વ્યર્થ સઘળી સલામ થઈ જાશે,
કાયદો તોડ – કામ થઈ જાશે.
ધર્મના નામ પર ધુતારાનાં
ધર્મસ્થાનો મુકામ થઈ જાશે.
લોકસેવાના કોઈ પણ મુદ્દે,
મોરચા કાઢ – નામ થઈ જાશે.
લોકશાહીમાં લોકના નામે
લોકશાહી લિલામ થઈ જાશે.
સત્ય કહેવાની ભૂલ ના કરશો.
જીવવું પણ હરામ થઈ જાશે.
હોય તે ઓળખાણ વર્દીની
તો બધો ઇન્તેઝામ થઈ જશે.
શું ખબર લોકશાહીમાં લોકો
સેવકોના ગુલામ થઈ જશે.
રાજકોટ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2019; પૃ. 15
![]()


આસામના સિલ્ચર પ્રાંતમાં ‘એશો બોલી’ સંસ્થા દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત બંગાળી કવિશ્રી બંદોપાધ્યાય સાથે કેટલાંક સ્થાપિત હિતો ધરાવતાં, અસામાજિક તત્ત્વો દ્વારા જે દુર્વ્યવહાર થયો, તેમના હાથમાંથી માઇક ખેંચી લેવામાં આવ્યું. તોડફોડ કરવામાં આવી, ધમકી આપવામાં આવી, તે ઘટનાને ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’(જાન્યુઆરી ૧૪)માં આવરી લેતી અખબારી નોંધ આપણે આપણી મહામૂલી જણસ જેવા કવિને કેટલા સાચવીએ (!) છીએ તે અંગે ઘણું કહી જાય છે. ભગતસાહેબ કહેતા હતા ‘સમાજમાં કવિનું હોવું અને કવિતાનું થવું મનુષ્યજાતિનું સદ્ભાગ્ય છે.’ આ સદ્ભાગ્યની આપણને કદાચ પડી નથી.
હિઝ ઇમ્પિરિયલ મૅજેસ્ટી ધ શાહ ઑફ ઇરાન તરફથી ભારતના નાયબ વડાપ્રધાનને ઇરાનની મુલાકાત માટે નિમંત્રણ મળે છે એ વિરલ ઘટના હતી. ૧૯૬૦ અને ૧૯૭૦ના દસકાઓમાં મધ્ય પશ્ચિમ એશિયામાં શાહનું ખાસ્સું વજન પડતું હતું. વળી, અમેરિકા સાથે તો વધુ નિકટતા કેમ કે ઇરાન ત્યારે મિડલ ઇસ્ટર્ન ડિફેન્સ ઑર્ગેનાઈઝેશનનું સભ્ય હતું. પૅટ્રોલિયમ પેદાશોની અગત્ય અમેરિકા અને શાહ સૌથી પહેલાં સમજેલા. ઇરાનના પાકિસ્તાન તરફી વલણને બદલવા ભારત પ્રયત્નશીલ હતું. ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે ઇરાને પાકિસ્તાનના હવાઈ દળને વિના મૂલ્યે ઈંધણ ભરવાની સગવડ કરી આપી હતી, તે હકીકત ભુલાઈ ન હતી. રાજકીય મુત્સદ્દીગીરી દ્વારા ઇરાનને પડકારવાનું કે આર્થિક નીતિઓથી એને નુકસાન પહોંચાડવાનું કોઈ રીતે શક્ય ન હતું. જરૂર હતી ઇરાનને પાકિસ્તાન તરફે તટસ્થ કરવાની.