આ ટારઝન જેવા કોઈ કાલ્પનિક પાત્રની કે ઘનઘોર જંગલમાં રહેતા કોઈ ચીલાચાલુ આદિવાસી માણસની વાત પણ નથી. આ એવા એક માણસની વાત છે કે, જેણે બ્રહ્મપુત્રા નદીમાં સાવ બંજર બની ગયેલા ટાપુ પર આખેઆખું જંગલ ઊગાડ્યું છે! એણે ખાલી વૃક્ષો જ વાવ્યાં નથી, પણ એવી સૃષ્ટિ ખડી કરી છે; જેમાં વન્ય પ્રાણીઓ પોતાની જાતે વસવા આવી ગયાં છે – હરણ, વાંદરા, સસલાં, સાપ, વાઘ, હાથી અને ગેંડા સમેત!
૩૧, ઓક્ટોબર – ૧૯૫૯ના રોજ આસામના જોરહટ જિલ્લાના કોકિલામુખ નજીક આવેલા એક ગામમાં મિશિન્ગ જાતિમાં જન્મેલ જાદવ પિયાન્ગ ૧૯ વર્ષનો હતો; ત્યારે એના ગામની નજીક બ્રહ્મપુત્રા નદીમાં આવેલા સાવ વેરાન પણ વિશાળ ટાપુ પર તેણે પૂરના કારણે તણાઈ આવેલા મરેલા સાપ જોયા. તેને ખ્યાલ આવ્યો કે, આ સાપ ભૂખના કારણે મરી ગયા હતા. એ વિશાળ ટાપુ પર સમ ખાવા માટે પણ કોઈ વૃક્ષ કે નાનાં સરખાં જાનવર કે પક્ષીઓ ન હતાં. તેના મગજમાં વિચાર આવ્યો કે, અહીં વૃક્ષો વાવે તો જાનવરો અને પક્ષીઓ રહેતાં થાય.
બસ, આ જ એક વિચાર અને તેણે વાંસનાં બી લાવીને ૨૦ રોપા વાવ્યા અને મોટા થયા ત્યાં સુધી તેમની માવજત કરી. થોડાંક જ વર્ષ થયાં અને આવી વિશાળ નદી અને ભરપૂર વરસાદના સબબે એક નાનકડું વાંસનું જંગલ ઝડપભેર ફેલાવો કરવા લાગ્યું. લગ્ન થયા બાદ તેની નવોઢા બિનિતા સાથે તેણે આ બગીચામાં એક ઝૂંપડું બાંધ્યું અને પોતાના ગામમાંથી ઢોર લાવી રહેવા લાગ્યો. પશુપાલનમાંથી બન્નેનો ગુજારો થવા લાગ્યો અને સાથે સાથે અવનવી જાતનાં વૃક્ષોની વસાહત પણ બન્ને ઉમેરવા લાગી ગયાં.
થોડાંક જ વર્ષોમાં એ નાનકડું વન એની મેળે વિસ્તરવા લાગ્યું. એમાં પક્ષીઓ, વાંદરા, સસલાં વગેરે જીવો પણ વસવાટ કરવા લાગ્યાં. અને લો! દૂર દૂરથી આકર્ષાઈને એક ગેંડા દમ્પતી પણ એમનું પાડોશી બની ગયું! અને શિકારની શોધમાં આવીને આ જંગલમાં વાઘ પણ વસવા લાગ્યા. ૨૦૦૮ની સાલમાં ૧૧૫ હાથીઓના એક ધણે એક ગામમાં થોડોક વિનાશ કર્યો હતો, તેની શોધ કરતાં કરતાં આસામના વન વિભાગના અધિકારીઓને, જ્યાં હાથીઓએ કામચલાઉ નિવાસ કર્યો હતો તેવા આ વનની જાણ થઈ. દર વર્ષે છ મહિના માટે હાથીઓ આ વનની મુલાકાત લે છે.
અલબત્ત આ જંગલમાં રહીને પશુપાલન કરવાનું જોખમી હતું, એટલે બન્ને જણ તેમનાં ત્રણ સંતાનો સાથે હવે નજીકના મિશિન્ગ ગામમાં પાકું મકાન બાંધીને રહે છે, અને પશુપાલન અને ખેતીથી તેમનો જીવન નિર્વાહ સરસ રીતે થાય છે.

જાદવે ૧૯૭૯માં શરૂ કરેલા આ નાનકડા અભિયાનને કારણે તેને ભરપૂર પ્રસિદ્ધિ મળી છે. ૧,૩૯૦ એકરમાં હવે વિસ્તરેલું આ વન તેના નામના એક અંશ પરથી મોલાઈ વન તરીકે વિશ્વ વિખ્યાત થયું છે. અનેક એવોર્ડોથી જાદવના કામની નવાજેશ થઈ છે. ૨૦૧૨ની સાલમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં તેને એનાયત કરવામાં આવેલ એવોર્ડની સાથે તેના વાઈસ ચેન્સેલર સુધીર કુમાર સોપોરીએ તેને ‘Forest man of India’ના નામથી ઓળખાવ્યો હતો. ત્યારથી આખી દુનિયામાં તે આ નામથી જાણીતો થયો છે. એની ચરમસીમા રૂપે ૨૦૧૫ની સાલમાં રાષ્ટ્ર્પતિના હસ્તે તેને ‘પદ્મશ્રી’ ઇલ્કાબ એનાયેત થયો હતો.

૨૦૧૮ની સાલમાં બહુ જાણીતી બનેલી ફિલ્મ ‘હાથી મેરે સાથી’ એના કામના આધાર પર અને મોલાઈ વનમાં બનાવવામાં આવી હતી. જાદવના આ કામનો ચિતાર આપતા એક બાળ પુસ્તકમાં એની આ તસ્વીર એને મળેલી પ્રસિદ્ધિનો ખ્યાલ આપે છે –
વાચકોને એ જાણીને નવાઈ થશે કે, આ પરિચય લખનારને અમેરિકાના એક સાવ નાના સ્થાનિક પુસ્તકાલયના બાળ વિભાગમાં નીચેના પુસ્તકમાંથી થઈ હતી!

https://www.youtube.com/watch?v=MptiEZ36024
સંદર્ભ –
https://www.oneearth.org/reforestation-hero-jadav-payeng/u
https://en.wikipedia.org/wiki/Jadav_Payeng
e.mail : surpad2017@gmail.com
![]()



‘જય ભીમ’ નારો આજકાલ સંઘર્ષનું પ્રતીક બન્યો છે એના કરતાં આંબેડકરની ભક્તિનું પ્રતીક વધારે બની ગયેલો લાગે છે. આંબેડકરે તો ન્યાય માટે સંઘર્ષ કરવાનું શીખવ્યું હતું, ભક્તિ કરવાનું નહીં. તેમણે પોતે બંધારણ સભામાં તા.૨૫-૧૧-૧૯૪૯ના રોજ છેલ્લું ભાષણ આપતાં કહ્યું હતું કે, “ધર્મમાં ભક્તિ આત્માની મુક્તિનો માર્ગ હોઈ શકે છે. પરંતુ રાજકારણમાં ભક્તિ અથવા વીરનાયકની પૂજા પતન અને છેવટે તાનાશાહીનો માર્ગ નિશ્ચિત બનાવે છે.” આ માણસની ભારત વિશેની દીર્ઘદૃષ્ટિ તો જુઓ! આજના અંધ રાજકીય ભક્તિયુગને કેવી રીતે જોવો જોઈએ?
મહાન વિદ્વાન ભાષ્યકાર અને ૧૯૪૧ના અંગ્રેજ શાસન સામેના પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી એવા વિનોબા ભાવેએ જગતના ઇતિહાસનું એક અભૂતપૂર્વ આંદોલન ચલાવ્યું હતું : ભૂદાન આંદોલન. તેમાં ૧૯૫૦ના દાયકામાં દેશના ધનવાન ખેડૂતોએ ગરીબ ખેતમજૂરોને પોતાની ૫૦ લાખ એકર જમીન દાનમાં આપેલી અને હજારો ગરીબો જમીનના માલિકો બનેલા. આવી અહિંસક ક્રાંતિ જગતના ઇતિહાસમાં, તેની અનેક મર્યાદાઓ છતાં, થઈ હોવાનું જાણમાં નથી.
સાબરમતી આશ્રમના હૃદયકુંજ કરતાં પણ વધારે સાદગીયુક્ત લાગે આ આશ્રમ. એમ થાય કે આવો મહાન માણસ આવી ઝૂંપડીમાં રહેતો હતો! આશ્રમની સૌ પ્રથમ ઝૂંપડી એટલે આદિ નિવાસ. સો રૂપિયાથી વધુ ખર્ચ ન જ થવું જોઈએ એ બાંધવામાં એવી એમણે સૂચના આપેલી! એ ઝૂંપડામાં જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલ સહિતના કેટકેટલા મહાન નેતાઓ આવતા હતા!



