ઝંખું છું સમયથી સમયની સારવાર,
લોહીલુહાણ હાલત થયું મન તારતાર.
રહેવા દે એ મન અહિંસાની વાત ન કર,
શકના ઘેરામાં પડ્યા છે ગાંધીના વિચાર.
હાંસિયામાં મૂક્યા છે જો ઘાવ હવે તો,
એકાદ વિચાર નીકળે ટોળાંની આરપાર.
તૂટી રહ્યા શ્વાસ કોઈ તો સાંધવા આવે,
છોડી દે તું ચિંતા સાગર ઈશ્વરને દરબાર.
સમયનાં વર્તુળમાં રહી થાય કદી ના બેર,
ખુદને હૂંફ આપી કાયમી કરી સારવાર.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()


પહેલાં સાવ એવું નહોતું. ગુજરાતી નાટ્ય વ્યવસાય એક જમાનામાં ઘણો વાઈબ્રન્ટ હતો, એટલું જ નહીં, જેને પારિવારિક કહી શકાય, મુદ્દા આધારિત કહી શકાય અને જેને અર્થપૂર્ણ કહી શકાય તેવાં નાટકો બનતાં હતાં અને તેના પરથી હિન્દી ફિલ્મો પણ બનતી હતી. એવી જ એક ફિલ્મ હતી “આરતી.” 1962માં આવેલી આ ફિલ્મમાં તે વખતની સુપરસ્ટાર મીના કુમારી આરતી ગુપ્તાની મુખ્ય ભૂમિકામાં હતી, અને તેની સાથે એટલા જ ખમતીધર અશોક કુમાર અને પ્રદીપ કુમાર હતા.
ગયા રવિવારે [28 ઑગસ્ટે], દિલ્હીના નોઇડામાં ગેરકાયદે બાંધવામાં આવેલાં સુપરટેક લિમિટેડનાં 32 માળનાં ટ્વિન ટાવર્સ તોડી પાડવામાં આવ્યાં, ત્યારે મીડિયાની હેડલાઇન્સમાં તેના માટે “ભ્રષ્ટાચારનાં ટાવર્સ” એવો શબ્દ વાપરવામાં આવ્યો હતો. 11 માળના લાઇન્સન્સ પર ત્રણ વાર રિવિઝન કરીને બંને ઈમારતને કેવી રીતે 32 માળ સુધી લઇ જવામાં આવી, તેમાં કેવી રીતે નિયમોનો ભંગ કરવામાં આવ્યો, કેવી રીતે વહીવટદારો, બિલ્ડરો અને રાજકારણીઓએ સાંઠગાંઠ કરી, કેવી રીતે ઘર ખરીદનારાઓને વંચિત રાખવામાં આવ્યાં અને કેવી રીતે 13 વર્ષ સુધી લોકોને કોર્ટના ધક્કા ખાવા પડ્યાં તેની એક એવી ભ્રષ્ટ વાર્તા આ ટ્વિન ટાવર્સ પાછળ છે, જે ભારતના લગભગ દરેક શહેરમાં નાના-મોટા અનેક ટાવર્સને પણ લાગુ પડે છે.