પરલોકવાદીઓને આપણું કહેવું એ છે કે આ પૃથ્વીથી બહાર ક્યાં ય અવકાશમાં આપણે કોઈ સ્વર્ગની ખોજ કરવી નથી. આ સમગ્ર પૃથ્વીને જ કાશી બનાવવી છે. મનુષ્ય કેવળ ચૈતન્ય નથી, તે શરીર પણ છે. તેહવામાં રહેતો નથી. બીજી ભૂમિકાવાળા જેઓ અર્થને પ્રાધાન્ય આપનારા સામ્યવાદીઓ છે તેને આપણે કહેવું છે કે કેવળઆ ર્થિક સમાનતા પ્રસ્થાપિત કરીને જ આપણે સમાધાન મેળવવાનું નથી. આપણે એક ડગલું આગળ ભરવું છે. મનુષ્ય કેવળ પાર્થિવ નથી, કેવળ માટીનું પૂતળું નથી. સાર્વત્રિક સંપન્નતા ન હોય તો આર્થિક સમાનતા ટકશે નહીં. સંભવ તો એ છે કે ફરીથી વિષમતાનાં બીજ અંકુરિત થવા લાગે. કેવળ સંપન્નતા પણ વિશુદ્ધ કલ્યાણકારી આંતરરાષ્ટ્રીયતાના વિકાસ માટે પર્યાપ્ત નથી. તે માટે દ્રવ્ય નિષ્ઠાથી વધુ તો માનવ નિષ્ઠાની જરૂર પડશે. આ માનવ નિષ્ઠા જ સામ્યયોગ છે. ગાંધીજી જ્યારે કહે છે કે ધાર્મિક, આર્થિક અથવા પ્રાદેશિક – આ બધા ભેદ કૃત્રિમ છે. માનવ માત્ર એક છે ત્યારે ગાંધીજીની આ ત્રીજી ભૂમિકા છે.
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 ફેબ્રુઆરી 2023; પૃ. 08
![]()


“અમે અસાધારણ દંપતી હતાં. ૧૯૦૬માં એકબીજાની સંમતિ પછી અને અજાણી અજમાયશ પછી અમે આત્મસંયમનો નિયમ નિશ્ચિત રૂપે સ્વીકાર્યો. આને પરિણામે અમારી ગાંઠ પહેલાં કદી નહોતી એવી દૃઢ બની તેથી મને ભારે આનંદ થયો. અમે બે ભિન્ન વ્યક્તિ મટી ગયાં. મારી એવી ઇચ્છા નહીં છતાં તેણે મારામાં લીન બનવાનું પસંદ કર્યું. પરિણામે તે સાચું જ મારું શુભતર અર્ધાંગ બન્યાં. તે હંમેશાં બહુ મજબૂત ઇચ્છાશક્તિવાળી સ્ત્રી હતાં, જેને નવપરિણીત દશામાં હું ભૂલથી હઠીલાં ગણી કાઢતો. પણ મજબૂત ઇચ્છાશક્તિને લીધે તે અજાણમાં જ અહિંસક અસહકારની કળાના આચરણમાં મારા ગુરુ બન્યાં.”
ચંપારણનું કામ તો ચાલુ જ હતું એટલામાં ખેડા જિલ્લામાં સત્યાગ્રહ શરૂ થયો ત્યારે બા પણ બાપુની સાથે ખેડા જિલ્લાનાં ગામોમાં ફરતાં હતાં. ક્યારેક બાપુની સાથે રહેતાં અને ક્યારેક એકલાં પણ ફરતાં.
૧૯૨૨માં બાપુજીને પકડવામાં આવ્યા અને છ વર્ષની સજા કરવામાં આવી. એ સજા સાંભળી આખો દેશ કકળી ઊઠ્યો. તે વખતનો બાનો સંદેશો એક વીરાંગનાને શોભે એવો છે :
બાપુએ આમ કહ્યું, કારણ કે બાની તત્ત્વનિષ્ઠા અને કાર્યશક્તિથી તેઓ પરિચિત હતા. બાના વ્યક્તિત્વથી આકર્ષાઈને છાવણીમાં સેંકડો બહેનોની ભરતી થઈ. સુરત શહેરમાં, પછાત ગણાતી કોમોમાંથી પણ સેંકડો બહેનો જિંદગીમાં પહેલી જ વાર જાહેર કામ માટે નીકળી પડી. તે સહુને હિંમત અને પ્રેરણા બા પાસેથી જ મળેલાં. ‘બા ક્યાં અંગ્રેજી ભણેલાં છે ? તેઓ આ કામ કરી શકે તો અમે તેમનો સાથ કેમ ન કરીએ ?’ બાના જીવનમાંથી તેમનામાં આત્મશ્રદ્ધા ઉત્પન્ન થઈ. પરિણામે અઠંગ છાકટા ગણાતા સુરત જિલ્લામાં દારૂતાડીનાં પીઠાં ઉપર ચકલુંયે ફરકતું નહીં. સરકારને નીતિનિયમ બાજુએ મૂકીને દારૂતાડીની ફેરી કરવા દેવી પડી. ગામડાંમાં પણ અત્યાર સુધી સભ્યતા જાળવી રહેલી સરકારે બહેનોને છાવણી માટે કોઈ મકાન ન આપે એવી તજવીજ કરી. પરંતુ બહેનો ડગી નહીં. માંડવા બાંધી એમાં છાવણી શરૂ કરી. માંડવા બળવા માંડ્યા અને વાસણકૂસણ જપ્ત થવા મંડ્યાં એટલે બાએ કહ્યું, ‘આપણે સાદગીનાં ઝૂંપડાં અને માટીનાં વાસણો જ રાખો. પછી શું લઈ જવાના છે ?’
બા બહુ જ આગ્રહી સ્વભાવની બાઈ હતી. નાનપણમાં હું એને જક્કીપણું ગણતો. પણ આ આગ્રહી સ્વભાવે તેને તદ્દન અજાણતાં અહિંસક અસહકારની કળા અને અમલમાં એને મારી ગુરુ બનાવી. પહેલાં અનેક વખત કારાવાસ ભોગવેલો હોવા છતાં આ વખતનો (૧૯૪૨-૪૪) કારાવાસ તેને જરા ય ગમ્યો ન હતો, જો કે આ વખતે શારીરિક સુખસગવડોની કશી જ કમી નહોતી. મારી પોતાની અને સાથે સાથે થયેલી બીજાં અનેકની ધરપકડને લીધે અને પછી તરત જ કરવામાં આવેલી એની પોતાની ધરપકડથી એને જબરો આઘાત લાગ્યો, અને એનામાં બહુ કડવાશ આવી ગઈ.
તુષારભાઈ ગાંધીએ લખેલી ડાયરીના છેલ્લાં પાનાંઓમાં આ અંજલિઓ વાંચતાં હૃદય દૃવી ઊઠ્યું, લેખકની અનુમતિથી અનુવાદ કર્યો. આમ તો આ કસ્તૂરબા(11 એપ્રિલ 1869 – 22 ફેબ્રુઆરી 1944)ની પણ તિથિએ પ્રકાશિત થાય તેવી ગણતરી.