિસ્તાળીસની વયે જયપ્રકાશનાં હતાં. આજે એક અર્થમાં સંવતપલટાની ક્ષણ તે ૧૯૪૭ની ૧૦મી આૅગસ્ટે એટલે કે સ્વરાજ આગમચ બરાબર પાંચ દિવસ પહેલાં ૧૯૪૨ના શહીદ કિનારીવાલાની ખાંભી ખુલ્લી મૂકવા સારુ મુદ્દામ જયપ્રકાશને તેડવાના યુવા ગુજરાતના આગ્રહી સંકલ્પમાં વરતાય છે. સ્થાપિત નેતૃત્વની પ્રથમ પસંદગી નહીં એવું આ કંઈક બગાવતી નિમંત્રણ છે. બરાબર સત્તાવીસ વરસે, ૧૯૭૪માં, યુવા ગુજરાત એમને વળી બરકે છે.
મનીષી જાનીના પ્રતિબદ્ધ નેતૃત્વ સાથે જુદાં-જુદાં કૉલેજ મંડળોના પ્રતિનિધિઓ એકત્ર આવ્યા. બધાં નામ સંભારતો નથી, પણ આ લખતી વેળા સહજ સાંભરતાં નામો ઉમાકાંત માંકડ, મૂકેશ પટેલ, રાજકુમાર ગુપ્તા, સોનલ દેસાઈ આદિનાં છે. સુરતમાં ભગીરથ દેસાઈની યુવા પ્રવૃત્તિ વળી જુદી તરેહની છે. નવસારીમાં કેરસી દેવુ છે. સૌરાષ્ટ્રમાં રચાયેલી સંખ્યાબંધ નવનિર્માણ સમિતિઓને મનીષીના નેતૃત્વ નીચેની અમદાવાદની સમિતિ સાથે સાંકળી આંદોલનનું પડ ગાજતું રાખનાર અનામિક શાહના નામની પણ નોંધ લેવી જાઈએ.