પારુલ ખખ્ખરની કવિતાને જેમણે અ-કવિતા જાહેર કરી એમને પ્રતિકારના કાવ્યશાસ્ત્રની કેટલી ખબર હશે એ રામ જાણે. ગુજરાતીમાં પ્રતિકાર કવિતા ઘણી લખાઈ છે. સરૂપ ધ્રુવની ’સળગતી હવાઓ’ એમાં આગલી હરોળમાં આવે. એ જ રીતે, દલિત કવિતા પણ આમ જુઓ તો પ્રતિકારની કવિતા છે. કટોકટી વખતે પણ પ્રતિકારનાં કાવ્યો લખાયેલાં. જેમણે એ પ્રકારનાં કાવ્યો લખેલાં એમાંના ઘણાબધા અત્યારે સંઘમાં કે સરકારમાં છે અને એમની સરકાર સામે કોઈ પ્રતિકારનાં કાવ્યો લખે તો એ કાવ્યો કાવ્યો છે કે અકાવ્યો એવા વાહિયાત પ્રશ્નો ઊભા કરતા હોય છે. આપણે નારીવાદી કવિતાઓનો પણ પ્રતિકારનાં કાવ્યોમાં સમાવેશ કરવો પડે. ગોધરા હિંસા પછી ઘણા સર્જકોએ પ્રતિકારનાં કાવ્યો લખ્યાં છે. એમાંનાં કદાચ કેટલાંક ગ્રંથસ્થ પણ થયાં હશે.
આટલું બધું પ્રતિકારનું સાહિત્ય લખાયું હોવા છતાં આપણા વિવેચકોએ એ સાહિત્યના આધારે પ્રતિકારના કાવ્યશાસ્ત્રની વાત કરી નથી. એવું બનવા પાછળ અનેક કારણો જવાબદાર છે. એક કારણ કદાચ સ્વરૂપવાદનો આગ્રહ પણ હોઈ શકે. જે સાહિત્યકારો સાહિત્ય અને સમાજની વાત કરતા હતા એ સાહિત્યકારોએ પણ આ પ્રકારના સાહિત્યના સંદર્ભમાં એક પ્રશ્ન તો પૂછ્યો જ છેઃ પણ આ કૃતિ સાહિત્ય બને છે ખરી? કહેવાનો મતલબ એ કે એ લોકોએ પણ પ્રતિકારનું કાવ્યશાસ્ત્ર રચવાનો પ્રયાસ કર્યો નથી.
હું માનું છું ત્યાં સુધી પ્રતિકારની કવિતાની ભાષા ચુસ્ત અર્થમાં mimetic નથી હોતી. એ પ્રકારની કવિતામાં ભાષા શસ્ત્ર બનીને આવતી હોય છે. જે ભાષા mimetic હોય એ કાં તો રૂપાન્તરવાદી હોય કાં તો અનુકરણવાદી હોય. પ્રતિકારની કવિતાની ભાષા રૂપાન્તર અને અનુકરણ બન્નેને ગૌણ મહત્ત્વ આપે છે. એમ હોવાથી એ પ્રકારની કવિતામાં શસ્ત્ર સાથે જોડાયેલા ભાવો જોવાના હોય. જેમ કે, એ પ્રકારની કવિતામાં આક્રોશ છે કે નહીં? એમાં હિંસા છે કે નહીં. એવાં સત્તાને target બનાવવામાં આવી છે કે નહીં? કવિએ સત્તાના કયા પાસાને target બનાવી છે? આ પ્રકારની કવિતા ભાવકને રસાનુભવ પછી કરાવે. પહેલાં તો એ ભાવકને લોહીલુહાણ કરે. ભાવકને પણ પડકારે. જ્યારે પા.ખ. ’રંગા-બિલ્લા’ શબ્દો વાપરે ત્યારે એમનો આશય કોઈને રંગા-બિલ્લા કહેવાનો નથી હોતો. એમને આશય ભાવકોને પડકારવાનો હોય છે. પછી એ જુદી વાત છે કે રાજ્યતરફી સાહિત્યરસિકોએ એમાં બીજું જ કંઈક જોયું હોય.
Mimeticના કાવ્યશાસ્ત્રને વરેલો કવિ જે કવિતા લખે એ સમાજને મોટે ભાગે બે વર્ગમાં વહેંચી નાખે. એક વર્ગ કહેશેઃ મને આ કવિતા ગમી. તો બીજો વર્ગ કહેશેઃ મને ન ગમી. પણ protest અથવા તો પ્રતિકારના કાવ્યશાસ્ત્રને વરેલો કવિ જે કવિતા લખશે એ પણ સમાજને બે વર્ગમાં વહેંચી નાખશે. એક કહેશેઃ હા યાર, મને કવિતા વાગી. અને બીજો વર્ગ કહેશેઃ ના, એ કવિતા નથી.
જ્યારે કોઈ એવું કહે ત્યારે માનવું કે એ માણસ વધારે ઘવાયો છે અને એને ઘા બતાવવા કરતાં સંતાડવામાં વધારે રસ છે.
(સૌજન્ય, ફેસબુક)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2021; પૃ. 06
![]()


‘પૃથ્વીનો છેડો ઘર’ એમ કહેવાયું છે, એ શું જેમને કાયમી ઘર હોય એના માટે જ? શહેરોમાં થોકબંધ લોકો બ્રિજ નીચે, ફૂટપાથ પર, રેલવે પ્લેટફોર્મ પર, રૅનબસેરામાં રહે છે એ જ એમનો પૃથ્વીનો છેડો ને? અરે, પિયર છોડીને સાસરે જતી યુવતીને મન ઘર કયું હોતું હશે? સમાજ ઠેરવે કે પરણ્યા પછી પતિનું ઘર એ જ ઘર પરંતુ દીકરીના હૃદયમાં પતિ અને પિતા બન્નેનાં ઘર વસેલા હોય છે. સંસાર ત્યાગ કરનારા સાધુ-સાધ્વીઓ માટે પૃથ્વીનો છેડો કયો? અનાથ આશ્રમ અને તરછોડાયેલી નારીઓ માટેની સંસ્થાઓમાં રહેતા, જેલમાં જન્મટીપની સજા કાપતા કેદીઓ, યુદ્ધ કે હવામાન પરિવર્તન કે કુદરતી હોનારતો, વગેરેને કારણે બનેલા વિસ્થાપિતો અને શરણાર્થીઓ — આ બધાં માટે ઘર એ કયું હશે? અમુક વ્યક્તિઓ ‘બૅક-પૅકર્ઝ’ બનીને વિશ્વ ખૂંદી વળે છે. એમને અનંત મુસાફર બનીને જ જીવવું પસંદ છે. વળી, ડાયસ્પૉરા સમાજો સંદર્ભે ‘ઘર’ની સમજમાં અનેક પાસાઓ ઉમેરાય છે. એટલે એમ કહી શકાય કે ઘરનો અર્થ સાપેક્ષ છે.
એટલે નકશા પરથી એનું અસ્તિત્ત્વ જ ખતમ થઈ જાય છે. ऐसा भी हो सकता है, ऐसा भी होता है?! પળવારમાં સ્થળ હતું ના હતું થઈ જાય છે. તો પછી વ્યક્તિ સ્થાયી (sedantary) મટી વિચરતું (non-sedantary) બની જાય એમાં શી નવાઈ.
વળી સાવરકરે અહિંસાની શ્રમણ પરંપરા અને ગાંધીજી એમ બન્ને ઉપર પ્રહાર કર્યો હતો અને બન્નેનો અસ્વીકાર કર્યો હતો. સાવરકરે તો છત્રપતિ શિવાજીની પણ ટીકા કરી છે. શા માટે ખબર છે? તમને તેમની (સાવરકરની) મર્દાનગીની વ્યાખ્યા જાણીને આશ્ચર્ય થશે. શિવાજીએ મુસલમાનોની છાવણી ઉપર આક્રમણ કર્યું હતું જેમાં કેટલાક સૈનિકો માર્યા ગયા હતા અને કેટલાક ભાગી ગયા હતા. તેમની સ્ત્રીઓને શિવાજીના સૈનિકો કબજે કરીને લઈ આવ્યા હતા અને શિવાજીને તેની જાણ કરી હતી. શિવાજી મહારાજે આદેશ આપ્યો હતો કે દુશ્મન મુસ્લિમ સિપાઈઓની સ્ત્રીઓની રક્ષા કરવાનો મારો ધર્મ છે. તેમને ઉની આંચ ન આવવી જોઈએ અને સહીસલામત તેમને તેમના ઘરે પહોંચાડી દેવામાં આવે. સાવરકર કહે છે કે આ શિવાજીની ભૂલ હતી. એ સ્ત્રીઓ એક તો મુસ્લિમ હતી અને એમાં પણ દુશ્મન સૈનિકોની સ્ત્રીઓ હતી. તેમનું યૌનશોષણ કરવાની છૂટ શિવાજી મહારાજે તેમના હિંદુ સૈનિકોને આપવી જોઈતી હતી. સાવરકર કહે છે કે માનવતાવાદી હિંદુ પરંપરાનું ભૂત શિવાજી મહારાજ ઉપર એટલી હદે સવાર હતું કે ‘સ્ત્રી દુશ્મનનું ધન છે’ અને તે સહીસલામત પાછું આપવાનું ન હોય એટલી વાત પણ તેમના ધ્યાનમાં આવી નહોતી. (કેટલાક વાચકોના મનમાં પ્રશ્ન થતો હશે કે આ વાત તમે ક્યાંથી લઈ આવ્યા તો તેમને જણાવી દઉં કે સાવરકરે ‘ભારતીય ઇતિહાસતીલ સહા સોનેરી પાન’ નામનું મરાઠી ભાષામાં એક પુસ્તક લખ્યું છે જેમાં તમને આ વાત મળી રહેશે.)