આ ગૃહિણીઓ પણ થોડી મણિબેન જ હોય છે!
વેલણથી રોટલીઓને ગોળાકાર આપવામાં
પોતાની જાતને આકારિત કરવાનું ભૂલી જતી હોઈ છે
આ ગૃહિણીઓ થોડી મણિબેન જ હોય છે!
કલાકો સુધી ઘરનો ખૂણેખૂણો
ચમકતો રાખવા લાગી રહેતી એ
ભીંછરા વાળને સુંવાળા કરવાનો
સમય ફાળવી શકતી નથી
આ ગૃહિણીઓ થોડી મણિબેન જ હોય છે!
સગાંવહાલાંની માંદગીમાં
આખું ઘર માથે લેતી એ
પોતાનાં જ માથાના દુખાવાને
નજરઅંદાજ કરી બધી
તકલીફોને ટાળી દેતી હોઈ છે
આ ગૃહિણીઓ થોડી મણિબેન જ હોય છે !
લોહીપાણી એક કરીને
બધાંનાં સપનાંને સાકાર કરવાનાં હુન્નરમાં
એ પોતાની અધૂરી આકાંક્ષાઓનું
દિલમાં જ દફન કરી દેતી હોઈ છે
આ ગૃહિણીઓ પણ થોડી મણિબેન જ હોય છે !
સૌની નજર ઉતારતી હોય છે
ત્યારે જરાતરા આમતેમ થાય તો
એ જ નજરથી ઊતરી જતી હોઈ છે
આ ગૃહિણીઓ થોડી મણિબેન જ હોય છે !
એક બંધનમાં બંધાઈને
કંઈકેટલાં સગપણમાં બંધાઈ જતાં
કંઈકેટલી આડખીલી પાર કરતી
બધાંને વહાલથી એકગાંઠ રાખતી હોય છે
આ ગૃહિણીઓ પણ થોડી મણિબેન જ હોય છે !
પિયરથી સાસરા સુધી
બધી જવાબદારી પાર પાડતી
ગઈકાલની ઢીંગલી આજે
ડાહીડમરી થઈ જતી હોઈ છે
આ ગૃહિણીઓ પણ થોડી મણિબેન જ હોય છે!
————————————————-
"ये गृहिणियाँ भी थोड़ी पागल सी होती हैं"।।
————————————————-
सलीके से आकार दे कर
रोटियों को गोल बनाती हैं
और अपने शरीर को ही
आकार देना भूल जाती हैं
ये गृहिणियाँ भी
थोड़ी पागल सी होती हैं।।
ढेरों वक्त़ लगा कर घर का
हर कोना कोना चमकाती हैं
उलझी बिखरी ज़ुल्फ़ों को
ज़रा सा वक्त़ नही दे पाती हैं
ये गृहिणियाँ भी
थोड़ी पागल सी होती है।।
किसी के बीमार होते ही,
सारा घर सिर पर उठाती हैं
कर अनदेखा अपने दर्द
सब तकलीफ़ें टाल जाती हैं
ये गृहिणियाँ भी
थोड़ी पागल सी होती हैं ।।
खून पसीना एक कर
सबके सपनों को सजाती हैं
अपनी अधूरी ख्वाहिशें सभी
दिल में दफ़न कर जाती हैं
ये गृहिणियाँ भी
थोड़ी पागल सी होती हैं।।
सबकी बलाएँ लेती हैं
सबकी नज़र उतारती हैं
ज़रा सी ऊँच नीच हो तो
नज़रों से उतर ये जाती हैं
ये गृहिणियाँ भी
थोड़ी पागल सी होती हैं।।
બધાંની અલાબલા માથે લઈને
एक बंधन में बाॅंध कर
कई रिश्तें साथ ले चलती हैं
कितनी भी आए मुश्किलें
प्यार से सबको रखती हैं
ये गृहिणियाँ भी
थोड़ी पागल सी होती हैं।।
मायके से सासरे तक
हर जिम्मेदारी निभाती है
कल की भोली गुड़िया रानी
आज समझदार हो जाती हैं
ये गृहिणियाँ भी…..
वक्त़ के साथ ढल जाती हैं ।।
અજ્ઞાત : હિન્દી : મુક્તાનુવાદ : ગુજરાતી
![]()


આજે ૨૬મી જાન્યુઆરી. આજના દિવસે ૧૯૫૦માં ભારત પ્રજાસત્તાક થયું હતું અને બંધારણ અસ્તિત્વમાં આવ્યું હતું. મને કોઈ પૂછે કે આઝાદી દિન અને પ્રજાસત્તાક દિનમાં કોની ઉજવણી વધારે ઉમંગ અને ઉત્સાહથી કરવી જોઈએ, તો હું કહીશ કે પ્રજાસત્તાક દિનની. ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે અંગ્રેજો ભારતને આઝાદ કરીને સત્તા સોંપીને જતા રહ્યા હતા. કોને સત્તા સોંપી હતી? ભારતની પ્રજાનું પ્રતિનિધિત્વ કરતા વિવિધ પક્ષોની બનેલી વચગાળાની રાષ્ટ્રીય સરકારને સત્તા સોંપીને અંગ્રેજો ગયા હતા, ભારતની પ્રજાને નહીં.
બંધારણના મુસદ્દાને ૧૯૪૯ના સપ્ટેમ્બર મહિનામાં અંતિમ રૂપ અપાઈ ચૂક્યું હતું. એ મુસદ્દાને બંધારણસભાએ ૧૯મી નવેમ્બરના રોજ માન્યતા આપી હતી. એ નિમિત્તે ‘હિંદુસ્તાન ટાઈમ્સે’ બંધારણનો મુસદ્દો ઘડનારી સમિતિના એક મહત્ત્વના સભ્ય કનૈયાલાલ મુનશીને ભારતના બંધારણના ભાવિ વિશે એક લેખ લખવાનું કહ્યું હતું. મુનશીએ પહેલી ઓક્ટોબર ૧૯૪૯ના ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ના અંકમાં લખ્યું હતું કે એકંદરે બંધારણમાં ક્લ્પેલા અને દર્શાવેલા ભારતના પક્ષે રાષ્ટ્રીય સર્વસંમતિ છે, પણ તેની સામે જોખમ પણ છે. જો ભવિષ્યમાં સામ્યવાદીઓ પ્રજાનું સમર્થન મેળવશે અને પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવશે તો તેઓ ભારતમાં સામ્યવાદી તાનાશાહી લાગુ કરશે અને ભારતમાં અરાજકતા સર્જાશે અને જો હિંદુત્વવાદીઓ પ્રજાનું સમર્થન મેળવશે અને પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવશે તો તેઓ ફાસીવાદી રાજ્યને લાગુ કરશે. મુનશીના શબ્દોમાં, “If the C.P.I. wins India will be in chaos and if the R.S.S. wins India may lapse into a strong Fascist state.”