क्यों हमें घसीटा जा रहा है ।
जंगलों से दूर ।
मैं इस देश का वासी हूं ।
मूल निवासी हूं ।
हा, मैं आदिवासी हूं ।
ये जंगल
ये नदियां
ये पेड़ पर्वत
हमारे आशियाने है ।
हमें नहीं चाहिए कोई अहसान ।
नाही कोई पहचान ।
यह जिंदगी का हाल हमें जीने दो ।
जैसा है वैसा किरदार हमें निभाने दो ।
मैं कहता रहा
इस देश के विकासी को ।
पर उसने एक न सुनी मेरी
हमारे घरों पे चला दिए बुलडोजर ।
और हमें कर दिया बेघर ।
औरते
और
बच्चे-बुजुर्ग रोते रहे ।
मैं चल पड़ा ।
कहीं दूर
नया आशियाना ढूंढने ।
e.mail : Shiyalmanish1996@gmail.com
![]()


ગાંધીજીનો જ્યાં અને જ્યારે જન્મ થયો હતો એ કાઠિયાવાડમાં જાણે કે સમય થીજી ગયો હતો. તો બીજી બાજુ યુરોપમાં સમયે એવી કરવટ બદલી હતી અને એવો નવો ચહેરો ધારણ કર્યો હતો કે તેનાં પ્રભાવ અને પરિણામથી ભાગ્યે જ કોઈ અક્ષુણ નહોતું. ભારતના સનાતની મુસલમાનો અને સનાતની હિંદુઓ પણ તેના પ્રભાવથી મુક્ત નહોતા. તેમની સનાતનતા પશ્ચિમ સામેની પ્રતિક્રિયારૂપે હતી. પહેલાં એક નજર યુરોપ પર કરી લઈએ.
ગાંધીજીની આત્મકથામાં તેમણે ભારતીય રાષ્ટ્રની મહાનતાની, મહાન આર્યાવર્તની, મહાન હિંદુ ધર્મની, ભારતનાં ઉજ્વળ ઇતિહાસની, ભારતની ગુલામીની, અંગ્રેજો દ્વારા કરવામાં આવતાં શોષણની અથવા બીજા અંતિમે આંખ ખોલી આપીને અંગ્રેજોએ આપણા પર કરેલા ઉપકારની, ભારતના અધિકારોની, પશ્ચિમ કે પૂર્વ વચ્ચે કોના ચડિયાતાપણાની, પહેલો સુધારો કે પહેલું સ્વરાજ વગેરેની કોઈ વાતો જોવા નથી મળતી; જે એ દિવસોમાં ફેશનમાં હતી. ગાંધીજીનો જન્મ કાઠિયાવાડમાં થયો હતો અને તે છતાં ગાંધીજીએ તેમની તરુણાવસ્થામાં કાઠિયાવાડમાંની સામંતશાહી અને આધુનિકતા વચ્ચે કોઈ પ્રકારનો ઝઘડો અનુભવ્યો હોય એનો ઉલ્લેખ પણ તેમની આત્મકથામાં મળતો નથી.
રામ મંદિરની ચળવળ શરૂ થઇ 1984માં, જ્યારે 1988માં વિશ્વ હિંદુ પરિષદે લોકોને કાર સેવામાં જોડાવા અપીલ કરી. કાર સેવા એટલે કે અયોધ્યામાં મંદિર બનાવવામાં સ્વૈચ્છિક સેવા આપવી. એક જૂનાં લખાણનો સંદર્ભ લઇએ તો રાજકીય વિશ્લેષક વિષ્ણુ પંડ્યાને મતે જ્યારે 50ના દાયકામાં સોમનાથનું મંદિર પુનઃનિર્મિત થયું જેની પાછળ સરદાર પટેલ અને કનૈયાલાલ મુનશીનાં પ્રેરણા અને પ્રોત્સાહન હતાં તે પછી રામ જન્મભૂમિ અયોધ્યામાં બાબરી મસ્જિદ જમીનદોસ્ત કરી નાખી ત્યાં રામ મંદિર બનવું જોઇએ તેવી લાગણી અને વિચાર મજબૂત બન્યા. સોમનાથમાં છઠ્ઠી સદી જેટલું જૂનું શિવ મંદિર અનેક વાર તૂટ્યું અને તે ફરી બંધાયું પણ અને છેલ્લે 1665માં મુગલ બાદશાહ ઔરંગઝેબે સોમનાથનો ધ્વંસ કર્યો અને પચાસના દાયકા સુધી તો તે જિર્ણ શિર્ણ હાલતમાં હતું, જ્યાં સુધી ભારતને સ્વતંત્રતા અને નવા વડાપ્રધાન મળ્યા અને તેના જિર્ણોદ્ધારનો નિર્ણય ન થયો. જો કે નહેરુ એમ માનતા હતા કે સોમનાથના પુનઃઉદ્ધારને આટલું મોટું સ્વરૂપ ન આપવું જોઇએ અને ગુજરાતના જ અગ્રણી અને ત્યારે ખાદ્ય અને કૃષિના મંત્રી હતા તેવા કનૈયાલાલ મુનશીને મતે ભારતની “કલેક્ટિવ સબકોન્શિયસનેસ” સોમનાથના જીર્ણોધ્ધારથી રાજી હતી. બાર જ્યોતિર્લંગમાંનું એક ગણાતું હોવા છતાં ય જ્યારે સોમનાથનો ઉદ્ઘાટન પ્રસંગ હતો ત્યારે રાજેન્દ્ર પ્રસાદ ત્યાં જવા તૈયાર થયા તેની સામે નહેરુએ વાંધો લીધો હતો અને કહ્યું હતું કે આટલા દેખાડાની જરૂર નથી, આ જ બઘું સમયાંતરે ધીરે ધીરે થઇ શક્યું હોત અને તમે આ પ્રસંગે ન જાવ તો ઠીક રહેશે તેમ હું માનું છું. આ કહેવા છતાં ય રાજેન્દ્ર પ્રસાદ ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા અને 5મી ઑગસ્ટે જેમ સંપ અને એકતાની વાત સંબોધનમાં કરાઇ તેવી જ વાત સોમનાથના ઉદ્ઘાટન પ્રસંગે પણ કરાઇ. ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ ટાંક્યું છે કે નહેરુ માનતા કે કોઇપણ ધર્મ કે ધર્મસ્થળ સાથે રાષ્ટ્રપ્રમુખોએ ન જોડાવું જોઇએ. વિશ્વ હિંદુ પરિષદે કરેલી શિલાન્યાસ યાત્રા અને સોમનાથથી નિકળેલી રથયાત્રા રામ મંદિર મુવમેન્ટમાં સીમા ચિહ્ન રહ્યાં. આ બંન્ને ઘટનાઓ પછી અયોધ્યામાં રામ મંદિર બનવું જોઇએ તેવું કહેવામાં ઉત્તર પ્રદેશના લોકોની સાથે સાથે ગુજરાતના લોકો ય મોટી સંખ્યામાં જોડાયા. 450 વર્ષથી મંદિર બને તે માટે જે પણ સંઘર્ષ ચાલી રહ્યો હતો તેમાં અત્યાર સુધીમાં ચાર લાખનાં જીવ ગયાં છે એવું વી.એચ.પી.ના પ્રવીણ તોગડિયાએ એક જૂના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું.