તારું હોવાનું છે કમળનું ફૂલ,
જુઓ અમૃતનું સુર્જન પાણીમાં.
મૈત્રી પણ એક પ્રેમની સગાઈ છે,
પ્રેમનાં મારા ભીનાં કવન પાણીમાં.
વિયોગમાં બુઝાયા તારા પાંપણે,
ઉગમતી ચાંદની રડતી પાણીમાં.
એક પળ જો સેરવી લઉં કાળથી,
મિલનનાં મોતી દરિયાઈ પાણીમાં.
ખુશ્બો મ્હેકે છે અંગે અંગે હવે,
લીલી યાદ વહેતી કરી પાણીમાં.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()



સરકારી નોકરી છોડ્યાના બીજા જ દિવસે સવારે તેઓ કાઁગ્રેસના સભ્ય બન્યા હતા. કાઁગ્રેસના કાર્યકર તરીકે લોકસંપર્ક કરી સત્યાગ્રહની લડત માટે લોકોને જાગ્રત કરવાનું કામ કર્યું. થોડાં વરસમાં તેઓ કાઁગ્રેસના મંત્રી બન્યા. સત્યાગ્રહની લડતમાં મોરારજીભાઈની સક્રિયતા તેમના પાંચ કરતાં વધુ જેલવાસથી જણાય છે. ગાંધીજીને પત્ર લખી તેમણે આશ્રમમાં જોડાવાની મંજૂરી માંગી હતી અને જણાવ્યું હતું કે તેમને નિર્ભેળ રાજકારણમાં ખાસ રસ નથી. પરંતુ તેમની ઈચ્છાથી વિરુદ્ધ તેઓ સત્તાના રાજકારણમાં ખેંચાયા હતા. સૌ પ્રથમ ૪૧ વરસની ઉમરે ૧૯૩૭માં તેઓ અવિભાજિત મુંબઈ રાજ્યના બાળાસાહેબ ખેર મંત્રી મંડળના મહેસુલ મંત્રી બન્યા હતા. મોરારજીભાઈ ૫૬ વરસે ૧૯૫૨માં મુંબઈના મુખ્ય પ્રધાન અને ૮૧ વરસે ૧૯૭૭માં દેશના વડા પ્રધાન બન્યા હતા.