આરાધના ભટ્ટ : ડાયસ્પોરાનું મહામૂલું ઘરેણું ‘ઓપિનિયન’ રજત પડાવે પહોંચ્યું છે એ બદલ સૌપ્રથમ અભિનંદન આપું છું.
વિપુલ કલ્યાણી : તમારાં અભિનંદન માથે ચડાવું છું. એનો એક આનંદ પણ છે, છેવટે તો આ આપણો સહિયારો અવસર છે ને. હું તો કેટલા બધા સહભાગી લોકોને ચારે તરફ જોઉં છું અને માત્ર ગુજરાત કે ભારત નહીં, જગતમાં અનેક જગ્યાએ પથરાયેલા આપણા સાથી મિત્રો છે, અને એટલે જ આ અવસર સર્વસમાવેશક બને એવી એક ગણતરી મનમાં રહી છે. કોઈ પૂછે કે શા માટે રજત રાણ, તે પહેલાં મને એનો જવાબ દેવાનું મન થાય છે.એમાં એવું છે કે રજતને પચીસ વર્ષની વાત સાથે સાંકળું, અને રા’ણનું બહુ સરસ મજાનું વૃક્ષ આવતું અને એ રાયણનાં મીઠાં, મજેદાર ફળ. તો એને છાંયડે બેસીને એક પડાવ કર્યો છે. એવો પડાવ આ ‘ઓપિનિયન’નો છે. એના રજત પડાવે જે મહિનાભરના દર શનિવાર અને રવિવારે કાર્યક્રમો યોજાયા એની પાછળ મારા કરતાં વધુ ઉત્સાહી મારા ત્રણ મિત્રો છે. મારે એમને ત્રણેને સલામ કરવી જોઈએ. એક છે ડૉ. અશોક કરણિયા, જે અમદાવાદમાં છે, બીજા છે ડૉ. પંચમ શુક્લ જે અહીં છે અને અમારી ગુજરાતી સાહિત્ય અકાદમીના મહામંત્રી છે, અને ત્રીજા છે નીરજભાઈ શાહ. આ ત્રણ મિત્રોએ મન મૂકીને આ કાર્યક્રમની તૈયારી જે રીતે કરી એ જોઈને હું તાજ્જુબ થઈ જાઉં છું અને મને થાય છે કે યુવાનીને જો આપણે સરખી રીતે પોષતા હોઈએ તો એ આપણને ઉજાગર કરે એવું કામ આપી શકે એમ છે.

આ.ભ.ઃ હવે‘ઓપિનિયન’ની શરૂઆત ક્યારે, કેવી રીતે થઈ એની ભૂમિકા સમજાવશો? તમે કહો છો કે ‘ઓપિનિયન’ એ એક વિશેષણ છે.
વિ.ક.ઃ એમાં છેવટે તો પેલું વેદનું સૂત્ર, ‘સં ગચ્છધ્વં સં વદધ્વં સં વો મનાંસિ જાનતામ્’ છે. મૂળ તો એ છે કે ચારે તરફ ફેલાયેલા આપણી જમાતના માણસો, એમને અડતા-નડતા સવાલોને વાચા આપતા સમ-સામયિકો ક્યાંક તૂટ્યાં, ક્યાંક ઓછાં પડ્યાં, કોઈક પોતાના વાતાવરણમાં રહ્યાં. એટલે થયું કે આવું એક પ્લેટફોર્મ ઊભું કર્યું હોય તો? અને એ આધારે ૧૯૯૫માં આ થયું. અને એ થવામાં મારે બે વ્યક્તિઓને તો ખૂબ યાદ કરવા જોઈએ. એની પાછળ બધી જ રીતે, પછીતે રહીને બહુ મોટો ભોગ જો કોઈકે આપ્યો હોય તો તે કુંજે આપ્યો છે. એણે જે રીતે કામ કર્યું, એ લેખો જુવે-વાંચે, ટીકા પણ કરે, સમજણ પણ આપે, કારણ કે એનું વાંચન મારા કરતાં પણ અગાધ અને સમજણવાળું છે. એક તરફ એ છે અને બીજા મારા મિત્ર રમણભાઈ ડી. પટેલ. એ માણસે આંખ મીચીને ‘ઓપિનિયન’ને ઊભું કરવા માટે તન-મન-ધનથી એની પાછળ જે જહેમત ઉઠાવી છે … આવો મિત્ર મળવો આજે મુશ્કેલ. આ બંનેને યાદ કરીને મને સ્મરણ સાથે કહેવાનું મન થાય કે એ બંને ન હોય તો ઘણું બધું કદાચ ન પણ થઇ શકે. ગુજરાતી ડાયસ્પોરાનું પાટનગર લંડન હોય એમ અમે માનીએ છીએ. એટલે આપણા ગુજરાતી ડાયસ્પોરાના જે પ્રશ્નો છે એના વિવિધ મુદ્દાઓની રજૂઆત કરવા માટેના લેખો, કાવ્યો વગેરે બધું જ આપી શકાયું છે, અને એને આધારે કેટકેટલાં પુસ્તકો થયાં છે. એમાં પહેલું પુસ્તક તો જામનગરવાળા ડૉ. પ્રફુલ્લ દવેનું પુસ્તક હતું. એમણે દેશ-પરદેશમાં જે નાના-મોટા લોકો ગાંધીવિચારને આધારે મજબૂત કામ કરી રહ્યા છે એની ઝાંખી આપતી લેખમાળા આપેલી, એ પુસ્તક થયું. અને પછી તો કેટકેટલાં પુસ્તકો થયાં. એમાં આ ડાહ્યાભાઈવાળું છેલ્લું પુસ્તક થયું. અને હજુ બીજાં સાત-આઠ પુસ્તકો થાય એવી શક્યતા છે. એમાં દીપક બારડોલીકરનાં બે આત્મકથાત્મક પુસ્તકો, ‘સાંકળોની સિતમ’ અને‘ઉછાળા ખાય છે પાણી’ એ બે પુસ્તકો તમે જુવો ત્યારે તમને થાય કે આ સંસ્મરણોનાં પુસ્તકો ગુજરાતી સાહિત્યનાં મજબૂત પુસ્તકો બની શક્યાં છે.

'ઓપિનિયન'ના આ ત્રણે અવતારોમાં તંત્રી/સંપાદક વિપુલ કલ્યાણી સતત કાર્યશીલ રહ્યા છે અને દુનિયાના દરેક ખૂણામાંથી આવતાં લેખો, કથાવસ્તુ કેન્દ્રિત પોતીકી સામગ્રી પ્રકાશિત કરતા રહ્યા છે. વિપુલભાઈનાં ૪૦-૫૦ વર્ષની પત્રકારત્વની મજલમાં, કહો કે પત્રકારના ધર્મ અને ધૂનમાં, સંખ્યાબંધ મિત્રો-વાચકો-લેખકો સાથે અત્યારની પેઢીના માત્ર ‘ફેઇસબુકિયા મિત્રો’ જ નહીં, પણ અંતરંગ મિત્રો સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ સંબંધોનું સાતત્ય વિપુલભાઈએ જાળવી રાખ્યું છે. પ્રખર રોમન વક્તા અને વિચારક સિસેરો અને અંગ્રેજ નિબંધકાર-લેખક ફ્રાન્સિસ બેકનના મૈત્રીધર્મ પરનાં મંતવ્યો વિપુલભાઈએ જાણે કે રગેરગમાં વહાવ્યા છે!
— ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી
[તા. 25મીએ લોકાર્પિત થનારા પુસ્તક “એક ગુજરાતી, દેશ અનેક”ના પ્રકરણ 'મૈત્રી તે ઔષધ'માંથી]
••••••••
આ.ભ.ઃ મોટી સિદ્ધિ કહેવાય વિપુલભાઈ, એને માટે અભિનંદન શબ્દ ઓછો પડે એમ છે. મને ‘ઓપિનિયન’ નામ વિષે પ્રશ્ન થાય છે. આ નામ કેમ પસંદ કર્યું? ગાંધીજીના ‘ઓપિનિયન’ને અનુસરીને?
વિ.ક.ઃ ના, એ એક કારણ છે. પણ એમાં ‘ઓપિનિયન’નો જે અર્થ થાય છે એને માટે આપણે શબ્દો બોલીએ છીએ ‘મત’, ‘વિચાર’ વગેરે. એ બધા શબ્દો ભેગા કરીએ તો પણ ઓપિનિયન શબ્દમાં એનો અર્થ બેસતો નથી એવું મને લાગે છે. એ એક એવો શબ્દ છે જેનો અર્થ એક શબ્દમાં બાંધી શકાય એમ નથી. એ બહુ જ વિશાળ શબ્દ છે. એ એક ભૂમિકા સામે હતી, બીજી તરફ મહાત્મા ગાંધીનું ‘ઇન્ડિયન ઓપીનિયન’ તો ખરું જ, પણ અમારા ટાન્ઝાનિયાના ઝાંઝીબારમાં વર્ષો પહેલાં ‘જંગબાર ઓપીનિયન’ શરૂ થયેલું. અને હું વિલ્સન કૉલેજમાં મુંબઈ ભણતો ત્યારે ત્યાં એ.ડી. ગોરવાલા નામના એક આઈ.સી.એસ ઓફિસર હતા. એ નિવૃત્ત થયા પછી એમણે ‘ઓપિનિયન’ નામની પત્રિકા બહાર પડેલી. એ પોતે બહાર નીકળીને લોકોને વહેંચતા, એ મેં જોયેલું. એમાં જે વિચારો મૂકતા, એ મુખ્ય પ્રવાહનાં છાપાંઓ અને સામયિકો પણ લેતાં ડરે એવી સામગ્રી હતી. એટલે આ ત્રણનો એકીસાથે પ્રભાવ આમાં વર્તાય એવું એક ચિત્ર સતત મારા મનમાં રહ્યું છે.
આ.ભ.ઃ પછી સમય સાથે એના સ્વરૂપમાં ઘણા ફેરફારો થયા અને એ દરમ્યાન તમે ઘણા સંઘર્ષો પણ સહ્યા હશે.
વિ.ક.ઃ હા, શરૂઆતનાં પંદર વર્ષ તો એ મુદ્રિત સ્વરૂપે આવતું, પછીનાં ત્રણ વર્ષ ડિજિટલ સ્વરૂપે પી.ડી.એફ.માં આવતું, અને એ પછીનાં બાકીનાં વર્ષોમાં તો એ સંપૂર્ણપણે વેબસાઈટ ઉપર ગયું છે. અને હવે તો રોજેરોજ કંઈક નવી સામગ્રી એની વેબસાઈટ ઉપર મૂકાતી આવે છે. અત્યારે તમે પાનું ખોલીને જોશો તો ૭૩ લાખ, ૬૩ હજારથી વધુ એની હીટ થઇ છે, મારે મન આ નાની સંખ્યા નથી. એના વાચકો માત્ર યુનાઈટેડ કિંગ્ડમ અને ભારતમાં નથી, પણ નાના નાના દેશોમાં પણ એના વાચકો છે. પાકિસ્તાનના મિત્રો પણ ‘ઓપિનિયન’ જોતા હોય છે … અને સંઘર્ષો તો પુષ્કળ. સૌથી પહેલાં તો લવાજમ ભરવું પડે. પણ એ તો કેટલાક મિત્રોએ સાચવી લીધા છે. સાથે સાડા ત્રણસો પ્રત છપાય નહીં એવી એની પરિસ્થિતિ, એનો ખર્ચ પાછળનાં વર્ષોમાં તો એટલો બધો હતો કે એની આવકમાંથી તો કશું મળતું જ નહોતું. એટલે એ તો સહન કરવાનું જ હતું. આપણે જે નાની-મોટી પ્રવૃત્તિઓ કરીએ છીએ એમાં આ સંઘર્ષ આપણને ઘણાને લાગે. આમ કહેવાય આપણા ગુજરાતીઓ પાસે છનાછન છે, પણ આવી પ્રવૃત્તિઓનું એમાં કોઈ સ્થાન નથી. જાત મહેનત ઝિંદાબાદ સિવાય આપણી પાસે એનો કોઈ જવાબ જ નથી.
આ.ભ.ઃ સંપાદનની પ્રક્રિયા પણ કઠિન છે અને ઘણો સમય માંગી લે એવી છે, આટલી બધી વાંચન સામગ્રી ‘ઓપિનિયન’ની વેબસાઈટ પર મૂકાય છે, એ બધું કઈ રીતે થાય છે?
વિ.ક.ઃ સામાન્ય રીતે જે તે વાક્યરચના, વ્યાકરણ અને જોડણી તપાસીને, સુધારીને, મને જે સમજાય તે રીતે એને જવા દઉં છું. વખત લાગે છે. અંગ્રેજીનો વિભાગ છે, ગુજરાતી છે, ક્યારેક હિંદી લેખો પણ આવે છે. એટલે આ બધું જોતાં કામ વધી પણ જતું હોય છે, પણ થાય છે. અત્યાર સુધી થયા કર્યું છે, કેટલું લાંબુ ચાલશે એ મને બહુ ખબર નથી. પણ એ શરૂ કર્યું ત્યારે કુંજની દસ વર્ષની મર્યાદા હતી, મારી પંદર વર્ષની હતી, એ વધીને આજે પચીસે પહોંચાયું છે. આ છવીસમું વર્ષ છે એટલે મને ખબર નથી કે હવે કેટલું લાંબુ ખેંચી શકાશે. ક્યારેક એવું થાય કે મારે જે લેખ લખવા હોય, જે લખાણ કરવું હોય એને માટે પણ મને પૂરતો સમય જોઈએ છે. એટલે મારે ક્યાંક તાલમેલ કરવો પડે એવું લાગે છે.
આ.ભ.ઃ એનો વાચકવર્ગ દુનિયાભરમાં ફેલાયેલો છે, છતાં આજે એવું કહેવાય છે કે આપણી ભાષાના ભાષકો અને વાચકોની સંખ્યા ઘટતી જાય છે. આ સંદર્ભે તમારો અનુભવ શું કહે છે?
વિ.ક.ઃ મને લાગે છે કે આ આખો મુદ્દો એક વાયકા, અથવા myth સમાન છે. આપણે આપણા કુંડાળાની બહાર નીકળતાં નથી. આપણા કુંડાળાની બહાર નીકળીએ તો મને લાગે છે કે વાચકવર્ગ તો છે જ. પણ એ વાચક વર્ગ સુધી આપણે પહોંચી શકીએ છીએ? અને એ કામ કરવા માટે આપણે કોની પાસેથી મિસાલ લઈ શકીએ? કોનો દાખલો લઈએ? તો મને તો ગાંધી સિવાય કોઈ માણસ દેખાતું જ નથી. એ જે રીતે સમાજના છેવાડાના લોકો સુધી જઈ શકે છે, એવું આપણે આપણી પ્રવૃત્તિ માટે કરીએ તો આપણી એક પણ પ્રવૃત્તિ તૂટે નહીં આવું મને લાગ્યા કરે છે. પણ વાચક તો છે જ, નહીં તો ‘ઓપિનિયન’ને આટલી બધી હિટ્સ ક્યાંથી આવે?
આ.ભ.ઃ તમે તો કહી દીધું કે આ ક્યાં સુધી ચાલશે એ ખબર નથી, પણ મારા મનમાં તો એ પ્રશ્ન હતો કે આવી રહેલાં પચીસ વર્ષમાં ‘ઓપિનિયન’ની દિશા વિષે તમે શું વિચાર્યું છે? હું આ પૂછું તે પહેલાં તો તમે પૂર્ણવિરામ મૂકી દીધું.
વિ.ક.ઃ ના, મેં પૂર્ણવિરામ નથી મૂક્યું, મેં અલ્પવિરામ મૂક્યું છે. એ બધું સ્વાસ્થ્ય ઉપર, પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે. એવું બની શકે કે એનું સંચાલન કરે, એને જાળવી શકે એવું કોઈક યુવાન માણસ જડી આવે. બીજું તો આપણે શું કરી શકીએ? જેમ વ્યક્તિનું મરણ તમે રોકી શકતા નથી એમ સંસ્થાનું, કે આવી એક ચળવળનું કે આવા એક કાર્યનું પણ ક્યાંક મરણ થાય તો એ તદ્દન સ્વાભાવિક વાત છે, કુદરતી વાત છે. એવું પણ બને કે આવતી કાલે એમાંથી જ કંઇક નવું પણ ઊભું થાય. પણ રગશિયા ગાડાની માફક ખેંચ્યા કરવાનો પણ કંઈ અર્થ નથી.
આ.ભ.ઃ વિપુલભાઈ, આપણે જ્યારે આવી કોઈક પ્રવૃત્તિ કરીએ ત્યારે આપણે એને ઘણું આપતાં હોઈએ છીએ, આપણો જીવ એમાં રેડીએ છીએ. પણ સામે આપણે કંઈક પામીએ પણ છીએ. અંગતપણે તમે આ કાર્યમાંથી શું પામો છો અથવા શું પામ્યા છો?
વિ.ક.ઃ આનંદ, કંઈક સારું કામ કર્યાનો આપણને સંતોષ મળે છે અને એનો આંનદ. અને એ આનંદ જ આપણને જીવાડે છે. બીજું, એને કારણે કેટકેટલા મિત્રો મળ્યા છે, કેટલા સારા મિત્રો મળ્યા છે અને એ મિત્રોએ ખૂબ પ્રેમ આપ્યો છે. એથી વધારે તો શું કહું?
[લિપ્યન્તર : આરાધનાબહેન ભટ્ટ]
[ઓસ્ટૃલિયાસ્થિત ‘સૂર સંવાદ’ રેડિયો’માં, રવિવાર, 04 ઍપ્રિલ 2021ના કાર્યક્રમમાં પ્રસારિત]
https://sursamvaad.net.au/vipool-kalyani-opinion-25/
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2021; પૃ. 03-04
![]()


આ યુગના અસામાન્ય ચિંતક પ્રૉફૅસર નોમ ચોમ્સ્કીએ ૨૦ નવેમ્બર, ૨૦૨૦ના રોજ, હાર્વર્ડ લૉ સ્કૂલના (HLS) પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ સાથે, સારી આવતીકાલ માટેની અપેક્ષાઓ અંગે વાર્તાલાપ કર્યો. માઈકલ લહાવીએ પ્રૉફૅસર ચૉમ્સ્કીના વાર્તાલાપનું સંચાલન કર્યું.

હવે અપેક્ષિત આયુષ્યમાં ઘટાડો થયો છે. જે વિકસિત સમાજોમાં અપૂર્વ છે સિવાય કે યુદ્ધ કે મહામારીના સંજોગો હોય. અર્થશાસ્ત્રીઓ જેને ‘ડૅથ્સ ઑફ ડિસ્પૅર’ (નાઉમેદીનાં મૃત્યુ) કહે છે, ખાસ કરીને શ્વેત કામદાર વર્ગ જેમણે ઉમેદ છોડી દીધી છે, એ લોકોનો આ આંકડામાં સમાવેશ નથી, એ આમ જ મૃત્યુ પામે છે. એમના માટે કોઈ જોગવાઈ નથી. આવું માત્ર યુનાઈટેડ સ્ટેટ્સમાં જ નહીં પરંતુ અન્ય પણ, યુરોપ અને બીજે ઠેકાણે બન્યું છે જેથી સ્વાભાવિક નારાજગી, ગુસ્સો, સંસ્થાઓ માટે તિરસ્કાર જન્મ્યાં છે. પશ્ચિમી વિશ્વ આખામાં મધ્યમસરના વિચાર ધરાવનાર પક્ષોનો અર્થપૂર્ણ રીતે હ્રાસ થયો છે. અહીં પણ એવું બન્યું છે. અહીં નામ એ જ રાખે છે, યુરોપમાં નામ બદલી નાખે છે. વિશ્વભરમાં કંઈક આવું જ બની રહ્યું છે. આ બાબતનું એ પાસું એ છે કે જેને નિત્જે ‘રીઝોન્તોમોં’ કહેતા હતા, માત્ર ગુસ્સો, કેન્દ્રિત ન થયેલી નારાજગી રાજકીય ચળવળિયાઓ માટે ખૂબ અનુકૂળ ભૂપ્રદેશ સાબિત થાય છે. એ આવીને તમને કહી શકે, “હું તમારો મસિહા છું, મારો ભરોસો કરો, મને અનુસરો”, એમ બોલતાં જાય ને તમારી પીઠમાં ખંજર મારતા જાય. છેલ્લાં ચાર વર્ષથી આપણે આ જ માહોલમાં જીવી રહ્યાં છે ને આવતાં ચાર વર્ષ દરમ્યાન પણ આમ જ રહેશે, ભલે ને જે પણ ઓવલ ઑફિસમાં સ્થાન ગ્રહણ કરે.
પયગંબરોનો આદર કરવાનો હોય ને ઢોંગી પયગંબરોને દોષિત ઠેરવવાના હોય. એ ઢાંચો ઇતિહાસમાં સળંગ જોવા મળે છે, આજ સુધી. સાંપ્રત સમયમાં એના માટે જુદાં શબ્દો વપરાય છે. ઢોંગી પયગંબરો પોતાને technocratic (તકનીકતંત્ર સંબંધી) અને meritocratic (લાયકાત જોઈને ચૂંટી કાઢેલા લોકોનું શાસન) બુદ્ધિજીવીઓ કહેવડાવે છે અથવા એવા કોઈ નામથી પોતાને ઓળખાવે છે. આ લોકો, જેમ કિસિંજરે એક વખત કહ્યું હતું, સત્તા ધરાવતા લોકોના મત અને વિચારો રજૂ કરે છે ને એમનું સારું ચાલે છે. તો બીજી તરફ, ટીકાકારો ને વિરોધીઓ છે જેમને તકલીફ પડે છે. કેવો સમાજ છે એની પર નિર્ભર છે, પરંતુ એક યા બીજી રીતે લગભગ દરેક સમાજ પાસે કાં તો એમને હાંસિયાકૃત કરવાનો અથવા એમની હત્યા કરવાનો અથવા એમનો કેદ કરવાનો અથવા એમની પર યાતના ગુજારવાનો કોઈ ને કોઈ રસ્તો હોય જ છે, સમજ્યા. પ્રોત્સાહનના માળખા જે તમે વર્ણવ્યા એના આધારે તમે આ અપેક્ષા કરો એ સ્વાભાવિક છે. ઇતિહાસમાં સતત આપણે આ જોઈ શકીએ છીએ. એટલે દા. ત. તરીકે તમે ‘બુદ્ધિજીવી’ શબ્દ લો. એનો આધુનિક ઉપયોગ ૧૯મી સદીના ઉતરાર્ધમાં ફ્રાંસમાં ડ્રાયફસ ટ્રાયલ વખતથી શરૂ થયો હતો. આધુનિક અર્થમાં ડ્રાયફસાર્ડ્સને બુદ્ધિજીવીઓ કહેવામાં આવ્યાં હતાં, એમાંના સૌથી જાણીતા એવાં ઍમિલ ઝોલા અને બીજાં હતાં. આજે આપણે ડ્રાયફસાર્ડ્સને માન અને આદરથી જોઈએ છીએ. એમના સમયમાં એવું નહોતું. એમની પર આકરા પ્રહારો થયાં હતાં. ઍમિલ ઝોલાને જીવ બચાવવા ફ્રાંસથી ઇંગ્લૅન્ડ નાસી જવાની ફરજ પડી હતી. ધી ઈમોર્ટલ્સ, ધી અકૅડૅમી ફ્રોંસેંસ — મહત્ત્વનું બુદ્ધિજીવી કેન્દ્રએ આપણી અદ્ભૂત સંસ્થાઓ, ન્યાયાલયો, સેના, વગેરેની નિંદા કરવાની હિંમત કરવા સારુ ડ્રાયફસાર્ડ્સની સખત ટીકા કરી હતી. ૧૯૬૮માં હાવર્ડ ભૂતપૂર્વ ડીન, મકજ્યોર્જ બંડીએ જેમને ‘wild men in the wings’ (રંગમંચના પડખાના બેકાબૂ માણસો) કહેલાં એવાં હતાં ડ્રાયફસાર્ડ્સ. જૉનસન, કેનેડીના રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર રહી ચૂકેલા હતા બંડી. ૧૯૬૮માં વિદેશ નીતિ પર એમણે એક મહત્ત્વનો લેખ લખેલો. તે સમયે શાંતિ ચળવળ ટોચે હતી. એ લેખમાં એમણે જવાબદાર, ગંભીર બુદ્ધિજીવીઓને તારવી બતાવેલા કે જેઓ આપણી યુક્તિપ્રયુક્તિઓની ટીકા કરે પણ એથી વિશેષ કશું નહીં. બીજી તરફ wild men in the wings હતાં મારા જેવા જે એમની નીતિઓની ટીકા કરવાની હિંમત કરતાં હતાં, એમના આયોજનનો તાગ મેળવવા એમની નીતિઓના લક્ષ્યો, હેતુઓ અને આંતરિક દસ્તાવેજો તપાસતાં. એ હતાં wild men in the wings. જેવું ઇતિહાસમાં સતત બનતું આવ્યું છે એવું આજ પણ બને છે, બરાબર છે? તો તમે શું કરશો? પસંદગી તમારી છે. (લહાવીને સંબોધે છે માટે man — એકવચનનો પ્રયોગ કર્યો છે) તમે wild man in the wings બનીને બધાંના સારા માટે કાર્ય કરી શકો છો અથવા પ્રલોભન સ્વીકારીને ધનવાન કોર્પૉરૅટ વકીલ બની શકો છો. ઠીક છે? પસંદગી તમારે કરવાની છે.
સરકાર પોતે સમસ્યા છે, નિરાકરણ નહીં. એટલે સરકાર સંકળાઈ નહીં. તેથી એમ કહી શકાય કે કોઈએ દડો ઉપાડ્યો નહીં. કરી શકાય એવી બાબતો હતી. ૨૦૦૯માં ઓબામા જ્યારે સત્તા પર આવ્યા ત્યારે પ્રથમ એમણે પ્રૅસિડૅનશ્યલ સાયન્ટિફિક ઍડવાઈઝરી કાઉન્સિલની મિટિંગ બોલાવી અને એમણે મહામારીને પહોંચી વળવાનો કાર્યક્રમ (pandemic response programme) તૈયાર કરવાનું કાર્ય સોંપ્યું. થોડાંક અઠવાડિયાઓમાં એ લોકો કાર્યક્રમ તૈયાર કરીને લાવ્યા અને ઓબામા સરકારે એનો અમલ કર્યો. ચીનમાં સંભવિત કોરોના વાયરસને ઓળખવાનો, એના લક્ષણો વિશે જાણવાનો કાર્યક્રમ અમૅરિકન વૈજ્ઞાનિકો એ ગણતરીએ પાર પાડી રહ્યાં હતાં કે જો કદાચ આ વાયરસ પ્રાણીમાંથી મનુષ્યમાં સંક્રમિત થાય અને મહામારી ફેલાય. ઓબામાના કાળ દરમ્યાન જાન્યુઆરી ૨૦૧૭ સુધી આ ચાલું રહ્યું. પછી પ્રૅસિડન્ટ ટ્રમ્પ ચૂંટાયા. ઑફિસ સંભાળ્યાના પ્રથમ દિવસોમાં જ એમણે pandemic response programmeનો અંત આણી દીધો. પછીનાં વર્ષોમાં ચીનમાં કાર્ય કરી રહેલાં અમૅરિકન વૈજ્ઞાનિકોના કાર્યક્રમોને ખતમ કરી દીધા અને એમનો નિકાલ કરી દીધો. ત્યારબાદનું પગલું, ખરેખર શરૂઆતથી, સેન્ટર ફૉર ડિઝિઝ કન્ટ્રોલને અપાતી નાણાંકીય સહાય બંધ કરી દીધી. આવું સરકારના આરોગ્ય સંબંધી તમામ પાસાઓ સાથે બન્યું. દર વર્ષે, દરેક બજેટમાં આ ચાલું રહ્યું. કૉંગ્રૅસે ક્યારેક એને અસફળ બનાવ્યું પરંતુ વ્હાઇટ હાઉસે હંમેશાં એની તરફેણ કરી. જનતાને રક્ષણ પૂરું પાડે એવી તમામ બાબતોની નાણાંકીય સહાય બંધ કરવાના ને એનો વિનાશ કરવાના પ્રયત્નો થતાં રહ્યાં વ્હાઇટ હાઉસમાં. આવું છેલ્લે બન્યું ફૅબ્રુઆરી ૨૦૨૦માં. મહામારી પૂરજોશમાં ચાલી રહી હતી. ટ્રમ્પનું બજેટમાં સેન્ટર ફૉર ડિઝિઝ અને સરકારના અન્ય આરોગ્યલક્ષી પાસાંઓ માટે કોઈ જોગવાઈ નહોતી કરવામાં આવી. આવતી ફૅબ્રુઆરીમાં આપણે આજ બાબતને નાણાં ફાળવીશું.
અમૅરિકન જીવવિજ્ઞાનની મહાન અને વરિષ્ટ હસ્તી, હાવર્ડના જીવવિજ્ઞાની અર્નસ્ટ માયરે એક વખત કહ્યું હતું કે આપણી પાસે જે એક ઉદાહરણ છે એ જો આપણે લઈએ, પૃથ્વી પરની જીવસૃષ્ટિ, તો માલુમ પડશે કે સૌથી સફળ પ્રજાતિઓ એ હોય છે જે જીવવિજ્ઞાનની દૃષ્ટિએ સફળ હોય. જેની સંખ્યા વિપુલ પ્રમાણમાં વધે છે ને જે જીવી જાય છે એ સાવ સામાન્ય હોય છે. બૅક્ટિરિયા, જંતુ, ભમરા, એને વાંધો આવતો નથી. બુદ્ધિના ધોરણ સંદર્ભે વાત કરીએ તો જેમ તમે ઉપરની તરફ વધો તો ઓછા ને ઓછા થતા જાય છે ને બહુ લાંબો સમય ટકી શકતા નથી. હકીકતે, નજીકના ભૂતકાળ સુધી એટલા બધાં મનુષ્યો નહોતા. લગભગ છેલ્લાં ૧૦ હજાર વર્ષોથી આ એક જ પ્રજાતિ છે અને માયરનું કહેવું છે કે આખા બ્રહ્માંડમાં અનેકો ગ્રહો છે. ફૅરમીઝ પૅરૅડૉક્સ વિશે તમે સાંભળ્યું હશે. ફૅરમી બહુ મોટા ભૌતિકશાસ્ત્રવિદ્ હતા. એ કહેતા કે બ્રહ્માંડ આખામાં આટલી મોટી સંખ્યામાં આપણા જેવાં કેટલાં ય ગ્રહો છે તેમ છતાં એમના પર બુદ્ધિશાળી જીવની કોઈ જ નિશાની શા માટે નથી? માયરનું સૂચન છે કે એક પણ નથી. મૂળ વાત કહીએ તો, હોંશિયાર હોવા કરતાં મૂર્ખ હોવું સારું છે. ઉચ્ચ બુદ્ધિના વિકાસનો અવકાશ ઓછો છે અને જો વિકાસ થાય તો પ્રાણઘાતક પરિવર્તન થાય. એમણે કહ્યું નથી પરંતુ હવે હું ઉમેરું છું કે એ પ્રાણઘાતક પરિવર્તન છે એ પુરવાર કરવાના પ્રયત્નની મધ્યે છીએ આપણે. પૃથ્વી પરની જીવનસૃષ્ટિનો વિનાશ થાય એવા વ્યવહારોની ઘેરાયેલાં છીએ આપણે. આપણે બહુ મોટા પાયે એવું કરી રહ્યાં છીએ, છઠ્ઠા વિનાશનો (sixth extinction) દાખલો લઈએ તો. આ બધાં જ અનેરા ગુણ, કદાચ બ્રહ્માંડના ઇતિહાસમાં એક માત્ર, ભાષાના અસ્તિત્વ પર આધારિત છે. એટલે તમારે ના કેવળ મનુષ્યોને પરંતુ બ્રહ્માંડની પ્રકૃતિ વિશે સમજ કેળવવી હોય તો આ વિષયનો અભ્યાસ રસપ્રદ બને છે.
પ્રૉફૅસર યુવલ નોઆ હરારીની વૅબસાઇટ 


હરારી : ના તો હું રાજકારણી છું કે ના તો રાજનૈતિક વૈજ્ઞાનિક. વળી, ઇઝરાયેલી સમાજનો તજ્જ્ઞ પણ નથી એટલે શું કરવું જોઈએ એ અંગે હું ચોક્કસપણે કંઈ કહી શકતો નથી, પરંતુ સામાન્યત: — અને આ ઘણા દેશોના સંદર્ભમાં સાચું છે ના કેવળ ઇઝરાયેલના સંદર્ભમાં, જેમ મેં કહ્યું તેમ, સરમુખત્યારીથી વિરુદ્ધ લોકશાહીમાં વિશ્વાસની જરૂર હોય છે. વધુમાં, રાષ્ટ્રવાદની પ્રબળ ભાવના પણ આવશ્યક છે, પરંતુ ખોટી સમજણવાળી રાષ્ટ્રવાદની ભાવના નહીં જે ઘણી વખત લોકોમાં જોવા મળે છે. સાંપ્રત સમયમાં મોટા ભાગના લોકો માને છે કે રાષ્ટ્રવાદનો અર્થ છે પરદેશીઓ અને લઘુમતીઓને ધિક્કારવા. પરદેશીઓને અને લઘુમતીઓને હું જેટલો વધુ ધિક્કારું એટલો વધુ રાષ્ટ્રભક્ત ગણાઉં. વિશ્વના ઘણા બધા નેતાઓ આવો સંદેશ આપી રહ્યા છે. આ સંપૂર્ણપણે ભૂલ છે. રાષ્ટ્રવાદનો અર્થ પરદેશીઓને ધિક્કારવાનો નહીં, પરંતુ તમારા દેશબંધુઓને પ્રેમ કરવાનો થાય છે. ઘણાં બધાં નેતાઓ જે પોતાને રાષ્ટ્રભક્તો ગણાવે છે તે એનાથી સાવ વિરુદ્ધ હોય છે. એ લોકો કેવળ પરદેશીઓ પ્રત્યે ઘૃણા કરવાની ઉશ્કેરણી નથી કરતાં, પરંતુ આંતરિક ઘૃણા કરવા પણ ઉશ્કેરણી કરે છે, એમના રાજનૈતિક વિરોધીઓને લોકતાંત્રિક રમતમાં કાયદેસરના હરીફ તરીકે જોવાને બદલે એમને દુશ્મન અને રાષ્ટ્રવિરોધી તરીકે જુએ છે. આના લીધે લોકશાહીનો વિનાશ થાય છે. સારી રીતે કાર્યરત રહેવા માટે લોકશાહીને સારા રાષ્ટ્રવાદની તીવ્ર ભાવનાની આવશ્યક્તા હોય છે. હું મારા રાજનૈતિક વિરોધીઓ સાથે સંમત ના હોઉં, એ લોકો ખોટા છે એવું હું માનતો હોઉં પરંતુ એ મારા દુશ્મન નથી, એ રાષ્ટ્રવિરોધી નથી. જો મને ચૂંટણી દ્વારા પદ હાંસલ થયું હોય તો મારે એમના હિતનું પણ ધ્યાન રાખવું પડે, ના કેવળ મારા સમર્થકોના હિતનું. આ પ્રકારના સ્વસ્થ રાષ્ટ્રવાદની આપણને તાતી જરૂર છે, જે તમામ બાબતોમાં દેખાય — રાજનૈતિક વાર્તાલાપથી લઈને ટૅક્સ ભરવાની મૂળભૂત બાબત સુધી. જો તમે યુ.એસ.નો દાખલો લો અને તાજેતરનાં પ્રકાશનો જુઓ તો કહેવાતા રાષ્ટ્રવાદી પ્રૅસિડન્ટ છે જે અબજોપતિ પણ છે જેમણે $૭૫૦નો વાર્ષિક ટૅક્સ ભર્યો છે, પ્રૅસિડન્ટ તરીકે. મારા મત મુજબ રાષ્ટ્રવાદની ખરી કસોટી ટૅક્સ ભરવામાં છે. અનેકમાંની એક મોટી કસોટી છે. પરદેશીઓને ધિક્કારવામાં નથી. તમે જે ટૅક્સ ભરો છો એનો અર્થ છે કે દેશના અન્ય ભાગમાં અજાણ્યા લોકોને, મને ખબર નથી, ઇઝરાયેલમાં લગભગ ૮ મિલિયન લોકો વસે છે, એમાંથી હું ૨૦૦ને અંગત ધોરણે ઓળખું છું, એટલે લગભગ ૭ મિલિયન ૮૦૦ જેટલા લોકોને હું ઓળખતો નથી. પરંતુ હું ટૅક્સ ભરીશ તો એમને સારું શિક્ષણ ને સારી આરોગ્ય સેવાઓ મળશે. આ રાષ્ટ્રવાદી કાર્ય કહેવાય. આધુનિક રાષ્ટ્રવાદનો આ ચમત્કાર છે કે એ પર્યાપ્ત પ્રેરણા પૂરી પાડે છે, કે જે અજાણ્યા લોકોને મળ્યા ના હોય તેમ છતાં બીજા લોકો એમની પર્યાપ્ત દરકાર કરે છે. હવે જો આ કકડભૂસ થઈ જાય, કેવળ એટલું જ નહીં કે તમે તમારા દેશમાં અમુક લોકોને તમારા દુશ્મન ગણો છો, પરંતુ તમે એમની દરકાર કરવાનું છોડી દો છો એટલે તમે ટૅક્સ ભરતા નથી. સરમુખત્યારી આવી રીતે કાર્યરત રહી શકે છે, લોકશાહી આ રીતે કામ ના કરી શકે.
ષડ્યંત્ર-સિદ્ધાંતો ઘડીને એમનો પ્રસાર કરીને તમે પ્રતિક્રિયા આપી શકો છો — બિલ ગેટ્સે વિશ્વ પોતાને હસ્તક કરવા લૅબૉરૅટરીમાં આ મહામારી સર્જી છે અથવા તમે શાણપણને પ્રોત્સાહન આપીને પ્રતિક્રિયા આપી શકો છો — વિજ્ઞાનમાં વિશ્વાસ રાખીને, એ સમજણ કેળવીને કે આ કટોકટીના સમયે વિજ્ઞાનને અનુસરવું યોગ્ય છે, નહીં કે આ ષડ્યંત્ર-સિદ્ધાંતોને માનીને. તમારે ઘૃણા નહીં પરંતુ કરુણા પેદા કરીને તમારા દેશમાં અને આખા વિશ્વમાં લોકોને સહકાર આપવાના માર્ગ શોધવા જોઈએ કારણ કે વાયરસની સરખામણીમાં મનુષ્યો પાસે જે લાભ છે તે આ છે — આપણે સહકાર આપી શકીએ છીએ, વાયરસ એવું કરી શકતા નથી. લોકોને ચેપ કેવી રીતે લગાડવો એ અંગે ચીનનો વાયરસ યુ.એસ.ના વાયરસને સલાહ નથી આપી શકતો, પરંતુ ચીન, યુ.એસ., ઇઝરાયેલ અને બ્રાઝીલના ડૉક્ટરો માહિતીની, એમનાં નિરિક્ષણોની, એમનાં પ્રયોગોની આપ-લે કરી સારવાર કરવા, વૅક્સિન તૈયાર કરવા માટે એકબીજાનો સહયોગ કરી શકે છે. માત્ર વાયરસ અંગેની સૂઝ વિકસાવવા સુધી વાત સીમિત નથી, વાત મનોવૈજ્ઞાનિક સૂઝ, આર્થિક સૂઝની છે. વિશ્વભરમાં દેશો એક સરખી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. દરેક દેશે એક સરખી ભૂલ શા માટે કરવી જોઈએ? ધારો કે એક દેશે કોઈ પ્રયોગ કર્યો ને પછી એના ખોટા નિર્ણયને લીધે થયેલા મનોવૈજ્ઞાનિક અને આર્થિક નુકસાનનો ખ્યાલ આવ્યો તો એ દેશે વિના સંકોચે બીજા દેશોને આ માહિતી આપવી જોઈએ. આવા વૈશ્વિક સહકારની આપણને જરૂર છે. માનવજાતિના સૌથી નિર્બળ સભ્યોને, માત્ર મહામારીથી નહીં, પરંતુ આર્થિક પરિણામો સામે રક્ષણ પૂરું પાડવા માટે આપણને વૈશ્વિક સુરક્ષા જાળની જરૂર છે. જો આપણે આટલું કરીશું તો ના કેવળ આ મહામારીનો સામનો કરી શકીશું પરંતુ ભવિષ્યમાં આવનારા આથી ય મોટાં સંકટોનો, જેવાં કે પ્રવર્તમાન હવામાન પરિવર્તન કટોકટી, આર્ટિફિશ્યલ ઇન્ટૅલીજન્સ (એ.આઈ.) અને ઑટૉમેશનનો વધતો પ્રભાવ, સામનો વધુ સારી રીતે કરી શકીશું. બીજી તરફ … ઐતિહાસિક પરિપ્રેક્ષ્યથી જોઈએ તો કોવિડ સરખામણીમાં નાનું સંકટ છે, રોગ તરીકે સરખામણીમાં ઓછો તીવ્ર છે. નાની મહામારી છે, મૃત્યુદરના સંદર્ભે ૧%થી પણ ઓછાં મૃત્યુ થાય છે. બલૅક ડૅથ કે ૧૯૧૮નો બીગ ઇન્ફ્લુએન્ઝા કે એડ્સ. ૧૯૮૦માં તમને ઍડ્સ થાય તો તમારું મૃત્યુ નિશ્ચિત હતું, મૃત્યુદર ૧૦૦% હતો. આની સરખામણીએ કોવિડ બહુ ઓછી તીવ્રતા ધરાવતો રોગ છે. આ જાણે એવું છે કે કુદરતે આપણને પ્રૅક્ટિસ બૉલ નાખ્યો છે, જોઈએ તમે કેવો સામનો કરો છો, હું ખરેખર મોટી બંદૂકો કાઢું તે પહેલાં — જેવાં કે હવામાન પરિવર્તન અને એ.આઈ. જો આપણે આ વાયરસ સામે એક પ્રજાતિ તરીકે એકતા નહીં કેળવીએ તો પર્યાવરણીય કટોકટી, ટૅકનૉલૉજીની દેન એવાં એ.આઈ. અને બાયો-ઍન્જિન્યરીંગને કેવી રીતે પહોંચી વળીશું એ વિચાર માત્ર ખૂબ ચિંતાજનક છે.