કાવ્યકૂકીઝ
0
હું પાનમાવા ખાતો નથી,
પણ એક્ટરોને જોઈને
મને પણ જીભ કેસરી કરવાનું મન થયું
આ લોકો મસાલામાં પણ કેસર ખાતાં હોય
તો આપણે શું ગુનો કર્યો?
મારા બાપાને ખબર પડી તો
એમણે ય કહ્યું : એક પડીકી મારી પણ લાવજે.
મારો છોકરો બોલ્યો : હું પણ ખાવાનો.
છોકરી : ભાઈ ખાય તો હું પણ ખાવાની.
પત્ની પણ ટહુકી :
મસાલાથી પેટ ભરાતું હોય તો મારે રાંધવું મટે !
ને આખું ખાનદાન ઉપડ્યું માવાવાળાની દુકાને –
ઓર્ડર આપ્યો : પાંચ પડીકી !
દુકાનદાર બોલ્યો : પડીકી નહીં, પડીકાં આપું.
એટલે પાનમાવા નથી? – મેં પૂછ્યું.
એ બોલ્યો – પાનમાવો નથી, દૂધનો માવો છે.
અમે પાનવાળાને પહોંચ્યાં : પડીકી છે? પાંચ આપ !
એ બોલ્યો : આ છોકરી પણ ખાય છે, પડીકી?
: ના, એ પહેલીવાર ટ્રાય કરવાની છે.
પાનવાળો બોલ્યો : અક્કલ ઘાસ ચરવા ગઈ છે?
: કેમ એવું કહે છે? પડીકી તો એકટરો પણ ખાય છે.
: એ ખવડાવે, ખાય તો ગુજરી જાય !
: એટલે?
: એને તો પૈસા મળે એટલે ખાવાનું નાટક કરે.
: એટલે એ લોકો પૈસા માટે કરે આવું?
: હા.
: આપણને ખબર નહીં કે એકટરો પણ ગરીબ હોય !
: એક્ટર જેટલો મહાન એટલો વધારે ગરીબ !
: ભગવાન ભલું કરે એમનું …
0
અટપટું ચટપટું
0
– પપ્પા, નાની ગુજરી ગઈ, પછી નાના અહીં જ રહે છેને.
– હા, બેટા. એ હવે અહીં જ રહેવાના છે.
– એ તમારા કોણ થાય?
– સસરા.
– તમે એમને ત્યાં પણ રહેતા હતાને ?
– હા, હું ઘરજમાઈ હતો.
– તો એમને ઘરસસરા કહેવાય?
0
પત્ની : જરા મિસકોલ મારોને !
પતિ : કેમ મોબાઈલ જડતો નથી?
પત્ની : ના, ચશ્માં જડતાં નથી.
0
– પેટ્રોલ-ડીઝલ જી.એસ.ટી.માં નહીં લવાય.
– સારું. અમે કાર-સ્કૂટરમાં લાવીશું, બસ !
0
– સોરી, મહિલાઓને પ્રવેશ નથી.
– પણ, આ તો મહિલા મંત્રાલય છે.
– હા, પણ તાલિબાનનું છેને !
0
– તમને આ લોકોએ ગધેડા કહ્યા?
– હા.
– એમણે ગધેડા કેમ કહ્યા?
-એ તો કોઈ માણસને પૂછો તો ખબર પડે.
000
e.mail : ravindra21111946@gmail.com
![]()






1936માં જન્મેલા સતીશ કુમારે નવ વર્ષની ઉંમરે જૈન સાધુ તરીકે દીક્ષા લઈ બ્રહ્મચર્ય અને અપરિગ્રહવ્રત લીધું હતું. આઠ વર્ષ પછી તેમણે સાધુજીવન છોડ્યું અને વિનોબાજીના આશ્રમમાં જઈને રહ્યા. સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહાત્મા ગાંધી સાથે કામ કર્યું. આ બધા અનુભવોથી તેમને સામાજિક પરિવર્તન, અહિંસા અને અધ્યાત્મ વચ્ચેના સંબંધનો ખ્યાલ આવ્યો.
1901થી નોબેલ કમિટી દર વર્ષે નોબેલ પીસ પ્રાઈઝ આપે છે. મહાત્મા ગાંધીને શાંતિ માટેનું નોબેલ મળ્યું નહોતું તે માટે થોડા થોડા વખતે ચર્ચા થાય છે. ગાંધીઅભ્યાસી ઉર્વીશ કોઠારીએ એમના એક લેખમાં જણાવ્યું છે કે 1915માં ગાંધીજી ભારત આવ્યા ત્યારે પહેલું વિશ્વયુદ્ધ ચાલતું હતું. એટલે 1914થી 1916 સુધી, અને બીજા વિશ્વયુદ્ધ વખતે 1939થી 1943 સુધી, કોઈને શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ અપાયું નહીં. એ સિવાય ગાંધીજીના જીવનકાળ દરમિયાન 1923, 1924, 1928, અને 1932માં પણ નોબેલ પીસ પ્રાઇઝ જાહેર ન થયું. ગાંધીજીને શાંતિનું પ્રાઇઝ ન આપવા બદલ નોબેલ સમિતિએ ખુલાસા કરવા પડ્યા છે અને સમિતિના સભ્યોએ દિલગીરી પણ વ્યક્ત કરી છે. 1948માં ગાંધીજીને નોબેલ આપવા છ જગ્યાએથી ભલામણ થઈ હતી. ચર્ચાવિચારણાઓ પછી એ વખતનું શાંતિ ઈનામ ગાંધીજીના માનમાં કોઈને ન આપવું એવો નિર્ણય થયો હતો! 1989માં દલાઈ લામાને આ પારિતોષિક અપાયું, ત્યારે સમિતિના અધ્યક્ષે કહ્યું હતું કે 'એક રીતે એ મહાત્મા ગાંધીની સ્મૃતિને અંજલિ છે.'