મને સપનાંમાં
પોપાબાઈનું રાજ યાદ આવે.
આમ તો રાજમાં હતું કંઈ નહીં !?
એવું કહેવાય છે ને કે
ખાલી ચણો વાગે ઘણો
કે ચા કરતાં કીટલી ગરમ
શું એવું જ કંઈક હશે આ રાજમાં?
કે પછી
રાંડ્યા રાજની રાંડી પ્રજાને
પોપાબાઈના રાજથી કોઈ
મતલબ ન'તો !?
કે એવું શું પોપાબાઈ ચલવતાં
કે
નહીં
એ તો રામ જાણે!
ઘૈડિયા ય ગુજરી ગયા
ને ઇતિહાસ તો હોય જ નહીં
બિચારા પોપાબાઈના રાજનો
એટલે થયું
ચાલ આજે
કવિતામાં
પોપાબાઈનું કરીએ પુણ્યસ્મરણ!
પોપાબાઈ ગમે તેમ તો ય રાજમહિષી.
આમ તો રોજ
પણ રોજ નહીં તો
ક્યારેક જય તો કરવી જ પડેને!?
મારા પૂર્વજોએ ન'તી કરી જય
તો લ્યો હું કરું
જય જય પોપાબાઈ સરકાર!
![]()


કંચનલાલ વાસુદેવ મહેતા (ઉપનામ: મલયાનિલ) (૧૮૯૨ – ૨૪ જૂન ૧૯૧૯) ગુજરાતી ભાષામાં આધુનિક ટૂંકી વાર્તાના પ્રણેતા માનવામાં આવે છે. તેમની ટૂંકી વાર્તા 'ગોવાલણી' આધુનિક શૈલીની ગુજરાતી ભાષાની પ્રથમ ટૂંકી વાર્તા હતી. સત્યાવીસ વર્ષની ટૂંકી વયે એમનું અવસાન થયું હતું. મૃત્યુ પછી તેમનો વાર્તાસંગ્રહ 'ગોવાલણી અને બીજી વાતો' પ્રકાશિત થયો હતો.