ધબ્બ
દઈને બંધ થઈ જાય
એ જ બારણું ?
આ તે હિમાલયને
ધબ્બ દઈને
બારણે બંધ કરવા
નિકળ્યા છે…
આ તે
કાશ્મીરના ખોળામાં
ખળખળ વહેતી
ઝેલમને
ધબ્બ દઈને
બારણે બંધ કરવા
નિકળ્યા છે.
ઋષિ મુનિઓએ
જ્ઞાનના હિમાલય પર
આરોહણ કર્યાં,
તર્કની તલવારો
હજારો વર્ષ
ચમકાવી, ટકરાવી
તલવારોના તણખાઓએ
પ્રકાશ પાથર્યો
કે
સસલાંને શિંગડાં
હોય
એ તો
કલ્પનાની પેલે પારની વાત
અને આકાશ કુસુમની
વાત ય
કલ્પનાને પેલે પાર.
આકાશ જેવડું ફૂલ
કોઈના સપનામાંય
સમાતું નથી!
આ તો
આકાશ જેવડું બારણું
ધબ્બ દઈને
વાસવા બેઠા છે!
આ તો ધબ્બ દઈને
ધબકતાં હ્રદયને
બારણે બંધ કરવા
ઊભા છે.
ધબકતાં હ્રદયની
ધમનીઓનાં બારણાં
ધબ્બ દઈને બંધ કરતા ડોક્ટરોને
કદી તમે જોયા છે ?
ડોક્ટરો
હ્રદયની બંધ નળીઓનાં
બારણે
ટકોરા મારે છે,
ખોલી નાંખે છે બંધ નળીઓનાં બારણાં,
ધબક ધબક ધબકે છે
હ્રદય.
શું
ધબ્બ દઈને
બંધ કરવા જ
બારણાં હોય છે ?
E-mail : manishijani@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑક્ટોબર 2019; પૃ. 14
![]()


ધીરુભાઈ ઠાકરે સમગ્ર જીવન કૉલેજ શિક્ષણ ક્ષેત્રે સમર્પિત કર્યું. એક તેજસ્વી અધ્યાપક અને પછીથી કર્મઠ પ્રિન્સિપાલ તરીકે સેવાઓ આપી નિવૃત્ત થયા. નિવૃત્તિ કાળનાં પચ્ચીસેક વરસ ગુજરાતી ભાષામાં ‘વિશ્વકોશ’ તૈયાર કરવામાં ગાળ્યાં.
“નોકરીનું ઠેકાણું પડતું નથી, એટલે ધીરુભાઈ જતિન્દ્ર જોડે શૅરબજારમાં દલાલની ઑફિસમાં જઈને બેસે છે.” વચ્ચે ગોકળીબાઈ સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. ત્યાંથી ચિલ્ડ્રન-એકૅડેમીમાં અને પાર્ટટાઇમ અધ્યાપક તરીકે એલ્ફિસ્ટન કૉલેજમાં જોડાયા છે. ત્યાં પ્રો. કે.બી. વ્યાસની સલાહથી અમદાવાદ ગુજરાત કૉલેજમાં પૂર્ણસમયના અધ્યાપક તરીકે અરજી કરે છે. ત્યાં ઇન્ટરવ્યૂ આપી હાજર થાય છે. નાટ્યવૃત્તિ ફરી શરૂ થાય છે. ઈ.સ. ૧૯૪૨ની ‘હિન્દ છોડો’ ચળવળના પ્રભાવથી વિદ્યાર્થીઓ અને પોલીસ સામસામે આવી જાય છે. વિદ્યાર્થીઓના બચાવ માટે પાંચ અધ્યાપકો નીચે આવી દોડ્યા … એમાં એક ધીરુભાઈ હતા. પોલીસને રોકવા જતાં. એ ઘાયલ થયા.
ગુજરાતી સાહિત્યમાં મકરંદ દવેની કવિ તરીકેની નોંધાયેલી છે. તેમના વિવિધ કાવ્યસંગ્રહોમાં સંકલન ‘કોઈ ઘટમાં ગ્રહેકે ઘેરું’ ત્રણ ભાગમાં સંપાદિત થયેલ છે. સાહિત્યપ્રેમી ગુજરાતી સાહિત્યવિદોએ મકરંદ દવેને રણજિતરામ સુવર્ણચંદ્રકથી પોંખેલા છે. અને ઈ.સ. ૨૦૦૦માં ગુજરાતી કવિતાનો શ્રેષ્ઠ ઍવૉર્ડ નરસિંહ મહેતા મકરંદભાઈને એનાયત કરવામાં આવ્યો હતો. કવિની સાથે જ નવલકથાકાર, નાટ્યકાર અને અનુવાદક તરીકે તેમની સાહિત્યિક ઓળખ પ્રસ્થાપિત થઈ ચૂકી છે.