Very subtle cartoon on sufi shrine attack in Pakistan
![]()
Very subtle cartoon on sufi shrine attack in Pakistan
![]()
હિમાંશી શેલતના શ્વાન વિક્ટરનું અકાળ અવસાન થયેલું અને અત્યંત કરુણ રીતે એ વફાદાર શ્વાનનો અંત આવેલો. એ દિવસે વરસાદ ખૂબ જામેલો અને હિમાંશી શેલત અને વિનોદ મેઘાણી કોઈક કામે કારમાં જઈ રહ્યાં હતાં. જતી વેળા, વિક્ટર બંને પગે કારની બારી પર ઊભો રહી ગયો, અને ‘જાઓ છો તો મને પણ લઈ જાઓ’ની કાકલૂદી કરવા માંડ્યો. વિક્ટરની આજીજીથી ઓગળી જઈને એમણે વિક્ટરને પણ સાથે લઈ લીધો, અને જાણે વિક્ટર કારમાં બેસીને એના મોત ભણી નીકળી પડ્યો!
આવતી વેળા એક અગત્યના ફોનકોલ માટે તેઓ કારની બહાર નીકળ્યાં અને કારનો દરવાજો બંધ કરવાનું ચૂકી ગયાં; એટલામાં વિક્ટર પણ છલાંગ મારીને બહાર કૂદ્યો અને સામેથી પૂરપાટ આવતી બસે એને અફડેટે લીધો. અને બસ, વિક્ટર હતો ન હતો થઈ ગયો. જીવથીયે વહાલો વિક્ટર આ રીતે ચાલી નીકળે ત્યારે એ અવસાન હિમાંશીબહેન અને વિનોદભાઈને કઈ હદે હચમચાવી જાય એની કલ્પના કરવી મુશ્કેલ છે, પરંતુ હિમાંશીબહેનના જ શબ્દોમાં વાંચીએ તો એમણે લખેલું, ‘એને ભોંયમાં પોઢાડીને ઉપર માટી વાળી ત્યારે ભીતર હાહાકાર વ્યાપી ગયો. ખૂબ ચાહતો હતો એ મને. જુવાનજોધ દીકરો ફાટી પડ્યાની દાહક વ્યથા લઈ ઘેર આવી હતી એ દિવસે …’
વિક્ટરના મૃત્યુને કારણે ‘સખ્ય’ અચાનક ભેંકાર થઈ ગયેલું. જીવનનો જાણે આધાર જ છીનવાઈ ગયેલો અને હિમાંશીબહેન અકારણ રડી પડતાં. તેઓ નોંધે છે, ‘એક પ્રાણીએ સવા વર્ષના ટૂંકા ગાળામાં એવી તે કઈ પાંખો આપી હતી અમને કે એના જવાથી અમે આમ સાવ જ પટકાઈ પડ્યાં હતાં ભોંય પર! મારું મન એટલું તો આળું બની ગયું હતું કે સાવ અકારણ રડી પડાતું હતું.’
પછી તો વિકી સાથે સંકળાયેલી તમામ બાબતો હિમાંશીબહેનને મહિનાઓ સુધી ખિન્ન કરતી રહી. એને ભાવતી વાનગી હોય કે, રાત્રે સૂતી વખતે બાજુમાં વિક્ટરની કાયમી ગેરહાજરી હોય, વિકીની ગમે ત્યારે એમને યાદ આવે અને જ્યારે યાદ આવે ત્યારે ઉદાસી અને આંસુને પણ લેતી આવે! માણસના અવસાન પછી આજે સ્વજનો પાધરો શોક નથી કરી શકતા એવા આ સમયમાં પ્રાણીના અવસાનથી કોઈ માણસ ભાંગી પડે એ વાત કેટલાકને હાસ્યાસ્પદ લાગવાની તો કેટલાકને આમાં વેવલાપણું લાગવાનું.
ખૈર, હવે સોનુ પર આવીએ. હું સોનુને બેએક વાર મળ્યો છું. પહેલી વાર હિમાંશી શેલતને મળવા ‘સખ્ય’ પર પહોંચી ગયેલો ત્યારે સોનુએ એની વારસાગત પદ્ધતિથી ભસીને મારું સ્વાગત કરેલું, પણ ‘અરે, આ તો મહેમાન. એમના પર ભસાય?’ એવું હિમાંશીબહેને એને કહ્યા પછી એ લગીર ન ભસ્યો અને અમારી વાતમાં જાણે એને પણ રસ હોય એમ ઓરડામાં બેસીને અમારી વાતોમાં ગુલતાન રહ્યો. ત્રણેક વર્ષ બાદ બીજી વખત જવાનું બન્યું ત્યારે સોનું ‘સખ્ય’ પર હાજર હતો, પરંતુ ઉંમરે પહોંચેલા સોનુનું સ્વાસ્થ્ય અત્યંત નબળું હતું એટલે એ બહાર ઓટલા પર નહીં, પણ અંદર ઓરડામાં આરામ કરતો હતો. હિમાંશીબહેને જ મને જાણકારી આપેલી કે, એને કેન્સર છે અને એની સારવાર માટે તેઓ કિમોથેરપિ અપાવવા લઈ જાય છે. અધૂરામાં પૂરું સોનુંને આંખે દેખાવાનું પણ બંધ થઈ ગયેલું એટલે એને સાચવવામાં અને એની સારવાર કરવામાં હિમાંશીબહેનને ઘણી તકલીફ પડેલી.
જો કે ત્યાર પછી સુરતમાં યોજાયેલા જ્ઞાનસત્ર વખતે હિમાંશી શેલત મળેલાં ત્યારે એમને સોનુના ખબર અંતર પૂછેલા. એમણે જણાવેલું, હજુ થોડા સમય પહેલાં જ સોનુ ચાલી નીકળ્યો, અને એના ન હોવાની કઠોર વાસ્તવિક્તામાંથી હું પણ બહાર આવવાનો પ્રયત્ન કરી રહી છું! તો ગયા મહિને જ્યારે હિમાંશીબહેનને મળવાનું થયું ત્યારે એમણે સોનુ સંદર્ભે માહિતી આપી. થોડા મહિના અગાઉ એમણે ઘરને રંગ કરાવેલો ત્યારે આગલા ઓરડાની એક દીવાલને રંગ નથી કરાવ્યો. કેમ? તો કહે, સોનુ જ્યારે બીમાર હતો, ત્યારે સોનુ એ દીવાલ પાસે આરામ કરતો અને ત્યાં જ હિમાંશીબહેન એના શરીર પર દવા કે દુર્ગંધ ન ફેલાય એ માટે સ્પ્રે છાંટતાં, જે સ્પ્રેના ડાઘા હજુ પણ એ દીવાલ પર અકબંધ છે!
ખૈર, માણસ માટે માણસ જીવે એ તો આપણો સ્વાર્થ કહેવાય, પણ આપણી આસપાસ જે કંઈ ધબકતું હોય એને ઉત્કટતાથી ચાહવું અને પૂરી નિસ્બત સાથે એમના માટે કંઈક કરી છૂટવાની ઝંખના રાખવી, એ વાત કંઈક નોખી છે. બધા એવું કરી શકતા નથી, એટલે જ બધા આવું અનોખું ‘સખ્ય’ પણ માણી શકતા નથી.
e.mail : ankitdesaivapi@gmail.com
![]()
અનેક મોઢે એને બોલવું પડે જેના વિચાર સ્પષ્ટ ન હોય, કાં ઇરાદો સ્પષ્ટ ન હોય અને કાં હિંમત ઓછી પડતી હોય
RSSના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું છે કે દેશમાં કોઈ પણ વ્યક્તિને બીજી વ્યક્તિને દેશભક્તિનું સર્ટિફિકેટ આપવાનો અધિકાર નથી. એ પછી તેમણે ઉમેરણ કર્યું હતું કે મને પણ નહીં. આ છેલ્લું કથન જોતાં એમ લાગે છે કે તેઓ પોતાને હિન્દુઓનો અવાજ સમજે છે. મોહન ભાગવતે દેશપ્રેમીઓને મર્યાદાનું ભાન કરાવ્યું એના હજી અઠવાડિયા પહેલાં તેમણે કહ્યું હતું કે ‘આ દેશ હિન્દુઓનો છે અને જે પણ વ્યક્તિ આ દેશમાં જન્મ લે છે એ હિન્દુ છે. ધર્મ અલગ હોઈ શકે, પણ ઓળખ એક જ છે; હિન્દુ. હિન્દુ એ ધર્મવાચક ઓળખ નથી, પરંતુ રાષ્ટ્રવાચક ઓળખ છે.’
અહીં બે સવાલ ઉપસ્થિત થાય છે. પહેલો સવાલ એ કે ઇન્ડિયન, ભારતીય, હિન્દુસ્તાની અને એક સમયે હિન્દી એવા રાષ્ટ્રવાચક શબ્દો આપણી પાસે છે અને એની સામે કોઈ પ્રજાને વાંધો નથી તો એને અપનાવી લેવાની જગ્યાએ હિન્દુનો આગ્રહ શા માટે? આખું જગત આપણને ઇન્ડિયન, ભારતીય કે હિન્દુસ્તાની તરીકે ઓળખે છે અને ઇતિહાસમાં પણ ભારતની પ્રજાનો ઉલ્લેખ આ ત્રણ શબ્દોમાં જ કરવામાં આવ્યો છે. ઓળખના જે શબ્દો હાથવગા છે, રૂઢ છે, નિર્વિવાદપણે સર્વસ્વીકાર્ય છે તો પછી હિન્દુનો આગ્રહ શા માટે? બીજું, હિન્દુસ્તાનમાં તો હિન્દુ આવી જ જાય છે અને એ છતાં સંતોષ નથી એનું શું કારણ? હિન્દુઓની ભૂમિ (સ્તાન) એ હિન્દુસ્તાન અને તેમને હિન્દુરાષ્ટ્ર તો જોઈએ છે.
૧૯૪૭માં ભારતનું વિભાજન થયું ત્યારે મોહમ્મદ અલી ઝીણાએ આગ્રહ રાખ્યો હતો કે હવે ભારતનું વિભાજન થઈ રહ્યું છે તો અત્યાર સુધી અખંડ ભારતને ઓળખાવનાર શબ્દ ઇન્ડિયા સ્થગિત કરી નાખવો જોઈએ અને એની જગ્યાએ ઇન્ડિયા સત્તાવારપણે હિન્દુસ્તાન તરીકે ઓળખાવું જોઈએ, કોમી વિભાજન પછી ઇન્ડિયા હવે ઇતિહાસ બની જવું જોઈએ. આ દરખાસ્તનો સરદાર પટેલે વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ધર્મના નામે ઇન્ડિયામાંથી જે બહાર નીકળે એ ઓળખ ગુમાવે, બાકી ભારત તો ઇન્ડિયા ધૅટ ઇઝ ભારત તરીકે જ ઓળખાશે. બચાડા મોહન ભાગવતને આ બધા ઇતિહાસની જાણ નહીં હોય.
જે ધર્મના નામે ઇન્ડિયા ધૅટ ઇઝ ભારતમાંથી બહાર નીકળે એ ઓળખ ગુમાવે એમ સંઘના આરાધ્ય દેવ-ગાંધીનુયાયી-કૉન્ગ્રેસી સરદાર પટેલે ત્યારે કહ્યું હતું. ભારત કરતાં હિન્દુસ્તાન શબ્દ વધારે પ્રચલિત હોવા છતાં સત્તાવારપણે ભારત શબ્દ અપનાવવામાં આવ્યો હતો, કારણ કે એ સમયના ભારતના નેતાઓ આડકતરી રીતે પણ કોમી વિભાજનને માન્યતા આપવા નહોતા માગતા. ઇન્ડિયા ધૅટ ઇઝ ભારત સર્વસમાવેશક ઓળખ છે અને હિન્દુસ્તાન શબ્દ પણ એટલો જ સર્વસમાવેશક છે એટલે તો સંઘને એમાં વાંધો છે. તમે ભારતીય તરીકે ઓળખાતા હશો તો ચાલશે, પણ અંદરથી તમે હિન્દુ હોવા જોઈએ, કારણ કે સાંસ્કૃિતક રાષ્ટ્રવાદનો આ તકાદો છે જે તેમણે ઇટલીમાંથી આયાત કર્યો છે.
બીજો સવાલ હિન્દુત્વનો ઉપસ્થિત થાય છે. મુસલમાન ભલે ધર્મે મુસલમાન હોય, ખ્રિસ્તી ભલે ધર્મે ઈસાઈ હોય; દિલથી તેઓ હિન્દુ હોવા જોઈએ. હવે હિન્દુપણાની (જેમને તેઓ હિન્દુત્વ તરીકે ઓળખાવે છે) તેમની વ્યાખ્યા શું કહે છે? જેમની પિતૃભૂમિ અને પવિત્ર ભૂમિ બન્ને ભારત હોય એ જ હિન્દુ. આ વ્યાખ્યા વિનાયક દામોદર સાવરકરે કરી છે જે સંઘને સ્વીકાર્ય છે. હિન્દુત્વ શબ્દપ્રયોગ સંઘે અપનાવી લીધો છે અને સંઘે સત્તાવારપણે કે આડકતરી રીતે સુધ્ધાં સાવરકરની હિન્દુની વ્યાખ્યાનો અસ્વીકાર નથી કર્યો.
હવે જેની જન્મભૂમિ અને પવિત્ર ભૂમિ ભારત હોય એ જ માત્ર હિન્દુ ગણાય તો અન્ય ધર્મીઓ પાસેથી સંઘ કયા આધારે હિન્દુ તરીકે ઓળખાવવાનો આગ્રહ રાખે છે? તેમની વ્યાખ્યા જ તેમને હિન્દુ તરીકે ડિસમિસ કરે છે. સાવરકરે તો ત્યાં સુધી કહ્યું છે કે જેની જન્મભૂમિ અને પવિત્ર ભૂમિ ભારત હોય એ જ હિન્દુ ગણાય અને એ જ માત્ર ભરોસાપાત્ર રાષ્ટ્રનિષ્ઠ ગણાય જ્યારે બાકીનાઓની રાષ્ટ્રનિષ્ઠા શંકાસ્પદ હોય છે. રેખા તો સાવરકરે ખેંચી આપી છે જે સંઘને માન્ય છે તો પછી ભારતમાં જન્મે એ દરેક હિન્દુ, પછી એનો ધર્મ ગમે એ હોય એમ કહેવાનો શું અર્થ છે? પણ પ્રશ્ન કરે કોણ? વિચારે કોણ? સમીક્ષા કરે કોણ? RSSની શાખાઓમાં કુમળા ચિત્તનું બોન્સાઇ કરવામાં આવે છે.
હું જ્યારે શિખાઉ પત્રકાર હતો ત્યારે મેં મારા સિનિયર પત્રકારને પૂછ્યું હતું કે મુમ્બાદેવી પરથી મુંબઈનું નામ પડ્યું અને નરેન્દ્ર આગળ જતાં વિવેકાનંદ બન્યા એવા એકસરખા લેખો વારંવાર વાંચ્યા છે તો એને ફરી-ફરી છાપતા રહેવાનો શું અર્થ? તેમણે કહ્યું હતું કે દર વરસે નવા યુવા વાચકો ઉમેરાતા હોય છે તેમના માટે. છાપાવાળાઓએ સમયાંતરે એકસરખા લેખો આપવા પડતા હોય છે. RSSની પણ એ જ નીતિ છે. દર વરસે નવા હિન્દુઓ પેદા થતા રહે છે એટલે તેમને અનેક મોઢે બોલીને ભ્રમમાં રાખવા પડે.
એક માર્ગ અપનાવો તો માર્ગ સ્પષ્ટ કરવો પડે, એની વ્યાખ્યા કરવી પડે, એની રૂપરેખા આપવી પડે, વ્યવહારુતા બતાવવી પડે અને સૌથી મોટી વાત એ કે ખુદે એના પર ચાલવું પડે. આટલી ત્રેવડ નથી એટલે અનેક મોઢે બોલવું પડે છે. તમે કોઈ જેહાદી મુસલમાનને જોયો છે અનેક મોઢે બોલતા? તે ખોટું વિચારે છે અને કરે છે એમાં કોઈ શંકા નથી; પરંતુ તે જે માને છે એ જ બોલે છે અને એ જ કરે છે અને જ્યાં સુધી જીવ ન ગુમાવે ત્યાં સુધી એ જ બોલતો-કરતો રહે છે. અનેક મોઢે એને બોલવું પડે જેના વિચાર સ્પષ્ટ ન હોય, કાં ઇરાદો સ્પષ્ટ ન હોય અને કાં હિંમત ઓછી પડતી હોય. RSSની શાખાઓમાં બોન્સાઇની ચોથી પેઢી તૈયાર થઈ રહી છે. માનવધનનો કેવડો મોટો વેડફાટ! વિચાર તો કરો.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 15 ફેબ્રુઆરી 2017
![]()

